Connect with us

ધર્મ દર્શન

નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં સમર્પિત મીઠીતલાઈના યુવાનોની અનોખી કહાણી !!

Published

on

નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં સમર્પિત મીઠીતલાઈના યુવાનોની અનોખી કહાણી !!

આમ તો, નર્મદાજીના કાંઠે સેવાની સરવાણી અવિરત વહ્યા કરે છે. પણ આજે એવા સેવાક્ષેત્રની વાત કરવી છે જ્યાં, સેવાની પરમ ઉત્કાંઠા, અપાર સહિષ્ણુતા અને નિઃસ્વાર્થ ભાવનાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ભરુચ જિલ્લાના દહેજ પાસેના મીઠી તલાઈ ગામનું કદાચ તમે નામ સાંભળ્યું નહીં હોય પણ જો તમે જીવનમાં ક્યારેય નર્મદા પરિક્રમા કરી હશે તો મીઠી તલાઈને અચૂક જાણતા હશો. અલબત્ત, તમે મીઠી તલાઈના ભુતનાથ યુવક મંડળના સદાવ્રતનો લાભ પણ તમે ચોક્કસ લીધો હશે.

મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા !

વાત એવી છે કે, નર્મદાજીની પરિક્રમા અમરકંટકથી શરુ થાય છે અને તેનો બીજો છેડો અંકલેશ્વર નજીકના હાંસોટ પાસેના વિમળેશ્વર સુધી છે. વિમળેશ્વર પાસે નર્મદાજીનો સાગર સાથે સંગમ થાય છે. આ તીર્થક્ષેત્રે પહોંચ્યા પછી પરિક્રમાવાસીઓ બોટમાં બેસીને લગભગ ત્રણેક કલાકની દરિયાઈ મુસાફરી કરીને બીજા છેડે એટલે કે, દહેજ પાસેના મીઠી તલાઈ પહોંચે છે. પરિક્રમાવાસીઓની બોટને લાંગરવા માટે મીઠી તલાઈ પાસે ખાસ જેટી પણ બનાવવામાં આવી છે. આ જેટી પાસે બોટ રોકાય અને પરિક્રમાવાસીઓ જેવા નીચે ઉતરે કે, સામે જ ભુતનાથ યુવક મંડળના કાર્યકરો ભાવપૂર્વક તેમને તેડવા આવે છે.

હાર્દીક પટેલના કમલમ પ્રવેશ પર કોણે લગાવી બ્રેક !

Advertisement

મીઠી તલાઈથી પરિક્રમાવાસીઓની સામા છેડાની લગભગ 1600 કિલોમીટરની પદયાત્રા શરુ થતી હોય છે. એટલે વિસામો, વિશ્રામ કે, પછી આરામ માટે પરિક્રમાવાસીઓ ગણતરીના સમય માટે અહીં રોકાતા હોય છે. મીઠી તલાઈમાં ભુતનાથ યુવક મંડળના લગભગ ત્રીસેક કાર્યકરો પરિક્રમાવાસીઓની શ્રધ્ધાપૂર્વક, નિઃસ્વાર્થ સેવા કરે છે. તેમને ભાવતા ભોજન જમાડે છે.

પરિક્રમાવાસીઓને પોતાના પરિવારના સદસ્યની જેમ સાચવે છે. કોઈને કશી વસ્તુની જરુર હોય તો વિનામૂલ્યે લાવી આપે છે. કોઈ બિમાર હોય તો તેની સારવાર કરાવે છે. કોઈને આરામ કરવો હોય તો એની વ્યવસ્થા કરી આપે છે. કોઈને એકાદ-બે દિવસ રોકાવુ હોય તો તેની રહેવાની સગવડ કરી આપે છે.

અતિ પછાત જ્ઞાતીમાં ભાજપમાં કોનો મેળ પડશે

ભુતનાથ યુવક મંડળના અગ્રણી જયેન્દ્રસિંહ રાણા કહે છે કે, અમારા મંડળમાં ત્રીસેક યુવકો કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના માત્ર સેવા આપે છે. અમે પરિક્રમાવાસીઓની ક્ષુધા શાંત કરવાનો સેવાયજ્ઞ ચલાવીએ છીએ. વિમળેશ્વરથી બોટ મારફતે મીઠી તલાઈ આવનારા પરિક્રમાવાસીઓને અમે ચા-નાસ્તાની સેવા આપીએ છીએ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતાડવા પીએમ મોદીને તેમના ભાઇ કરશે કેવી રીતે મદદ !

