અમદાવાદ
હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !

હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !
અમદાવાદમાં મસ્કતી માર્કેટમાં થયેલા આર્થિક છેતરપિંડીના કેસોમાં પોલીસની ભુમિકા મહત્વપુર્ણ રહેતા એવા તમામ 89 પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાયા,,
જેમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ સ્પષ્ટ જણાવ્યુ કે જે રીતે પોલીસ જવાનોએ જીવ જોખમમાં મુક્યો તે વિરદાવવા પાત્ર છે,,તે સિવાય મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે પણ
પોલીસની કામગીરીને વિરદાવી,,તો પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ સહિતના લોકો ઉપસ્થિતિ રહ્યા,, ત્યારે આ કાર્યક્રમમાં બેસવાની જગ્યા ન મળતા ખાડીયાના કાઉન્સલરો
જાણે કાર્યક્રમનો બાયકોટ કર્યો હોય હર્ષ સંધવી આવે તે પહેલા તેઓએ ચાલતી પકડી હતી,
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકર સિહ વાધેલાએ કોના માટે કરી ભારત રત્નની માંગ !
અમદાવાદ મસ્કતી મહાજન માર્કટ, દાયકાઓથી આ માર્કેટમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકડાયેલા વેપારીઓ માટે કાર્મસ્થળ છે, છેલ્લા ઘણા સમયથી સ્થાનિક વેપારીઓ સાથે બહારના રાજ્યોના લેભાગુ તત્વો છેતરપિંડી કરતા હતા,, સંખ્યા બધ્ધ
વેપારીઓના કરોડો રુપિયા ફસાયા હતા, ત્યારે કેટલાક વેપારીઓ તો આત્મ હત્યા કરવાનુ પણ વિચારી રહ્યા હતા,જ્યારે કેટલાક તો નાદાર થવાના આરે પહોચી ગયા હતા, ત્યારે મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત અને નરેશ શર્માએ આ માટે
તત્કાલિન ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ સિહ જાડેજા સાથે મુલાકાત કરી અને સમગ્ર સ્થિતિ અને કેસોને લઇને વાકેફ કર્યા, તે સમય દરમિયાન પ્રદીપ સિહ જાડેજાએ અમદાવાદ પોલીસને બોલાવીને સમગ્ર કેસમાં કઇ રીતે સમધાન થઇ શકે છે તેને લઇને પગલા
લેવાની સુચના આપી હતી, પોલીસ અને વેપારીઓ મળીને સમગ્ર રણનિતિ બનાવી,,જેમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો, દિલ્હી, પંજાબ, પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર છત્તિસ ગઢ જેવા રાજ્યોમાં મોકલવા માટે ખાસ સ્પેશલ
ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવી,,અને આ ટીમે વિવિઘ રાજ્યોમાં જઇને લેભાગુ વેપારી, અસમાજિકત તત્વો, ઠગોનો પત્તો શોધી કાઢ્યો, જ્યા જરુરી લાગ્યો ત્યાં નાણા પરત કરાવ્યા, સાથે જે લોકો પૈસા નથી આપ્યા,,તેમને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા,,
પીએમ નરેન્દ્રમોદી માતા હિરાબાના જન્મ દિવસ ઉપર આપશે આવી ખાસ ભેટ- તમે પણ જાણવા થઇ જશો ઉત્સુક
