Connect with us

અમદાવાદ

અનાર પટેલ માટે પાટણથી ચૂંટણી લડવાનો ગોઠવાતો તખ્તો !

Published

on

અનાર પટેલ માટે પાટણથી ચૂંટણી લડવાનો ગોઠવાતો તખ્તો !

ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !

પાટણ વિધાનસભા બેઠક પર થી ગુજરાત ના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ના પુત્રી અનાર પટેલ લડી શકે તે પ્રબળ સંભાવના છે ત્યારે અનાર પટેલ ને લઇ અમદાવાદ માં નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠક પર થી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ કાર્યકર્તાઓ કરી રહ્યા છે જોકે કેટલાક પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ના વિરોધી જૂથ ના તેમના નામનો વિરોધ કરે તો તેઓ ઉત્તરગુજરાત ના પાટણ કે ઊંઝા બેઠક પર થી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે.તમને બતાવી દઇએ કે અનાર પટેલ કોઇ પણ પ્રકારની ચૂંટણી લડવાનુ ઇન્કાર કરી ચુક્યા છે

પાટણ વિધાનસભા નો ઇતિહાસ

વર્ષ 1962 માં કોંગ્રેસ ના વિજય કુમાર ત્રિવેદી એ સ્વત્રંત્ર પક્ષ ના રણછોડભાઈ પટેલ ને હરાવ્યા

Advertisement

વર્ષ 1962 માં કોંગ્રેસ ના વિજય કુમાર ત્રિવેદી એ સ્વત્રંત્ર પક્ષ ના એસ એમ શાહ ને હરાવ્યા

વર્સજ 1972 માં કોંગ્રેસ ના નાથાભાઈ દેસાઈ એ ભારતીય જન સંઘ ના કરસન ઠાકોર ને હરાવ્યા

વર્ષ 1975 માં ભારતીય જન સંઘ ના ભગવાનદાસ અમીને કોંગ્રેસ ના ભુદરભાઈ પટેલ ને હરાવ્યા કટોકટી બાદ યોજાયેલ ચૂંટણી માં

વર્ષ 1980 માં જનતાપાર્ટી ના ડાહ્યાભાઈ પટેલે કોંગ્રેસ આઈ ના સરોજબેન પંડ્યા ને હરાવ્યા

વર્ષ 1985 માં કોંગ્રેસ ના કાંતિભાઈ પટેલે જનતા પાર્ટી ના ડાહ્યાભાઈ પટેલ ને હરાવ્યા

Advertisement

વર્ષ 1990 માં ભાજપ ના અરવિંદ પટેલે કોંગ્રેસ ના કાંતિભાઈ પટેલ ને હરાવ્યા

વર્ષ 1995 માં ભાજપ ના અરવિંદ પટેલે કોંગ્રેસ ના કાંતિભાઈ પટેલ ને હરાવ્યા

વર્ષ 1998 માં ભાજપ ના મોહનભાઇ પટેલે ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટી ના કાંતિભાઈ પટેલ ને હરાવ્યા

વર્ષ 2002 માં ભાજપ ના આનંદીબેન પટેલે કોંગ્રેસ ના કાંતિભાઈ પટેલ ને હરાવ્યા

વર્ષ 2007 માં ભાજપ ના આનંદીબેન પટેલે કાંતિભાઈ પટેલ ને હરાવ્યા

Advertisement

વર્ષ 2012 માં ભાજપ ના રણછોડ ભાઈ દેસાઈ એ કોંગ્રેસ ના જોધાજી ઠાકોર ને હરાવ્યા

વર્ષ 2017 માં કોંગ્રેસ ના કિરીટ પટેલે ભાજપ ના રણછોડ ભાઈ દેસાઈ ને હરાવ્યા

ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત !

ઐતિહાસિક તથ્યો

પાટણ વિધાનસભા બેઠક બીજેપી નો પૂર્વાવતાર જનસંઘ ના ઉમેદવાર ભગવાનદાસ અમીન પ્રથમ વખત વર્ષ 1975 માં ચૂંટણી જીત્યા હતા
જયારે વર્ષ 1990 થી વર્ષ 2017 સુધી બીજેપી નો દબદબો યથાવત રહ્યો હતો જોકે 27 વર્ષ કોંગ્રેસ ના પાટીદાર નેતા અને ઉત્તરગુજરાત યુનિવર્સીટી માં સિન્ડિકેટ સભ્ય તરીકે ફરજ બજાવતા અને યુવાઓ માં લોકપ્રિય કિરીટ પટેલે બીજેપી ના ગઢ માં કાંગરા પાડી દીધા હતા જોકે તેઓ ને પાટીદાર અનામત આંદોલન બાદ યોજાયેલ ગુજરાત વિધાનસભા ની વર્ષ 2017 ની ચૂંટણી માં ભાજપ ના ઉમેદવાર પૂર્વ પ્રધાન રણછોડ દેસાઈ ને ધૂળ ચાટતા કરી દઈ ને પાટણ ના ગઢ ને હચમચાવી દીધો હતો

