Connect with us

અમદાવાદ

ઉદ્ધવ ઠાકરે સરકારની ગુજરાતના એક નેતાએ કેવી રીતે વધારી મુશ્કેલી !

Published

on

મહારાષ્ટ્ર શિવસેનાના ધારાસભ્યોને તોડવામાં ગુજરાત ભાજપના કયા મોટા નેતાની ભુમિકા હોવાની ચાલી રહી છે ચર્ચા !

ઉદ્ધવ ઠાકરે સરકારની ગુજરાતના એક નેતાએ કેવી રીતે વધારી મુશ્કેલી

ચંદ્રકાંત પાટીલે સમગ્ર ઓપરેશનમાં મુખ્ય ભુમિકા ભજવી હોવાની ચર્ચા

કોંગ્રેસના કયા નેતાએ કહ્યુ રોહન ગુપ્તાને ભાજપ સાથે સાઠ ગાંઠના કારણે ચેરમેન પદેથી હટાવાયા !

મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેનાની સરકાર સામે ગ્રહણ ઉભો થયો છે,,અને શિવસેનાના 17થી વધુ ધારાસભ્યો ગુજરાતના સુરત આવી ગયા છે,,તેનાથી લાગે છે હવે મહારાષ્ટ્રમાં સયુક્ત સરકાર સામે સંકટ ઉભો થયો છે,પણ સુત્રોની માનીએ તો મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને તોડવા માટે ગુજરાત ભાજપના મોટા ગજાના નેતાનુ ભુમિકા મહત્વપુર્ણ છે, સમગ્ર ગહન ઓપરેશન છેલ્લા બે મહિનાથી ચાલતી હોવાનુ સુત્રો ઉમેરી રહ્યા છે,,

Advertisement

કોંગ્રેસ કઇ રીતે ભાજપ અને આપની બુથ સમિતિ સામે લેશે ટક્કર !

મહારાષ્ટ્ર શિવસેના ઉંઘતી રહી અને તેના 17થી વધુ ધારાસભ્યો તુટીને સુરત આવતા રહ્યા,હવે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સયુક્ત સરકાર સામે સંકટ છે, આમ તો મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી હોવા છતા તેની સરકાર ન હોવાની પીડા મહારાષ્ટ્ર બીજેપીના નેતાઓથી માંડી દિલ્હી સુધીના નેતાઓને હતી, જે રીતે રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ એનસીપી અને શિવસેનાના ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કરીને ભાજપને
સમર્થન આપ્યો હતો ત્યારથી જ મુશ્કેલીની વાદળો મહારાષ્ટ્રની સયુક્ત સરકાર ઉપર છવાઇ ગયા હતા,,તેમાંય વિધાન પરિષદમાં જે રીતે નંબરો ન હોવા છતાં બીજેપીના પાચેય ઉમેદવારો જીતી ગયા ત્યારે સાબિત થયુ કે
હવે શિવસેનામાં ભંગાણ નિશ્ચિત છે, એકનાથ શિંદે અત્યારે સુરતમાં પોતાના સમર્થક ધારાસભ્યો સાથે છે,,

હાર્દીકને કોણે કહ્યુ ચિરકુટ, ભગોડા પટેલ-શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને નોકરી અપાવ !

