Connect with us

Uncategorized

વાવાઝોડું ‘અસાની’ઓડિસાના કાંઠા નજીક પહોંચતાં જ નબળું પડી જશે

Published

on

વાવાઝોડું ‘અસાની’ઓડિસાના કાંઠા નજીક પહોંચતાં જ નબળું પડી જશે

ઓડિશાના કાંઠા તરફ આગળ વધી રહેલા ચક્રવાતી તોફાન અસાનીની ઝડપ થોડી ધીમી થઈ છે. પરંતુ આમ છતાં કાંઠા સુધી પહોંચતા 115 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ વર્ષનું પહલું વાવાઝોડું અસાની આજે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠા નજીક પહોંચી જશે. તે સમયે પવનની ઝડપ 115 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. દેશના અનેક રાજ્યોમાં આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિહારની સાથે સાથે પૂર્વ યુપી સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. વાવાઝોડું અસાની ભારે વરસાદના એંધાણ સાથે કલાકના ૧૨૦ કિલોમીટરના વેગે ધસમસતું પૂર્વના કાંઠા તરફ આગળ વધતાં ઉત્તર અને ઇશાન દિશામાં ફરી વળાંક લે એવો સંભવ છે. વળાંક લીધા પછી કાંઠા સુધી પહોંચતાં નબળું પડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી હતી. ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કાંઠા નજીક પહોંચીને મંગળવારની રાત સુધીમાં વાવાઝોડાનું જોર ઘટી જતાં એ સાધારણ વંટોળિયો બને એવી શક્યતા દર્શાવાય છે.

હવામાન વિભાગના મહાનિયામક મૃત્યુંજય મોહપાત્રાએ વાવાઝોડું ઓડિશા કે આંધ્ર પ્રદેશમાં પ્રવેશવાને બદલે કાંઠાળ પટ્ટાને સમાંતર દિશામાં આગળ વધવાની આગાહી કરી હતી. વાવાઝોડા માટે કારણભૂત સિસ્ટમ સોમવારે સવારે ૮.૩૦ વાગ્યે વિશાખાપટ્ટણમની અગ્નિ દિશામાં ૫૦૦ કિલોમીટર દૂર અને ઓડિશાના પુરીથી ૬૫૦ કિલોમીટર દૂર સ્થિર થઈ હતી. એ સિસ્ટમ ૧૦૦થી ૧૨૦ કિલોમીટરની ગતિએ વાયવ્ય દિશામાં આગળ વધે છે. તેને કારણે સોમવારે દિવસ દરમિયાન ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળમાં વરસાદ પડ્યો હતો. હવે વાવાઝોડાની અસરથી મંગળવારની સાંજે આંધ્ર પ્રદેશના ઉત્તર ભાગના કાંઠાળ પ્રદેશ અને આસપાસના પ્રાંતોમાં તેમ જ પશ્ર્ચિમ બંગાળના કાંઠાળ પ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે. બંગાળનો ઉપસાગર તોફાની બનવાની શક્યતાને આધારે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળના સંબંધિત કાંઠાળ વિસ્તારોના માછીમારોને બે દિવસ માછલાં પકડવા દરિયામાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે.

ભુવનેશ્વરના હવામાન વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું છે કે ગંભીર ચક્રવાતી તોફાની અસાની છેલ્લા 6 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશામાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. જ્યારે પુરીથી લગભગ 590 કિમી દક્ષિણ પશ્ચિમ અને ઓડિશાના ગોપાલપુરથી 510 કિમી દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રીત છે. આ બાજુ તેલંગણાના હવામાન ખાતાના ડાઈરેક્ટર નાગા રત્નાનું કહેવું છે કે તેલંગણામાં આગામી બે દિવસ દરમિયાન વીજળી પડવાની પણ શક્યતા છે.

Advertisement

વાવાઝોડા અસાનીની આજથી ભારે અસર જોવા મળી શકે છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે ઓડિશાના કાંઠા તરફ આગળ વધી રહેલા ચક્રવાતી તોફાન અસાનીની ઝડપ થોડી ધીમી થઈ છે. પરંતુ આમ છતાં કાંઠા સુધી પહોંચતા 115 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તથા કાંઠા વિસ્તારોમાં ભારે તબાહી જોવા મળી શકે છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ અસાની પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમની, પશ્ચિમ મધ્ય અને આસપાસના દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. ગઈ કાલે રાતે 23.30 વાગ્યે તે પશ્ચિમ-મધ્ય અને આસપાસના દક્ષિણ પશ્ચિમ BoB પર આંધ્રના કાકીનાડાથી 330 કિમી દક્ષિણ પૂર્વમાં, વિશાખાપટ્ટનમથી 350 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં કેન્દ્રીત હતું. આ વાવાઝોડાની ઓડિશા, દક્ષિણ ભારત સહિત યુપીમાં પણ અસર જોવા મળી શકે છે.

10મી મેથી 13 મે દરમિયાન દેશના અનેક રાજ્યો જેમ કે અરુણાચલ પ્રદેશ અને અસમ-મેઘાલય તથા નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા છે. 11થી 13મી મે દરમિયાન અસમ-મેઘાલયમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આજે આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે સાંજથી ઓડિશાના કાંઠા વિસ્તારોમાં અલગ અલગ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. બિહારમાં પણ તોફાનની અસર જોવા મળી રહી ચે. પશ્ચિમ બંગાળમાં પણ વાવાઝોડાને લઈને ચેતવણી અપાઈ છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારે શું કર્યું ?

