AAPની સરકાર બન્યા બાદ ગુજરાતમાં સરપંચોનો પગાર આપીશું અરવિંદ કેજરીવાલ
સરપંચોને દર મહિને ₹10000 આપવામાં આવશે: અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં AAPની સરકાર બન્યા બાદ દરેક પંચાયતના વિકાસકાર્યો માટે રાજ્ય સરકાર તરફથી 10,00,000 રૂપિયાનું સીધુ ફંડ આપવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ
સરકાર બન્યા પછી, 28 ફેબ્રુઆરી પહેલા, VCE કમિશનની કમીશનબાજી બંધ કરીને અને દર મહિને 20,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે: અરવિંદ કેજરીવાલ
AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ સુરેન્દ્રનગરમાં ‘સરપંચ સંમેલન’ને સંબોધિત કર્યું.
AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ‘સરપંચ સંમેલન’માં સરપંચ અને VCEની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી.
‘આપ’ દ્વારા આયોજિત ‘સરપંચ સંમેલન’માં સરપંચ અને VCEને તેમના વિચારો વ્યક્ત કરવાની તક મળી હતી.
ડિસેમ્બર સુધીમાં સરકાર બની જશે, 28 ફેબ્રુઆરી પહેલા તમારે તમારી સમસ્યાઓનું સમાધાન મારી પાસેથી લઇ જજો પરંતુ સરકાર બનાવવી તમારું કામ છેઃ અરવિંદ કેજરીવાલ
હું જ્યાં પણ જાઉં ત્યાં લોકો મોટી સંખ્યામાં આવે છે કારણ કે લોકો હવે ભાજપથી હેરાન થઇ ચૂક્યા છે, ગુંડાગીરીથી હેરાન છે, ભ્રષ્ટાચારથી હેરાન છે: અરવિંદ કેજરીવાલ
જો આ દેશના તમામ 130 કરોડ લોકો એક સાથે ઉભા રહે તો ભારતને વિશ્વનો નંબર વન દેશ બનતા વિશ્વની કોઈ શક્તિ નહીં રોકી શકેઃ અરવિંદ કેજરીવાલ
બધા સરપંચ અને VCE એ એક થવું પડશે અને તમામ ગામોમાં આમ આદમી પાર્ટીને જીતાડવી પડશે: અરવિંદ કેજરીવાલ
ખાદ્યપદાર્થો પર ટેક્સ લગાવીને આ લોકો સરકારને પછાડે છે અને તમારા પૈસાથી ધારાસભ્યો ખરીદે છેઃ અરવિંદ કેજરીવાલ
ડિસેમ્બરમાં સરકાર બનશે અને 1 માર્ચથી 24 કલાક તમારું વીજળી બીલ શૂન્ય થઇ જશે. અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં AAPની સરકાર બન્યા બાદ દરેક પંચાયતમાં શાળાઓ અને મોહલ્લા ક્લિનિક ખોલીશું: અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં AAPની સરકાર બન્યા પછી અમે દરેક બેરોજગારને રોજગાર આપીશું, પેપર લીક કરનારાઓ માટે કાયદો લાવીશું અને મહિલાઓને સન્માન રાશિ આપીશું: અરવિંદ કેજરીવાલ
અમે મફત રેવડી વહેંચીશું, તમે તમારા નેતાઓને મફત રેવડી વહેંચો, અમે જનતાને મફત રેવડી વહેંચીશું: અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલજી અને તેમના સૈનિકો પણ આઝાદી માટે લડી રહ્યા છે જેનો મને ગર્વ છે: ઇસુદાન ગઢવી
તમારી શાળા, કોલેજ, હોસ્પિટલ, ગામડાના ફોટા પાડીને રાખજો અને આમ આદમી પાર્ટીની સરકાર બન્યાનાં, જો 5 વર્ષમાં સુધારો ન થાય તો બીજી વખત અમને લાત મારીને કાઢી મૂકજો : ઇસુદાન ગઢવી
કેજરીવાલજીએ 2012માં સપનું જોયું હતું કે લોકો સાથે વાત કરીને ચૂંટણીમાં આગળ વધવું છે : ગોપાલ ઇટાલિયા
