અમદાવાદ
યુવતી ઉપર બળકાત્કાર ગુજારનાર એ રાજનેતા કોણ- ઓડિયો વાયરલ

યુવતી ઉપર બળકાત્કાર ગુજારનાર રાજનેતા કોણ- ઓડિયો વાયરલ
હાલમાં જ સોશિયલ મિડીયામા એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે, જેમાં એક મહિલા જે પોતાને વંદના બેન તરીકે ઓળખ આપે છે પોતાને ગજેન્દ્ર સિહના બીજા પત્ની તરીકે ગણાવે છે,જેમાં તેઓ કોઇ હિતેશના નામની ચર્ચા કરે છે,જેણે એક યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યા હોવાની વાત કહે છે, સુત્રોની માનીએ તો આ હિતેશ એક મોટીમાં ઉચા હોદ્દા પર વિરાજમાન છે,,તેમ છતાં આડિયોની સત્યતાની પુષ્ટીમાં પંચાત ટીવી નથી કરતું, પણ જે રીતે આ ઓડિયો ફરતો થયો છે, તેના કારણે નિશ્ચિત નેતાઓની ઉંઘ તો હરામ થઇ જ ગયો છે,,
આ ઓડિયો ક્લીપની ટ્રાન્સસ્કીપ્ટ છે,જેમાં માત્ર વંદના બેનનુ ટ્રાન્સક્રીપ્ટ મુક્યુ છે
હુ વંદના બેન બોલુ છુ આપણા ગજેન્દ્ર સિહ છે ન , તમારા મંત્રી ,, તેમના સેકન્ડ વાઇફ બોલુ છું
મારા તમારે કામ હતું મહેશ ભાઇના વાઇઝ, હિતેશ ભાઇના વાઇફનો નંબર અને તેમના ઘરનો એડ્રેસ જોઇએ છે
મારા વોટ્સએપ નંબર છે મને વોટ્સએપ કરો તો વાંધો નથી એમની ફેમલીને મળવુ છે કાર ણકે મારી મેટરની અંદર
મારી અને ગજેન્દ્રની મેટર છે હુ અને ગજેન્દ્ર પ્રેમ કરતા હતા, , અમે જે કરીએ લડીએ મરીએ અને ઝગડીએ જે કરી અમારો વિષય છે
કોઇને ઇન્ટરફિયર થવાનો અધિકાર નથી,
હિતેશ બહુ વધારે પડતો ઇન્ટરફિયર થાય છે,,એની વાઇફને મળીને મારે વાત કરવી છે, એના કેટલાય પ્રકરણ હુ જાણું છું
મારી ભત્રિજી હતી તેના ઉપર તેણે બળાત્કાર કર્યો હતો, બેલાનુ તેણે કેટલુ બધુ બગાડીને મુકી દીધુ ,એની જીદંગી બગાડી છે એ બઘ્ધુ હુ જાણુ છુ
એની વાઇફને બધુ કહેવાની છુુ,,મારા એના ઘરનુ એડ્રેસ અને એનુ નંબર મળી જાય તો બધુ કહીશ,
હુ મારી ભત્રિજીને લઇને જવાની છું, હિતેશના ઘરે આ વખતે, મહેશ ભાઇના ઘરે પણ જઇશ
મને કોઇની બીક નથી લાગતી,
પેલા કિશોર સિહ ઝાલા તેમને ખોટા ખોટા હેરાન કરી રહ્યા છે, એ લોકો
કિશોર સિહ થી શુ લેવા દેવા,,
કિશોર સિહની જો કોઇ રસ જ નથી
મારી કહેવાની વાત એ છે કે મારી અને એની લડાઇ છે તો બીજાએ આવવાની ક્યાં જરુર છે,
અમે પ્રેમ કર્યો, અમે એમએલએ ક્વાટર્સમાં મળ્યા, ગમે તેટલી વખત મળ્યા, અમારે જે રીતે સંબધો બંધાયા, એમા હિતેશ ક્યાં વચ્ચે આવીને બેઠો હતો,.
