અમદાવાદ
બળાત્કારનો કેસ પરત ખેચવાનો કયા પ્રધાન કરી રહ્યા છે દબાણ-વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ

બળાત્કારનો કેસ પરત ખેચવાનો કયા પ્રધાન કરી રહ્યા છે દબાણ- વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ
ગુજરાત સરકારના એક પ્રધાન ઉપર ભાજપના જ મહિલા કાર્યકર્તાને લગન કરવાની લાલચ આપીને શારિરીક શોષણ કરવાનો મામલો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચર્ચાનો વિષય છે, ત્યારે આ મહિલાએ હવે એ પ્રધાન ઉપર સમધાન માટે દબાણ કરાવાઇ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે,, પીડીતાનો કેસ હાલ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે, પીડીતાએ પંચાત ટીવી સાથે વાત ચિત કરી જેમાં તેઓએ સ્ફોટક ખુલાસા કર્યા છે,
પચાંત ટીવી સાથે વાત કરતા પિડીતાએ જણાવ્યુ હતું કે હુ પ્રધાન નરેન્દ્રમોદી દ્વારા ગુજરાત અને દેશમાં થઇ રહેલા વિકાસના કામોથી પ્રભાવિત થઇને ભાજપમાં જોડાઇ હતી, મારુ કોઇ રાજકીય પૃષ્ઠ ભુમિ ન હતી, મારા કામથી પ્રભાવિત થઇ ભારતિય જનતા પાર્ટીએ મારા કામની કદર કરી,, અને મને વોર્ડમાં સંગઠનમાં મંત્રી જેવો સન્માનિય પદ આપ્યો,,આ જ અરસમાં ત્રણેક વરસ પહેલા સંવેદનશિલ મુખ્યમંત્રી વિજય ભાઇ રુપાણીની સરકાર હતી એ દરમિયાન મને વિધાનસભા જોવા જવાની તક મળી, હુ બે લક્ઝરી ભરીને બહનોને લઇને વિધાનસભા પહોચી,, જ્યા મારી મુલાકાત પ્રાંતિજના યુવા ધારાસભ્ય ગજેન્દ્ર સિહ પરમાર સાથે થઇ,, વિધાનસભામાં આવી રીતે
બેથી ત્રણ વખત તેમની સાથે મુલાકાત થઇ,, એ દરમિયાન તેઓએ મારી પાસે મારો મોબાઇલ નંબર માગ્યો,,ત્યારે મને થયુ કે તેઓ મારો નંબર કેમ માંગતા હશે, જો કે ભાજપના ધારાસભ્ય હતા અને પાર્ટીના યુવા નેતા છે,,તો મે તેમને મારો નંબર આપ્યો,, મને ભાજપની વિચાર ધારામાં મને વિશ્વાસ છે કે અન્ય પાર્ટીઓની જેમ અહી મહિલાઓનુ શારિરીક શોષણ થતું નથી,, અહી આપ બળે અને મહેનતથી કાર્યકર્તાઓની કદર થતી હોય છે,,પદ માટે કોઇની પગચંપીની જરુર પડતી નથી, ભાજપમા હમેશા મહિલાઓ સલામત હોય છે, એમ સમજીને મારો નંબર મે ગેજન્દ્ર સિહ પરમારને આપી દીધો,, જેની સાથે જ મારા જીવનની કરમ કઠણાઇ,,મારો હર્યો ભર્યો સંસારમાં આગ લાગી ગઇ,,
પ્રાંતિજમાં ભાજપને મળ્યો ગજેન્દ્ર સિહ ચૌહાણનો વિકલ્પ – ભાજપ હવે આ નેતાને ઉતારશે મેદાને !