ભાજપ સત્તામાં આવ્યા બાદ સરપંચનું કામ પણ પટાવાળા જેવું થઈ ગયું છેઃ ગોપાલ ઈટાલિયા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 સપ્ટેમ્બરે ગુજરાત આવી પહોંચ્યા હતા.અરવિંદ કેજરીવાલ બપોરે પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાંથી અરવિંદ કેજરીવાલજી દ્વારકા પહોંચ્યા. ત્યાં અરવિંદ કેજરીવાલજીએ ખેડૂતોને 6 મહત્વની ગેરંટી આપી. ત્યારબાદ તેઓ દ્વારકાના વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં ગયા અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં માથું નમાવ્યું. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચ્યા હતા. આજે 3જી સપ્ટેમ્બરે રાજકોટમાં અરવિંદ કેજરીવાલજીએ મીડિયા સામે કેટલાક મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ડોર ટુ ડોર કેંપેન કર્યું અને સામાન્ય નાગરિકની જેમ ઘરે-ઘરે જઈને રાજકોટના સ્થાનિક લોકોને આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ આપ્યા. આ પછી અરવિંદ કેજરીવાલે સુરેન્દ્રનગર જવા રવાના થયા હતા. અરવિંદ કેજરીવાલે સુરેન્દ્રનગરમાં સરપંચ અને VCE સાથે સંવાદ કર્યો.
ડિસેમ્બર સુધીમાં સરકાર બની જશે, 28 ફેબ્રુઆરી પહેલા તમારે તમારી સમસ્યાઓનું સમાધાન મારી પાસેથી લઇ જજો પરંતુ સરકાર બનાવવી તમારું કામ છેઃ અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનને સંબોધતા કહ્યું હતું કે, હું સમજું છું કે આખા ગુજરાતના સરપંચ અને VCE એકઠા થઇ જાય તો ભાજપની એક પણ સીટ આવશે નહીં. આજે ગુજરાતમાં હું દિલ્હીથી આવ્યો છું તો સરપંચ અને VCE સાથે વાત કરવા. શું ભાજપે આજ સુધી ચૂંટણી પહેલા ક્યારેય સરપંચ અને VCEની મીટીંગ બોલાવી છે? તેમને તમારો વોટ નથી જોઈતો, મારે જોઈએ છે. મને તમારો વોટ જોઈએ છે, મને તમારો સમય જોઈએ છે, મને તમારો સાથ જોઈએ છે. તમારી સમસ્યા એ મારી સમસ્યા છે, તેના પર કામ કરવું મારું કામ છે. ડિસેમ્બર સુધીમાં સરકાર બની જશે, 28 ફેબ્રુઆરી પહેલા તમારે તમારી સમસ્યાઓનું સમાધાન મારી પાસેથી લઇ જજો પરંતુ સરકાર બનાવવી તમારું કામ છે.
હું જ્યાં પણ જાઉં ત્યાં લોકો મોટી સંખ્યામાં આવે છે કારણ કે લોકો હવે ભાજપથી હેરાન થઇ ચૂક્યા છે, ગુંડાગીરીથી હેરાન છે, ભ્રષ્ટાચારથી હેરાન છે: અરવિંદ કેજરીવાલ
આજે સમગ્ર ગુજરાત પરિવર્તન લાવવા માંગે છે. અમે દિલ્હીમાં ચૂંટણી જીતી છે, પહેલીવાર 28 બેઠકો મેળવી હતી. અમને 28 સીટ મળી, સરકાર બની અને અમારાથી ખુશ થઈને જનતાએ અમને બીજી વખત 67 સીટ આપી. એના પછી 63 સીટો આપી. આજે ચૂંટણી થાય તો પણ દિલ્હીમાં અમારી પાસે 65થી વધુ સીટ આવશે કેમકે લોકો અમારાથી ખુશ છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે તો પણ જનતા ભાજપથી નારાજ છે. *હું જ્યાં પણ જાઉં ત્યાં લોકો મોટી સંખ્યામાં આવે છે કારણ કે લોકો હવે ભાજપથી હેરાન થઇ ચૂક્યા છે, ગુંડાગીરીથી હેરાન છે, ભ્રષ્ટાચારથી હેરાન છે. તેથી જ તેઓ મારી પાસે આવી રહ્યા છે. ગુજરાતના લોકો જોઈ રહ્યા છે કે દિલ્હીની અંદર સારું કામ થયું છે, પંજાબમાં સારું કામ શરૂ થયું છે, હવે ગુજરાતના લોકો પણ પરિવર્તન જોવા માંગે છે.
