Connect with us

LAW

ગુજરાત હાઇકોર્ટ નું કોણ બન્યું આસામ હાઇકોર્ટ માં મુખ્ય ન્યાયાધીશ

Published

on

સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટ માં જજ તરીકે ફરજ બજાવતા આર એમ છાયા ને આસામ હાઇકોર્ટ માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જવાબદારી સોંપાઈ છે જે ગુજરાત અને ગુજરાતીઓ માટે મોટા સમાચાર છે જયારે દિલ્હી હાઇકોર્ટ માં જજ તરીકે ફરજ બજાવતા વિપિન ભાઈ સાંઘી ને ઉત્તરાખંડ હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુંક કરાઈ છે જયારે મુંબઈ હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ તરીકે અમજદ સયેદ ,એસ એસ શિંદે ની રાજસ્થાન હાઇકોર્ટ માં મુખ્ય ન્યાયાધીશ તરીકે ,ઉજ્જ્વલ ભુયાન ની તેલંગાણા હાઇકોર્ટ માં મુખ્ય ન્યાયાધીશ તરીકે એપોઇમેન્ટ કરાઈ છે..

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

LAW

 દેશના વડાપ્રધાને વર્ષ 2016માં આપેલું મોડેલ જેલ મેન્યુઅલ તમામ રાજ્યો અપનાવે  આગામી 6 માસમાં મોડેલ એકટ લવાશે.  અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી 

Published

on

૬ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- ૨૦૨૨નું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત ભાઈ શાહના હસ્તે ઉદઘાટન

દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે જેલ પ્રશાસન મહત્વનું અંગ છે : અમિત શાહ
**
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી  હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ

અમિત ભાઈ શાહ

દેશના વડાપ્રધાને વર્ષ 2016માં આપેલું મોડેલ જેલ મેન્યુઅલ તમામ રાજ્યો અપનાવે
આગામી 6 માસમાં મોડેલ એકટ લવાશે.

જેલ પ્રત્યેના દૃષ્ટિકોણમાં બદલાવ જરૂરી – સરકાર એ દિશામાં કટિબદ્ધ
આ મીટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઈંડિયા મંત્રને સાકાર કરશે.

Advertisement

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ જેલ અધિકારીઓ, કર્મચારીઓમાં ખેલ ભાવના વિકસાવવાનું માધ્યમ બનશે.
રાજ્યની જેલોમાં અનેક વિધ સુધારા કરીને જેલોને સફળ તાલીમ કેન્દ્રોમાં રૂપાંતરિત કરી છે – ઇ-મુલાકાત, ઇ-કોર્ટ, ઓડિયો લાઈબ્રેરી દ્વારા કેદીઓમાં સંસ્કાર સિંચન
આ મીટની બીજીવાર યજમાની એ ગુજરાત માટે ગૌરવની ઘટના

ત્રિ-દિવસીય ૬ઠ્ઠી ‘ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022’માં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૦૩૧ અધિકારીઓ-કર્મચારીઓ વિવિધ ૧૮ સ્પર્ધાઓમાં સહભાગી

ગુજરાતમાં યોજાઈ રહેલી ૬ઠ્ઠી ‘ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022’નો ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતેથી શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, જેલ પ્રશાસનએ સમાજ વ્યવસ્થા જાળવવાનું મહત્વનું અંગ છે, ત્યારે જેલ સુધારણા અને તેના દ્વારા કેદીઓનું પુનર્વસન થાય તે પણ એટલું જ જરૂરી છે.
વર્તમાન કેન્દ્ર સરકારે જેલ સુધારણાને અગ્રીમતા આપી છે એમ તેમણે ઉમેર્યુ હતું.
આ ત્રિ-દિવસીય ૬ઠ્ઠી ‘ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022’માં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૦૩૧ જેલ અધિકારીઓ-કર્મચારીઓ વિવિધ ૧૮ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે.

છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યૂટી મિટનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ અગાઉ અમલી એવા જેલ મેન્યુઅલના બદલે વર્ષ 2016માં મોડેલ જેલ મેન્યુઅલ કાર્યાન્વિત કર્યું છે. જો કે દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેને અપનાવ્યું છે. દેશના તમામ રાજ્યો આ મોડેલ જેલ મેન્યુઅલ અપનાવે તો સુધારાત્મક બાબતો પણ સમાવાયેલા આ મેન્યુઅલથી કેદીઓના પુનર્વસનનો પરિણામલક્ષી અમલ થઈ શકશે.
કેન્દ્ર સરકાર આગામી 6 માસમાં મોડેલ એકટ લાવશે અને તેના પગલે દેશની તમામ જેલોમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે એમ તેમણે કહ્યું હતું.

Advertisement

જેલો પ્રત્યે અલગ દ્રષ્ટિકોણ અપનાવવાના અભિગમનો ઉલ્લેખ કરી  અમિત શાહે કહ્યું હતું કે, દરેક રાજ્ય અને જિલ્લામાં કોર્ટ દ્વારા કેસોના નિકાલ માટે વીડિયો કોન્ફરન્સની સુવિધા હોવી જોઈએ એ સમયની માંગ છે. સાથે સાથે નારકોટિકસ તેમજ કટ્ટર ગુનાહિત માનસિકતા ધરાવતા કેદીઓને અલગ રાખવા જોઈએ.
જેલમાં વધુ પ્રમાણમાં કેદીઓ હોય તે સ્થિતિ ઉચિત નથી ત્યારે જેલ નિયંત્રણ માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ તેમ એમણે જણાવ્યું હતું.
આ મીટને બિરદાવતા શ્રી અમિતભાઈએ કહ્યું હતું કે, બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એકમ એ દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે મહત્વનું એકમ છે ત્યારે આ એકમ દ્વારા યોજાયેલી મીટ જેલોના અધિકારી-કર્મચારીઓની સકારાત્મક પ્રતિસ્પર્ધા અને ખેલ ભાવના વિકસાવવાનું માધ્યમ બનશે.
જેલનો દરેક કેદી જન્મથી ગુનેગાર હોતો નથી, પરંતુ સંજોગોવસાત આચરેલા ગુનાને કારણે જેલ ભોગવતો હોય છે. તેમની સાથેનો સદભાવનાપૂર્ણ વ્યવહાર પણ જરૂરી છે એમ તેમણે ક્હ્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે ત્યારે જેલ પ્રશાસન પણ આ પ્રકારની મીટ યોજીને ફિટ ઇન્ડિયાના મંત્રને સાકાર કરવા કટિબદ્ધ છે. એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના મહેમાન બનેલા વિવિધ રાજ્યોના જેલ અધિકારીઓ-કર્મચારીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સોમનાથ- દ્વારકાની મુલાકાતનું આહવાન કરી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ મીટમાં સહભાગી થયેલા તમામ લોકો માટે મુલાકાતની વ્યવસ્થા ગુજરાત સરકાર કરશે. સાથે સાથે સમગ્ર આયોજનને પ્રશંસનીય ગણાવી તેમણે મુખ્યમંત્રી શ્રીને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી  અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય પોલીસ દળના જેલ વિભાગ અને ભારત સરકારના બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના સંયુક્ત ઉપક્રમે આ છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ ગુજરાતમાં યોજાઇ રહી છે તે ગુજરાત માટે ગૌરવની વાત છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનનો એક નવો યુગ શરૂ થયો છે. એના જ પરિણામે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે અને છેલ્લા ૮ વર્ષથી ગુડ ગવર્નન્સનો અનુભવ કરી રહ્યો છે. તેમ એમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી એ  જણાવ્યું હતું કે, સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસના મંત્ર સાથે શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાત અને દેશમાં સર્વાંગી વિકાસની કાર્યસંસ્કૃતિ વિકસાવી છે.
સાથે સાથે જેલ સુધારણાની પ્રવૃત્તિઓને વેગ આપવા સાથે દેશના રાજ્યોની જેલના અધિકારી-કર્મયોગી ભાઇઓ-બહેનો માટે કલ્યાણકારી અભિગમ પણ અપનાવ્યો છે. આ મીટ દ્વારા જેલ અધિકારીઓ અને કર્મચારીઓમાં સ્પિરિટ વિકસાવવા સાથે અનેકતામા એકતાનો ભાવ પણ ઊજાગર કરવાનો આ પ્રયાસ છે.

