Connect with us

અમદાવાદ

આમ આદમી પાર્ટી સાથે હવે આખું ગુજરાત જોડાઈ રહ્યું છે: ઈસુદાન ગઢવી

Published

on

આજે મોટી સંખ્યામાં સમાજ સેવકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા: ઈસુદાન ગઢવી

જગન્નાથ યાત્રા દરમિયાન ઇતિહાસ સર્જશે આમ આદમી પાર્ટી !

આમ આદમી પાર્ટી સાથે હવે આખું ગુજરાત જોડાઈ રહ્યું છે: ઈસુદાન ગઢવી

 

Advertisement

સમાજ સેવકો અને વિભિન્ન ગામ ના સરપંચો આમ આદમી પાર્ટી માં જોડાયા: ઈસુદાન ગઢવી

 

આજે ગુજરાતમાં ‘એક મૌકો કેજરીવાલ ને’ મુહિમ ચાલી રહી છે અને ગુજરાતના લોકો તેમાં ઉત્સાહ ભેર જોડાઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી

 

’આપ’ એ ગુજરાત માટે સર્વશ્રેષ્ટ વિકલ્પ છે: ઈસુદાન ગઢવી

Advertisement

 

બધી પાર્ટીઓ આવે છે ને ફક્ત વાયદાઓ કરીને જાય છે. પણ દેશમાં એકમાત્ર કેજરીવાલ સરકાર એવી છે જેને કરેલા બધા વાયદા પુરા કર્યા છે: ઈસુદાન ગઢવી

 

 

 

Advertisement

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા ને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી સાથે હવે આખું ગુજરાત જોડાઈ રહ્યું છે. ભાજપ સરકાર થી જનતા હવે સંતુષ્ટ નથી, નેતાઓ ઉપર થી જનતા નો વિશ્વાસ ઉઠવા મંડ્યો છે. સૌ કોઈ મોંઘવારી અને બેરોજગારી થી પરેશાન છે. બધી પાર્ટીઓ આવે છે ને ફક્ત વાયદાઓ કરીને જાય છે. પણ દેશમાં એકમાત્ર કેજરીવાલ સરકાર એવી છે જેને કરેલા બધા વાયદા પુરા કર્યા છે અને જનહિત માટે કાર્ય કર્યું છે. આજે ગુજરાતમાં ‘એક મૌકો કેજરીવાલ ને’ મુહિમ ચાલી રહી છે અને ગુજરાતના લોકો તેમાં જોડાઈ રહ્યા છે. ગુજરાતના ઈમાનદાર અને ભણેલા ગણેલા લોકો મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે કેમકે, અરવિંદ કેજરીવાલ એ હંમેશા કામ ની રાજનીતિ કરી છે. 

 

 

યુવરાજ સિહ જાડેજાએ અધિક મુખ્ય સચીવ સામે કેમ ઉઠાવ્યા સવાલ !

ઈસુદાન ગઢવી એ સમાજ સેવકો નું નામ અને પદવી જણાવતા કહ્યું કે, 

Advertisement

 

1) ચિરાગકુમાર પી. રાજવંશ જે ભારતીય દલિત પેન્થર ઓફ ગુજરાત માં પ્રમુખ ની પદવી પર છે, જેમનું દલિત સમાજમાં ખૂબ મોટું નામ છે, જમણે દલિત સમાજના હિત માટે ઘણા સુકાર્યો કાર્ય છે અને જે પોસ્ટલ વિભાગમાં 2021 સુધી પબ્લિક રિલેશન ઇન્સ્પેક્ટર પણ રહી ચુક્યા છે. 

2) બુધારામ થાવર મહેશ્વરી જે નેશનલ ઇન્શોરન્સ કો. લી. માં ક્લાસ-1 ઓફિસર ની પદવી પર છે, જેમનું મહેશ્વરી સમાજમાં ખૂબ ઊંચું નામ છે, જેમને ગાંધીધામ, કચ્છ માં ખૂબ મોટા મોટા કર્યો કાર્ય છે. 

3) પ્રતાપસિંહ મંગળસિંહ પરમાર જે 4 વર્ષ ઠાસરા વિધાનસભા યવુા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમખુ રહી ચુક્યા છે, જેમના પિતા કોંગ્રેસમાં વિવિધ પદવી પર રહી ચુક્યા છે અને તાલુકા પંચાયતમાં પણ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. અને તેમણે પોતે પણ NGO દ્વારા જનસેવા ના ઘણા કાર્યો કર્યા છે. 

4) પ્રતાપસિંહ સીસોદીયા જે ભાજપમાં દસ વર્ષ સુધી સક્રિય વોલેન્ટિઅર તરીકે કામ કરી ચુક્યા છે. 

Advertisement

 

આ તમામ મહાનુભાવો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઇ રહ્યા છે. કેમકે, આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે જે સૌને સાથે આગળ લઈને ચાલવાનું કાર્ય કરે છે.

 

ઉપર ઉલ્લેખિત તમામ ઈમાનદાર મહાનુભાવો સાથે સમાજ માટે કામ કરતા ડોક્ટરો અને વિભિન્ન ગામ ના સરપંચો જેમને હંમેશા સામાન્ય જનતા માટે પગલાં ભર્યા છે તે મોટી સંખ્યા માં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. ઈસુદાન ગઢવી એ તેમનું નામ જણાવતા કહ્યું કે, 

 

Advertisement

1) ડૉક્ટર ડાયાભાઇ પરમાર જે વિધાનસભામાં સેકશન ઓફિસર ની પદવી પર રહી ચુક્યા છે. 