Advertisement

અમારે ત્યાં રોજ બસ્સોથી વધુ પરિક્રમાવાસીઓ આવતા હોય છે એટલે અમારે એમની સંખ્યાના આધારે ચા-નાસ્તાનો પ્રબંધ કરવાનો રહે છે. આ સેવાયજ્ઞ બારેમાસ ચાલતો હોવાથી અમારે એની આગોતરી વ્યવસ્થા પણ કરવી પડે છે. અમારી પાસે વિમળેશ્વરના બોટ ચાલકોના મોબાઈલ નંબરો છે એટલે બીજા દિવસે કેટલા પરિક્રમાવાસીઓ મીઠી તલાઈ આવશે એની આગોતરી જાણકારી અમે મેળવી લઈએ છીએ. એટલે બીજા દિવસની તૈયારી આગલી રાત્રે જ થઈ જાય છે.

અમારા મંડળના લગભગ બધા જ કાર્યકરો નોકરિયાત છે. કો’કને ફર્સ્ટ શિફ્ટમાં નોકરીએ જવાનુ હોય તો કો’કને બીજી કે, ત્રીજી શિફ્ટમાં જવાનુ હોય. એટલે બીજા દિવસે ક્યાં સમયે કોણ સેવામાં હાજર રહેશે તેની જાણકારી મેળવી લેવાય છે. અમારુ અલાયદુ વોટ્સએપ ગૃપ છે અને તેના માધ્યમથી અમે એકબીજાના સંપર્કમાં રહીએ છીએ.

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

તમને જાણીને આશ્ચર્ય થશે કે, જ્યારથી અમે પરિક્રમાવાસીઓની સેવા શરુ કરી છે ત્યારથી અમને કે, અમારા પરિવારને કોઈ મોટી તકલીફ પડી નથી અને એટલે જ અમે બધા પોતપોતાના સમયે નિયમીત સેવાયજ્ઞમાં શ્રમની આહુતિ આપવા હંમેશા ખડેપગે હાજર રહીએ છીએ.

ભુતનાથ યુવક મંડળના કાર્યકર સુરેશ પરમાર કહે છે કે, મીઠી તલાઈ ગામે આવનારા પરિક્રમાવાસીઓ પૈકીના કેટલાક સમુદ્ર પંચકોશી યાત્રા પણ કરતા હોય છે. આ પદયાત્રા ખૂબ જ કઠિન છે. યાત્રા કરનારા વ્યક્તિને દરિયાના કાદવ-કિચડ વાળા રસ્તે અને ખતરનાક જંગલમાંથી પસાર થવુ પડે છે. ઘણી વાર એવુ પણ બને છે કે, પદયાત્રી રસ્તો ભુલી જાય કે, દરિયાકાંઠે અટવાઈ પડે. આવા સંજોગોમાં અમે તેમને શોધીને મીઠી તલાઈ પહોંચવામાં મદદરુપ બનીએ છીએ.

Advertisement

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

અમારી સંસ્થાના અગ્રણીઓ હંમેશા કહે છે કે, પરિક્રમાવાસી ઈશ્વરનું સ્વરુપ હોય છે. એટલે એમની સેવામાં કોઈ કચાશ ના રહેવી જોઈએ. અમે અમારા વડિલોની વાતને માનીને પ્રત્યેક પરિક્રમાવાસીની ભાવપૂર્વક સેવા કરીએ છીએ. ભુતનાથ યુવક મંડળના વડિલ અગ્રણી નરેન્દ્રસિંહ બાપૂ કહે છે કે, નર્મદાજીનો 3600 કિલોમીટરનો કાંઠો સેવાભાવથી ભરેલો છે. અહીં નર્મદે હર…એટલા પાંચ અક્ષરનો મંત્ર ઉચ્ચારે એટલે ભુખ્યાને ભોજન, તરસ્યાંને પાણી, બિમારને સારવાર અને થાક્યાને આશરો અચૂક મળે છે.

નર્મદાજીની કૃપાથી પરિક્રમાવાસીને જંગલમાં પણ ખાવા માટે રોટલો અને વિશ્રામ માટે ઓટલો જરુર મળે છે. તેવી જ રીતે પરિક્રમાવાસીની સેવા કરનારા ભાવિકોના માથે માં નર્મદાજીના આશીર્વાદ હંમેશા રહે છે. માં નર્મદાજીના આશીર્વાદ હંમેશા અમારી ઉપર રહે અને મીઠી તલાઈમાં પરિક્રમાવાસીઓનો સેવાયજ્ઞ પણ અવિરત યાલ્યા કરે એ જ ઈચ્છા સાથે અસ્તુ.

