Connect with us

અમદાવાદ

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

Published

on

સીઆર પાટીલનુ નાક કાપનારી મનિષ કુકડીયા કોણ છે

સીઆર પાટીલના ગઢ સમાન સુરતમાંથી ભાજપ સામે માઠા સમાચાર આવ્યા છે, 38 દિવસ પહેલા આપના જે કાઉન્સિલર્સને ભાજપાએ તોડી હતી તૈ પૈકી વોર્ડ નંબર ચારના કાઉન્સિલર મનિષા કુકડિયા ફરી આપમાં જોડાઇ ગયા,ત્યારે આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ તેમને ઘર વાપસી કરાવી હતી,આપમાં આવતાની સાથે જ મનિષા કુકડિયા અને તેમના પતિ જગદિશ ભાઇએ ભાજપ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, મનિષાબેને ભાજપમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યા કે સરકારી ગ્રાન્ટના 20 ટકા પાર્ટી ફંડમાં જમા કરાવી લેવાય છે.જે યોગ્ય નથી,

 

Advertisement

મનિષા કુકડિયા કેમ બન્યા ભાજપના બાગી
વર્ષ 2021માં છ મહાનગર પાલિકાની ચુટણી થઇ,જેમાં અમદાવાદ, રાજકોટ,વડોદરા જામનગર ભાવનગર મહાનગરમાં ભાજપની પ્રચંડ જીત થઇ, કોગ્રેસનો કક્કો નિકળી ગયો પણ સુરત જે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનુ ગઢ ગણાતુ હતુ, ત્યારે આમ આદમી પાર્ટીએ 27 બેઠકો સાથે મુખ્ય વિપક્ષ બન્યો,,સુરત મહાનગર પાલિકાના પરિણામો સી આર પાટીલ માટે આંચકા રુપ હતા.સુરતમાં જે રીતે આપનો ઉદય થયો, તેનાથી ભાજપ માટે ગાંધીનગરમાં અસ્તાંચલ દેખાતુ હતુ, આમ આદમી પાર્ટીના કાઉન્સિલર વિપક્ષની ભુમિકા કોગ્રેસ કરતા પણ વુધ આક્રમક રીતે ભજવતા હતા જેના કારણે સત્તાધારી ભાજપ ભીંસમાં મુકાતુ હતુ, તેવા સંજોગોમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સહિત સિનિયર નેતાઓએ ઓપરેશન આપતોડ શરુ કર્યો,,જેના ભાગ રુપે આપના કાઉન્સિલર્સ ને તોડવના માટે સ્થાનિક આગેવાનોને જવાબદારી સોપી શહેર ભાજપના સિનિયર નેતાઓએ આમ આદમી પાર્ટીના ડગમગી જાય તેવા કોર્પોરેટર્સનો સંપર્ક સાધ્યુ,, તો કેટલાક લાલચુ કોર્પોર્ટર્સને સત્તાકિય અને આર્થિક પેકેજની ઓફર કરાઇ,, તો મનિષા કુકડિયા સહિત છ કાઉન્સિલર્સ ભાજપના પેકેજથી લલચાયા અને ભાજપમાં જોડાઇ ગયા,, તે સમયે ભાજપમાં જોડાનારા કાઉન્સિલરે મનિષા કુકડિયાએ કહ્યુ હતુ કે તેઓ પોતાના વિસ્તારના કામ વધુ સારી રીતે કરી શકે તેના માટે તેઓ ભાજપમાં જોડાયા છે

