Connect with us

અમદાવાદ

ઇડરિયા ગઢની ભાજપ કોને આપશે ચાવી !

Published

on

ઇડરિયા ગઢની ચાવી ભાજપ કોને આપશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની અટકળો વચ્ચે ભાજપમાં ઉમેદવારોની હારમાળા જોવા મળી રહી છે, ઇડરમાં ભાજપની જીત નિશ્ચિત હોવાનુ
માનવામાં આવે છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના એસસી નેતાઓએ ઇડરનો ગઢ કબ્જે કરવા માટે કવાયત કરી રહ્યા છે, તાલુકા પંચાયતના સભ્યથી લઇને ભાજપના પ્રદેશ
કક્ષાના એસસી નેતાઓ ઇડરથી ગાંધીનગર પહોચવા માંગે છે, સામાન્ય કાર્યકર્તાથી લઇ મોટા નેતાઓને પણ ઇડરિયા ગઢની ચાવી જોઇએ છે, ત્યારે ભાજપના મોવડીમંડળના
આશિર્વાદ કોને મળશે,

હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ


ઇડરનુ ચૂંટણીલક્ષી ઇતિહાસ

વર્ષ 1962માં કોંગ્રેસના ગોવિંદ ભાઇ ભામ્ભીએ સ્વતંત્ર પાર્ટીના માનાભાઇ ભામ્ભીને હરાવ્યા હતા
વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના એમ આર ભુમ્ભીએ કોંગ્રેસના જે એ ભુમ્ભીને હરાવ્યા હતા
વર્ષ 1972માં કોગ્રેસના માનાભાઇ ભામ્ભીએ નેશનલ કોગ્રેસ ઓર્ગેનાઇઝેશનના નિરુભાઇ સોલંકીને હરાવ્યા હતા
વર્ષ 1975માં નેશનલ કોગ્રેસ ઓર્ગેનાઇઝેશનના સોનેરી કરસન દાસે કોગ્રેસના લલ્લુ ભાઇ પરમારને હરાવ્યા હતા
વર્ષ 1980મા ઇન્દિરા કોંગ્રેસના એલ ડી પરમારે જેએનપી જેપીના કરસનદાસ સોનેરીને હરાવ્યા હતા
વર્ષ 1985માં જેએનપીના કરસનદાસ સોનેરીએ કોંગ્રેસના માનાભાઇ ભામ્ભીને હરાવ્યા હતા
વર્ષ 1990માં જનતાદળના કરસનદાસ સોનેરીએ કોગ્રેસના લલીત પરમારને હરાવ્યા હતા
વર્ષ 1995માં ભાજપના રમણલાલ વોરાએ કોંગ્રેસના કરસનદાસ સોનેરીને હરાવ્યા
વર્ષ 1998માં ફરીવાર ભાજપના રમણલાલ વોરાએ કોંગ્રેસના કરસનદાસ સોનેરીને હરાવ્યા
વર્ષ 2002માં ભાજપના રમણલાલ વોરાએ કોંગ્રેસના છગન ભાઇ પરમારને હરાવ્યા
વર્ષ 2007માં ભાજપના રમણલાલ વોરાએ કોગ્રેસના મણીલાલ વાઘેલાને હરાવ્યા હતા
વર્ષ 2012માં ભાજપના રમણલાલ વોરાએ કોંગેસના રમણલાલ સોલંકીને હરાવ્યા હતા
વર્ષ 2017માં ભાજપના હિતુ કનોડિયાએ કોગ્રેસના મણીલાલ વાધેલાને હરાવ્યા હતા

શુ છે ભાજપનું ઓપરેશન અરવલ્લી- સાબરકાંઠા !

