Connect with us

Uncategorized

કિસાનો માટે કલ્યાણકારી અને લાંબા ગાળાના લાભો આપનારું બજેટ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Published

on

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત સરકારના વર્ષ 2023-24 ના અંદાજપત્રને ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબાગાળાના લાભો આપનારું અંદાજપત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે કિસાનો પ્રેરિત થાય એવા પ્રયત્નો કરીને, ખેડૂતોની આવક બમણી કરવા સરકારે વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે રહેવાની પ્રતિબદ્ધતા આ અંદાજપત્રમાં વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અમૃતકાળ માટે ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની દિશા નિર્ધારિત કરતા અંદાજપત્ર માટે અભિનંદન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સંલગ્ન પ્રશિક્ષણ અને કૃષિ, મત્સ્યોદ્યોગના વિસ્તરણ-સંશોધન માટે કાર્યરત ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને માળખાકીય સગવડોના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 1,153 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે, જે આવકાર્ય છે. આ જોગવાઈથી ખેડૂતોની આવતીકાલ વધુ ઉજ્જવળ બનશે.

ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચર લર્નિંગ એન્ડ ઇન્ટીગ્રેશન મિશન- TALIM યોજના પણ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા 203 કરોડની ફાળવણી કરાઈ છે, જેનાથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા અને દેશી ગાયોની જાળવણી કરવા પ્રોત્સાહિત થશે.

Uncategorized

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારે શું કર્યું ?

Published

on

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (S.I.T) ની રચના કરાઈ

રાજ્યના પુરવઠા વિભાગ હેઠળના ગોડાઉન કે સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ કે ચોરીની ઘટના બાબતે રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે. ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવી શકાય અને અગાઉ બનેલા આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડકમાં કડક સજા કરાવી શકાય તે માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરની SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) બનાવવાનો નિર્ણય લીધો છે. આ સીટની રચનાથી સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એકસૂત્રતા અને અસરકારકતા આવશે.

સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં રચાયેલી આ S.I.T માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ

SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અધ્યક્ષ તરીકે સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકશ્રી હશે. તે ઉપરાંત સભ્ય તરીકે અન્ન અને નાગરિક પુરવઠાના નિયામક તેમજ સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ અધીક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીટમાં સભ્ય સચિવ તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેકટરશ્રી હશે. ઉપરાંત અન્ય સભ્યમાં સંબંધિત જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી અને સંબંધિત નાયબ પોલીસ અધીક્ષકનો સમાવેશ આ ખાસ તપાસ દળમાં કરવામાં આવ્યો છે.

ગૃહ વિભાગે બનાવેલી SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. તે ઉપરાંત આ પ્રકારના જે ગુનાઓની પોલીસ તપાસ પૂર્ણ થઇ ગયેલી છે તે ગુનાઓની પણ સમીક્ષા કરીને સૂચિત કાર્યવાહી અંગે સંબંધિત પોલીસ અધીક્ષકને જરૂરી સૂચનો કરશે. આ સમિતિએ દર મહિને બેઠક કરીને કાર્યવાહીની સમીક્ષા નોંધ અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને ગૃહ રાજ્ય મંત્રીને રજૂ કરવાની રહેશે.

Advertisement
Continue Reading

Uncategorized

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !

Published

on

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !

ગુજરાત સરકારનું ગૃહ વિભાગ હવે વડા પ્રધાન નરેન્દ્રમોદીના આત્મ નિર્ભર ભારતના સ્વપ્ન ને સાકાર કરવા તરફ વધી રહી છે,, સુત્રોની માનીએ તો ગૃહ વિભાગ ખાસ પ્લાન તૈયાર કરાયો છે, જેની બજેટ સત્રમાં જાહેરાત થઇ શકે છે,

 

