BANASKANTHA
ધાનેરામાં વારસદાર કે ઝભ્ભો પકડનારને ભાજપ આપશે ટીકીટ

ધાનેરામાં વારસદાર કે ઝભ્ભો પકડનારને ભાજપ આપશે ટીકીટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ ચાલી રહી છે,,ત્યારે ભાજપ હવે એક એક બેઠકનો સર્વે કરી જીત સુનિશ્ચિત કરવા માંગે છે
તેવામાં બેઠકો દીઠ ઉમેદવારો અંગે પણ આંતરિક સર્વે શરુ કરી દેવાયો છે,,ત્યારે વાત ધાનેરાની કરીએ તો છેલ્લા બે ટર્મથી ભાજપનો કમળ
ખીલી સકતો નથી, ત્યારે અહી કમળ ખિલવી શકે તેવા ઉમેદવારોની શોધ શરુ થઇ છે,
ધાનેરા બેઠકનું ઇતિહાસ
વર્ષ 1962માં કોંગ્રેસના સુરજમલ શાહે સ્વતંત્ર પક્ષના બાલશંકર જયશંકર જોશીને હરાવ્યા
વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના બાળ શંકર જોશીએ કોંગ્રેસના સુરજ મલ શાહને હરાવ્યા
વર્ષ 1972માં કોંગ્રેસના દલુ ભાઇ દેસાઇએ કોગ્રેસ ઓર્ગેનાઇઝેશનના એસ ગોરધન ભાઇ પરિખને હરાવ્યા
વર્ષ 1975માં કોંગ્રેસના મનસુખ લાલ જયશંકર દવેએ ભારતિય જનસંધના અકોલિયા વિશાભાઇ મહેદાસને હરાવ્યા
વર્ષ 1980માં જનતા પાર્ટીના જોઇતા ભાઇ પટેલે ઇન્દિરા કોંગ્રેસના મનસુખ લાલ દવેને હરાવ્યા
વર્ષ 1985માં કોંગ્રેસના જોઇતા ભાઇ પટેલે ભાજપના રમેશ ચંદ્ર શાહને હરાવ્યા
વર્ષ 1990માં ભાજપના હરજીવન પટેલે કોંગ્રેસના ગોવા ભાઇ દેસાઇને હરાવ્યા
વર્ષ 1995માં કોંગ્રેસના ગોવા ભાઇ રબારીએ ભાજપના હરજીવન પટેલને હરાવ્યા
વર્ષ 1998માં ભાજપના હરજીવન પટેલે કોંગ્રેસના નાથાભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 2002માં ભાજપના હરજીવન પટેલે કોંગ્રેસના જોઇતા ભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 2007માં ભાજપના મફત લાલ પુરોહિતે કોંગ્રેસના નાથાભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 2012માં કોંગ્રેસના જોઇતા ભાઇ પટેલે ભાજપના વસંત ભાઇ પુરોહિતને હરાવ્યા
વર્ષ 2017માં કોગ્રેસના નાથા ભાઇપટેલે ભાજપના માવજી દેસાઇને હરાવ્યા,,
ધાનેરાનુ ઐતિહાસિક ફેક્ટ,
આ બેઠક ઉપરથી કોંગ્રેસ 1962, 1972,1975,1985,1995.2012,2017માં એમ કુલ સાત વખત વિજય થઇ છે
જ્યારે ભાજપ વર્ષ 1990, 1998,2002 અને 2007 એમ ચાર વખત વિજેતા થઇ છે
જ્યારે વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષ અને વર્ષ 1980માં જનતા પાર્ટીના ઉમેદવારો પણ અહી થી વિજય થયા છે
આ બેઠક ઉપર કોઈ એક સમાજનુ અધિપત્ય નથી રહ્યુ, પરિણામે અહીથી વણિક, બ્રાહ્મણ, પાટીદાર, રબારી સમાજના ઉમેદવારો જીતતા રહ્યા છે,.