AAPની સરકાર બન્યા બાદ ગુજરાતમાં સરપંચોનો પગાર કરીશું અને સરપંચોને દર મહિને ₹10000 મળશેઃ અરવિંદ કેજરીવાલ
એક સરપંચ પોતાના ગામમાં ચૂંટણી જીત્યો છે. જો તે ચૂંટણી જીત્યો હોય તો તેનો અર્થ એ છે કે લોકો તેને ચાહે છે, લોકો તેનું માન-સન્માન કરે અને તે લોકોનો નેતા હોય છે. ચૂંટણી જીત્યા પછી સરપંચ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને ગામના કામ માટે ખર્ચ કરતો હોય છે, સરકારી જગ્યાએ કામ કરવા જાવ તો ફંડ માગે છે, અમે એ બંધ કરીશું. AAPની સરકાર બન્યા બાદ ગુજરાતમાં સરપંચોનો પગાર કરીશું અને સરપંચોને દર મહિને ₹10000 મળશે અને પછી ધીમે ધીમે તેને વધારીશું.
ગુજરાતમાં AAPની સરકાર બન્યા બાદ દરેક પંચાયતના વિકાસકાર્યો માટે રાજ્ય સરકાર તરફથી 10,00,000 રૂપિયાનું સીધુ ફંડ આપવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ
એક સરપંચને ગામનાં કોઇ વ્યક્તિએ કહ્યું કે, ગામમાં પાણી નથી, રોડ નથી, સફાઈ નથી. નાના-મોટા કામો કરવા માટે સરપંચ પાસે પોતાનું ફંડ હોવું જોઈએ. તેથી, ગુજરાતમાં AAPની સરકાર બન્યા બાદ દરેક પંચાયતને રાજ્ય સરકાર દ્વારા 10,00,000 રૂપિયાનું સીધુ ફંડ આપવામાં આવશે. અન્ય જે ભંડોળ પ્રાપ્ત થઈ રહ્યું છે તે મળતું રહેશે, પરંતુ હવે તમારે કોઈ ધારાસભ્ય કે જિલ્લા મેજિસ્ટ્રેટ સુધી હાથ લંબાવવાની જરૂર નથી. તમારે જનતાની સેવા માટે કોઈ પણ કામ કરાવવાનું હોય તો તમે તમારા ફંડનો ઉપયોગ જાતે કરી શકો છો.
સરકાર બન્યા પછી, 28 ફેબ્રુઆરી પહેલા, VCE કમિશનની કમીશનબાજી બંધ કરીને અને દર મહિને 20,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે: અરવિંદ કેજરીવાલ
VCE (વિલેજ કોમ્યુટર એંટરપ્રિન્યોર) ના લોકોની મોટા પાયે એક જ માંગણી છે કે કામને હિસાબે આપવામાં આવતું કમિશન પહેલેથી જ ઘણું ઓછું છે અને રાજ્ય સરકાર તેમાંથી અમુક ભાગ લઇ લે છે. આ કમિશનબાજી બંધ કરીને દર મહિને એક પગાર હોવો જોઇએ. VCE ના સેક્રેટરીએ મને જણાવ્યું છે કે પગાર ₹20,000 પ્રતિ માસ હોવો જોઈએ. અમને આ મંજૂર છે. સરકાર બન્યા પછી આ કામ 28 ફેબ્રુઆરી પહેલા થઈ જશે. VCE ગામની દરેક વ્યક્તિને ઓળખે છે અને સરપંચ ગામના દરેક પરિવારને જાણે છે. હવે તમારે જનતાના વોટ મેળવીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે.