Published

on

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (S.I.T) ની રચના કરાઈ

રાજ્યના પુરવઠા વિભાગ હેઠળના ગોડાઉન કે સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ કે ચોરીની ઘટના બાબતે રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે. ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવી શકાય અને અગાઉ બનેલા આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડકમાં કડક સજા કરાવી શકાય તે માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરની SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) બનાવવાનો નિર્ણય લીધો છે. આ સીટની રચનાથી સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એકસૂત્રતા અને અસરકારકતા આવશે.

સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં રચાયેલી આ S.I.T માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ

SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અધ્યક્ષ તરીકે સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકશ્રી હશે. તે ઉપરાંત સભ્ય તરીકે અન્ન અને નાગરિક પુરવઠાના નિયામક તેમજ સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ અધીક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીટમાં સભ્ય સચિવ તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેકટરશ્રી હશે. ઉપરાંત અન્ય સભ્યમાં સંબંધિત જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી અને સંબંધિત નાયબ પોલીસ અધીક્ષકનો સમાવેશ આ ખાસ તપાસ દળમાં કરવામાં આવ્યો છે.

ગૃહ વિભાગે બનાવેલી SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. તે ઉપરાંત આ પ્રકારના જે ગુનાઓની પોલીસ તપાસ પૂર્ણ થઇ ગયેલી છે તે ગુનાઓની પણ સમીક્ષા કરીને સૂચિત કાર્યવાહી અંગે સંબંધિત પોલીસ અધીક્ષકને જરૂરી સૂચનો કરશે. આ સમિતિએ દર મહિને બેઠક કરીને કાર્યવાહીની સમીક્ષા નોંધ અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને ગૃહ રાજ્ય મંત્રીને રજૂ કરવાની રહેશે.

Advertisement
Continue Reading

Uncategorized

કિસાનો માટે કલ્યાણકારી અને લાંબા ગાળાના લાભો આપનારું બજેટ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Published

on

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત સરકારના વર્ષ 2023-24 ના અંદાજપત્રને ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબાગાળાના લાભો આપનારું અંદાજપત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે કિસાનો પ્રેરિત થાય એવા પ્રયત્નો કરીને, ખેડૂતોની આવક બમણી કરવા સરકારે વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે રહેવાની પ્રતિબદ્ધતા આ અંદાજપત્રમાં વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અમૃતકાળ માટે ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની દિશા નિર્ધારિત કરતા અંદાજપત્ર માટે અભિનંદન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સંલગ્ન પ્રશિક્ષણ અને કૃષિ, મત્સ્યોદ્યોગના વિસ્તરણ-સંશોધન માટે કાર્યરત ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને માળખાકીય સગવડોના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 1,153 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે, જે આવકાર્ય છે. આ જોગવાઈથી ખેડૂતોની આવતીકાલ વધુ ઉજ્જવળ બનશે.

ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચર લર્નિંગ એન્ડ ઇન્ટીગ્રેશન મિશન- TALIM યોજના પણ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા 203 કરોડની ફાળવણી કરાઈ છે, જેનાથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા અને દેશી ગાયોની જાળવણી કરવા પ્રોત્સાહિત થશે.

Continue Reading

Uncategorized

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !

Published

on

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !

ગુજરાત સરકારનું ગૃહ વિભાગ હવે વડા પ્રધાન નરેન્દ્રમોદીના આત્મ નિર્ભર ભારતના સ્વપ્ન ને સાકાર કરવા તરફ વધી રહી છે,, સુત્રોની માનીએ તો ગૃહ વિભાગ ખાસ પ્લાન તૈયાર કરાયો છે, જેની બજેટ સત્રમાં જાહેરાત થઇ શકે છે,

 

ગૃહ વિભાગે જે પ્લાન બનાવ્યો છે તે મુજબ આગામી સમયમાં રાજ્યના 100થી વધુ નવા પોલીસ સ્ટેશનો બનશે, તે આત્મ નિર્ભર બનશે, જેના માટે ખાસ તૈયારી ગૃહ વિભાગે કરી છે,આ પ્લાનિંગમાં પોલીસ વિભાગ સાથે જન ભાગીદારીથી પોલીસ સ્ટેશનોનું નિર્માણ થશે, એટલુ જ નહી પોલીસ સ્ટેશનના ખર્ચમાં ઘટાડો થાયતે માટે સો થી વધુ પોલીસ સ્ટેશનમાં સોલાર પેનલ લગાવવામાં આવશે, જેના કારણે વિજ ખર્ચમાં ઘટાડો થશે, આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં મેન્ટનંસનો ખર્ચો ઉઠાવવો ન પડે તે માટે પોલીસ સ્ટેશનોમાં એટીએમ,બેંક,જેવી જાહેર સુવિધઓ ઉભી કરાશે, જે ગુજરાત સરકારનો પ્રથમ પ્રયોગ હશે, જેનાથી સરકારની તિજોરી ઉપર ભારણ ઘટશે,

 

Advertisement

 

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.