ધાનેરા બેઠક પર અનેક દાવેદારો
હરજીવન પટેલ, પુર્વ પ્રધાન
પ્રિતી બેન હરજીવન પટેલ, પુર્વ પ્રધાનના પુત્રી
વસંત પુરોહિત, હારેલા ઉમેદવાર 2012
માવજી દેસાઇ, હારેલા ઉમેદવાર 2017
મફતભાઇ પુરોહિત, પુર્વ ધારાસભ્ય
ડો,સંજય દેસાઇ, પુર્વ ચેરમેન ગોપાલક વિકાસ નિગમ
પી જે ચૌધરી, ચેરમેન બનાસ મેડિકલ કોલેજ
ગણપત રાજગોર, દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ
આશાબેન પટેલ, જીલ્લા ઉપ પ્રમુખ,બનાસકાંઠા
યોગેશ ત્રિવેદી, પુર્વ નગર પાલિકા પ્રમુખ ધાનેરા
જગદીશ પટેલ, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધાનેરા
હરજી પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ધાનેરા
ભગવાન દાસ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય,કિસાન મોર્ચો ભાજપ
પરિવારવાદ કે ઝભ્ભો પકડનાર ઉમેદવાર
આમ છેલ્લા બે ટર્મથી આ સીટ કોગ્રેસ પાસે છે, ત્યારે આ વખતે કોગ્રેસના પંજામાંથી ભાજપના કયા ઉમેદવાર જીત આપવી સકશે તેને લઇને ભાજપ તો
યોગ્ય ઉમેદવારના શોધમાં છે,, છેલ્લા બે ટર્મ દરમિયાન ભાજપે વસંત પુરોહિત અને ડીસા એપીએમસીના ચેરમેન માવજી દેસાઇ પર દાવ રમી જોયો,જો કે બન્ને નિષ્ફળ ગયા ,હવે
ભાજપ નવા ઉમેદવારની શોધમાં છે જે કોંગ્રેસના ઉમેદવારને ઠેકાણે પાડી ધાનેરામાં કમળ ખિલવી શકે ,અત્યારે
ઉમેદવારોમાં પણ ભાજપમાં ટિકીટ લેવા માટે થનગની રહ્યા છે,, ત્યારે આ ઉમેદવારો જીતી શકે તે માટે પોતે આર્થિક રીતે અને સંગઠનની દૃષ્ટિએ આયોજન કરવુ પડશે, ત્યારે પક્ષ
પણ ઇચ્છે કે અહી આર્થિક અને સાગંઠનિક દૃષ્ટિએ મજબુત ઉમેદવારને જ સ્થાન મળે, આમ તો ભાજપ પરિવારવાદમાં માનતી નથી, પણ અહી પુર્વ પ્રધાન હરજીવન પટેલની
રાજકીય વારસો જાળવી રાખવા માટે પ્રિતી બેન પટેલ પણ ધાનેરા બેઠક માટે દાવો કરી રહ્યા છે, હરજીવન પટેલનો ત્રણ વખત ધાનેરા બેઠક જીતવાનો રેકોર્ડ ધરાવે છે
ત્યારે ચૂટણી જીતવાની રણનિતીના જાણકાર, અને ધાનેરાની જનતાનો મુડ પારખનાર હરજીન પટેલના પરિવારમાંથી ટિકીટ મળશે કે પછી ભાજપ કોઇ મોટા નેતાના ઝભ્ભો પકડીને ચાલનારને
મૈદાન ઉતારશે,,
BANASKANTHA
ગૌશાળાઓ ને સરકાર સહાય કરે નહિતર ગૌભક્તો સરકાર સામે આંદોલન ચાલુ રાખશે..મહેશ દવે
રાજય સરકાર ના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2022-2023ના અંદાજપત્ર રજૂ કરતી વખતે ગૌ સંવર્ધન માટે 500 કરોડ ની મુખ્યમંત્રી ગૌ પોષણ યોજનાની જાહેરાત કરી હતી જોકે રાજય ની ભાજપ સરકારે જાહેરાત કર્યાને 7 મહિના થવા છતાં પાંજરાપોળ ને આર્થિક સહાય રાજય સરકાર દ્વારા ચુકવવામાં આવી નથી..ત્યારે ગૌ પ્રેમીઓમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.બનાસકાંઠા જિલ્લામાં ગૌ પ્રેમીઓ ગાયોને હાઇવે પર છોડી મુકવામાં આવી હતી.જેને કારણે રસ્તાઓ પર જામ થઇ જવા પામ્યો હતો. એટલુંજ નહીં મામલતદાર કચેરીમાં ગાયો છૂટી મૂકી દીધી હતી તેમજ કેટલાક ગૌભક્તો એ પોલીસ ની સામે બંગડીઓ ફેંકી સામે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.પ્રખર ગૌભક્ત મહેશ દવેએ પંચાત ટીવી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તેઓએ મામલતદાર કચેરીમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ને બંગડીઓ પહેરાવવા માટે આપી હતી. આ આ સરકાર ગાયોના નામે મતો મેળવી છે પણ ગાયો ના નામે આ સરકારે કશું કર્યું નથી માત્ર આ સરકાર વાતો કરે છે.રાજયની ભાજપ સરકાર ગૌ શાળાઓ ને ત્વરિત સહાય નહીં ચૂકવે તો આગામી સમયમાં વધુ આક્રમકઃ રીતે કાર્યક્રમો આપવામાં આવશે..