તેઓએ મને વારં વાર ફોન કરવાનો શરુ કર્યા,, શરુઆતમાં તેઓ પાર્ટીની વિચાર ધારા,, કાર્યપધ્ધતિની વાત કરતા કરતા તેમના જીવનની અંગત વાતો કરવા લાગ્યા,, એ દરમિયાન તેમણે તેમની પત્ની સાથે અણબનાવ હોવાનુ કહ્યુસાથે મને ફ્રેન્ડશિપની ઓફર કરી,, મે કહ્યુ કે કેવી ફેન્ડશિપ આપણે આટલા સારા ફેન્ડ્સ તો છીએ,, તો તેઓએ કહ્યુ કે તમને મારે પત્ની બનાવવી છે,, મે કહ્યુ કે આ રિલેશન વધરતા પહેલા તમે વિચારી લેજો,, ત્યારે તેઓએ કહ્યુ કે મે વિચારી લીધુ છે, અને મને એમએએલે ક્વાટર્સ બોલાવ્યા, ત્યારે મને થયુ કે તેઓ ગાંધીનગર કેમ મને બોલાવતા હશે,, મારી એનજીઓ પણ છે,,અને હુ સમાજીક કાર્યકર્તા પણ છુ, ત્યારે મને થયુ કે કઇક સમાજીક વિકાસના કાર્યોમાં ધારાસભ્ય તરીકે તેઓ ઉપયોગી થઇ શકે છે, હુ ગાંધીનગર એમએલએ ક્વાટર્સ પહોચી,, ત્યારે બરમુડો અને ટી શર્ટ પહેર્યો હતો, તેઓ મને આઇસક્રીમ અને કોલ્ડડ્રીંક્સ ઓફર કરી,, મે ના પાડી,, પછી તેઓએ પોતાની અંગત વાતો કરીને મને ભોળવી લીધી, હુ મારી ભુલ સ્વિકારુ છુ કે ત્યારે હુ ભોળવાઇ ગઇ હતી, હુ તેમનાથી પ્રભાવિત થઇ ગઇ હતી, તેઓએ મને ફોસલાવી અને પત્નીનો દર્જો આપવાની વાત કરીને મારી સાથે પ્રથમ વખત શારીરિક સંબધ બાંધ્યો,,એ પછી તેઓએ સતત ચાર મહિના સુધી મારી સાથે એમએલએ ક્વાટર્સમાં અલગ અલગ સમયે સબંધ બાધ્યો હતો, પછી જ્યારે તેમને મત્રી પદ મળવાનુ નક્કી થયું ત્યારે તેઓએ મને સબંધો ભુલી જવા કહેવા લાગ્યા, મારો ફોન બ્લોક કરી દીધુ,,ત્યારે મે કહ્યુ કે આવી રીતે મને દબાવી નહી શકાય, તેઓએ લગનની લાલચ આપી મારી શારીરિક શોષણ કરી જીંદગી બર્બાદ કરી છે, જેથી ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ કરી,, ત્યારે પોલીસ તરફથીમને કોઇ સપોર્ટ મળ્યો નહી,, ઉલ્ટા મને બદનામ કરવાનો પ્રયત્ન થયો, હવે સમાધાન માટે મારા અને મારા પરિવાર ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે, સમાધાન માટે ગુજરાત ભાજપના કિસાન મોર્ચાના પ્રમુખ હિતેશભાઇ પટેલ, સાબરડેરીના પુર્વ ચેરમેન મહેશ અમિચંદ પટેલ તલોદ એપીએમસીના પુર્વ ચેરમેન કલ્પેશ પટેલ, મારા જ સમાજના પ્રધાન પ્રદીપ પરમારે પણ મને ફોન કરીને આ કેસ ન કરવા સમજાવ્યો હતો, છ છ કલાક સુધી મને સમજાવવા અને ડરાવવાનો પ્રયત્ન થયો છે, એસ પી રિંગ રોડ ઉપર શંભુ કોફી બારમાં મને બોલાવીને આ તમામ પ્રકારના આર્થિક પેકેજની ઓફર કરાઇ, પણ મારી આ લડાઇ આર્થિક લાભ માટે નથી આ મારી લડાઇ મહિલાઓના સ્વાભિમાન માટે છે ,મારુ ખોટી રીતે શારીરિક શોષણ થયુ છે જે સંપુર્ણ અન્યાય કર્તા છે, મને ભારતિય જનતા પાર્ટી,સરકાર અને ન્યાય તંત્ર ઉપર પુર્ણ ભરોસો છે કે મને ત્યાંથી ન્યાય જરુર મળશે, મારી પાસે મારી વાત પુરવાર કરવા માટે ઓડિયો વિડીયો,વોટ્સએપ ચેટ સહિતના પુરાવા છે, હુ તમામ પ્રકારના ટેસ્ટ કરાવવા તૈયાર છુ,, શુ ગજેન્દ્ર સિહ પરમાર તૈયાર છે, અને જો તેઓ સાચા હોય તો તેઓ લાઇ ડીટેક્ટર ટેસ્ટ કરાવે,, ત્યારે દુધનુ દુધ અને પાણીનુ પાણી થઈ જશે,
