અમદાવાદ
ગુજરાતના કયા ભાજપી ધારાસભ્યની છે જેહાદી મુસ્લિમો સાથે સાંઠ ગાંઠ ! ધાર્મિક સંતોને કરાઇ ફરિયાદ, પત્ર થયો વાયરલ

ગુજરાતના કયા ભાજપી ધારાસભ્ય સાથે છે જેહાદી મુસ્લિમોની સાંઠ ગાંઠ ! ધાર્મિક સંતોને કરાઇ ફરિયાદ, પત્ર થયો વાયરલ
ભાજપના કયા નેતાએ કહ્યુ હથિયાર લાવો,તારુ ઘર શોધીને તને જાનથી મારી નાખીશ !
ગુજરાતમાં ઇલેક્શનની તૈયારી પક્ષો પોતાના સ્તરે તો કરી રહ્યા છે,, પણ દાવેદારો પણ વ્યક્તિગત રીતે પણ રાજકીય દાવ પેચમાં વ્યસ્ત બન્યા છે, એક યા બીજી રીતે રાજકીય હરિફોને કઇ રીતે ખતમ કરવા તેને લઇને
આયોજનો કરી રહ્યા છે, ત્યારે એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય રાકેશ શાહ વિરુધ્ધ પણ સોશિયલ મિડીયામાં એક પત્ર વાયરલ થયો છે,જેમાં તેમના ઉપર જેહાદી મુસ્લિમો સાથે સાંઠ ગાંઠ રાખીને
હિન્દુ વિસ્તારોને નુકશાન પહોચાડવાનો આરોપ લગાવ્યા છે, સાથે તેઓ મુસ્લિમો સાથે પાર્ટનર રાખીને ધંધો કરી રહ્યા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે, મહત્વની વાત એ છે કે આ પત્ર ધાર્મિક સંતો,
અને ભાજપ હાઇકમાન્ડ સુધી પણ પહોચાડી દેવામાં આવ્યો છે.ત્યારે આ મુદ્દે ધારાસભ્યે સ્પષ્ટ પણે તમામ આરોપોથી ઇન્કાર કર્યો છે,
થોડા દિવસ પહેલા રાજ્યના તમામ બેઠકો ઉપર ભાજપે વિસ્તારકો મોકલ્યા હતા,ત્યારે એલિસ બ્રિજ વિધાનસભા બેઠક ઉપર ધારાસભ્ય સંગીતા બેન પાટીલ પહોચ્યા હતા,તે સમય દરમિયાન આઠ પેજનો એક પત્ર ધારાસભ્ય
રાકેશ શાહ વિરુધ્ધ સંગીતા પાટીલ સહિત મોટા ભાગના ભાજપના નેતાઓને આપવામા આવ્યા હતા, આ પત્રમાં ગંભીર પ્રકારના આક્ષેપો રાકેશ શાહ સામે કરાયો હતો
પત્રમાં જે પણ આરોપો લગાવાયા હતા તેના સારની વાત કરીએ તો અલિસબ્રિજ વિસ્તારનો ઇસ્લામિકરણ થઇ રહ્યો છે,અનેક સ્કીમો એવી છે જેમાં મુસ્લિમ પરિવારો વસી ગયા છે, સાથે અશાંત ધારાનો ખુલ્લે આમ ભંગ થઇ રહ્યો છે
જે આગામી સમયમાં હિન્દુઓ માટે ખતરા રુપ છે આવી પરિસ્થિતિ ચાલી રહી તો આગામી પાચ થી દસ વરસમાં ખાડીયા જમાલપુર દરિયાપુર જેવી સ્થિતિ એલિસ બ્રિજમાં પણ થઇ શકે છે,તેવી દહેશત વ્યક્ત કરાઇ છે,
તે સિવાય તેમની ઉપર જેહાદી મુુસ્લિમ બિલ્ડરો સાથે ધંધાકીય ભાગીદારી હોવાનુ પણ ઉલ્લેખ કરાયો છે, આ પત્ર જૈન સાધુઓ,,સંતો, સ્થાનિક ભાજપના આગેવાનો, સંધ પરિવારના પદાધિકારીઓ, સાથે ભાજપ મોવડી મંડળને પણ
પહોચાડવામા આવ્યો છે,
અગ્નીપથ યોજનામાં મુુસ્લિમ યુવકોને જોડાવવાની કોણ કરી રહ્યુ છે અપીલ !