Advertisement

પાટણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ના વિજય ત્રિવેદી વર્ષ 1962 અને વર્ષ 1967 માં ,ભાજપ ના અરવિંદ પટેલ વર્ષ 1990 અને વર્ષ 1995 જયારે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ વર્ષ 2002 અને 2007 એમ બે વખત ચૂંટણી જીતવા નો રેકોર્ડ ધરાવે છે પાટણ વિધાનસભા બેઠક પર આજ દિન સુધી જીતવા ની કોઈ હેટ્રિક કરી શક્યું નથી

ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !

જયારે પાટણ વિધાનસભા બેઠક પર વર્ષ 1985 માં કાંતિભાઈ પટેલ કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે વિજેતા બન્યા હતા જોકે તેમનો પાટણ વિધાનસભા બેઠક પર હારવા નો રેકોર્ડ તેમના નામે છે તેઓ વર્ષ 1990 ,વર્ષ 1995 ,વર્ષ 1998 ,વર્ષ 2002 અને વર્ષ 2007 એમ પાંચ વખત ચૂંટણી હારવા નો રેકોર્ડ કાંતિભાઈ પટેલ ના નામે નોંધાયેલો છે જે આજ દિન સુધી કોઈ તોડી શક્યું નથી

ભાજપ નો પૂર્વાવતાર જન સંઘ પ્રથમ વખત કટોકટી બાદ યોજાયેલ ગુજરાત વિધાનસભા ની વર્ષ 1975 માં યોજાયેલ ચૂંટણી માં પ્રથમ વખત પાટણ બેઠક પર થી ભગવાનદાસ અમીન ચૂંટણી જીત્યા હતા

આ બેઠક પર 9 વખત પાટીદારો ચૂંટણી જીત્યા છે જયારે બે વખત બ્રહ્મ સમાજ ના ઉમેદવાર અને રબારી સમાજ ના ઉમેદવાર ચૂંટણી જીત્યા છે

Advertisement

આ બેઠક પર પાટીદારો નું પ્રભુત્વ રહ્યું છે જે આજ દિન સુધી પાટીદારો એ જાળવી રાખ્યું છે

પાટીદારો નો ગઢ માનવા માં આવતી પાટણ બેઠક પર થી ગુજરાત ના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ વર્ષ 2002 અને 2007 માં પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે

હવે જયારે તેઓ ઉત્તરપ્રદેશ ના રાજયપાલ તરીકે આનંદીબેન પટેલ જવાબદારી વહન કરી રહ્યા છે તેઓ હાલ ગુજરાત ની રાજનીતિ માં સક્રિય નથી ત્યારે સમાજ સેવા સાથે જોડાયેલ તેમના પુત્રી અનાર પટેલ ને લઇ ને રાજકીય ગલિયારાઓ માં ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે કે અનાર પટેલ આ વખતે વિધાનસભા ની ચૂંટણી લડશે તેઓ અમદાવાદ માં નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી શકે છે

ભેંસોના કતલ કરનારાઓ પર પાસા લગાવવાના પરિપત્રમાં પોલીસ વિભાગ નહી કરે કોઇ સુધારો !

અમદાવાદ માં આ બેઠકો પર થી ચૂંટણી લડવા ની તક પ્રાપ્ત ના થાય કે સંજોગોવસાત વિરોધી ટોળી દ્વારા વિરોધ કરવા માં આવે તો તેમના માટે ઉત્તરગુજરાત માં પાટણ અને ઊંઝા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માટે પસંદગી ઉતારી શકે છે તેમના નજીક ના સૂત્રો તરફ થી મળતી પ્રમાણે જો ઉત્તરપ્રદેશ ના રાજયપાલ અને ગુજરાત નું ગૌરવ આનંદીબેન પટેલ દેશ ના રાષ્ટ્પતિ બનશે તો અનાર પટેલ ચૂંટણી નહીં લડે જોકે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ને રાષ્ટ્પતિ તરીકે તક નહીં મળે તો અનાર પટેલ ઉત્તરગુજરાત માં પાટણ કે ઊંઝા બેઠક પર થી ચૂંટણી લડી શકે છે..છતાં અનાર પટેલ પહેલા જ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે તેઓ ઇલેક્શન નહી લડે,, છતાં તેમના સમર્થકો માને કે સંજોગો બનશે તો અનાર પટેલને ચૂટણીમાં ઝંપલાવવા માટે
સમર્થકો તરફથી જરુરથી કહેવાશે,

Advertisement

ફિલ્મ અભિનેત્રી પુજા ભાલેકરના ફીટનેશનુ રાજ

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.