પીડીતાએ અમને જે વિવિધ પ્રકારની ઓડીયો ક્લીપ આપી છે,તેમની એક ઓડિયો ક્લીપની ટ્રાન્સક્રીપ્ટ મુકીએ છીએ
જેમાં પીડીતાનો દાવો છે કે એક તરફ તેનો આવાજ છે, તો બીજી તરફ ગુજરાત સરકારના પ્રધાન ગજેન્દ્ર સિહ પરમારનો આવાજ છે,,જેમાં તેઓ કઇ રીતે તલોદ નગરપાલિકાના સભ્યોને રાજસ્થાન કે મધ્ય પ્રદેશ લઇ જવાની
પાર્ટીનુ સિક્રેટ ઓપરેશનની માહિતી આ મહિલાને બતાવી રહ્યા છે, તેનાથી અંદાજો લગાવી શકાય છે આ મહિલા સાથે તેમનો કેવો ઘરોબો છે, પંચાત ટીવી આ ઓડિયો ક્લીપિંગની પુષ્ટી કરતી નથી,,
મહિલા- હેલો
પુરુષ – બોલો બોલો
મહિલા, શુ કરો છો
પુરુષ-અમારા સભ્યોને ઉઠાવવાની તૈયારી કરીને રાજસ્થાન કે મધ્યપ્રદેશ રવાના કરવાની તૈયારીમાં છુ
મહિલા કેમ
પુરુષ ,અમારા નગર પાલિકાનુ ઇલેક્શન નહી તમને નથી કહ્યુ
મહિલા-આ તો તમારા પ્રાંતિજમાં હશે ને સાહેબ
પુરુષ- પ્રાંતિજ અને તલોદ બન્ને નગર પાલિકામાં ઇલેક્શન છે, બન્નેના સભ્યોને લઇ જવાની જવાબદારી છે કોંગ્રેસની મારી એક જ સીટની મગજમારી છે,
મહિલા હા
પુરુષ – હાલ તલોદ નગર પાલિકા કોંગ્રેસની છે, પ્રાંતિજ તો જીતી ગયા છીએ પણ પ્રશ્ન તલોદનુ છે
મહિલા, અચ્છા અચ્છા,
પુરુષ- મિટીંગો ચાલુ હતી, ઉપરથી સુચના આવે એટલે લઇને નિકળીએ
મહિલા રાજસ્થાન જશો
પુરુષ, નક્કી નથી, પાર્ટી આદેશ કરે,,ખર્ચો બધો સરકારે કરવાનો છે, 50 ટકા એ કરે અને 50 ટકા અમે કરીએ
મહિલા- કરવાનુ શુ ત્યાં જઇને
પુરુષ- બસ દસ દાડા ત્યાં મુકી રાખવાના,ગુપ્ત જગ્યાએ સળંગ, ઘરે ના આવવા જોઇએ
મહિલા.એવુ પાછુ
પુરુષ- એ તો એવુ જ હોયને બેન,,
મહિલા, બેન ના કહેશો યાર સારુ નથી લાગતું
પુરુષ- આ તો ટેવ પડી ગઇ હોય ને
મહિલા-નાના,
પુરુષ. રાજકારણમાં આ બધુ સામાન્ય હોય, અમે તો મહિનો મહિનો બહાર રહીએ, બેંકની ચૂટણી હોય માર્કેટીંગની ચૂંટણી હોય એક એક મહીનો બહાર હોઇએ
મહિલા- હુ શુ કહુ છુ મારે પાટીલ સાહેબને મળવુ હોય તો અભિંદન આપવા જવુ તુ એમને
પુરુષ સીધા જ એ મંગળવારે મળે જ છે
મહિલા- દર મંગળવારે..
પુરુષ- દર મંગળવારે આખો દિવસ હોય જ છે, અમે પણ સીધા જઇએ છીએ,, મારો પણ બહુ પરિચય નથી, સાહેબ સારા માણસ છે મળી જાય છે
મહિલા- આપણે ડાયરેક્ટ મળીએ તો વાંધો નહીને
પુરુષ-ત્યાં તો સાહેબે છુટ આપેલી જ છે,, ત્યાં જાઓ એટલે ફોટો પાડીને આપી દે છે,
મહિલા- અચ્છા અચ્છા
પુરુષ, ફોટો મસ્ત બનાવીને આપી દે છે, કોપી એની
મહિલા,એ લોકો મેલ કરી દે છે ને
પુરુષ,ના તમને ત્યા બે જ મિનીટમાં ફોટો આપી દેશે
મહિલા,, તમે વોટ્સએપ ઉપર મને બ્લોક કર્યો છે,
પુરુષ, નથી કર્યો થોડો પ્રોબલમ હતો, છોકરાનો અમદાવાદમાં ફોનમાં કઇક કરતા હતા,
મહિલા, સારુ ના લાગે આપણા રિલેશનમાં તમે બ્લોક કરો,,
પુરુષ – મારા ટેણિયાના કારણે
મહિલા, મને બકા દુખ થયુ ખબર છે,
પુરુષ ટેણિયો રમતો હોય મારો, બહુ માસ્ટર છે
