Connect with us

અમદાવાદ

માતરમાં ભાજપ કોને આપશે મમતા રુપી ટીકીટ

Published

on

માતરમાં ભાજપ કોને આપશે મમતા રુપી ટીકીટ

રાષ્ટ્રપતિ ચૂંટણી જાહેર, ચર્ચામાં કેમ છે ગુજરાત !

ગુજરાત વિધાનસભા ચૂટણીને લઇને જ્યારે તૈયારીઓ ચાલી રહી છે,ત્યારે વિધાનસભા બેઠક પ્રમાણે હવે ઉમેદવારો પણ દાંવા આજમાવી રહ્યા છે,, ખાસ કરીને ભાજપની સરકાર બનાવશે તેમ લાગી રહ્યુ છે, ત્યારે
ભાજપમાં ઉમેદવારોની સંખ્યા ખાસ્સી જોવાઇ રહી છે,વાત માતર વિધાનસભા બેઠક પર 2002થી ભાજપનો કબ્જો છે, ત્યારે આ બેઠક ઉપર આ વખતે ભાજપ હાલના ધારાસભ્ય કેસરી સિહને રિપીટ કરવા માંગતી નથી, જેના કારણે અનેક દાવેદારો હાલ મૈદાનમાં છે

બેદરકારીથી બાળકનું મોત છતાં પ્રજાની પડખે રહેવાના બદલે આરોપી નર્સ અને ડોક્ટરને બચાવવામાં કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખને કેમ છે રસ !

માતર બેઠકનું ઇતિહાસ જોઇએ તો

Advertisement

વર્ષ 1992માં કોંગ્રેસના ફજલ અબ્બાસ જમિનદાર તૈયબઅલીએ સ્વતંત્ર પક્ષના ગોપાલ દાસ દેસાઇને હરાવ્યા

વર્ષ 1967માં કોંગ્રેસના ગંગા બેન વાધેલાએ સ્વતંત્રના ડી પી મકવાણાને હરાવ્યા

વર્ષ 1972માં કોંગ્રેસના ગંગા બેન વાધેલાએ કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશનના પ્રાણ શંકર જોશીને હરાવ્યા

વર્ષ 1975માં કોંગ્રેસના ગોરધન પટેલે, બીએલડીના નવીન પટેલને હરાવ્યા

વર્ષ 1980માં કોંગ્રેસ આઇના પરસોત્તમ પટેલે ભાજપના રવજી પટેલને હરાવ્યા

Advertisement

વર્ષ 1985માં કોંગ્રેસના મુળરાજ સિહ પરમારે જનતા પાર્ટીના ધીરુ ચાવડાને હરાવ્યા

વર્ષ 1990માં જનતા દળના ધીરુ ચાવડાએ કોંગ્રેસના મુળરાજ સિહ પરમારને હરાવ્યા

વર્ષ 1995માં અપક્ષ મુળરાજ સિહ પરમારે કોંગ્રેસના ધીરુ ભાઇ ચાવડાને હરાવ્યા

વર્ષ 1998માં કોંગ્રેસના ધીરુ ચાવડાએ ભાજપના કેડી જેસ્વાણીને હરાવ્યા

વર્ષ 2002માં ભાજપના રાકેશ રાવે કોંગ્રેસના ધીરુ ભાઇ ચાડવાને હરાવ્યા,

Advertisement

વર્ષ 2007ના ભાજપના દેવુસિહ ચૌહાણે કોંગ્રેસના નરહરી અમિનને હરાવ્યા

વર્ષ 2012માં ભાજપના દેવુ સિહ ચૌહાણે કોંગ્રેસના સંજય પટેલને હરાવ્યા

વર્ષ 2014માં ભાજપ કેસરી સિહ સોલંકીએ કોંગ્રેસના કાળીદાસ પરમારને હરાવ્યા

વર્ષ 2017માં ભાજપના કેસરી સિહ સોલંકીએ કોંગ્રેસના સંજય પટેલને હરાવ્યા,,

નડિયાદ વિધાનસભા બેઠકનું શુ છે ગણિત- ભાજપ કોંગ્રેસમાં કેટલા છે દાવેદાર !

