Connect with us

અમદાવાદ

જગન્નાથ યાત્રા દરમિયાન ઇતિહાસ સર્જશે આમ આદમી પાર્ટી !

Published

on

જગન્નાથ યાત્રા દરમિયાન કેવી રીતે ઇતિહાસ સર્જશે આમ આદમી પાર્ટી !

ભાજપના શાસનમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ થયુંઃ ઇસુદાન ગઢવી

ભગવાન જગન્નાથના આશિર્વાદ લેવા અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

ભગવાન જગન્નાથ 145મી રથયાત્રા પહેલી જુલાઇના રોજ નિજ મંદિર જમાલપુરથી નિકળનાર છે ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પ્રથમ વખત ભગવાન જગન્નાથનો રથ ખેચી યાત્રાનો આરંભ કરાવશે
ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ભગવાન જગન્નાથના આશિર્વાદ મેળવવા માટે દિલ્હીથી ખાસ અમદાવાદ આવશે, અને તેઓ ભગવાન
જગન્નાથના આશિર્વાદ લઇ સરસપુર ખાતે રણછોડ રાય મંદિરે ભગવાનના મામેરા દરમિયાન ઉપસ્થિત રહી સરસપુરમાં રથ ખેચવાની સેવા આપી શકે છે આ સમાન્ય વાત નથી, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત
આ પ્રકારની ઘટના બનશે,

Advertisement

યુવરાજ સિહ જાડેજાએ અધિક મુખ્ય સચીવ સામે કેમ ઉઠાવ્યા સવાલ !

ગુજરાત વિધાનસભાની ચૂટણી ડીસેમ્બર માસમાં યોજાનાર છે ત્યારે 27 વરસથી ભાજપનો ગઢ રહેલ ગુજરાતને જાળવી રાખવા માટે વડા પ્રધાન નરેન્દ્રમોદી કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ
જે પી નડ્ડા અને સંધ પરિવારની ભગની સંસ્થાઓ દિન રાત એક કરી રહી છે, ત્યારે બીજી તરફ દિલ્હી બાદ પંજાબમાં કોંગ્રેસને સત્તા પરથી ઉખાડી ફેંકીને સત્તા કબ્જે કરવામાં સફળ થયેલ આમ આદમી પાર્ટીનો
ફોક્સ હવે ગુજરાતનુ ગાંધીનગર વિધાનસભા છે, વર્ષ 1989માં સોમનાથથી અયોધ્યા સુધી એલ કે આડવાણીના નેતૃત્વમાં યોજાયેલ રામ મંદિર મુદ્દે યાત્રાના પરિણામે હિન્દુત્વની લહેર ઉભી થતા ગુજરાતમા ભાજપને
1990માં યોજાયેલ વિધાનસભામાં ભાજપને 67 બેઠકો મળી હતી, અને જનતા દળ સાથે ભાજપને સરકારની ભાગીદારી મળી હતી, જોકે વર્ષ 1992માં બાબરી મસ્જીદ ધ્વસ્ત થયા બાદ ભાજપ અને જનતા દળનુ ગઠબંધન તુટ્યુ. વર્ષ 1995માં ભય ભુખ અને ભ્રષ્ટાચાર એસ ટી બસમાં ભાડમાં રાહત, વિજ બિલમાં 25 ટકા રાહત જેવા વચનો આપ્યા હતા, ગુજરાતમાં પરિવર્તન લાવો ભાજપને એક તક આપો તેવા સુત્ર ભાજપે સમગ્ર ગુજરાતમાં
ગુંચતા કર્યા હતા, જેની સીધી અસર ગુજરાતની જનતા ઉપર થઇ અને ભારતિય જનતા પાર્ટીને પ્રથમ વખત 121 બેઠકો સાથે સત્તા મળી,, અને સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા કેશુભાઇ પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા,,
ત્યારથી આજ દિન સુધી ગુજરાત ભાજપ માટે અજેય ગઢ બની ચુક્યો છે,,

અરવિંદ કેજરીવાલથી પ્રભાવિત થઈને દહેગામના સરપંચ, ઉપસરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ આપમાં જોડાયાઃ ઈસુદાન

હિન્દુત્વની લહેર અને વિકાસની રાજનીતિ સાથે ગુજરાત હવે ભાજપનો અભેદ્દ કિલ્લો બની ચુક્યો છે ત્યારે આમ આદમી પાર્ટી સંધ અને ભાજપની સ્ટાઇલથી ગુજરાતમાં પ્રચાર પ્રસાર અને લોકોની વચ્ચે જઇ રહી છે, જેમાં
મફત વિજળી, શિક્ષણ, આરોગ્ય, જેવા મુદ્દાઓને લઇને સમગ્ર ગુજરાતમા આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા યોજીને ગુજરાતની જનતાનુ મન જાણવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે આપના રાષ્ટ્રિય નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યુ છે કે ગુજરાતમાં જનતાએ 27 વર્ષ જુના ભાજપને કિલ્લાને ધ્વસ્ત કરવાનું મન બનાવી લીધુ છે, આગામી સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે,જેને કોઇ ચમરબંધી પણ રોકી શકે તેમ નથી,

ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં કઇ રીતે થઇ રહ્યો છે મોટો કૌભાંડ

Advertisement

સમગ્ર દેશમાં જગન્નાથપુરીની રથયાત્રા બાદ ગુજરાતના અમદાવાદની રથયાત્રા જાણીતી છે, ખુદ ભગવાન જગન્નાથ યાત્રા પોતાના ભાઇ બહેન સાથે નિજ મંદિર જમાલપુરથી સમગ્ર શહેરમાં ભક્તોને આશિર્વાદ આપવા માટે
જતા હોય છે એ સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન ઉપસ્થિત રહી રથ ખેચી પ્રસ્થાન કરાવતા હોય છે, ત્યારે તેમનુ મોસાળ સરસપુરમાં પણ ભાવિક ભક્તો દ્વારા તેમનુ ભવ્ય સ્વાગત કરવામા આવતું હોય છે,આ ધાર્મિક યા6ાનુ પોલીટીકલ માઇલેજ પણ ભાજપને મળતુ રહ્યુ છે, ત્યારે આ વખતે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના આશિર્વાદ લેવા માટે તેઓ દિલ્હીથી ખાસ આવવાના હોવાનુ
આપના સુત્રો કહી રહ્યા છે,, તેઓ જગન્નાથના મંદિરની આરતી ઉતારવા 30મી જુને અમદાવાદ આવશે અને એક જુલાઇએ તેઓ સરસપુરમા રથયાત્રામાં ભાવિક ભક્તો સાથે ઉપસ્થિત રહી ભગવાનના રથને સરસપુર
ચાર રસ્તાથી બાબા સાહેબ આંબેડકર હોલ સુધી ખેચશે જેના માટે આમ આદમી પાર્ટી દ્વારા પણ તૈયારીઓ શરુ કરી દેવાઇ છે, તેમ સુત્રો જાણાવી રહ્યા છે,, પણ હજુ સુધી અરવિંદ કેજરીવાલ તરફથી કોઇ કન્ફરમેશન મળ્યું નથી

ગુજરાતની શાળાઓમાં 25000 શિક્ષકો અને 18000 વર્ગખંડોની અછત છેઃ ઇસુદાન ગઢવી

Advertisement

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.