અમદાવાદ
ભાજપના કાર્યકર્તાઓએ પ્રધાનોના લીધા રિમાંડ-ધારાસભ્યો કામ ન કરતા હોવાની થઇ વ્યાપક ફરિયાદ !

ભાજપના કાર્યકર્તાઓએ પ્રધાનોના લીધા રિમાંડ-ધારાસભ્યો કામ ન કરતા હોવાની થઇ વ્યાપક ફરિયાદ !
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો જીતવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ રણનિતી તૈયાર કરી છે, જેના ભાગ રુપે તમામ વિધાનસભા બેઠકો પર રાજ્ય સરકારના પ્રધાનોથી માંડીને
ધારાસભ્યો સાસંદો અને સિનિયર નેતાઓને પણ ગ્રાઉન્ડ રિયાલીટી ચેક કરવા માટે મોકલ્યા છે, તેમના ત્રણ દિવસના પ્રવાસ દરિયાન તેમની સામે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે,
આમ તો ભાજપમાં જુથવાદ નથી,, સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓએ ખુલીને તેમની અવગણના થતી હોવાની, કામ થતા ન હોવાની, પક્ષપાત ભર્યુ વલણ અપનાવતા હોવાનુ,અને જાતિકીય ભેદભાવ
રાખતા હોવાનું પણ કાર્યકર્તાઓએ ફરિયાદ કરી છે,,જે બાબતે આ અહેવાલ પ્રદેશની નેતાગિરી સમક્ષ મુકાશે, અને તે પ્રમાણે નવી રણનિતીને અમલી બનાવાશે,,
ગુજરાતમાં વિધાનસભાની જંગ જીતવા માટે ભાજપે ગ્રામ્ય સ્તરે તાલુકા પંચાયત,અને જિલ્લા પંચાયત બેઠક દીઠ જિલ્લાના સિનિયર કાર્યકર્તાઓને જવાબદારી સોપી છે,,જ્યારે વિધાનસભા બેઠકમાં
અન્ય જિલ્લાના સિનિયર નેતા કે ધારાસભ્ય અથવા પ્રધાનને જવાબદારી સોપાઇ છે, 3થી 5 જુન એમ ત્રણ દિવસ દરમિયાન નેતાઓ દ્વારા વોર્ડ વાઇસ કાર્યકર્તાઓને રુબરુ મળી તેમની સાથે રાજ્ય સરકારની યોજનાઓનો
અમલી કરણ અને તેના લાભાર્થિઓ સાથે પણ ખાસ બેઠક કરવામા આવી, બુથના કાર્યકર્તાઓ પાસે સરકારની કામગીરી, અને સંગઠન બાબતે પણ ચર્ચા કરાઇ,જો કે એ દરમિયાન સિનિયર પ્રધાનો અને ધારાસભ્યોને કડવા અનુભવ
પણ થયા, કેટલીક જગ્યાએ તો સિનિયર કાર્યકર્તાઓએ પ્રધાનો અને ધારાસભ્યોના રિમાંડ પણ લઇ લીધા, કેટલીક જગ્યાએ તો ધારાસભ્યની કામગીરીથી સ્થાનિક કાર્યકર્તાઓએ અસંતોષ વ્યક્ત કરીને આ વખતે ટીકીટ ન આપવાની
ભલામણ કરી નાખી,, સ્થાનિક કાર્યકર્તાઓએ પ્રધાનોને અનેક પ્રકારની ફરિયાદ કરી, જેમાં સ્થાનિક ધારાસભ્ય કામ કરતા નહી હોવાનું તેમનું વ્યવહાર ટુંડ મિજાજી હોવાનું, અને વિપક્ષના લોકો માટે વધુ પ્રેમ દર્શાવતા હોવાની ફરિયાદ કરી,
મધ્ય ગુજરાતના એક ધારાસભ્ય માટે તો રેતીના લીઝમાં જ રસ દાખવે છે,, પ્રજાના કામો કરતા વ્યક્તિગત કામોમાં પણ રસ હોય છે જેમાં મલાઇનું લાભ મળતુ હોય છે, તેવી ફરિયાદ પણ થઇ, તાલુકા પંચાયત, જિલ્લા પંચયાત, નગર અને મહાનગર પાલિકાની ચૂંટણીમાં સ્થાનિક ધારાસભ્યો અને જિલ્લાના નેતાઓએ કાર્યકર્તાની પસંદગી કરવાના બદલે પોતાના મળતીયાઓ વહીવટદારો કે તેના પરિવારજનોને ટિકીટમાં પ્રાધ્યાન અપાય છે,જેના કારણે ભાજપ અસ્સલ કાર્યકર્તાઓને તક મળતી નથી,
ગુજરાત વિધાનસભાની ચૂટણી પર સંધ બનાવશે સમકક્ષ વ્યવસ્થા તંત્ર-કાર્યકર્તાઓને સોપશે સીધી જવાબદારી !
