અમદાવાદ
ચૂંટણીપંચે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ કર્યો જાહેર- જાણો શુ છે ગુજરાતના ધારાસભ્યોની ભુમિકા

ચૂંટણીપંચે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ કર્યો જાહેર- જાણો શુ છે ગુજરાતના ધારાસભ્યોની ભુમિકા
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે હવે કાર્યક્રમ જાહેર થઇ ગયો છે,ત્યારે રાષ્ટ્રપતિ માટે અનેક નામોના વિકલ્પો ઉપર ચર્ચાઓ શરુ કરી દેવાઇ છે, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિહ, નિતિન ગડકરી, વૈકયા નાયડુ
અર્જુન મુંડા જેવા નેતાઓ પણ લાઇનમાં છે,,તો ટીએમસીના મમતા બેનર્જી પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે લોંબીગમાં દેખાઇ રહ્યાછે, આમ તો આમાં લોકસભા સાજ્યસભાના નિશ્ચિત સાસંદો અને દેશભરના વિધાનસભાના ધારાસભ્યોને
વોટીંગ કરવાનો હોય છે, ત્યારે આ વખતે ગુજરાતના ધારાસભ્યોની ભુમિકા મહત્વની રહેવાની છે,કારણ કે તેમના વોટોનો મુલ્ય 147 છે, ત્યારે કેન્દ્રમાં ભાજપની સ્થિતિ મજબુત છે,,
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકર સિહ વાધેલાએ કોના માટે કરી ભારત રત્નની માંગ !
……
૧૮મી જુલાઈએ મતદાન યોજાશે
…..
ભારતના નવા રાષ્ટ્રપતિને ચૂંટવા માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તે મુજબ,
(૧) ઉમેદવાર તરીકે નોમીનેશન દાખલ કરવાની છેલ્લી તારીખ: ૨૯-૦૬-૨૦૨૨
(૨) ઉમેદવારોના નોમિનેશન ચકાસવાની તારીખ : ૩૦-૦૬-૨૦૨૨
(૩) ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ : ૨-૭-૨૦૨૨
(૪) મતદાનની તારીખ : ૧૮-૭-૨૦૨૨ (જો ચૂંટણી જરૂરી બને તો)
રાષ્ટ્રપતિની ચૂંટણી-ઉમેદવારીથી નિમણૂક સુધીની પ્રક્રિયાને જાણો
જો ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ ચૂંટણી જરૂરી બને તો તારીખ : ૧૮-૭-૨૦૨૨ના રોજ દિલ્હી ખાતે રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા તમામ સભ્યો માટે સંસદ ભવનના પ્રથમ માળે રૂમ નંબર-૬૩માં મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યોમાં ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ માટે જે તે રાજ્યની વિધાનસભા સંકુલમાં મતદાન યોજાશે.
ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ માટે ગુજરાત વિધાનસભા, વિઠ્ઠલભાઇ ભવનના ચોથા માળે આવેલા બેન્કવેટ હોલમાં તા.૧૮-૦૭-૨૦૨૨ના રોજ મતદાનની વ્યવસ્થા રહેશે.મતદાનનો સમય સવારના ૧૦.૦૦ વાગ્યાથી સાંજના ૫.૦૦ વાગ્યા સુધીનો નિયત કરવામાં આવેલ છે.
ભારતના હાલના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો કાર્યકાળ તા. ૨૪મી જુલાઈ,૨૦૨૨ના રોજ પૂર્ણ થાય છે. તેથી ઇલેક્ટ્રોલ કોલેજ, એટલે કે સંસદ અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો બંધારણીય જોગવાઈ મુજબ નવા રાષ્ટ્રપતિને ચૂંટવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નવા રાષ્ટ્રપતિની પસંદગી કરે છે.
જાહેરનામામાં વધુ જણાવ્યાનુસાર સામાન્ય રીતે સંસદ સભ્યો નવી દિલ્હીમાં પોતાનો મત આપે તે ઇચ્છનીય છે. તેવી જ રીતે વિધાનસભાના સભ્યો પોતાના રાજ્યની વિધાનસભા ખાતે પોતાનો મત આપે.પરંતુ અનિવાર્ય સંજોગોમાં સંસદ સભ્યો કોઇપણ રાજ્ય / દિલ્હી /પુડ્ડુચેરીમાં આયોજીત કોઇપણ મતદાન કેન્દ્ર ઉપર જઇ મત આપી શકે છે.તેવી જ રીતે, ધારાસભ્યો પણ પોતાના રાજ્યની વિધાનસભા સિવાય સંસદ ભવન, નવી દિલ્હી અને અન્ય રાજ્યની વિધાનસભા ખાતે પોતાનો મત આપી શકે છે.પરંતુ, તે માટે સંસદ સભ્યો અને ધારાસભ્યોએ રિટર્નીંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિગ ઓફિસર પાસે ઉપલબ્ધ નિયત નમૂના મુજબ અથવા ચૂંટણી પંચની વેબસાઇટ www.eci.gov.in ઉપરથી ડાઉનલોડ કરીને મતદાનની તારીખથી ૧૦ દિવસ અગાઉ રજૂ કરવાનું રહે છે.
નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !
ઉમેદવારી પત્ર રજૂ કરવા ઇચ્છુક ઉમેદવારોને અથવા તેમની દરખાસ્ત કરનારને નોમિનેશન ફોર્મ રૂ. ૧૫,૦૦૦ ડિપોઝીટ રોકડમાં અથવા આર.બી.આઇ.અથવા કોઇપણ તિજોરી કચેરીમાં નાણા જમા કરાવ્યાની પહોંચ રજૂ કરવાથી રિટર્નિંગ ઓફિસર ફોર ધી પ્રેસિડેન્શિયલ ઇલેક્શન-૨૦૨૨ ઇલેક્શન-૨૦૨૨ અને સેક્રેટરી જનરલ રાજ્યસભાની ઓફિસ રૂમ નં.૨૯, ગ્રાઉન્ડ ફલોર, સંસદ ભવન, નવી દિલ્હી અથવા તેમની અનિવાર્ય અનઉપસ્થિતિમાં આસિ.રિટર્નિંગ ઓફિસર, ઓએસડી, જોઇન્ટ સેક્રેટરી અને ચીફ વિજીલન્સ ઓફિસર (રાજ્યસભા સેક્રેટરીએટ) પાસેથી મળી રહેશે.ઉમેદવારી રજૂ કરનારે ઉમેદવારી પત્રની સાથે જેતે સંસદીય મતદાર ક્ષેત્રની મતદાર યાદીમાં મતદાર તરીકે નોંધાયેલા હોવા અંગેની પ્રમાણીત નકલ રજૂ કરવાની રહેશે.
આ જાહેરનામું રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ , ૧૯૫૨ની કલમ-૪ની પેટા- કલમ (૧) હેઠળ , ભારતના રાષ્ટ્રપતિના કાર્યાલયને ભરવા માટે ચૂંટણી યોજવા માટેની સૂચના અન્વયે આ જાહેરનામું ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