Connect with us

ફૂડ & રેસિપી

હોળી પર હોટેલ જેવી વાનગી બનાવો ઘરે, મહેમાનો પણ આંગળા ચાટતા રહી જશે..

Published

on

હોળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. હોળી-ધુળેટીના તહેવાર પર દરેકના ઘરે મીઠી વાનગી બનાવવામાં આવે છે. જોકે, હોળીનો તહેવાર ગુજીયા વિના અધૂરો ગણાય છે. આ સિવાય જો તમારે અન્ય સ્વીટ વાનગી બનાવવી હોય તો આ વખતે તમે માલપૂઆ ટ્રાય કરો. તે બનાવવામાં પણ એકદમ સરળ છે, ઘણા લોકો રબડી સાથે માલપુઆ ખાવાનું પસંદ કરે છે તો કેટલાકને એકલા માલપુઆ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

 

 

માલપૂઆ બનાવવાની સામગ્રી

– એક કપ મેંદો,
– એક કપ ઘઉંનો લોટ
– સોજીનો લોટ
– એક ચમચી પીસેલી વરિયાળી,
– ત્રણ થી ચાર પીસેલી એલચી પાવડર,
– નાળિયેર પાવડર,
– અડધો કપ ખાંડ,
– દૂધનો પાવડર
– ઘી અથવા તેલ તળવા માટે

Advertisement

 

બનાવવાની રીત

– માલપુઆ બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં મેંદો અને ઘઉંનો લોટ લો. તેમાં દૂધનો પાવડર અને સોજી નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડું થોડું દૂધ નાખતા જાઓ ને ગાઠા ન પડે તેમ મિક્સ કરતા જાવ. ઘટ્ટ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે 20-25 મિનિટ તેને એક બાજૂમાં મૂકી રાખો.

– હવે ગેસ પર એક કડાઈમાં એક કપ ખાંડ અને અડધો કપ પાણી મિક્સ કરો. આ મિશ્રણને 5-7 મિનિટ ઉકાળો. ત્યારબાદ તેમાં એલચીનો પાવડર નાખી ગેસ બંધ કરી ચાસણીને એક બાજુ મૂકો.

 

Advertisement

– હવે ફરી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મિશ્રણને કડછી કે વાટકા વડે જેટલી સાઈઝમાં માલપુવા બનાવવા છે એટલુ મિશ્રણ નાખી બંન્ને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરો,

– ત્યાર બાદ તેલમાંથી કાઢીને તૈયાર કરેલી ચાસણીમાં 5-7 મિનિટ ડુબડો. ત્યારબાદ ચાસણીમાંથી કાઢી લો. હવે તને ડ્રાયફ્રુટ્સથી ગાર્નિસ કરો તો તૈયાર છે માલપુઆ.

અમદાવાદ

સી એલ હિન્દી હાઈસ્કૂલ ખાતે ફૂડ કાર્નિવલ નું કરાયું આયોજન

Published

on

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી શેઠ સી.એલ. હિન્દી હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓ માં વ્યવસાય કૌશલ્ય વિકસાવવા અને કરન્સી એક્સચેન્જ ની જાણકારી મળે તે માટે શ્રી કિશનસિંહ તોમર ફૂડ કાર્નિવલ નો આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ બનાવી તેના સ્ટોલ લગાવ્યા હતા જયારે અન્ય સાથી મિત્રોએ ચલણ મારફત ખરીદી કરી જુદી જુદી વાનગીઓ નો આનંદ માણ્યો હતો.

Continue Reading

અમદાવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મોત્સવ નિમિત્તે શ્રમિકોને પૌષ્ટિક આહાર ની કીટ આપી સન્માન કરાયું

Published

on

ક્લીનડીસ અભિયાન” નું પ્રારંભ કરીએ અન્ન નો આદર કરીએ અશ્વિની શર્મા

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મોત્સવ નિમિત્તે સેવા પખવાડા અંતર્ગત 720 શ્રમિકોને પૌષ્ટિક આહાર ની કીટ આપી સન્માન કરાયું

ખાણીપીણી ના ક્ષેત્રમાં સ્વસ્થ
પ્રતિસ્પર્ધા ઊભી કરી આરોગ્ય લક્ષી, સ્વચ્છ ,સુઘડ વાતાવરણ, શુદ્ધ સાત્વિક પૌષ્ટિક લોકોને ના સ્વાસ્થ્યને હાની ના પહોંચાડે તેવું ભોજન આહાર પીરસે તે માટે વિવિધ 10 શ્રેણીમાં ફુડના વેપારીઓને એવોર્ડ અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા

વેપારીઓને સરળીકરણ માટે ફૂડ સેફટી લાઇસન્સ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને સ્થળ ઉપર જ બધી જ જરૂરી માહિતી ઉપલબ્ધ કરવામાં આવી

હોટલ, રેસ્ટોરન્ટ ,કેટરર્સ, ધાબા બેકરી મીઠાઈ, નમકીન ની દુકાનો ચા ની કેટલીઓમાં કામ કરનારા શ્રમિકો ના જીવનને સુરક્ષિત કરવા માટે પાંચ લાખ રૂપિયા સુધીના મેડિકલવીમા આયુષ્માન કાર્ડ માટે કેમ્પ લગાવવા મા આવ્યો અને જરૂરી માર્ગદર્શન આપ્યું.

Advertisement

અમારા ખેડૂત ભાઈઓ તડકો, છાંયડો, ગરમી ,ઠંડી ની પરવા કર્યા વિના આપણા માટે સતત મહેનત કરીને ખુલ્લા ખેતરોમાં આપણા માટે અનાજ પકવે છે આપણે તેને વેડફીએ નહીં, #ક્લીનડીસ અભિયાન” નું પ્રારંભ કરીએ અન્ન નો આદર કરીએ, આવનારો સમય ખુબ વિકરાળ છે, વિશ્વમાં અનાજની તંગી સર્જાશે તેવા સમયે આપણે આ જગતના તાતની મહેનતને એડે ના જવા દઈએ આપણા ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે અન્નનો ખોટો બગાડ ન કરીએ તે માટે કટિબદ્ધ બનીએ આપણે સંકલ્પ લઈએ કે ખોટો દેખાડો નહીં કરીએ અને જરૂર પ્રમાણેની જરૂરિયાત મુજબ વાનગીઓ પ્રસંગોમાં રાખીએ
-અશ્વિની શર્મા સંગઠન મંત્રી ગુજરાત એબીવીપી

ગુજરાતના વિકાસમાં ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નો ખુબ મોટો ફાળો રહેલો છે અપાર ક્ષમતા આ ક્ષેત્રમાં ઉપલબ્ધ છે ગુજરાતના ફૂડ એન્ટરપ્રેન્યોર ની કુશળ આગતા સ્વાગતા સુપરિચિત છે, ભાજપની ગુજરાત સરકારે ખાણીપીણીના નાના-મોટા વેપારીઓ માટે અનેક યોજનાઓ બનાવી તેમના કલ્યાણ માટે કામો કર્યા છે, લાયસન્સ પ્રક્રિયા પણ એકદમ પારદર્શક કરી છે, કોવીડ દરમિયાન બંધમાં થયેલ નુકસાન ની ભરપાઈ માટે પ્રોફેશનલ ટેક્સ માફ કરવામાં આવ્યો, ઇલેક્ટ્રિસિટી બિલનું ફિક્સ ચાર્જ માફ કરવામાં આવ્યું, તેવી જ રીતે ઘણી સુવિધાઓ આપીને સરકારે આ ઉદ્યોગને મદદ કરી છે અને સતત કરતું રહેશે.

અમારા દેશી ભાખરી ,રોટલા, દાળ ઢોકળી સામે આ વિદેશી પીજા ,પાસ્તા, મેક્સીકન વામણા પડે, માં જેવી મમતાથી આપણા રેસ્ટોરન્ટ, ડાઇનિંગ હોલ, મહારાજો આપણને ઓડકાર આવે ત્યાં સુધી જમાડે છે, આપણને તૃપ્ત કરે છે-રાજમોહન મોદી ફૂડ બ્લોગર

અન્ન નો બગાડ અટકાવવા માટે હોટલ, રેસ્ટોરેન્ટ ,કેટરીંગ, ધાબા વિગેરે રાંધેલું ભોજન વધી જાય તો તેને લઈ જરૂરમંદોમાં વિતરણ કરવા માટે ની યોજના બનાવવામાં આવી જેથી કોઈ ને ભૂખ્યા ન સુવું પડે, તેમની સુધાતૃપ્ત થાય

આહાર મેનેજમેન્ટ એસોસિએશન પ્રમુખ નરેન્દ્રસિંહ પુરોહિત દ્વારા સિંધુભવન રોડ પર “અન્ન નો આદર કરો” “યુવાનોને ભારતીય ભોજન તરફ લઈ જવા”નુ સેમિનાર આયોજન કરવામાં આવ્યું

