Connect with us

અમદાવાદ

કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી

Published

on

કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી

ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રવક્તા અને યુવા નેતા મૌલિન શાહે ગુજરાત કોગ્રેસ અવદશાને લઇને આકરી ટીકા કરી છે, તેઓએ વધુમાં કહ્યુ છે કે ગુજરાત કોંગ્રેસમાં જયચંદોના કારણે જ
કોંગ્રેસ સત્તામા આવતી નથી,, કોંગ્રેસના અનેક જયચંદોના સત્તાધારી પાર્ટીના નેતાઓ સાથે વ્યાપારિક સંબધો હોવાના કારણે કોંગ્રેસે સત્તાથી હાથ ધોઇ નાખવા પડે છે, કોંગ્રેસ અદનો કાર્યકર્તા નિષ્ઠા, પ્રમાણિકતા પોતાના પરિવારને ભુલીને તન મન ધન થી પાર્ટી વિચારધારા માટે
સમર્પણ ભાવથી કામ કરતો હોય છે,જો કે પાર્ટીમાં રહેલા જયચંદો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ટિકીટોની વહેચણીથી લઇ પ્રચારમાં મલાઇ તારવી લેતા હોય છે,તેઓએ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરને અપીલ કરી છે,

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

કોંગ્રેસના યુવા નેતા મૌલિન શાહે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને ઉદ્દેશીને પત્ર લખ્યો છે,
પ્રમુખશ્રી જગદીશભાઈ, આમ રાજકારણના વ્યાપારિકરણને છાવરવું તો સીધું રાહુલ ગાંધીનું અપમાન છે! જયચંદોથી કોંગ્રેસ ચેતી જાય!
ભાજપ દ્વારા બદલાની ભાવનાથી વિપક્ષ કોંગ્રેસને દબાવવાની રાજનીતિ વિરુદ્ધ જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ અને લાખો કાર્યકર્તાઓ સંઘર્ષ કરતા હોય, પોલીસ દમનનો શિકાર બનતા હોય ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાનું ભાજપના નેતા અને મળતીયાઓ સાથેની વ્યાપારિક ભાગીદારીનો ઘટસ્ફોટ થાય છે ત્યારે જનતામાં નકારાત્મક સંદેશ જાય છે. જેના લીધે કાર્યકર્તાઓના સંઘર્ષ પર પાણી ફરી જાય છે અને એમના મોરલને ધક્કો વાગતો હોય છે.
રાહુલ ગાંધી અત્યારે સુબ્રહ્મણીયન સ્વામી દ્વારા ચગાવેલા નેશનલ હેરાલ્ડ કેસ બાબતે સોમવારથી રોજના 10-12 કલાક #ED ઓફિસમાં હાજર થઈ રહ્યા છે. તેવી જ રીતે તેઓને વારંવાર અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં વર્ષ 2019માં દાખલ થયેલા એક કેસ બાબતે હાજરી આપવા આવવું પડે છે અને આજે પણ કેસ ચાલે છે.
આ કેસ કરનાર ભાજપના નેતા જોડે વર્ષ 2021માં રિયલ એસ્ટેટ કન્સ્ટ્રકશનના વેપારમાં કોઈ કોંગ્રેસ નેતા ભાગીદારી કરે તો એ કેટલું યોગ્ય છે?
ઉપરોક્ત બાબતે મીડિયાના અલગ અલગ માધ્યમો પર ઘટસ્ફોટ થયા પછી પણ કોંગ્રેસના રાષ્ટ્રીય કે રાજ્યના નેતૃત્વ દ્વારા કોઈ પગલા ના લેવાય અને નેતાને છાવરે એ કેટલું યોગ્ય છે?
■ ગયા રવિવારે (12 જૂન) કોંગ્રેસ પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પવન ખેડા ભાજપ દ્વારા ઇડી, સીબીઆઈ જેવી સંસ્થાઓના દુરૂપયોગ બાબતે પત્રકાર પરિષદ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક સિનિયર પત્રકારે કોંગ્રેસના નેતા રોહનભાઈ ગુપ્તા અને ભાજપના નેતા અજયભાઈ પટેલ ના પરિવારો વચ્ચે ધંધાકીય ભાગીદારી પર સવાલ કરાતા પ્રેસવાર્તામાં હાજર કોંગ્રેસ નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારે પ્રમુખશ્રીએ આને ભાજપની ચાલ છે એવી વાત કરીને પત્રકારના સવાલ પર પડદો પાડવા પ્રયાસ કર્યો હતો.