Advertisement

ઐતિહાસિક ફેક્ટ

માતર વિધાનસભા બેઠક પર વર્ષ 1962માં મુસ્લિમ ઉમેદવાર ચૂટણી જીત્યા હતા,
મહિલા ઉમેદવાર તરીકે ગંગા બેન વાધેલા બે વખત આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે
મુળરાજ સિહ પરમાર દેવુ સિહ ચૌહાણ અને કેસરી સિહ સોલંકી એમ આ ત્રણ ધારાસભ્યોને બે વખત પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે.
મુળરાજ સિહ પરમાર 1995માં કોંગ્રેસે તેમને ટિકીટ ન આપતા તેઓ બળવો કર્યો અને તેઓ અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા
વર્ષ 2007માં દેવુસિહ ચૌહાણને ભાજપે ટિકીટ આપી ત્યારે કોંગ્રેસે મુળ જનતા દળના એવા નરહરી અમિનને માતર વિધાનસભા બેઠક પરથી
ટિકીટ આપી,કોગ્રેસમા આંતરિક અંસોતષ હોવાના કારણે નરહરી અમિન ચૂટણી હારી ગયા,
વર્ષ 2012માં નરહરી અમિનને ટીકીટ ન મળતા તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ ગયા,
વર્ષ 2020માં તેઓ રાજ્ય સભાના સભ્ય બન્યા,,
2014માં દેવસિહ ચૌહાણ ખેડા લોકસભા બેઠક પરથી ચુંટાયા અને બેઠક ખાલી પડતા પેટા ચૂટણીમાં ભાજપે કેસરી સિહ સોલંકીને ટીકીટ આપી અને તેઓ સફળ થયા,
વર્ષ 2020ના રાજ્યસભાની ચૂટણી દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિહ સોલંકી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ચૂટણી લડ્યા જ્યારે ભાજપમાંથી
પુર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમિન ચૂંટણી લડ્યા, એ સમયે ભાજપ પાસે પણ પુરતા મતો ન હતા, ત્યારે કોંગ્રેસના ભરત સિહ માટે પણ એવી જ સ્થિતિ હતી,,
તે સમય દરમિયાન કેસરી સિહ સોલંકી ગોવિંદ પરમાર વીડી ઝાલાવાડીયા ઉપર ક્રોસ વોટિંગ કરે તેવી શંકા હતી,, જો કે ભાજપે ડેમેજ કંટ્રોલ કરી સિનિયર નેતાઓ
પાસે પ્રોક્સી વોટ કરાવીને રાજકીય નુકશાન અટકાવ્યુ હતું,, આવી સ્થિતિમા્ં આ વખતે કેસરી સિહ સોલંકીને ટિકીટ મળવી મુશ્કેલ છે,

મહાત્મા ગાંધી ઇન્ટરનેશન સ્કૂલમાં પ્રવેશમાં મોટા પાયે કરાઇ રહી છે ગેરરીતી- હાઇકોર્ટમાં કરાઇ પીઆઇએલ

માતરમાં ભાજપના દાવેદારો

કેસરીસિંહ પરમાર ધારાસભ્ય

Advertisement

ચંદ્રેશ પટેલ ઉપપ્રમુખ બીજેપી ખેડા જિલ્લો

અજિત સિંહ ગઢવી તાલુકા ઉપપ્રમુખ માતર

અર્જુનસિંહ ચૌહાણ પાણસોલી વાળા

કલ્પેશ પરમાર પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન જિલ્લા

કમલેશ પટેલ પૂર્વ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત

Advertisement

જનકસિંહ ઝાલા ખરેટી વાળા – નેતા ભાજપ

અમિત અમીન વસો કારોબારી ચેરમેન તાલુકા પચાયત માતર

રાજેશ પટેલ પત્ની તાલુકા પંચાયત પ્રમુખ

જ્યારે કોંગ્રેસમાંથી સંજય પટેલ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે,

આમ હાલ તો આ બેઠકને લઇને અનેક ચર્ચાઓ છે, કારણ કે ગત વખતે માત્ર બેથી અઢી હજાર વોટોનો માર્જીન હતું ત્યારે આ વખતે અહી કોંગ્રેસ હવે ભાજપ બન્ને માટે કાંટે કી ટક્કર રહેવાની છે તેમ અવશ્યલાગે છે,

Advertisement

પ્રવેશોત્સવ દરમિયાન મધ્યાહન ભોજનના કર્મચારીઓ કરશે બહિષ્કાર !

https://youtu.be/npw63gj6kDg

ફિલ્મ અભિનેત્રી પુજા ભાલેકરના ફીટનેશનુ રાજ

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.