Advertisement

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે
જેલમાં રહેલા કેદીઓ તેમજ તેમની દેખરેખ રાખતા કર્મચારીઓ-અધિકારીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ અને શાંતિમય માહોલ થકી જેલ સુધારણા માટે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ આગવી પહેલ કરી છે.
એટલું જ નહીં  અમિતભાઇ શાહે વિવિધ સંસ્થાઓ દ્વારા કેદીઓને તાલીમ અને ટેકનોલોજીના ઇનોવેટીવ
ઉપયોગથી પ્રિઝન એડમિનિસ્ટ્રેશન માટેનો નવો રાહ દેશને ચીંધ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી  એ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રાજ્યની જેલોમાં અનેક પ્રભાવી સુધારા કરીને જેલોને સફળ તાલીમ કેન્દ્રોમાં રૂપાંતરીત કરી છે. કેદીઓ માટે ઈ-મુલાકાત, ઈ-કોર્ટ, ઓડિયો લાઈબ્રેરી, જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવી કેદીઓમાં સંસ્કાર પ્રસરાવવાની વિવિધ પ્રવૃતિઓને પ્રાધાન્ય આપ્યું છે.
પ્રિઝન ડ્યુટી મીટ જેવી ઈવેન્ટ જેલ-વ્યવથાપન સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓમાં ખેલદીલી અને
પરસ્પર સમન્વયની ભાવનાનો વિકાસ કરશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. જેલ-વ્યવથથાપનની કાર્યક્ષમતામાં વધારો કરતી સ્પર્ધાના આયોજન માટે ગુજરાત બીજીવાર યજમાની કરી રહ્યું છે તે ગૌરવ રૂપ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ૫૦ કારાગાર પ્રશિક્ષણ નિયમાવલી તથા જેલ કૉફીટેબલ બુકનું વિમોચન શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યુ હતું.

આ અવસરે બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના વડા બાલાજી શ્રીવાસ્તવે સૌ મહેમાનો અને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટના અધિક પોલીસ મહાનિદેશક  કે.એલ.એન. રાવે આભારવિધિ કરી હતી.
ઉદધાટન સમારંભમાં ગુજરાત રાજ્યના ગૃહ અને મહેસૂલ મંત્રી  હર્ષ સંઘવી, પૂર્વ મંત્રી  પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેરના મેયર  કિરીટભાઈ પરમાર, કેન્દ્રીય ગૃહ સચિવ  અજયકુમાર ભલ્લા, ગુજરાતના મુખ્ય સચિવ  પંકજ કુમાર, બીપીઆરએન્ડડીના વડા  બાલાજી શ્રીવાસ્તવ, ગુજરાત રાજ્યના પોલીસ વડા  આશિષ ભાટિયા, જેલ અને સુધારાત્મકના વડા  ડૉ. કે.એલ.એન. રાવ સહિત વિવિધ રાજ્યોના જેલ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ૬ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- ૨૦૨૨નું આયોજન ગુજરાત પોલીસના જેલ વિભાગ તથા બ્યુરો ઓફ પોલીસ રિચર્સ એન્ડ ડેવલોપમેન્ટ (BPR&D)ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.
પંદર વર્ષ પછી ગુજરાતને આ મીટ માટે ફરી યજમાન પદ પ્રાપ્ત થયું છે.
આ મીટમાં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજિત ૧૦૩૧ જેટલા જેલ અધિકારીઓ તથા કર્મચારીઓ વિવિધ ૧૮ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે.
૬ઠ્ઠી ‘ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- ૨૦૨૨’માં કુલ ૧૮ પ્રકારની સ્પર્ધાઓ યોજાવાની છે.
ક્વિઝ કોમ્પિટિશન, અનઆર્મ્ડ કોમ્બેટ, ફર્સ્ટ એડ કોમ્પિટિશન, હેલ્થ કેર કોમ્પિટિશન, કોમ્પ્યુટર એન્ડ ટેક્નોલોજી કોમ્પિટિશન, વન મિનિટ ડ્રિલ કોમ્પિટિશન, પ્રિઝન બિઝનેસ મોડલ કોમ્પિટિશન, ફાઇન આર્ટસ એન્ડ મ્યુઝિક કોમ્પિટિશન, પ્રિઝન હાઇઝિન કોમ્પિટિશન, બેસ્ટ પ્રેક્ટિસ કોમ્પિટિશન, પ્રોબેશન ઓફિસર, મેડિકલ ઓફિસર એન્ડ વેલફેર ઓફિસર કોમ્પિટિશનનો તેમાં સમાવેશ થાય છે.
આ ઉપરાંત ગેમ્સમાં વોલિબોલ, કબડ્ડી તેમજ ૧૦૦ મીટર મેન એન્ડ વિમેન, ૪૦૦ મીટર મેન એન્ડ વિમેન, લોંગ જમ્પ મેન એન્ડ વુમેન, હાઇ જમ્પ મેન એન્ડ વિમેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
વિવિધ રમતોની સાથે સાથે જેલ સંબંધિત બાબતોની પણ સ્પર્ધાઓ યોજાવાની છે.
આ વિવિધ સ્પર્ધાઓના આયોજનમાં રાજ્યના ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, યુવા, સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ઉપરાંત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ, રમતગમત ક્ષેત્રનાં સંગઠનો તેમજ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સહભાગી બની છે.