ધારાસભ્ય રાકેશ શાહે આરોપોથી કર્યો ઇન્કાર
જ્યારે આ મુદ્દે ધારાસભ્ય રાકેશ શાહે જણાવ્યુ છે કે એલિસ બ્રિજ વિધાનસભાામં કોઇ ઇસ્લામિકરણ થયુ નથી, માત્ર વિકાસના કામો થયા છે, જેવા કે સાબરમતી રિવરફંન્ટ બન્યો છે, સીજી રોડ, લો ગાર્ડન પરિમલ ગાર્ડન, આ બધી જગ્યાઓ ઉપર મુસ્લિમોની અવર જવર વધી છેજેના કારણે એલિસ બ્રિજમાં મુસ્લિમોની સંખ્યા વધી હોવાનુ દેખાય છે, પણ 2012 વિધાનસભા અને 2017માં માત્ર 360 મુસ્લિમોના મતો ઉમેરાયા છે, હિન્દુઓના 31 હજાર મતો ઉમેરાયા છે, નવી કોઇ જગ્યાએ સ્કીમો બની નથીમાત્ર એલિસ બ્રિજમાં અવર જવર વધી, જુહાપુરા તરફ જવાના રોડ હોવાના કારણે મુસ્લિમો વધુ દેખાય, હાલમા પણ મોટા ભાગે ફ્લેટો રિડેવલપ થઇ રહ્યા છે, તેમાં પણ હિન્દુઓની સંખ્યા વધી રહી છે, માત્ર કોઇ પણ પ્રકારનુ બહાનુ ન મળવાના કારણેઆરટીઆઇ અને આરટીઆઇ એક્ટીવિસ્ટો એલિસ બ્રિજનુ નામ બગાડે છે, દેખિતી રીતે ઇસ્લામી કરણનો એક ટકો પણ થયો નથી, અને અશાંધ ધારાનો ચુસ્ત પણે અમલ કાયદાકીય મર્યાદામાં અહી થઇ રહ્યો છે, કહેવાતા આરટીઆઇ એક્ટીવિસ્ટોએ
પોતાના મકાનો મુસ્લિમોને વેચ્યા છે, જય-પાલ ભુતકાળમાં પોતાનુ મકાન બ્રહ્મક્ષત્રિય સોયાયટીમાં મુસ્લિમોને વેચ્યુ છે, આવી બીક બેસાડીને હિન્દુઓના મકાનો મુસ્લિમોને મકાન વેચવા માટે આ લોકો દલાલો છે, પણ કાયદાની મર્યાદામાં મુ્સ્લિમો ખરીદી
શકતા નથી, વર્ષા ફ્લેટ 1949માં બની છે,,ત્યારે અશાંત ધારા લાગુ ન હતો 2010માં અશાંત ધારાના એક કેસમાં કોર્ટે સરકારને દંડ પણ કર્યો હતો , તેઓએ ત્યાં સુધી દાવો કર્યો હતો કે જો કોઇ મારી ભાગીદારી મુસ્લિમો સાથે પુરવાર કરે તો હુ મારી ભાગી દારી આપી દઉ, ઉપરના વધારાના પૈસા પણ આપવા તૈયાર છુ, જે નામો પત્રમાં આપાયા છે તેમને હુ ઓળખતો પણ નથી, માત્ર ઇલેક્શન નજીક આવી રહ્યુ છે ત્યારે કેટલાક અસંતુષ્ઠ અને રાજકીય હરિફો દ્વારા ટિકીટ મેળવવાની લ્હાયમાં
મને બદનામ કરવામાં આવી રહ્યો છે,
દીકરી ના આત્મહત્યા કેસ માં બીજેપી ના નેતા સહીત ટ્રસ્ટીઓ ની તપાસ કરો ઈસુદાન ગઢવી
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