PATAN
પાટણના સિદ્ધિ સરોવરને કિનારે સંત કહારનાથની સમાધિ પાસે યોજાયો મેળો
પાટણના સિદ્ધિ સરોવરને કિનારે સંત કહારનાથની સમાધિ પાસે યોજાયો મેળો
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે સંત કહારનાથ ની જીવંત સમાધિએ ભરાતો લોક મેળોરદ કરાયો હતો જોકે આ વર્ષે પાટણમાં આવેલ સિદ્ધિ સરોવરને કિનારે ભાદરવા સુદ તેરસને દિવસે પટણી સમાજ દ્વારા ભવ્ય લોકમેળો યોજાયો હતો આ દિવસે શોભાયાત્રા, ભંડારો, સંતવાણી, આનંદના પાઠ યોજાયા હતા ન્યુ પટણી સ્પોર્ટ કલબ અમદાવાદ તરફથી પુલાવ, શીરાનો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો અને આર્યોદય અમદુપુરા, અમદાવાદ તરફથી પૂરી શાક અને બુંદીના મહા પ્રસાદ નું વિતરણ કરાયું હતું. ભાદરવા સુદ તેરસ ને દિવસે રાજ્યમાંથી દેવીપુજક સમાજ દ્વારા સંતની સમાધિએ નેજા ચઢાવી પરંપરા ને યથાવત રાખી હતી સંત કહારનાથે ભાદરવા સુદ તેરસને દિવસે જીવતા સમાધિ લીધી હતી. તેમણે દસમા નાથ તરીકે પણ ઓળખવામાં આવે છે સમાધી સ્થળ ને 500 વર્ષ વિત્યા હોવા છતાં મંદિરનો વિકાસ થયો નથી તેથી પાટણના સ્થાનિક અગ્રણીઓ રાજુ આર પટણી, જયંતિ એસ પટની, રમેશ જે પટણી, ભરત એસ પટણી, પ્રકાશ જી પટણી એ મંદિરનો વિકાસ ઝડપથી થાય તેવી સંત કહાર નાથને પ્રાર્થના કરી હતી
PATAN
પાટણ જિલ્લા સહકારી દ્વારા જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો

પાટણ જીલ્લા સહકારી સંઘ દ્વારા આજે પાટણ ખાતે કૉ.ઓપરેટીવ બેંક અને ક્રેડિટ સોસાયટીઓનો જીલ્લા કક્ષાનો સેમિનાર NCUI,ન્યૂ દિલ્હી,ઇફ્કો અને ગુજકોમાસોલનાના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને અને તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સદસ્ય રાષ્ટ્રીય મહિલા આયોગ ડો.રાજુલબેન દેસાઈ, રાષ્ટ્રીય હોર્ટીકલચર બોર્ડના ડિરેક્ટર મનીષ દિલીપભાઈ સંઘાણી ,સંઘના ચેરમેન સુરેશભાઇ પટેલ,ઉત્તર ગુજરાત કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીઝ ફેડરેશન લી.મહેસાણા અને પાટણ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી હરિભાઈ પટેલ,કાર્યક્રમના તજજ્ઞ તરીકે રાજ્ય સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર રાજેન્દ્રભાઈ ત્રિવેદી ,માનદ મંત્રી પ્રભુદાનભાઈ ગઢવી ,સંઘના મેનેજર ભરતભાઇ રાજ્પુરોહિત,જિલ્લા સહકારી સંઘ બોર્ડ ઓફ ડાયરેક્ટર,જિલ્લાની બેંકો અને ક્રેડિટ સોસાયટીઓના ચેરમેન,ડિરેક્ટર અને મેનેજરો મળી કુલ-૧૭૦ સહકારી આગેવાનોએ સેમિનારમાં ભાગ લીધો હતો.
PATAN
પોલીસ દમન ના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા પાટણ માં અભિજીત બારડ ના નેતૃત્વ માં યોજાઈ રેલી

પોલીસ દમન ના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા પાટણ માં અભિજીત બારડ ના નેતૃત્વ માં યોજાઈ રેલી
પોલીસ દ્વારા ઠાકોર સમાજના યુવાનો પર કરાયેલા દમન ના વિરોધમાં ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા અભિજીત બારડ ના નેતૃત્વમાં પાટણમાં ગાંધી બાગ ખાતે ક્ષત્રિય સમાજે રેલી યોજી હતી તેઓ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.અને આવેદનપત્ર આપ્યું હતું..અને રજુઆત કરી હતી કે ઠાકોર સમાજ ના યુવાનો પર દમન ગુજારનાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે આરેલી માં મોટી સંખ્યા માં ક્ષત્રિય સમાજના યુવાનો જોડાયા હતા
PATAN
પોલીસ દમન ના વિરોધમાં યુવા ક્ષત્રિય સમાજ સેના ગુજરાત દ્વારા પાટણમાં રેલી નું કરાયું આયોજન

પાટણ જિલ્લાના વામ્યા ગામના યુવાન ને પોલીસ દ્વારા ઢોર મારવાના મામલે ક્ષત્રિય સમાજ દ્વારા અભિજીત રાઠોડ ના નેતૃત્વ માં પાટણ ખાતે શનિવારે રેલી યોજવામાં આવશે.સવારે 11 વાગ્યે ક્ષત્રિય સમાજના યુવાનો ગાંધી બાગ પાટણ ખાતે એકત્રિત થઇ ને પાટણ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર જવાબદાર લોકો સામે પગલાં ભરવા માટે માંગ કરાશે.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