Advertisement

આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત ના મંત્રી આર.એસ.એસ પ્રચારક  અશ્વિન શર્મા, પૂર્વ શ્રમ કલ્યાણ બોર્ડના ચેરમેન ડોક્ટર અનિલભાઈ પટેલ ,ઓલ ઇન્ડિયા કેટરર્સ એસોસિએશનના ઉપાધ્યક્ષ  ગોવર્ધનભાઈ પુરોહિત ગોરધન થાળ વાળા, ઓલ ગુજરાત મીઠાઈ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ કંદોઈ ભોગીલાલ મૂળચંદ વાળા, જયભાઈ શર્મા ગ્વાલિયા સ્વીટ્સ, કિશોરભાઈ શેઠ ઓલ ઇન્ડિયા સ્વીટ્સ એસોસિએશનના પ્રમુખ, અખિલભાઇ શાહ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ફૂડ કમીટીના ચેરમેન, ગોપી રામજી ગુપ્તા ચેરમેન નારાયણ હાઇટ્સ, રોહિતભાઈ શર્મા સંયોજક ભાજપ ગુજરાત, અતુલભાઇ મિશ્રા સંયોજક ભાજપ ગુજરાત, જીતેન્દ્ર સિંગ ગુજરાત બેકર્સ એસોસિએશનના મહામંત્રી, દિલીપભાઈ ઠાકર ગોપી ડાઇનિંગ હોલ, કિશનસિંહ જય ભવાની વડાપાઉં,ગણપતભાઈ પટેલ મસાલા, ગેલોન્સ મિનરલ વોટર સંજયભાઈ ,હીનાબેન શાહ મહિલા ઉધમી અને ગુજરાત ભરના ખાણીપીણી ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ એસોસિએશનના પ્રમુખો કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.

Continue Reading

ગુજરાત

લીંબ જ નહી તેની છાલમાં પણ કરે છે ચમત્કાર !

Published

on

લીંબ જ નહી તેની છાલમાં પણ કરે છે ચમત્કાર !

લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્વો હોય છે જે સ્ટ્રેસ ઘટાડવામાં સહાયક બને છે

લીંબુનો રસ સ્વાસ્થ્ય જાળવવા ઉપરાંત ત્વચાને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે જે સ્વાસ્થ્ય ઉપરાંત વાળના ગ્રોથ માટે પણ ઉપયોગી છે. તે સિવાય તેની છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીંબુની છાલ વજન ઘટાડવા ઉપરાંત અન્ય કેટલીક રીતે પણ ઉપયોગી છે.

વજન ઘટાડવા માટે

વજન ઘટાડવા માટે લીંબુના રસનો પ્રયોગ કરવામાં આવે છે પરંતુ તેની છાલ ફેંકી દેવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર છાલ પણ વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

Advertisement

હાડકાં મજબૂત રાખવા માટે

લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન-સી, એન્ટી ઓક્સિડેન્ટ્સ જેવા અન્ય તત્વો હોય છે જે હાડકાંના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. લીંબુની છાલ વડે ગઠિયા, રહ્યુમેટોઈડ આર્થરાઇટ્સ જેવી હાડકાં સાથે સંકળાયેલી બીમારીઓ દૂર કરી શકાય છે. આ માટે કાચી છાલનું સેવન કરી શકાય અથવા તેને ધોઈને, સુકવીને તેનો પાવડર પણ બનાવી શકાય.

ટોક્સિન્સ ઘટાડે

આપણાં શરીરમાં અનેક પ્રકારના ટોક્સિન પદાર્થો હોય છે જેને ઘટાડવા માટે લીંબુની છાલનો ઉપયોગ થઈ શકે છે. લીંબુની છાલનું દરરોજ સેવન કરવાથી આવા ટોક્સિક પદાર્થો શરીરમાંથી દૂર થાય છે.

તણાવ ઘટાડવા

Advertisement

લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્વો હોય છે જે સ્ટ્રેસ ઘટાડવામાં સહાયક બને છે. માટે વધારે સ્ટ્રેસમાં હોય તેવા લોકોએ લીંબુની છાલનું સેવન શરૂ કરી દેવું જોઈએ.

હૃદયને સ્વસ્થ રાખવા

હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે પણ લીંબુની છાલનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલા તત્વો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ નીચું રહે તો હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. તે સિવાય ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ પણ ઘટે છે.

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.