Connect with us

અમદાવાદ

ખોટ ખાતી એસટીમાં યાદવાસ્થળી શા માટે !

Published

on

ખોટ ખાતી એસટીમાં યાદવાસ્થળી શા માટે !

એસટી નિગમના ચાર અધિકારીઓની બદલી થતા ફટાકડા કેમ ફોડાયા

એસટી વિભાગના એક સસ્પેન્ડેડ અધિકારીએ હાલમાં ભુજ એસટી ડેપોના મેનેજર તરીકે બદલી કરાયેલા અધિકારી વિરુધ્ધ પોલીસ ફરીયાદ કરી છે
ફરિયાદમાં જણાવ્યુ છે કે રવિ જે નિર્મલ નામના અધિકારીએ તેમને જોઇ લેવાની ધમકી આપી છે, જેથી હસન કમલ મામજી ભાઇને ડર લાગતા તેઓ
વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે,, આમ ખોટ ખાતી એસ ટી વિભાગમાં અધિકારીઓ વચ્ચે એસટી સદ્દર બનાવવાના બદલે આતંરિક લડાઇ
કઇ મલાઇ ખાવા માટે થઇ રહી છે તે હાલ ચર્ચાનો વિષય છે,

અતિ પછાત જ્ઞાતીમાં ભાજપમાં કોનો મેળ પડશે

હિમ્મતનગર એસ ટી વિભાગના નિયામક(સસ્પેન્ડેડ) હસન કમલ મામજી ભાઇએ વાડજ પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં રજુઆત કરી છે કે
તેઓ પોતાની હિયરિંગ માટે એસટીના હેડ ક્વાટર્સ રાણીપ ખાતે આવ્યા હતા, તે દરમિયાન તેઓ એમ ડી એમ એ ગાંધીને તેમનુ સસ્પેન્સન રદ કરવા માટે
રજુઆત અર્થે ગયા હતા, તેમની રજુઆત હતી કે તેમને ખોટી રીતે એમ ડી દ્વારા સસ્પેન્ડ કરાયા છે,
તેમની દલીલ હતી કે તેમના કાર્યકાળ દરમિયાન મહિને 170 બસો બનાવવામાં આવતી હતી, એ સમય તેમની સાથે 475 જેટલો સ્ટાફ હતો સાથે 200 તાલીમાર્થીઓ
જ્યારે 25 મજુરો પણ કામ કરતા હતા, તેમની અગાઉ માત્ર મહિને 50 બસો ઇન હાઉસ બનતી હતી,, હસન કમલ મામજી ભાઇનો દાવો છે કે
તેમની કાર્ય ક્ષમતાને કારણે મહિને 170 જેટલી બસો બનવા લાગી હતી,,તેમને સસ્પેન્ડ કર્યા પછી હાલ મહિને એક પણ બસ બનતી નથી,
ત્યારે તેમને 700 સ્ટાફ પ્રમાણે ઓછી બનાવવાને લઇને ખોટો રિપોર્ટ તૈયાર કરીને તેમને 9 મહિનાથી સસ્પેન્ડ કર્યા છે, તેમને ટર્મીનેશન થવાની
દહેશત છે, આ બાબતે તેઓએ એમડી ગાંધીનુ ધ્યાન દોર્યુ હતું,

Advertisement

ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !

હસન કમલ મામજી ભાઇના કહેવા પ્રમાણે તેઓ એમ ડીને રજુઆત કર્યા બાદ જનરલ મેનેજર ને રજુઆત કરવા જઇ રહ્યા હતા તે દરમિયાન તેમને
રવિ જે નિર્મલ કે જેમની બદલી એક દિવસ પહેલા જ કરાઇ હતી, તેઓ મળી ગયા,,અને કહ્યુ કે હવે કઇ પણ રજુઆત કરવી હોય તો ભુજ આવજો,,
જ્યારે હસન કમલ મામજીએ કહ્યુ કે મારા ઉપર આટલો બધો ગુસ્સો કેમ કરો છે, મે ક્યા તમારુ બગાડ્યુ છે, ત્યારે રવિ જે નિર્મલે કહ્યુ કે તમે લાડ સાહેબ
સાથે મળીને મારી બદલી કરાવી છે,, હુ તમને જોઇ લઇશ,, ત્યારે મે કહ્યુ હુ કોઇ લાડ સાહેબને ઓળખતો નથી, અને પછી મને ડર લાગ્યો કે તેઓ
મોટા માણસ છે મને કઇ પણ કરી શકે છે,, કારણ કે તેઓ પુર્વ વાહન વ્યવહાર પ્રધાન રણછોડ ભાઇ ફળદુના વિશ્વાસુ અધિકારી તરીકે ફરજ બજાવી
ચુક્યા છે,પુર્વ પ્રધાન અને ભાજપના સિનિયર નેતાના નજીક હોવાના નાતે તેઓ માથાભારે અધિકારી છે,, જેથી મે પોલીસમાં અરજી આપી જેથી
મને ન્યાય મળી શકે, અને મારુ કોઇ નુકશાન ન પહોચાડી શકે,,

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

આમ જે રીતે હસન કમલ મામજી ભાઇએ પોલીસમાં અરજી આપી છે,,તે જોઇને લાગે છે કે જે રીતે બે દિવસ પહેલા સાત અધિકારીઓની બદલી થઇ
તે પૈકી ચાર અધિકારીઓ તો છેલ્લા દસ વરસથી એક જ જગ્યા ફરજ બજાવતા હતા,,તેમની પણ બદલી થતા એસટીના કર્મચારીઓએ
ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી, મહત્વની વાત એ છેકે દર વરસે એસટીને ચલાવવા માટે રુ 300 કરોડ રાજ્ય સરકાર સહાય કરે છે
એસટીને સધ્ધર બનાવવાની કામગીરી કરવાના બદલે અધિકારીઓ કઇ મોટી મલાઇ ખાવા માટે અંદરો અંદર કુશ્તી કરી રહ્યા છે તે એક મોટો સવાલ છે

હાર્દીક પટેલના કમલમ પ્રવેશ પર કોણે લગાવી બ્રેક !

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.