ગૃહ વિભાગે જે પ્લાન બનાવ્યો છે તે મુજબ આગામી સમયમાં રાજ્યના 100થી વધુ નવા પોલીસ સ્ટેશનો બનશે, તે આત્મ નિર્ભર બનશે, જેના માટે ખાસ તૈયારી ગૃહ વિભાગે કરી છે,આ પ્લાનિંગમાં પોલીસ વિભાગ સાથે જન ભાગીદારીથી પોલીસ સ્ટેશનોનું નિર્માણ થશે, એટલુ જ નહી પોલીસ સ્ટેશનના ખર્ચમાં ઘટાડો થાયતે માટે સો થી વધુ પોલીસ સ્ટેશનમાં સોલાર પેનલ લગાવવામાં આવશે, જેના કારણે વિજ ખર્ચમાં ઘટાડો થશે, આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં મેન્ટનંસનો ખર્ચો ઉઠાવવો ન પડે તે માટે પોલીસ સ્ટેશનોમાં એટીએમ,બેંક,જેવી જાહેર સુવિધઓ ઉભી કરાશે, જે ગુજરાત સરકારનો પ્રથમ પ્રયોગ હશે, જેનાથી સરકારની તિજોરી ઉપર ભારણ ઘટશે,

 

Advertisement

 

Continue Reading

Uncategorized

અંગ્રેજી ભાષાની ઘેલછા એ ઇંગ્લેન્ડમાં જઇ ને આંબો વાવવા બરાબર છે ર્ડા. નિરંજન પટેલ

Published

on

ગુજરાતને અમેરિકા બનાવવા સરકારનો નવો માસ્ટર પ્લાન !

 

વિશ્વની બઘી ભાષા આપણે વાંચીશું, સાંભળીશું પણ આપણું હદય તો માતૃભાષાથી જોડાશે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા યોજાયેલ ’અમે ગુજરાતી’ અસ્મિતા મિલન કાર્યક્રમમાં તત્વચિંતક અને લેખક સુભાષ ભટ્ટે જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ખાતે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ’અમે ગુજરાતી’ અસ્મિતા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત જાણીતા તત્વચિંતક અને લેખક સુભાષ ભટ્ટે જણાવ્યું હતું કે, જેમ ચિકુ આંબો ન થાય, લીમડો કયારે આંબો ન થાય, પરંતુ માણસમાં જ આ પરિવર્તન જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, બુઘ્ઘિ અને હદય એક ચશ્મા છે, જો આપ બુઘ્ઘિના ચશ્મા પહેરશો તો અંગ્રેજીને પસંદ કરશો અને હદયના ચશ્મા પહેરશો તો આપ માતૃભાષા ગુજરાતીને પસંદ કરશો, આવું કેમ થાય તેની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. વિશ્વમાં એક અંદાજ પ્રમાણે ૭ હજાર જેટલી ભાષા છે, દરેક ભાષાનું આગવું મહત્વ છે, તે કોઇ ચોક્કસ સમુદાયની માતૃભાષા છે. જેથી આપણે માતૃભાષાનું સન્માન કરીએ છીએ, તેવી રીતે તમામ ભાષાનું સન્માન આપણે કરવું જોઇએ. એટલે જ ભગવત ગીતા ૫૯ ભાષામાં ભાષાંતર થઇ છે.
યુગ શાસકનો ન હોય, પણ યુગ સર્જકનો હોય તેવી દષ્ટાંતપૂર્વક વાત કરીને તેમણે ઉમેર્યું હતું કે, વ્યક્તિ પોતાનો સાચો ભાવ માતૃભાષામાં જ પ્રગટ કરી શકે છે. આપણે સૌએ હું ગુજરાતમાં છું ત્યાં સુઘી ગુજરાતી શાશ્વત છે, તેવો ભાવ પેદા થવો ખૂબ જરૂરી છે. તેમણે અહંકારથી માતૃભાષાને પ્રદૂષિત ન કરવાની વાત પર પણ ખાસ ભાર મુક્યો હતો.
માણસ જે ભાષામાં મન મૂકીને રૂદન કરી શકે છે, સારા સ્વપ્ન જોઇ શકે છે, પોતાની લાગણી- ઉત્સાહનો ભાવ સજ્જતાથી પ્રગટ કરી શકે છે, તે ભાષા તેની માતૃભાષા છે, તેવું કહી વલ્લભ વિઘાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ર્ડા. નિરંજન પટેલે ઉમેર્યું હતું કે, માતૃભાષાનું ગૌરવ નવો વિષય નથી. પરંતુ માતૃભાષાનું ગૌરવ થતું નથી, તે આપણા બજારામાં લેખલું લાઇવ ઢોકળા અને લગ્ન કે અન્ય આમંત્રણ પત્રિકામાં લખેલું ડીનર અને લન્ચ ટાઇમ પરથી જોઇ શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, પી.એચડી કરતાં વિઘાર્થીઓની ભાષાની જોડણી ખોટી હોય છે, તે વાત ખુબ આપણા સૌ માટે દુ:ખની છે. માતૃભાષાની સજ્જતા વઘારવાનું કામ સુચારું રીતે એક શિક્ષક અને માતા જ કરી શકે છે.