ડિસેમ્બરમાં સરકાર બનશે અને 1 માર્ચથી 24 કલાક તમારું વીજળી બીલ શૂન્ય થઇ જશે. અરવિંદ કેજરીવાલ
છેલ્લા 27 વર્ષમાં ભાજપે તમને અપમાન સિવાય બીજું કંઈ આપ્યું છે? શું તમે ક્યારેય તમારા માટે સારી શાળા કે હોસ્પિટલ બનાવી છે? શું તમને ક્યારેય વીજળી, પાણી અથવા કંઈપણ આપવામાં આવ્યું છે? પંજાબમાં સરકાર બન્યાના 4 મહિના થઈ ગયા છે, તો પણ લોકોના ઘરોમાં હવે 24 કલાક વીજળીનું બિલ ઝીરો મળી રહ્યું છે. ગુજરાતમાં પણ ડિસેમ્બરમાં સરકાર બનશે અને 1 માર્ચથી 24 કલાક તમારું વીજળી બીલ શૂન્ય થઇ જશે.
ગુજરાતમાં AAPની સરકાર બન્યા બાદ દરેક પંચાયતમાં શાળાઓ અને મોહલ્લા ક્લિનિક ખોલીશું: અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં 18000 પંચાયતો છે, દરેક પંચાયતમાં શાળાઓ ખોલવામાં આવશે. તે મારું સ્વપ્ન છે. મને લાગે છે કે જ્યાં સુધી આપણાં બાળકોને સારું શિક્ષણ નહીં મળે ત્યાં સુધી આપણું ભારત પ્રગતિ કરી શકશે નહીં. દરેક પંચાયતમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. જો તમને કોઈ નાની બીમારી હોય, તો તમે મોહલ્લા ક્લિનિકમાં જઇને મફતમાં તમારી સારવાર મેળવશો. પંજાબમાં સરકાર બન્યાના 75 દિવસ થઈ ગયા છે, જ્યારે સરકાર બની ત્યારે અમે પંજાબમાં 100 મોહલ્લા ક્લિનિક્સ ખોલ્યા છે. દિલ્હીમાં અમે સરકારી હોસ્પિટલને શાનદાર બનાવી દિધા છે અને તેમાં તમામ સારવાર મફત કરી છે. જો તમારે 40 લાખમાં પણ ઓપરેશન કરાવવું હોય તો પણ તે મફતમાં થશે. જેમ દિલ્હીમાં કરવામાં આવ્યું છે એવું અમે અહીં પણ કરીશું. જો તમારી બિમારી મોટી છે અને મોહલ્લા ક્લિનિકમાં તેની સારવાર નથી થઇ રહ્યી તો તમે સિવિલ હોસ્પિટલ જજો અને ત્યાં પણ તમારી સારવાર મફત હશે.
ગુજરાતમાં AAPની સરકાર બન્યા પછી અમે દરેક બેરોજગારને રોજગાર આપીશું, પેપર લીક કરનારાઓ માટે કાયદો લાવીશું અને મહિલાઓને સન્માન રાશિ આપીશું: અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે દરેક બેરોજગારને રોજગાર આપીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી દરેક બેરોજગારને દર મહિને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું. 10,00,000 સરકારી નોકરીઓ ઉભી કરીશું. અમે તમામ પ્લાનિંગ કરી રાખ્યા છે. આજ સુધી કેટકેટલા પેપર લીક થયા છે પરંતુ હજું સુધી કોઈ જેલ નથી ગયું કારણ કે ભાજપનાં લોકો પૈસા ખાય છે. એટલા માટે અમે એવો કાયદો લાવીશું કે 2015 પછી જે લોકોએ પેપર લીક કરવાનું કામ કર્યું છે, તે લોકોને જેલમાં મોકલવામાં આવશે અને તેમને 10 વર્ષની જેલની સજા થશે. અમારી સરકાર આવ્યા બાદ કોઇ પેપર લીક નહીં થાય. અમે માત્ર એક વર્ષમાં જ સરકારમાં હાજર તમામ ખાલી જગ્યાઓ ભરી દઇશું. ગુજરાતની અઢાર વર્ષથી ઉપરની દરેક મહિલાના ખાતામાં દર મહિને ₹1000 આપવામાં આવશે. જો ઘરમાં 3 મહિલાઓ હોય તો દરેકને એક હજાર એટલે કે કુલ 3000 રૂપિયા આપવામાં આવશે.