2) ડૉક્ટર દશરથભાઈ નારાયણદાસ પટેલ જે સરકારી આરોગ્ય કેન્દ્રો માં આંખ ના સર્જન છે. 

3) બાબરભાઈ (સરપંચ-લખાણના મુવાડા), 

4) વસંતભાઈ આદરભાઈ પટેલ (સરપંચ-સંસ્કારી ગામ), 

5) ગજેન્દ્રસિંહ (ઉપસરપંચ-બાવડા નિવારી) 

Advertisement

6) વિક્રમભાઈ માશભાઇ રબારી (સરપંચ-બારીયા)

 

ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં કઇ રીતે થઇ રહ્યો છે મોટો કૌભાંડ

અને બીજા વિભિન્ન ક્ષેત્રો થી તેમના અન્ય સાથી મિત્રો ‘આપ’ માં જોડાયા છે જેમકે,

 

Advertisement

1) રમીલાબેન ચિરાગકુમાર રાજવંશ (પૂર્વ TDO) 

2) અશ્વિનભાઈ ડોડીયા (સુભાષબ્રિજ)

3) મનુભાઈ દુલેરા (વેજલપુર)

4) એમ. કે. ચૌહાણ (દાણીલીમડા)

5) ગીરધરભાઇ એસ. પરમાર (ચાંદખેડા)

Advertisement

 

આ સૌ સાથે આમ આદમી પાર્ટી ની વિચારધારા ને ગુજરાતના દરેક ઘર સુધી પહોંચાડવા અમે સાથે મળીને પ્રયત્નો કરશું. અને ભ્રષ્ટાચારી, પપેરફોડ ભાજપ સરકાર ને જવાબ આપશું. 

 

ત્યારબાદ દરેક મહાનુભાવો ને સન્માન પૂર્વક ટોપી અને ખેસ પહેરાવીને સંપૂર્ણ હૃદય થી ઈસુદાન ગઢવી એ આમ આદમી પાર્ટી માં સ્વાગત કર્યું. 

 

Advertisement

ભાજપના શાસનમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ થયુંઃ ઇસુદાન ગઢવી

ચિરાગકુમાર પી. રાજવંશ એ આમ આદમી પાર્ટીમાં જોડાતા મીડિયા ને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી એ આમ જનતા માટેની પાર્ટી છે. આજ સુધી આમ આદમી પાર્ટી એ દિલ્હી માં જેટલા પણ વાયદા કર્યા છે તે પુરા કર્યા છે અને પંજાબ માં પણ સરકાર બનતા જ 80 ટકા સુધી વાયદાઓ પુરા કરી ચુકી છે. અને હવે ગુજરાતનો વારો છે. ગુજરાતની જનતા પણ હવે જુમલા બાજ સરકાર થી ત્રાસી ગઈ છે. સુશાસન સ્થાપિત કરવા ગુજરાતની જનતા પણ હવે કટિબદ્ધ છે. એટલે અમે આનંદ અનુભવીએ છીએ કે અમે એ પાર્ટી સાથે જોડાયા છીએ જે લોકોનું કામ કરવા કટિબદ્ધ છે અને અહીંયા સૌ કોઈ કાર્યકર્તાની જેમ લોકો માટે કામ કરે છે. અને હવે ગુજરાતમાં જે સરકાર બનશે એ આમ આદમી પાર્ટી ની જ સરકાર બનશે. ગુજરાતની જનતા ઘણી બધી સમસ્યાઓ થી સંકળાયેલી છે પરંતુ હવે ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટી ના રૂપે એક સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે જે તેમની દરેક સમસ્યાનું સમાધાન લાવશે. અમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને ગૌરવ અનુભવીએ છીએ અને તે બદલ હું ઈસુદાન ગઢવી અને ‘આપ’ના નેશનલ કનવીનર અરવિંદ કેજરીવાલ નો ખુબ ખુબ આભાર માનું છું.

અરવિંદ કેજરીવાલથી પ્રભાવિત થઈને દહેગામના સરપંચ, ઉપસરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ આપમાં જોડાયાઃ ઈસુદાન

બી.ટી. મહેશ્વરી એ ‘આપ’ માં જોડાતા મીડિયા ને સંબોધતા કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે મારા પહેલા રાજકીય કાર્ય માં મને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો મોકો મળ્યો છે અને તે બાદલ હું ઈસુદાન ગઢવી અને ‘આપ’ના નેશનલ કનવીનર અરવિંદ કેજરીવાલનો આભારી છું. કચ્છ માં જનતા ને ઘણી બધી સમસ્યાઓ છે પરંતુ ભાજપ સરકાર તેનો ઉકેલ લાવવામાં હંમેશા નિષ્ફળ રહી છે. આમ આદમી પાર્ટી ની જે વિચારધારા છે કે નાનામાં નાનું વ્યક્તિ પણ અમારા સુધી પહોંચી શકે અને આગળ આવી શકે, તેનું હું સન્માન કરું છું. અમે આમ આદમી પાર્ટી સાથે મળીને લોકકલ્યાણ માટે કાર્ય કરશું અને ભવિષ્ય માં કચ્છની છ એ છ સીટ આમ આદમી પાર્ટી ને જ મળશે એ હું આશ્વાસન આપું છું.

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.