મહિલા હુ એટલુ બધુ મેસેજ ક્યાં મોકલુ જ છું તમને, મારે ખાલી ગુડ મોર્નિંગનો નોર્મલ મેસેજ હોય છે
પુરુષ મારો ટેણિયો હોશિયાર છે હોમે લખે એવો છે, એટલે
મહિલા,મારાથી તમને કોઇ તકલીફ નહી પડે ક્યાંક એટલુ વિશ્વાસ રાખજો
પુરુષ, એટલુ વિશ્વાસ છે નથી થવાનો,,, તમે ભોળા માણસ છો મને વિશ્વાસ છે
મહિલા, આપણે સંબધ એમને એમ નથી બાંધ્યો,,
પુરુષ,મારી મજબુરી છે હાલ અત્યારે વટનો સવાલ છે
મહિલા, તમે કારો કરો, પણ દિવસમાં એક વખત મને ફોન કરો તો મને સારુ લાગે,અને મારુ કોઇ છે તેમ મને લાગે સમજ્યા તમે હુ તમને એવુ નથી કહેતી કે તમે મને ટ્વેન્ટી ફોર હવર ફોન કરો
તમને કામ જ કરો,, કરવુ જ પડશે,,
પુરુષ, અમારો વિષય જ એવો છે એટલા માટે, છ મહિના માટે પછી તો અમે ફ્રી જ છીએ
મહિલા- મને પણ કામ આપો
પુરુષ , અપીએ તમને નગર પાલિકાના કામ આપીએ
મહિલા, મને કામ આપો તમે બિન્દાસ્ત,મારે કામ લેવુ જ છે મારે આવુ પડેશે ને એ એરિયામાં,
પુરુષ, પાલિકાનુ કામ તમને આપીએ, પણ અમારી બને તો તમને આપીએને ,. ખુબ કમાણી હોય તો નગર પાલિકામાં
મહિલા, બનાવો ને તો મહેનત કરો બરાબર
પુરુષ એ જ કરુ જ છું છેલ્લા અઠવાડિયાથી કોઇ વિષય જ નથી, ઘરવાળાને મુકી આવ્યો છું
મહિલા, મારા તરફથી તમને ઓલ ધી બેસ્ટ,,
પુરુષ, ઘરવાળાને સાસરીએ મુકી આવ્યો છુ અઠવાડીયાથી
મહિલા- એવુ છે
પુરુષ આપણે ફુલ ટાઇમ ફ્રી રહીએ ને
મહિલા, બરાબર છે બરાબર, ના ના તમે મહેનત કરો હુ તમારી સાથે જ છું
પુરુષ, કાલે તમે જઇ આવો, જરુર પડે તો મને ફોન કરજો
મહિલા, કાલ ક્યાંથી જઇ આવ્યો કાલ થોડી મંગલવાર છે,,
પુરુષ- સોરી મંગળવાર જજો મંગળવારે,,હુ તપાસ કરીને તમને કહીશ
મહિલા,તમારા દિવસમાં એક ફોન નહી આવે તો મારા પચાસ ફોન આવશે
પુરુષ ના ના એમ નહી હુ તમને સામેથી ફોન કરીશ
મહિલા જો એક ફોન નહી આવે તો પચાસ આવશે
પુરુષ હુ કરીશ સામે થી,,
મહિલા, આપણે તો ખાલી હાય હેલ્લો માટે ફોન કરીએ છીએ
પુરુષ, હુ તમને સામેથી ફોન કરીશ તમે ચિન્તા ના કરતા,મને આ મહિનો ધમાલ પતી જવા દો,,
મહિલા, મહિનો એટલે શુ વાત કરો છો,, , ગાડા થઇ ગયા છો મહિનો મહિનો કરો છો
પુરુષ,વર્ષો નિકળી જાય છે
મહિલા,નિકળાય આપણે શુ લેવા દેવા,કોઇનુ આપણે શિખવાનુ નહી આપણે આપણુ વિચારવાનું સમજ્યા
પુરુષ, સારુ સારુ
મહિલા સારુ ઓલ ધી બેસ્ટ ટેક કેર..
આ મુદ્દ ગજેન્દ્ર સિહ પરમાર કહી ચુક્યા છે કે ચૂંટણી નજીક છે ત્યારે તેમના રાજકીય વિરોધીએ તેમની રાજકીય કદ ઘટાડવા અને બદનામ કરવા માટે આ પ્રકારનો ખોટો ભ્રમિત પ્રચાર કરતા હોય છે,, તેઓએ કહ્યુ છે કે હુ આવી કોઇ મહિલાને ઓળખતો નથી, કોઇ પણ પ્રકારની ઓડિયો ક્લીપ કે મહિલાને તેઓ જાણતા નથી, આ તમામ વસ્તુઓ ફેબ્રિકેટેડ છે, માત્ર તેમને ફરી વાર પ્રાંતિજ વિધાનસભાની ટીકિટ ન મળે તે માટે આ વિરોધીઓનો પડયંત્ર છે,,
પ્રાંતિજમાં ભાજપને મળ્યો ગજેન્દ્ર સિહ ચૌહાણનો વિકલ્પ – ભાજપ હવે આ નેતાને ઉતારશે મેદાને !
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