આમ જે પોલીસ ટીમોએ સારુ કામ કર્યુ હતુ તેમને સન્માનવા માટે મસ્કતી માર્કેટ મહાજન તરફથી ખાસ કાર્યક્રમનુ આયોજન કરાયો હતો, જ્યારે રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ જણાવ્યુ કે અહી મહાજનો છે, ત્યારે અશોસિએશન ન થતા, કારણ કે મહાજનો વ્યાપારીઓની પંરપરા છે, જેમાં તમામ એક જુથ મળીને કોઇ નિર્યણ કરે તો તમામ એને માનતા હોય છે, જ્યારે એશોસિએશનમાં આવુ થતુ નથી, તે સિવાય જે રીતે વેપારીઓએ સહયોગ સરકાર અને તંત્રને સહયોગ કર્યો છે તે પણ તેની
વિશેષતા છે,ત્યારે ગુજરાત પોલીસે જે રીતે અમદાવાદના માર્કેટના વેપારીઓના ઠગાઇના કેસમાં કાર્યવાહી કરી છે તેવી રીતે રાજકોટ, સુરત વડોદરા સહિત મોટ શહેરના પોલીસ કમિશ્નરોને પણ આવી રીતે કાર્યવાહી કરવાની સુચના આપી છે
પોલીસ ટીમ વિવિધ રાજ્યોમાં જઇને લેભાગુ તત્વોને શોધી લાવી છે,,તેમના ઉપર કોર્ટમાં કેસ કર્યો છે,ત્યારે પોલીસની કામગીરીથી હવે લેભાગુ તત્વો ગુજરાતની સરહદ ઓળંગવામાં પણ સો વખત વિચારશે, સાથે તેઓએ કહ્યુ કે કેટલાક ટકા પોલીસમાં પણ
ખરાબી છે, તેના વિશે પણ આપણે કહીએ છીએ, તે ન થવુ જોઇએ,,પણ પોલીસમાં પણ જે સારાઇ છે તેને પણ વધાવવો જોઇએ આ અગે પોલીસ કમિશ્રર સંજય શ્રીવાસ્તવે જણાવ્યુ છે કે પોલીસ તો પોતાનુ કામ કરે છે, પણ સામે વેપારીઓએ પણ મુશ્કેલીના સમયમાં સમાજને મદદ કરી છે, તે પણ સારી બાબત છે,
ચૂંટણીપંચે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ કર્યો જાહેર- જાણો શુ છે ગુજરાતના ધારાસભ્યોની ભુમિકા
આ પ્રસંગે મસ્કતી માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યુ કે પોલીસ અને તંત્રનો હમેશા સહયોગ મળ્યો છે,,તેમની સાથે મળીને સમસ્યાનો સમાધાન થયો છે, અનેક વખત વેપારીઓ ઉપર ખોટા કેસો કરાય છે તેવી સ્થિતિમાં પણ
સરકાર અને તંત્ર અમને મદદ કરે છે, તેમાં કોઇ બે મત નથી,
કાઉન્સિલરોએ ચાલુ કાર્યક્રમમાંથી કેમ પકડી ચાલતી
મસ્કતી મહાજન માર્કેટના કાર્યક્રમમાં જેટલી ખુર્સીઓ મુકવામાં આવી હતી તેના કરતા પોલીસ સ્ટાફ અને સ્થાનિક વેપારીઓની સંખ્યા વધી ગઇ હતી, ત્યારે ખાડીયાના કોર્પોરેટર ઉમંગ નાયક, નિકી મોદી સહિતના કાઉન્સલરો માટે બેસવાની યોગ્ય
વ્યવસ્થા થઇ ન હતી જેથી તેમનુ માન સન્માન જાળવવા મસ્કતી મહાજન ક્યાકં ઉણું ઉતર્યું હતું, જેથી નારાજ થયેલા કાઉન્સલરોએ કાર્યક્રમની શરુઆત થાય તે પહેલા જ કાર્યક્રમ સ્થળથી ચાલતી પકડી હતી, જો કે પુર્વ ધારાસભ્ય ભુષણ ભટ્ટ, ખાડીયાના
પુર્વ કાઉન્સિલર મયુર દવે, અને શહેર પ્રમુખ અમિત શાહ, ગુજરાત ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ અમદાવાદ પુર્વ વિસ્તારના ધારાસભ્ય હસમુખ પટેલ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા,
પાટીદાર સંસ્થાઓની મીટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ કેમ રહ્યા ગેર હાજર- આ રહ્યા કારણો !
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