BANASKANTHA
પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ની ધરપકડ ના વિરોધમાં અર્બુદા સેનાએ કર્યું વિરાટ શક્તિ પ્રદર્શન ને ભાજપ સરકાર ને આપી ચીમકી આગામી ચૂંટણી માં થશે મોટું નુકશાન

પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ને ચોર ની જેમ લઇ જવા અયોગ્ય સાધ્વી પુષ્પા દીદી
પૂર્વ ગૃહ રાજય પ્રધાન અને મહેસાણા દૂધ સાગર ડેરી ના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે ત્યારે તેના વિરોધમાં સમગ્ર ગુજરાત માં ચૌધરી સમાજ માં રોષની લાગણી જોવા મળી છે..આજે પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ના સમર્થન માં ચૌધરી સમાજના યુવાનો એ
અર્બુદા સેનાના નેજા હેઠળ બનાસકાંઠાના થાવર ગામ ખાતે બાઈક રેલી યોજી ને શક્તિ પ્રદર્શન કર્યું હતું અને દાવો કર્યો હતો કે વિપુલ ચૌધરી ની ધરપકડ ભાજપ સરકાર ને ભારે પડી જશે
પૂર્વ ગૃહ રાજય પ્રધાન અને અર્બુદા સેનાએ પ્રમુખ વિપુલ ચૌધરી ની ધરપકડ ને લઇ સમગ્ર ગુજરાત માં ચૌધરી સમાજ માં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તેમના વિપુલ ચૌધરી ના સમર્થન માં બનાસકાંઠાના થાવર ગામ ખાતે ‘એકતા સંમેલનનું’ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
આ સંમેલન દરમ્યાન ચૌધરી સમાજની એકતા અને અખંડિતતા પર ભાર મુક્યો હતો .મોટાભાગ ના ચૌધરી સમાજ ના આગેવાનો એ મત વ્યક્ત કર્યો હતો કે આ સરકારે વિપુલ ચૌધરી સાથે અન્યાય કર્યો છે જે કોઈપણ સંજોગો માં ચલાવી ના લેવાય /સાથે સાથે સમાજ ના આગેવાનો એ લાગણી વ્યક્ત રેકી હતી કે પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ને તાત્કાલિક મુકત કરવામાં આવે નહિતર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે તેવી ચીમકી પણ અપાઈ છે..
જયારે બાઈક રેલી દરમ્યાન મોટાભાગ ના યુવાનોએ વિપુલ ચૌધરી ની મુક્તિ તત્કાલ કરવામાં આવે નહિ તો પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે તથા વિપુલભાઈને ‘મુક્ત કરો, મુક્ત કરો’ સુત્રો લગાવ્યા હતા.
સાધ્વી પુષ્પા દીદી કહ્યું હતું કે, અર્બુદા સેનાના આગેવાન અને સરકારના પ્રતિષ્ઠીત પૂર્વ મંત્રીના ઘરે ચોરની જેમ આવી ભેદી રીતે લઈ જવા તે અયોગ્ય છે. જે વ્યક્તિ સમાજના ભલા માટે કાર્ય કરતું હોય તેની સાથે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવે છે. સમાજને જો આવી રીતે અન્યાય થાય તો સાખી લેવો ના જોઈએ.
BANASKANTHA
લાખો આદિજાતિ માઇભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ નમાવ્યું

લાખો આદિજાતિ માઇભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ નમાવ્યું
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી યોજાયેલા મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બે વર્ષ બાદ યોજાયેલા મેળા ને લીધે માઇ ભક્તોમાં અનેરો આંનદ અને થનગનાટ હતો જેના લીધે ચાલુ વર્ષે પદયાત્રિકો સાથે માઇભક્તો અને સંઘોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સમગ્ર અંબાજી ધામ અને આસપાસનો વિસ્તાર ભક્તિમય મહોલ વચ્ચે જય અંબે બોલ માડી અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો. 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાતભરમાંથી 5500 જેટલા માઇભક્તોના સંઘ અંબાજી ધામમાં દર્શનાર્થે આવ્યા હતા. જેમાંથી 224 કરતા વધુ સંઘો આદિજાતિના વિવિધ સમુદાયોમાંથી માં અંબાના દર્શનાર્થે આવ્યા હતા. અંબાજી આસપાસના આદિજાતિ પટ્ટામાં શક્તિપીઠ અંબાજી પ્રત્યે વિશેષ આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે.
દર વર્ષે અંબાજી સહિતના આદિજાતિ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં માઇભક્તો પદયાત્રા અને સંઘ મારફતે અંબાજી આવી માના ચરણોમાં શીશ નમાવતા હોય છે. ચાલુ સાલે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા ભાદરવી પૂનમના મહામેળામાં બનાસકાંઠા જિલ્લાના 184 ગામ અને સાબરકાંઠા જિલ્લાના 30 એમ મળી કુલ 224 ગામમાં ધજા મોકલવામાં આવી હતી. જેથી દરેક ગામમાંથી માઇભક્તો ધજા- સંઘ લઇને માતાજીના દર્શને ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવ્યા હતા અને માના આશીર્વાદ મેળવ્યા હતા. નોંધનીય છે કે લીમખેડાના સંઘ દ્વારા માં અંબાને 511 ગજની ધજા ચડાવવામાં આવી હતી.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