આ લોકો વચ્ચે બેઠા હતા, અને ગજેન્દ્ર મારી જોડે મળવા આવતો હતો સંબધ બાંધતો હતો,ત્યારે હિતેશ અને મહેશ કાકાને પુછીને ફોન કરીને મને કરતો હતો, જે બધુ કરતો હતો,
મહેશ ભાઇને કહો કે શાંતિથી બેસી રહો તમે પિક્ચરમાં કલાકાર છો જ તમને ઇન્વોલ્વ એટલા માટે નથી કરતા કે તમે ઉમર લાયક માણસ છો,બરોબર, હુ વિફરી જઇશ તો
હાઇ કોર્ટે આ વખતે ઓર્ડર કર્યો છે પુરાવાનો, કોઇ સમાધાન થવાનો નથી ક્યારે
કારણ કે હુ વિફરી ગઇ છુ મારી બદનામી કરી ખોટી ખોટી
મે કઇ એને બદનામ નથી કર્યો,,
એણે મને બદનામ કરીને
અને હવે હુ તો એના ઘેર આવવાની છુ બૈરીને બનીને રહી જોડે, એને બહુ શોખ છે મને બૈરી બનાવવાનો,,
એ તો આગળ કહેતો ફરે છે કે એ તો આમ હતી ને તેમ હતી, હવે રાખ તારી જોડે સીધી વાત છે
જીવનની અંદર પૈસા જ બધુ નથી હોતું
એટલો મોટો સાચો હોય એણે કઇ જ ન કર્યુ હોય,,
કેમ એક વખત મિડીયામાં આવીને ઇન્ટરવ્યુ નથી આપતો,
મિડીયા તો ઘણી વખત ગઇ
એટલે તો મહેશ કાકો અને હિતેશ બહુ જ નાટકો કરી રહ્યા છે
મને બધ્ધી જ કરી રહ્યા છે, કિશોર સિહ ઝાલા નિર્દોષ છે
એમનો કોઇ વાંક જ નથી,, મારી ફાઇટ છે અમે બન્ને લડી રહ્યા છે
એમને સમજાઇ દેજો મહેરબાની કરીને ,
સમજાવશો નહી, મને નંબર આપી દેજો હુ સમજાઇ દઇશ
અને હિત્યો છે ને એણે નાની છોકરીની જીંદગી બગાડી છે
બહુ બહાર નથી કાઢવુ
તમને મારા વડીલ છો, શુ કહેવું
અરે મારી વાત સાંભળો બીપિન ભાઇ,,
પૈસા આપ્યા હોય તો કોઇ તો પુરાવો હોયને
કોઇને પણ પાચ રુપિયા આપે તો પુરાવો લે છે
કલાક કલાક મિટીંગ કરવા મારી જોડે કેમ આવતો હિતેશ
પણ ખરેખર એની માં યે હવા શેર હુંઠ ખાઇને જણ્યા હોય તો
મારી હામે એક વાર આવીને ઉભો રહી જાય
મારામાં એટલુ જીગર છે ને
એ કે કહે કે ગજેન્દ્ર અહી છે તો હુ ત્યાં મળવા પહોચી જવું
પણ મને લોકેશન જ આપતા નથી
મારી બીકે તો ગાંધીનગર નથી આવતો
મે તો કહ્યુ છે કે તુ એક વાર આવી જા
અને મને નંબર આપજો કે હિતેશની વાઇફ જોડે વાત કરવી છે
હુ રુબરુ મળીશ , એ છોકરીને લઇને જ જઇશ કે આની જોડે આવુ કર્યુ છે
ચલો મારો નંબર સેવ રાખજો,
ચલો જય શ્રી કૃષ્ણ
આ અંગે પંચાત ટીવીએ વંદના બેન સાથે સંપર્ક કર્યો હતો તેઓએ જણાવ્યુ કે આ ઓડિયો ક્લીપ મારી જ છે, સાચી છે, અને જે પણ મે કહ્યુ છે તે તમામ વાતોના મારી પાસે પુરાવા છે,
આ અંગે સાચુ જણાવા માટે પ્રધાન ગજેન્દ્ર સિહ પરમારનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો, ત્યારે તેઓએ પોતાના બચાવમાં કહ્યુ હતું કે મને રાજકીય રીત બદનામ કરવાનો ષડયંત્ર થઇ રહ્યો છે, ચૂંટણી નજીક આવી રહી છે જેથી
મારા રાજકીય વિરોધીઓ મને બદનામ કરીને મને નુકશાન પહોચાવડવા માંગેછે, આ અગે તમામ કાયદાકીય પ્રકીયા ચાલી રહી છે,, હુ નિર્દોષ છું મારા આ બહેન સાથે કે આવા કોઇ પણ સેક્સકાંડ સાથે કોઇ સબંધ નથી
હુ વંદના બેન કે જે કોઇ બેન છે તેમને ઓળખતો નથી,
પ્રાંતિજમાં ભાજપને મળ્યો ગજેન્દ્ર સિહ ચૌહાણનો વિકલ્પ – ભાજપ હવે આ નેતાને ઉતારશે મેદાને !
સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ
ખેડાને કોંગ્રેસ મુક્ત કરવાનો ભાજપનો માસ્ટર પ્લાન ! સ્થાનિક ભાજપના નેતાઓની કેમ ઉડી ઉંઘ
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