સુત્રોની માની એ તો ઉધ્ધવ ઠાકરેની સરકાર એટલા માટે તોડવામાં આવી રહી છે કે તેના મુળમાં છે ટેપ કાંડ, જેની ચાર્જશિટ 25મી જુને થાવાની છે, જેમાં દેવેન્દ્ર ફડનવીશનુ પણ નામ છે,,સાથે કેટલાક અધિકારીઓ પણતેમના સીધી રીતે ફસાઇ શકે છે, એટલે જ આ સમગ્ર ઓપરેશન કરવામા આવ્યા હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે,તે સિવાય જ્યારે 2019માં મહા અધાડી સરકાર બની રહી હતી ત્યારે ઉધ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેનેસીએમ બનાવવા માટે વિચાર મુક્યો હતો, ત્યારે શરદ પવારના કહેવાથી એકનાથ સિંદેના બદલે ઉધ્ધવ ઠાકરે સીએમ બન્યા હતા, તેના પછી કહેવાય છે કે એકનાથ શિંદેને વિધાયક દળના નેતા તરીકે મુકી દેવાયા હતા,પણ પક્ષમાં તેમનુ મહત્વ ઘટતુ ગયું અને તેઓ દુખી થતા ગયા, એ જ અરસામાં એકનાથ સિંદેએ ગુજરાતના એક ભાજપના નેતાના સંપર્કમા આવ્યા, આ નેતાએ એકનાથ શિંદે સાથે બેઠક કરીને સમગ્ર સ્ક્રીપ્ટ લખી નથી એવુ નથી કે એકનાથ સિંદે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપ નેતાઓ સાથે વાત કરી શકતા ન હતા, પણ મહારાષ્ટ્રમા આ કરવુ અઘરુ હતું.જેથી તેઓ વાયા ગુજરાત ભાજપ સાથે સેટિંગ કરવાનુ નિર્યણ કર્યુ.
સમગ્ર ઓપરેશન સુપેરે પાડ પડે તેના માટે ડીઝાઇન બનાવવામાં આવી,,એકનાથ સિંદેને ભરોસો આપવામા આવ્યો,,અને તેમના ધારાસભ્યોને સેફ પેસેજ સાથે તેમને સુરત પહોચાડવાની વ્યવસ્થા કરાવાઈ, એટલે કે
ઉધ્ધવ સરકાર જાગે તે પહેલા ઓપરેશન પુરુ થઇ ગયુ હતુ,

પોલીસના નવા નેતા કોણ !

Advertisement

મહેમાન માટે રહેવાની વ્યવસ્થા તો કરવી પડે- સી આર પાટીલ

આ આંગે જ્યારે આ અંગે સી આર પાટીલને જ્યારે એક પત્રકારે પુછ્યુ કે તમે અત્યારે ગુજરાત છોડીને મુંબઇમાં કેમ છો,,તો તેઓએ કહ્યુ કે અંગત કામથી આવ્યો છુ, સાથે તેઓએ કહ્યુ કે શિવસેનાના લોકો તેમને છોડીને જાય તો આમાં ભાજપનીકોઇ ભુમિકા નથી, અને જ્યારે તેમને એ પુછવામાં આવ્યુ કે તેઓ સુરત જ કેમ ગયા, તો તેમને કહ્યુ કે અમારા ત્યા મહેમાનો આવે તો તેમના રહેવા જમવાની વ્યવસ્થા તો કરવી પડે,, મહત્વની વાત એ છે કે વહેલી સવારેઆ નેતા પરત સુરતથી અમદાવાદ પણ આવતા રહ્યા,,,અને એક એક પળની માહિતી હાઇકમાન્ડને આપી પણ દીધુ,, આમ આ નેતા વડા પ્રધાન નરેન્દ્રમોદીના નજીક તો છે, પણ ગુજરાતમાં પણ મહત્વપુર્ણ પદ ઉપર છે,

કેન્દ્રીય પ્રધાન ડો ભાગવત કરાડ સીઆર પાટીલને ગાંધીનગરમા મળ્યા

કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ.ભાગવત કિશનરાવ કરાડે ગુજરાતમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોચ્યા હતા,ત્યારે આ કાર્યક્રમ પતાવીને તેઓ સીધા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નિવાસ સ્થાને
પહોચ્યા છે, અને મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ ઉપર ચર્ચા કરી રહ્યા છે, ત્યારે તેમનુ યોગ દિવસના દિને ગુજરાત આવવુ અને અત્યારે મહારાષ્ટ્રમાં ગુજરાત ના નેતાની ભુમિકા હોવુ એ અનેક સંકેતો આપે છે,જે બતાવે છે કે
મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર ગુજરાતના રસ્તે બનશે,

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.