બધા સરપંચ અને VCE એ એક થવું પડશે અને તમામ ગામોમાં આમ આદમી પાર્ટીને જીતાડવી પડશે: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ લોકોને ઘણી બધી વસ્તુઓ આપવા જઈ રહી છે પરંતુ મારો સવાલ એ છે કે ભાજપે તમને અત્યાર સુધી શું આપ્યું? મને ખબર કોઇને કશું નથી આપ્યું. તો ભાજપને છોડી દો, ભાજપને ટાટા બાય બાય કહો. એ લોકો તમને ડરાવશે, ધમકાવશે પરંતુ આ વખતે તમારે બધા સરપંચો અને VCE એ એકજૂથ થવું પડશે અને તમામ ગામોમાં આમ આદમી પાર્ટીને જીતાડવી પડશે.બીજી વાત ગામના તમામ ભાજપના કાર્યકરોને સમજાવવા પડશે.તેમને સમજાવવું પડશે કે આજ સુધી ભાજપમાં રહીને કોઈને કંઈ મળ્યું નથી, તેથી આ વખતે ભાજપમાં રહીને જ આમ આદમી પાર્ટી માટે કામ કરો. તો આ માટે ભાજપના પેજ પ્રમુખોને સમજાવવા પડશે અને આ જવાબદારી સરપંચ અને VCEની છે. ભાજપ અને કોંગ્રેસના તમામ કાર્યકરોને તમારી સાથે લઇ લો અને તેમને આ વખતે આમ આદમી પાર્ટી માટે કામ કરવા માટે મનાવી લો.
2 મહિના પહેલા ગુજરાતમાં આવું વાતાવરણ નહોતું, પરંતુ આ 2 મહિનામાં જ લાગે છે કે ઉપરવાળો પોતાનું ઝાડુ ચલાવી રહ્યો છેઃ અરવિંદ કેજરીવાલ
હું આજે જોઈ રહ્યો છું કે ગુજરાતમાં કંઈક ચમત્કાર થઈ રહ્યો છે. આજથી 2 મહિના પહેલા આવું વાતાવરણ નહોતું, પરંતુ આ 2 મહિનામાં જ એવું લાગે છે કે ઉપરવાળો પોતાનું ઝાડુ ચલાવી રહ્યો છે. ગીતામાં પણ લખ્યું છે કે જ્યારે અન્યાય વધે છે ત્યારે ઉપરવાળો પોતાનું ઝાડુ ચલાવે છે. તો તમે બધા એકઠા થઇ જાઓ, તો આપણે સૌ સાથે મળીને નવું ગુજરાત બનાવીશું. સરદાર પટેલના સપનાનું ગુજરાત બનાવીશું, ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવીશું.