ઉમેદવારોની પસંદગીમા પણ સ્થાનિક કાર્યકર્તાઓની પસંદગી થાય તેવી ઉગ્ર રજુઆત પણ પ્રધાનોને સાંભળવા મળી છે, એ, બી, અને સી ગ્રેડ બુથોની પણ મુલાકાત લેવાઇ છે, એ દરમિયાન ભાજપ માટે નબળા ગણાંતા બુથો પર
વિશેષ ફોક્સ કરવા માટે રણનિતિ બનાવાશે,,જ્ઞાતિ જાતીના સમિકરણો અંગે પણ એક ખાસ યાદી તૈયાર કરાઇ છે, પ્રતિનિધિત્વમાં પણ જ્ઞાતિ પ્રમાણે પ્રાધાન્ય આપવામાં આવે,,તેવી માંગ પણ કરાઇ છે,
મોટા નેતાઓ ધારાસભ્ય, સાસંદ સભ્ય પ્રધાનો બની જાય છે,પણ નાના સિનિયર કાર્યકર્તાઓને યોગ્ય મહત્વ મળતું નથી, ભુતકાળમાં બોર્ડ નિગમમાં ચેરમેન ડીરેક્ટર જેવા પદો મળવાથી આવા કાર્યકર્તાઓનો સમાજમાં મોભો વધતો હતો,
પરિણામે મતદારોમાં સારી અસર ઉભી થતી હતી, એવા બાબતે પણ હવે વિચાર કરવો જોઇએ,, તે સિવાય સ્થાનિક કક્ષાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થાનિક પ્રવૃતી કેવા પ્રકારની છે તેની અસર મતદારોમાં શુ થઇ રહી છે,,
અને સ્થાનિક કયો પ્રભાવશાળી છે ,તેને ભાજપમાં કઇ રીતે જોડી શકાય તે અંગે પણ વિચાર વિમર્શ કરાયુ છે,
ઉલ્લેખનિય છે કે આ ત્રણ દિવસની કવાયતમાં પ્રધાનોને સ્પષ્ટ સુચના હતી કે તેઓ સ્થાનિક કક્ષાએ પ્રમુખ, વોર્ડ પ્રમુખ, કે મહામંત્રીને પ્રવાસ દરમિયાન સાથે રાખવાની જરરુ નથી, જેથી કાર્યકર્તાઓએ ખુલીને પોતાની દિલની વાત રજુ કરી શકે
ફરિયાદો કરી શકે, તેમનો ઉભરો કાઢી શકે,, અને થયુ પણ એવુ જ કહે રાજ્યના અનેક વિધાનસભા બેઠકોમાં ધારાસભ્યો વિરુધ્ધ કે સ્થાનિક સંગઠન વિરુધ્ધ કાર્યકર્તાઓનો વિરોધનો શુર જોવા મળ્યો.. જેના આધારે હવે આગામી દિવસોમાં
સંગઠનથી માંડીને ટિકીટો વહેચણી માટે પણ રણનિતી બનાવીને તેના ઉપર કામ કરાશે, જેથી કાર્યકતાઓનો વિશ્વાસ જીતી શકાય, અને વિધાનસભા ચૂટણીમાં ઇચ્છિત પરિણામ મેળવી શકાય
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