Connect with us

અમદાવાદ

ભાજપની ચિન્તન શિબિરમાં જાડેજા,ઠાકોર અને હુંબલની એન્ટ્રી શા માટે !

Published

on

ભાજપની ચિન્તન શિબિરમાં જાડેજા,ઠાકોર અને હુંબલની એન્ટ્રી શા માટે !

ભેંસોના ગેરકાયદે કતલ કરનારાઓ સામે પાસાની જોગવાઇને લઇ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો વિરોધ !

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે હવે કંટ્રોલ થિયરીની રણનિતી બનાવી છે, કંટ્રોલ પક્ષમાં જ નિશ્ચિત નેતાઓને માપમાં રાખવા માટે
બીજા અન્ય નેતાઓને જવાબદારી સોપાશે, ચિન્તિન શિબીરમાં જે રીતે ભાજપના વરિષ્ઠ નેતા અને ક્ષત્રિય સમાજમાં વિશ્વસનિયતા ધરાવતા આઇ કે જાડેજા, ઠાકોર સમાજમાં પ્રતિષ્ઠીત અને તાકતવાર
નેતા નંદાજી ઠાકોર અને અહીર સમાજ પર મજુબત પકડ ધરાવતા સહકારી આગેવાન રધુ ભાઇ હુંબલની ચિન્તન બેઠકમાં ઉપસ્થિતિએ સાબિત કર્યુ છે કે ભાજપમાં કોઇની મોનોપોલી નહી ચાલે,,
એટલે કે ટિકીટોની વહેચણીમાં વ્યક્તિ નિષ્ઠા કરતા પક્ષની વફાદારીને પ્રાધાન્ય અપાશે,

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય ચિન્તન શિબિરનુ આયોજન થયુ, એજન્ડા એક માત્ર ગુજરાતમાં ભાજપને વિધાનસભા ઇલેક્શનમાં કઇ રીતે જીત મળે તેના માટે ચર્ચાઓ થઇ
રણનીતિ બનાવાઇ,,અને તેના ઉપર અમલ કરવા માટે સંગઠનમા જરુરી ફેર બદલ કરવાને લઇને પણ ચર્ચાઓ થઇ,, મહત્વપુર્ણ વાત એ હતી કે આ બેઠકમાં
પુર્વ પ્રધાન આઇ કે જાડેજા, પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ નદાજી ઠાકોર,અને ભાજપના પ્રદેશ મંત્રી રધુભાઇ હુંબલની વિશેષ ઉપસ્થિત રાખવામા આવ્યા છે
જેથી ભાજપના અનેક સિનિયર નેતાઓને આંચકો લાગ્યો છે,

Advertisement

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

સુત્રોની વાત માનીએ તો પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સભ્ય ભુપન્દ્ર સિહ ચુડાસ્મા, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપ સિહ વાધેલાની ચિન્તન બેઠકમાં સિનિયર નેતાઓ હોવાના નાતે અપેક્ષિત હતા,
જો કે હાલ સંગઠનમાં કોઇ હોદ્દો ન ધરાવતા આઇ કે જાડેજાની હાજરી આંખે ઉડીને વળગે તેવી હતી,મહત્વપુર્ણ બાબતે એ છે કે તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્રમોદીએ તેમની સાથે રાજ ભવનમાં
બેઠક કરી હતી, એ બેઠક બાદ તેમનો ગુજરાત ભાજપમાં વજન વધેલુ જોવા મળે છે,, પાટીદાર અનામત આદોલન બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલ ચૂંટણીમાં
અમદાવાદ મહાનગર પાલિકાની ચૂટણીની સંપુર્ણ જવાબદારી આઇ કે જાડેજા પાસે હતી, એ સમયે અમદાવાદ પણ પાટીદાર અનામત આદોલનના કારણે ડોહળાયેલુ હતું
આવી કપરી પરિસ્થિતિમાં પણ તેઓ પુર્વ મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલ સાથે રહી અમદાવાદમાં ભાજપને 142 બેઠકો સાથે ભવ્ય જીત અપાવવામાં સફળ રહ્યા હતા, જો કે આ બાબત
કેટલાક નેતાને ગમ્યુ ન હતું, અને તેમનો પરિણામ પણ તેઓએ 2017માં ભોગવ્યું,, અને તેમને વિધાનસભાની ટીકીટ ન મળી,, જો કે ચૂટણી નજીક આવતા આઇ કે જાડેજાના રાજકીય અનુભવનુ
ભાજપને યાદ આવ્યો છે, કેટલાક નેતાઓને ચેક મેટ કરવા માટે આઇ કે જાડેજાને મૈદાનમાં ઉતાર્યા હોવાનુ માનવાંમાં આવે છે,