નર્મદે હર…

Advertisement

સોશિયલ મિડીયા પર ધુમ મચાવી રહી છે કમસિન સાક્ષી ચોપરા

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગાંધીનગર

બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

Published

on

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા માં બહુચરના યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં રૂપિયા ૨૦ કરોડની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે.મંત્રીએ ઉમેર્યું કે, લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા માં બહુચરના ધામ ખાતે યાત્રાળુઓને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હયાત સુવિધાઓ અને આગામી ૨૫ વર્ષમાં બહુચરાજી તીર્થધામના વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ કરી ત્રણ તબક્કામાં વિકાસ કરવાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રૂપિયા ૨૦ કરોડ ફાળવ્યા છે. જે હેઠળ માતાજીના મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરની શિખર ની ઊંચાઈ જે હાલ ૪૯ ફૂટ છે. તે વધારીને અંદાજે ૭૧.૫ ફૂટ કરવામાં આવશે. જે થકી મંદિર પરિસર ભવ્ય અને દિવ્ય બનશે અને યાત્રાળુ માટે આકર્ષણનો કેન્દ્ર બનશે. મંદિરની ઊંચાઈ વધારવાની સાથે સાથે આવનારા સમયમાં મંદિરના પરિસર અને વિકાસનું આયોજન કરવામાં પણ આવશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજ્યમાં આરાસુર અંબાજી શક્તિપીઠ મહાકાળીધામ પાવાગઢ, શક્તિપીઠ અને બહુચરાજી શક્તિપીઠ પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક રીતે અતી મહત્વના શક્તિપીઠો હોય આવનારા શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ વધુને વધુ સારી વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે આ સમગ્ર આયોજન કરાયું છે.

Continue Reading

ગાંધીનગર

રાજય સરકાર ભાવિક ભક્તો કેમ નહીં ઝુકે અંબાજી માં ચીકીનો પ્રસાદ વહેંચવા માટે સરકાર મક્ક્મ ઋષિકેશ પટેલ

Published

on

અંબાજી ખાતેશ્રધ્ધાળુઓની લાગણીને ધ્યાને રાખીને પૌષ્ટિક – સ્વાસ્થ્યપ્રદ ચિક્કીનો પ્રસાદ શરૂ કરાયો છે: પ્રવક્તા મંત્રી  ઋષિકેશભાઈ પટેલ

મહોનથાળની સાપેક્ષે ચિક્કીના પ્રસાદની સેલ્ફ લાઇફ વધુ : દર્શાનર્થીઓ દ્વારા ચિક્કીના પ્રસાદને સારો પ્રતિસાદ મળી રહ્યો છે

પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે, અંબાજી ખાતે
શ્રધ્ધાળુઓની લાગણીને ધ્યાને રાખીને પૌષ્ટિક – સ્વાસ્થ્યપ્રદ ચિક્કીનો પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૩ થી શરૂ કરવામાં આવ્યો છે.

મંત્રી એ ઉમેર્યું કે, કોરોના મહામારી દરમિયાન સૌ પ્રથમવાર ઓનલાઇન દર્શન ની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેનો લાભ વિશ્વના ૨૭ જેટલા દેશોના ૧.૨૧ કરોડ શ્રદ્ધાળુઓએ લીધો હતો. વિશ્વભરમાંથી શ્રધ્ધાળુઓ અંબાજી ખાતે ‘માં અંબા’ના દર્શનાર્થે આવતા હોય છે જેઓ પોતાના વતનમાં ‘માં અંબા’નો પ્રસાદ લઈ જવા ઈચ્છતા હોય છે. આ પ્રસાદ સુકો અને વધુ સમય સુધી રહે તેવી લાગણી શ્રઘ્ધાળુઓ દ્વારા કરવામાં આવતી હોય છે.

 

Advertisement

મંત્રી એ વધુમાં ઉમેર્યું કે, વર્ષમાં ચાર પ્રકારની નવરાત્રી, દર મહિનાની પૂર્ણિમા, આઠમ તેમજ વિવિધ વ્રતના દિવસે ફરાળી પ્રસાદ હોવો જોઈએ તેવી રજૂઆતો પણ દર્શનાર્થીઓ દ્વારા કરવામાં આવતી હતી. આવી અનેક
લાગણીઓને ધ્યાને રાખીને અંબાજી ખાતે પ્રસાદમાં પૌષ્ટિક ચિક્કીના પ્રસાદનું વિતરણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ પ્રસાદની ચિક્કી ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી છે તથા આશરે ૩ માસ જેટલા સમય સુધી ગુણવત્તાયુક્ત રહે છે. આ પ્રસાદની ચિક્કી બજારમાં મળતી સામાન્ય ચિક્કી જેવી નથી. આ પ્રસાદની ચિક્કી આરોગ્યવર્ધક સીંગદાણાના માવામાંથી બનાવવામાં આવે છે. ૩ મહિના જેટલી વધુ સેલ્ફલાઇફ ધરાવતા આ ચિક્કી ના પ્રસાદને નાગરિકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તા. ૧ થી ૧૦ માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧,૨૬,૮૬૫ ચિક્કીના પ્રસાદનું વિતરણ કરાયું છે તેમ પણ મંત્રી એ ઉમેર્યું છે.

Continue Reading

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.