અંગ્રેજી ભાષાની ઘેલછા એ ઇંગ્લેન્ડમાં જઇ ને આંબો વાવવા બરાબર છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, જેવી ભાષા આપણે ભણીએ છીએ, તેવા વિચાર આપણને આવે છે. માતૃભાષા સાથે અન્ય ભાષાનું જ્ઞાન જરૂરી છે, પણ જેટલું મહત્વ ઘર્મનું છે, તેટલું મહત્વ માતૃભાષાનું હોવું જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, એક બોમ્બ ઝીંકયા વગર દેશનો વિનાશ કરવા ભાષા, સંસ્કૃતિ- ઘર્મથી અલગ તેના દેશવાસીઓને કરવા જોઇએ.
પ્રતિષ્ઢાનના અઘ્યક્ષ ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે, માતૃભાષા પોતાના અસિતત્વની ત્વચા છે. ગુજરાતી ભાાષાનું વસિયત કરાવી પડે તેવી સ્થિતિ બાજુ જઇ રહી છે, તેને રોકવા શું કરવું જોઇએ તેની વિસ્તૃત વાત કરી હતી. એટલા જ માટે અસ્મિતા જેવા કાર્યક્રમોની જરૂર છે. હાલના સમયમાં આપણે સ્માર્ટ ફોન, સ્માર્ટ બોયમાં આપણને રસ છે, પણ સારા માણસ બનાવવામાં માટે માતૃભાષા જ જરૂરી છે.
આ પ્રસંગે પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ હર્ષદ શાહે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના વિવિઘ કાર્યક્રમોની રૂપરેખા અને આ ટ્રસ્ટના નિર્માણ પાછળના ઉમદા આશયથી વાત કરી હતી. ટ્રસ્ટી કિશોર જિકાદરાએ તમામ ટ્રસ્ટીઓની વિસ્તૃત પરિચય આપ્યો હતો. કાર્યક્રમના આરંભે પ્રતિષ્ઠાનના શ્રી નારાયણ મેઘાણીએ મહાનુભાવો સહિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ’ ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિક મુખપત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રતિષ્ઠાનના મંત્રી લાભશંકરભાઇ જોશી, સહમંત્રી ર્ડા. જય ઓઝા, સ્વાતિબા રાઓલ, ટ્રસ્ટ્રી પ્રવિણ વઘાસિયા, ર્ડા. પ્રવીણ વાટલિયા અને ર્ડા. દીપક પંડ્યા, ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ પુલક ત્રિવેદી, લેખક કેશુભાઇ દેસાઇ, પ્રકાશ લાલા, મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જસવંતભાઇ પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

બ્રહ્માકુમારી દ્વારા મહાશિવરાત્રી નિમિતે રેલીનું કરાયું આયોજન

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.