ખાદ્યપદાર્થો પર ટેક્સ લગાવીને આ લોકો સરકારને પછાડે છે અને તમારા પૈસાથી ધારાસભ્યો ખરીદે છેઃ અરવિંદ કેજરીવાલ
ભાજપના લોકોએ દરેક વસ્તુ પર એટલો બધો ટેક્સ લાદી દીધો છે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આ લોકોએ રોટલી,ચોખા, દૂધ, છાશ, દહીં, મધ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પણ ટેક્સ લગાડ્યો છે, હવે માત્ર હવા પર ટેક્સ લગાવવાનો બાકી છે, લખાણ જ હવામાં લાદવાનું બાકી છે, કદાચ થોડા દિવસો પછી આ લોકો હવા પર પણ પણ ટેક્સ લગાવશે. અને આટલો ટેક્સ લગાવ્યા પછી જે પૈસા એકઠા થાય છે તે વીજળી, પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વાપરવામાં આવતા નથી, પરંતુ તે ટેક્સના પૈસાથી આ લોકો આ બધા પૈસાને ધારાસભ્યોને ખરીદવામાં અને અન્યની રાજ્યની સરકારોને પછાડવામાં વાપરે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગોવા, મણિપુર, આસામ, બિહાર, અને હવે ઝારખંડમાં પણ આ લોકો ધારાસભ્યોને ખરીદવા જઈ રહ્યા છે. આ લોકો થોડા દિવસ પહેલા દિલ્હી પણ આવ્યા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખરીદવા માટે. આ લોકો એક ધારાસભ્યને 20 કરોડ આપવા તૈયાર હતા અને કુલ 40 ધારાસભ્યોને ખરીદવા 800 કરોડ લાવ્યા હતા. આ લોકો ઇચ્છતા હતા કે મારા ધારાસભ્યો મને છોડીને અમારી સરકાર તોડી નાંખે અને તેઓએ દિલ્હી સરકારના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીને પણ કહ્યું હતું કે અમે તમને મુખ્યમંત્રી બનાવી દઇશું. તમે અરવિંદ કેજરીવાલજીને છોડી દો. પરંતુ મનીષજીએ કહ્યું કે મુખ્યમંત્રી બનવું મારું લક્ષ્ય નથી, મારું લક્ષ્ય દિલ્હીના બાળકોને ફક્ત સારામા સારું શિક્ષણ આપવાનું છે. આ ભાજપના લોકો અમારા એક ધારાસભ્યને પણ તોડી શક્યા નથી કારણ કે અમે બધા પ્રામાણિક લોકો છીએ. આ બીજેપીના લોકો મારી ઈર્ષ્યા કરે છે કારણ કે હું મફત શિક્ષણ, મફત આરોગ્ય વ્યવસ્થા, મફત વીજળી, મફત પાણી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપું છું.
અમે મફત રેવડી વહેંચીશું, તમે તમારા નેતાઓને મફત રેવડી વહેંચો, અમે જનતાને મફત રેવડી વહેંચીશું: અરવિંદ કેજરીવાલ
આ ભાજપના લોકો ફ્રી રેવડી ફ્રી રેવડીની બૂમો પાડે છે, પરંતુ તેમના જ મંત્રીઓ 4000 યુનિટ મફત વીજળી લે છે પરંતુ જ્યારે અમે જનતાને 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરીએ છીએ ત્યારે આ લોકો ફ્રી રેવડી ફ્રી રેવડીની બુમો પાડે છે. તેમના નેતાઓ મફતમાં વિમાનમાં મુસાફરી કરે છે પરંતુ જનતાનું બસ ભાડું માફ કરવામાં આવતું નથી. તેમના બાળકો વિદેશમાં ભણે છે, પરંતુ જ્યારે હું મારા દેશમાં સારી સરકારી શાળા બનાવીને બાળકોને મફત શિક્ષણ આપવાની વાત કરું છું ત્યારે આ લોકો કહે છે કે, કેજરીવાલ મફત રેવડી વહેંચી રહ્યા છે. આ લોકો વિદેશમાં જઈને તેમની સારવાર કરાવે છે, પરંતુ જો મારે મારા દેશમાં જ મોહલ્લા ક્લિનિક બનાવીને લોકોને મફત આરોગ્ય સુવિધા આપવી હોય તો આ લોકો કહે છે કે કેજરીવાલ મફત રેવડી વહેંચી રહ્યા છે. તેથી આ અયોગ્ય છે. ભાજપના લોકો જે ઈચ્છે તે કરવા દો, અમે મફત સુવિધાઓ આપતા રહીશું. અમે મફત કી રેવડીનું વિતરણ કરીશું, તમે તમારા નેતાઓને મફત રેવડીનું વિતરણ કરો, અમે જનતાને મફત રેવડીનું વિતરણ કરીશું.