ભાજપમાં થાય છે ભ્રષ્ટાચાર -મનિષા કુકડિયા
જો કે 38 દિવસ બાદ જ મનિષા કુકડિયાના સુર બદલાયા છે, તેમને ભાજપ ઉપર જ ભ્રષ્ટાચારના આરોપ લગાવતા કહ્યુ છે કે સરકારી કામોમાં 20 ટકા ફંડ પાર્ટી ફંડ માટે જમા કરાવવાનુ હોય છે, જે માટે તેઓ તૈયાર ન હતા, તેઓને લાગ્યુ કે ભાજપ કરતા આમ આદમી પાર્ટી સારી હતી,, સાથે તેમના પતિ જગદિશ ભાઇએ પણ ભાજપમાં સ્વમાન ન જળવવાની વાત કરી હતી મનિષા કુકડિયાના નિવેદને ભાજપની ભ્રષ્ટચારમુક્ત શાષનની પોલ ખોલી નાખી છે,મનિષા કુકડિયાને ભાજપમાં લાવનાર નેતાઓની સ્થિતિ કફોડી થઇ છે, આમ તો વડા પ્રધાન નરેન્દ્રમોદી કહેતા હોય છેકે પુર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના સમયમાં એક રુપિયા દિલ્હીથી મોકલવામાં આવે તો લોકો સુધી પહોચતા તે 15 પૈસા થઇ જતું, ત્યારે ભાજપમાં એક રુપિયો મોકલીએ તો સવા રુપિયો થઇ જાય છે, જો કે મનિષા કુકડિયાએ સ્થાનિક ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારની પોલ ખોલી છે, અને સાબિત કર્યુ છે કે મોદીના ગુજરાતમાં પણ જો દિલ્હીથી એક રુપિયો આવે 20 ટકા પૈસા ભાજપના ફંડ માં જમા થાય છે બાકીના નાણાં ખાવામાં પણ હિસ્સેદારોની કમી નથી.

દિનેશ શર્માને થયો કડવો અનુભવ- થયા રફુચક્કર

Advertisement

મનિષા કુકડિયાએ અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓનુ સન્માન ન જળવાતા હોવાનુ પણ આરોપ લગાવ્યુ છે,એવી જ ઘટના અમદાવાદમા પણ બની હતી,,જ્યાં નવા સવા ભાજપમાં જોડેયલા દિનેશ શર્માને પણ કડવો અનુભવ થયો,, તેઓ વાજતે ગાજતે સામે થી કમલમમાં જઇને કેસરીયો કર્યો હતો પણ જ્યારે તેઓ એરપોર્ટ પાસે આયોજિત ભાજપના કાર્યક્રમમાં પહોચ્યા જ્યાં પ્રદેશ ભાજપ પ્રમુખ હાજર હતા ત્યા તેમને કોઇએ પુછ્યુ પણ ન હતું ભાજપના સ્થાનિક નેતાઓએ તેમની સાથે વાતો કરવાનુ પણ ટાળ્યુ હતુ, જેથી તેઓએ ત્યાંથી રફુચક્કર થઇ ગયા છે,

 

Advertisement
Continue Reading
Advertisement
10 Comments

10 Comments

  1. Pingback: શુ છે ભાજપનું ઓપરેશન અરવલ્લી- સાબરકાંઠા ! – Panchat TV

  2. Pingback: કોગ્રેસના દિગ્ગજ નેતાનું રહસ્યમયી અને વિવાદાસ્પદ ચેટ થઇ વાયરલ ! – Panchat TV

  3. Pingback: કોંગ્રેસના દિગ્ગજ નેતાની રહસ્યમયી અને વિવાદાસ્પદ ચેટ થઇ વાયરલ ! – Panchat TV

  4. Pingback: પત્નીના પાટીદાર પાવર સામે શુ ભરત સિહ સોલંકીનુ થશે રાજકીય સુર્યાસ્ત ! – Panchat TV

  5. Pingback: ટ્ટીટર સ્પેશ કાર્યક્રમ કોગ્રેસને ગાંધીનગરમાં સ્પેશ અપાવશે ! – Panchat TV

  6. Pingback: Bharatsinh Solanki Duryodhan then Amit Chavda Dushasan Vandana Patel

  7. Pingback: મોદીના ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની આબરુ કાઢતા અધિકારીઓ  - Panchat TV

  8. Pingback: પટેલ-પાટીલના પાવરને ડીમ કરવા મેદાને ઉતરશે હાર્દીક ! - Panchat TV

  9. Pingback: વડોદરાના દસ હજાર બાળકો તંત્રના પાપે ભુખ્યા રહે છે- કોગ્રેસનો આરોપ - Panchat TV

  10. Pingback: ભાજપના ગઢમાં મોટુ ગાબડું પાડવાની તૈયારીમાં આપ ! - Panchat TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.