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

નંદાજી ઠાકોરની ચિન્તન બેઠકમાં ઉપસ્થિતિ પણ નવા સમિકરણોને જન્મ આપી રહ્યો છે, સુત્રોની માનીએ તો નંદાજી ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમા મજબુત પકડ ધરાવે છે,,
તેઓ સિધ્ધપુર વિધાનસભા અને ચાણસ્મા વિધાનસભા બેઠક માટે દાવેદાર પણ મનાય છે, તેઓ પુર્વ મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલ,પુર્વ આરોગ્ય પ્રધાન શંકર ભાઇ ચૌધરી અને પ્રદેશ ભાજપના
પુર્વ મહામંત્રી કે સી પટેલના અંગત ગણાય છે, ત્યારે માનવામાં આવે છે જો ભાજપમાં તેમનો ઉદય થતા પુર્વ પ્રધાન દિલિપ ઠાકોર ,લીલાધર વાધેલા, પાટણના સાસંદ ભરતજી ઠાકોર
,રાજ્યસભાના સાંસદ જુગલ ઠાકોર અને અલ્પેશ ઠાકોરને માપમાં રાખવા માટે નંદાજી ઠાકોરનો પ્રયોગ ભાજપ કરી રહી છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજને એક તાંતણે બાંધી શકે
તેવો ભાજપ પાસે એક પણ નેતા નથી, એટલે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને મ્હાત આપવા નંદાજી ઠાકોરના ખભે જવાબદારી સોપી છે,

શંકર સિહ વાધેલાના કથિત પીએ સામે કેમ થઇ પોલીસ ફરિયાદ !

Advertisement

સુત્રોની માનીએ તો રધુ ભાઇ હુંબલની ચિન્તન બેઠકમાં ઉપસ્થિતિ ચર્ચાનો વિષય બન્યો છે, આહીર સમાજમાં જોવા જઇએ તો
પુર્વ મંત્રી વાસણ ભાઇ આહીર, જવાહર ભાઇ ચાવડા, સાસંદ પુનમ બેન માડમ , મુળુ ભાઇ બેરા જેવા દિગ્ગજ નતાઓ છે, ત્યારે રધુ ભાઇ હુંબલને ચિન્તન શિબિરમાં બોલાવાયા હતા,
તેઓ પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલના વિશ્વાસુ છે,

મણિનગર તોડ કાંડના આરોપી કોન્સ્ટેબલો સામે પોલીસ કેમ બની લાચાર !

આમ જે રીતે ચિન્તન શિબિરમાં આ ત્રણ નેતાઓની હાજરી સુચક હાજરી હતી, તેને લઇને સમગ્ર પક્ષમાં અનેક પ્રકારની ચર્ચાઓ છે કે શુ ભાજપ હવે
આતરિક રીતે નિશ્ચિત નેતાઓને પ્રમોટ કેમ કહ્યુ છે,, વર્ષોથી ચિટકી ગયેલા નેતાઓના સ્થાને વિકલ્પ તરીકે આ નેતાઓની સક્રીયતા વધારવામા આવી છે,

અભિનેત્રી દક્ષા નગરકરનુ આવું અદાજ જોયુ નહી હોય

યોગેશ ગઢવીએ ભાજપની કઇ રીતે વધારી મુશ્કેલી !

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.