જો આ દેશના તમામ 130 કરોડ લોકો એક સાથે ઉભા રહે તો ભારતને વિશ્વનો નંબર વન દેશ બનતા વિશ્વની કોઈ શક્તિ નહીં રોકી શકેઃ અરવિંદ કેજરીવાલ
તેમનો તમામ ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ બહાર આવી રહ્યો છે અને તેમની તમામ કારતૂતો હવે બધાની સામે આવી રહી છે. પરંતુ જો જનતા એક સાથે ઉભી રહે, આ દેશના તમામ 130 કરોડ લોકો સાથે ઉભા રહે તો ભારતને વિશ્વનો નંબર વન દેશ બનતા વિશ્વની કોઈ શક્તિ રોકી શકશે નહીં.
અરવિંદ કેજરીવાલજી અને તેમના સૈનિકો પણ આઝાદી માટે લડી રહ્યા છે જેનો મને ગર્વ છે: ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ સુરેન્દ્રનગરમાં સભાને સંબોધતા જણાવ્યું હતું કે હું જ્યારે સવારે ઉઠું છું ત્યારે કેજરીવાલજીનો ફોન આવે છે અને પૂછે છે કે ગુજરાતમાં આપણે હુજું સારું શું કરી શકીએ? અરવિંદજી એક વિઝન લઈને ગુજરાત આવ્યા છે. આજે રાજકોટમાં ડોર ટુ ડોર કેમ્પેઇન કર્યું હતો. માતા અને બહેનોને એમ હતું કે કાલે જ ચૂંટણી થાય અને આમ આદમી પાર્ટીની સરકાર બને તો અમારા દીકરાને રોજગાર મળી જાય. 100 વર્ષ પહેલા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ દેશની આઝાદી માટે લડતા હતા, આજે અરવિંદ કેજરીવાલજી અને તેમના સૈનિકો પણ આઝાદી માટે લડી રહ્યા છે જેનો મને ગર્વ છે.
તમારી શાળા, કોલેજ, હોસ્પિટલ, ગામડાના ફોટા પાડીને રાખજો અને આમ આદમી પાર્ટીની સરકાર બન્યાનાં, જો 5 વર્ષમાં સુધારો ન થાય તો બીજી વખત અમને લાત મારીને કાઢી મૂકજો : ઇસુદાન ગઢવી
ઘણા લોકોને ડરાવવા માટે કોલ આવ્યા હશે. તાકાત હોય તો સરપંચોનું ભલું કરો. આપણે દેશમાં સાચું સ્વરાજ લાવવું છે, સાચો સ્વરાજ ત્યારે જ આવી શકે જ્યારે તમામ કર્મચારીઓ ખુશ હોય, બધા ગામો ખુશ હોય. આજના સરપંચોની જાહેરાત બાદ હવે 18000 સરપંચોએ કોઈની સામે હાથ ફેલાવવો પડશે નહીં. કોઈની ગુલામી નહીં કરવી પડે, ન ભાજપની, ન કોંગ્રેસની કે સામાન્ય માણસની. સરપંચો જાતે જ નક્કી કરશે કે મારે ગામમાં શું જોઇએ છે. મારે ગામમાં શું કરવાનું છે તે સરપંચ પોતે નક્કી કરશે. જો કોઈ ખેડૂત મીટર લગાવવા માંગતો નથી, તો તેને એક અઠવાડિયાની અંદર મરજીયાત કરી દેવામાં આવશે. તમારી શાળા, કોલેજ, હોસ્પિટલ, ગામડાના ફોટા પાડીને રાખજો અને આમ આદમી પાર્ટીની સરકાર બન્યાનાં, જો 5 વર્ષમાં સુધારો ન થાય તો બીજી વખત અમને લાત મારીને કાઢી મૂકજો. ચૂંટણીના 58 દિવસો બાકી રહ્યા છે તમારે દિવસ-રાત આમ આદમીનો પ્રચાર કરવો પડશે.