Advertisement
Continue Reading

LAW

ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ મહિલા પોલીસ કર્મચારીઓ ને શું ભેટ આપી

Published

on

ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ મહિલા પોલીસ કર્મચારીઓ ને શું ભેટ આપી

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અત્યારે વિદેશ પ્રવાસે છે ત્યારે તેમના સ્થાને ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે અજય ચૌધરી પાસે ચાર્જ છે તેઓ એ ચાર્જ સંભળાતા ની સાથે અમદાવાદ શહેર ની પોલીસ ના પ્રશ્નો ને હલ શરૂઆત કરી દીધી છે સંવેદનશીલ સ્વભાવ માટે જાણીતા અજય ચૌધરી પાસે મહિલા પોલીસ કર્મચારીઓ તેમની પાસે પોતાના પ્રશ્નો ની રજુઆત કરે છે ને ઝડપ થી તેમના પ્રશ્નો નો નિકાલ કરી ને તેઓ સંવેદનશીલ અધિકારી હોવાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે..

કોઈ મહિલા પોલીસ કર્મચારી એ કહ્યું મારા બાળકો નાના છે તો કહ્યું મને શારીરિક તકલીફ છે , મહિલા પોલીસ કર્મચારી પોતાની તકલીફ લઈને કમિશનર પાસે પહોંચી
શહેરમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીને મદદ કરવા નવતર પ્રયોગ , શહેરની મહિલા અધિકારીઓએ મહિલા કર્મચારીઓની તકલીફ સાંભળી
પોલીસ કમિશનર પાસે ગયેલી મહિલા પોલીસને ટુક સમયમાં મદદ મળશે