શ્રી જગદીશભાઈ આ રીતે ભાગીદારી ને છવારવું તો રાહુલજી નું અપમાન કહેવાય કે નહીં?
નેતૃત્વ ક્યાં સુધી આવી બાબતને ગંભીરતાથી નહિ લે?
આજ રીતે જો રિયલ એસ્ટેટની LLP કંપનીમાં ડાયરેક્ટરશીપને નાના મોટા વેપાર ધંધા તરીકે ખપાવીને કોંગ્રેસ નેતાની ભાગીદારીને નેતૃત્વ છુપાવતું/છાવરતું રહેશે તો ભવિષ્યમાં આવી ભાગીદારી કરતા જયચંદોનો આખો એક સેલ કે વિભાગ જ ઉભો થઈ જશે!
આજે જ કોંગ્રેસના એક ભૂતપૂર્વ નેતા નટવરસિંહના કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધના નીવેદનો જોતા લાગે છે આવા તો અલગ અલગ પ્રકારના કેટલાય જયચંદો હશે!
આવુંને આવું ચાલશે તો સત્તામાં આવવાની વાત તો દૂર પણ સક્રિય વિપક્ષની ભૂમિકા ભજવવાથી જનતા કોંગ્રેસને દૂર રાખશે.
છેલ્લા 25 વર્ષમાં જનતા ભાજપથી ત્રાસી ગયેલી છે તે છતાં કોંગ્રેસને સત્તાનો મેન્ડેટ મળતો નથી કેમ? શું આવા બધા જ કારણો જવાબદાર છે?
જનતા આજે પણ ભાજપને નિષ્ફળ ગણે છે, જનતા એની બી ટિમ ‘આપ’ને પણ ઓળખી રહી છે, જનતા કોંગ્રેસ પાસે આશા રાખીને બેઠી છે કે જે રીતે ભાજપ સામે છેલ્લા અઠવાડિયાથી કોંગ્રેસ લડી રહી છે એજ રીતે જનતાના પ્રશ્નો ને લઈને લડે.
જો કે કોંગ્રેસ દરેક મુદ્દે લડતી જ આવી છે અને આગળ વધારે મજબૂતીથી લડાઈ લડશે જ!
વિચારધારા સાથે સમાધાન કર્યા સિવાય માત્ર જનતા માટે લડવાના સમીકરણો ગોઠવે નહિ કે ચૂંટણી પૂરતા સામાજિક સમીકરણો ગોઠવવામાં કે સામાજિક આગેવાનોને પોખવા જવામાં નેતાઓ વ્યસ્ત રહે!
આજે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓની સાથે સાથે વિચારધારા સાથે જોડાયેલા સમર્થકો અને ટેકેદારોની મોટી ફોજ પક્ષને પડદા પાછળ ટેકો આપી રહી છે અને આપશે. જો એમના મોરલ ને ઠેસ પહોંચશે તો ત્યાં પણ નુકશાન થી જશે!આભાર. ~@મૌલિનશાહ૯ (કોંગ્રેસ સમર્થક અને મતદાર)
■ ખાસ નોંધ:
આ પોસ્ટ હું ગયા રવિવારે મૂકી શકતો હતો પરંતુ બીજે દિવસે કોંગ્રેસ દ્વારા ઇડી વિરુદ્ધના દેખાવનો કાર્યક્રમ હોવાથી કાર્યકર્તાઓના મોરલ પર વિપરીત અસર ન પડે એટલે મેં ટાળ્યું હતું.
પરંતુ જે રીતે ભાજપ સત્તાના મદમાં રાહુલ ગાંધીને બદલાની ભાવનાથી હેરાન કરી રહી છે અને લાખો કાર્યકર્તાઓ પર પોલીસ દમન ગુજાર્યું તે જોતા એમ લાગે છે કે આજે કોંગ્રેસ નબળી પડવાની સ્થિતિ ઉભી થઈ છે એના કારણોમાં એક ‘જયચંદવૃત્તિ’ અને બીજું કારણ ભાજપ સાથેના વ્યાપારિક મીઠા સંબંધો હોઈ શકે છે. એને ઉજાગર કરવું જ રહ્યું!
આ પક્ષના હિતમાં મુકાયેલી પોસ્ટ છે. કોઈ વ્યક્તિગત ટસલ કે વિરોધ માટે નથી મુકાઈ અને જે લોકો એ આનો પણ વિરોધ કરવો હોય તો વિવેકબુદ્ધિથી વિચારીને કરે કેમકે આ મુદ્દે પ્રકાશિત અહેવાલો, વિડીયો અને પુરાવાઓ તમારી દલીલોને નબળી પાડશે! આભાર. ~@મૌલિનશાહ૯, અમદાવાદ (19:52 pm)
આ સાથે 12 જૂન ની પત્રકાર પરિષદ નો એક અંશ ગુજરાત કોંગ્રેસના ફેસબુક પર થી લઈને અપલોડ કરેલ છે.
#જયચંદો_ની_ભાગીદારી #રાજકારણ_નું_વ્યાપારિકરણ #GujaratCongress #Congress #BJP

Advertisement

વાઘાણીએ સીઆર પાટીલના નામે કેમ કર્યો બદલી માટે ફોન !

હસમુખ પટેલે હર્ષ સંધવીને કેમ પુછ્યુ કે વ્યાજખોરો ડામવા માટે તમારી પાસે શુ યોજના છે

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.