કેજરીવાલજીએ 2012માં સપનું જોયું હતું કે લોકો સાથે વાત કરીને ચૂંટણીમાં આગળ વધવું છે : ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષોથી ચૂંટણી પહેલા સરપંચોનો સંપર્ક કરવામાં આવે છે, પરંતુ આ વખતે ચૂંટણીમાં કંઈક નવું થવા જઈ રહ્યું છે, ચૂંટણી દરમિયાન દરેક વર્ગના લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહિલાઓ સાથે સંવાદ, સરપંચો સાથે સંવાદ, યુવાનો સાથે સંવાદ, આદિવાસી સમાજ સાથે સંવાદ થઇ રહ્યો છે. અરવિંદ કેજરીવાલજીએ 2012માં સપનું જોયું હતું કે લોકો સાથે વાત કરીને ચૂંટણીમાં આગળ વધવું છે. ચૂંટણીમાં દરેકનાં વોટની જરૂર હોય છે. ભાજપને જોઇએ છે, કોંગ્રેસને જોઈએ છે, અમને પણ જોઈએ છે, પરંતુ માત્ર આમ આદમી પાર્ટી જ લોકોની વાત સાંભળવા તૈયાર છે, તેથી અરવિંદ કેજરીવાલજીને એક તક આપવી જોઈએ.
ભાજપ સત્તામાં આવ્યા બાદ સરપંચનું કામ પણ પટાવાળા જેવું થઈ ગયું છેઃ ગોપાલ ઈટાલિયા
પહેલા ગામમાં સરપંચને ખૂબ માન-સન્માન મળતું હતુ, પંચને પરમેશ્વર માનવામાં આવતા હતા. ભાજપની સરકાર આવ્યા બાદ સરપંચનું કામ પણ પટાવાળા જેવું થઈ ગયું છે. સરપંચનું મહત્વ એટલા માટે હતું કેમકે અગાઉ સરપંચના કામમાં સરકાર વચ્ચે આવતી નહોતી અને સરપંચ જે કહેતા એ સરકારે કરવું પડતું હતુ. આજે ભાજપે સરપંચોને સભામાં ભીડ ભેગી કરવાનું કામ સોંપી દિધું છે. સરપંચનું કામ છે કે ગામમાં રસ્તાની સુવિધા કેવી છે, વીજળીની સુવિધા કેવી છે, ગટરની સુવિધા કેવી છે, લોકોને સસ્તા અનાજની દુકાનમાં સારી વસ્તુઓ મળે છે કે નહીં, ગામમાં સુવિધા છે કે નહીં, પશુઓના સ્વાસ્થ્યની સુવિધા છે કે નહીં આ બધી સુવિધાઓનું કામ કરવાનું અને કરાવવાનું કામ સરપંચનું હતું. ભાજપે હાલત ખરાબ કરી નાખી છે. સરપંચોએ ગ્રાન્ટ મેળવવા માટે ધારાસભ્યોને હાથ જોડવા પડે છે. ગામમાં કોઈ સમસ્યા હોય તો લોકો સરપંચને ફોન કરે છે, પણ ઉપરથી સરપંચનું કોઇ સાંભળતું નથી. સરપંચ કરે તો પણ શું કરે? વરસાદ પડે ત્યારે ગામનાં રસ્તાઓ તૂટી જાય છે અને ગામમાંઅવર જવર કરી શકાતી નથી. દરેક વખતે રસ્તાઓ જ કેમ તૂટી જાય છે? તમારું માથું કેમ ફૂટતું નથી? આ ભ્રષ્ટાચારને રોકવા માટે આપણે સૌએ સાથે મળીને સંકલ્પ લેવો પડશે કે, આ વખતે કંઈ પણ થાય, અમે આમ આદમી પાર્ટી લાવીશું, ઝાડુ ને લાવીશું.
આ મહત્વના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કોષાધ્યક્ષ કૈલાશદાન ગઢવી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કિસાન વિંગના પ્રમુખ રાજુ કરપડા પણ હાજર રહ્યા હતા.