રક્ષા બધનનો તહેવાર આવી રહ્યો છે.ત્યારે દરેક બહેનો પોતાનાં ભાઈ પાસે પોતાની તકલીફ લઈને જાય છે અને ભાઈ તેને ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપતા હોય છે ત્યારે અમદાવાદ માં પોલીસ માં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓ માટે પોલીસ અધિકારી દ્વારા ખાસ ગિફ્ટ આપશે .સમગ્ર અમદાવાદ શહેરમાંથી મહિલા પોલીસ કર્મચારીઓ પોલીસ કમિશનર, મહીલા આઈ પી એસ અધિકારીઓ પાસે પહોંચી હતી.જેમણે પોતાની આરોગ્ય ને લગતી સમસ્યા વિશે રજૂઆતો કરી તો કેટલીક મહિલા પોલીસ કર્મચારીઓ પોતાના બાળક સાથે પણ પહોંચી હતી.જેમને ટુક સમયમાં તેમની સમસ્યા દૂર કરી આપવાની તૈયારી પોલીસ કમિશનર દર્શાવી છે.તેમણે વધુ માં કહ્યું હતું કે તેમને રક્ષાબંધનની ગિફ્ટ આપવાનો પ્રયાસ કરીશું.
અમદાવાદ શહેરમાં 24 કલાક 365 દિવસ પોલીસ ડિપાર્ટમેન્ટ પોતાની ફરજ બજાવે છે આ પોલીસ ફોર્સની અંદર મહિલા પોલીસ કર્મચારીની પણ મહત્વની ભૂમિકા આ પોલીસ ફોર્સ ની અંદર મહિલા પોલીસ કર્મચારીની પણ મહત્વની ભૂમિકા છે મહિલા પોલીસ કર્મચારી પોતાના પરિવારને બાજુ પર રાખીને પોતાની ફરજ નિભાવવા તત્પર હોય છે. તત્પર હોય છે કોરોના હોય કે કોરોના હોય કે કોઈ રમખાણ થયા હોય મહિલા કર્મચારીઓ ત્યાં પણ હાજર જ હોય છે આ તમામ તકલીફોની વચ્ચે હવે કેટલીક મહિલા કર્મચારીઓને શારીરિક અને પારિવારિક સમસ્યાઓના કારણે વારે મુશ્કેલીનો સામનો કરવો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ વખતે પોલીસ અધિકારીઓએ નક્કી કર્યું છે કે મહિલા કર્મચારીઓને પડતી મુશ્કેલીઓને સાંભળી અને તેને ઝડપથી દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવે જે માટે ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા બુધવારે ખાસ મિટિંગ યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ મહિલા અધિકારીઓએ ભેગા મળીને કોન્સ્ટેબલ થી લઈને સામાન્ય મહિલા પોલીસ કર્મચારીઓને સાંભળ્યા હતા જેમની સમસ્યાઓ દૂર કરવા પ્રયાસ કર્યો હતો
ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી સમક્ષ મહિલાએ ક્વાર્ટર્સ ફાળવવા બાબતે , બીમારી ઘરથી દૂર પોલીસ સ્ટેશન અને અન્ય સમસ્યાઓ જણાવતા તેમને પોલીસ સ્ટેશન બદલવા તેમજ ઝડપથી ક્વાર્ટર્સ ફાળવવા કે તેમને જરૂર હોય તે વિસ્તારમાં મકાન ફાળવવા માટે તૈયારી બતાવી હતી
ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી એ જણાવ્યું હતું કે મહિલા પોલીસ કર્મચારીઓને ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં તેઓ હંમેશા ફરજ માટે તત્પર રહે છે તે બહેનોને રક્ષાબંધનની ગિફ્ટ સ્વરૂપે તેમની સમસ્યાઓ ફાળવી કરવા પ્રયાસ કર્યો છે

Continue Reading

LAW

બિન હથિયારી પોલિસ સબ ઇન્સપેક્ટર વર્ગ 3ના બઢતીનુ પરિણામ જાહેર- આ રહી યાદી

Published

on

બિન હથિયારી પોલિસ સબ ઇન્સપેક્ટર વર્ગ 3ના બઢતીનુ પરિણામ જાહેર- આ રહી યાદી

પાટીદાર સંસ્થાઓની મીટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ કેમ રહ્યા ગેર હાજર- આ રહ્યા કારણો !

બિન હથિયારી પોલિસ સબ ઇન્સપેક્ટર વર્ગ 3નુ બઢતીનુ પરિણામ જાહેર કરી દેવાયુ છે, બઢતીમાં ભાગ લેવા માટે રાજ્યભરમાં જુદી જુદી રીતે 50થી વધારે પીટીશનો હાઇકોર્ટમાં
દાખલ કરવામાં આવી હતી, જ્યારે વિવિધ વચગાળાઓના ચુકાદાઓ થકી હાઇકોર્ટે અરજીકર્તાઓને પરિક્ષામાં બેસવા માટે મજુરીઓ આપી હતી, પણ પીટીશનરોનો પરિણામ જાહેર થયુ ન હતું
જેથી તેઓએ ફરી હાઇકોર્ટમાં અરજી કરી હતી,જેમાં હાઇકોર્ટે વિવિધ મેટરોમાં વિવિધ ઓર્ડરો કર્યો હતો, જેના આધારે 919 ઉમેદવારોનુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ,

સાવધાન-કામચોર કાર્યર્તાઓ ઉપર ભાજપની છે બાજ નજર !

આનંદી બેન પટેલ અને અમિત શાહની શુ છે ગુજરાત માટે રણનિતી !

Advertisement

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.