Advertisement

ઐતિહાસિક ફેક્ટ
ઇડર વિધાનસભા બેઠક કોંગ્રેસ વર્ષ 1980માં જીત્યુ હતું, કોંગ્રેસને ઇડરની જનતાએ 42 વરસથી કાઢી મુકી છે
વર્ષ 1980માં કોંગ્રેસના લલ્લુભાઈ ધનાભાઈ પરમાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા
વર્ષ 1962માં કોંગ્રેસના ગોવિંદભાઈ ભામભી ચૂંટણી જીત્યા
વર્ષ ૧૯૯૫માં ભાજપના ઉમેદવાર રમણલાલ વોરા પ્રથમ વખત ઇડરમાં જીત્યા
રમણલાલ વોરા બેંકના કર્મચારી હતા, બેંકમાંથી અમિત શાહે નોકરી છોડાવીને રાજકારણમાં લાવ્યા,
વર્ષ 1995 બાદ વરસ 1998 ,વર્ષ 2002 ,2007 ,2012 પાંચ વખત રમણલાલ વોરા ઇડર બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા
2014માં રમણલાલ વોરાને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની ઓફર કરાઇ,, જો કે તેઓ ગુજરાતના લોકોની સેવા કરવા માંગતા હતા,જેથી તેઓ દિલ્હી ન ગયા,
2017માં રમણ વોરા ઇડર ના બદલે ભાજપે તેમને દસાડા બેઠક પર ચૂંટણી લડવા મોકલ્યા,, જ્યાં તેમની હાર થઇ તેમને કોંગ્રેસના નૌશાદ સોલંકીએ હરાવ્યા હતા,
વર્ષ 2017માં ગુજરાતી ફિલ્મના અભિનેતા અને પૂર્વ ધારાસભ્યના પુત્ર હિતુ કનોડિયાના ઇડર બેઠક પર જીત્યા
અગાઉ હિતુ કનોડિયા 2012માં કડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા
વર્ષ 1967માં એ સ્વતંત્ર પક્ષના એમ આર ભામ્ભી એ કોંગ્રેસ ના ગોવિંદ ભાઈ ભામ્ભી ને હરાવ્યા
માના ભાઈ ભામ્ભી સ્વંત્રત પક્ષ અને કોંગ્રેસ માંથી ચૂંટણી લડી એમ એલ એ રહયા છે
સામાજીક અને ન્યાય બાબતોના પૂર્વ પ્રધાન કરસનદાસ સોનેરી વર્ષ ૧૯૭૫ 1985 1990 એમ ત્રણ વખત એમ એલ એ તરીકે ચૂંટાયા
તેઓ સ્વતંત્ર પક્ષ જે એન પી અને જનતા દળ માંથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા
પૂર્વ સામાજિક શિક્ષણ બાબતોના પ્રધાન રહી ચૂકેલા વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે જે રેકોર્ડ સુધી કોઈ તોડી શક્યું નથી

સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !

ઇડરિયા ગઢના કેટલા પહેરેદાર

હિતુ કનોડિયા ધારાસભ્ય ઈડર
રમણ વોરા પૂર્વ પ્રધાન
રાજેશ પરમાર સાબરકાંઠા જિલ્લા એસસી મોરચા પ્રમુખ
ભગવાનદાસ પરમાર પૂર્વ ઉપ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા
મુકેશ સોલંકી પૂર્વ ઉપ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા ભાજપ
દશરથ પરમાર ચેરમેન સાબરકાંઠા જિલ્લા પંચાયત સામાજીક અને ન્યાય બાબતોની સમિતિ
મનીષ શાહ તાલુકો પંચાયત સભ્ય ઈડર
શિવરામભાઈ સભ્ય તાલુકા પંચાયત ઈડર
વર્ષાબેન વણકર પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય
જયંતીભાઈ શ્રીમાળી ઉપપ્રમુખ એસી મોરચો ભાજપ એસ.કે
જગદીશભાઈ સોલંકી પૂર્વ પ્રમુખ હિંમતનગર પાલિકા
કાંતિભાઈ પરમાર વડાલી નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન
દેવજીભાઈ વણકર. તાલુકા પંચાયત પ્રમુખ ઈડર
શામળભાઈ ચેનવા પૂર્વ પ્રદેશ મંત્રી એસી
પાર્થ પરમાર જિલ્લા પંચાયત સદસ્ય સાબરકાંઠા

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

Advertisement


હિતુ કનોડીયાને વડગામ,દસાડા અને દાણીલિમડામાાં લડાવી શકે છે ભાજપ

હિતુ કનોડિયા ગુજરાતી ફિલ્મના મોટા ગજા કલાકાર છે, ગુજરાતની જનતાના હૃદયમાં તેઓ રાજ કરે છે, પરિણામે ભાજપ તેમના લોકપ્રિયતાને એન્કેસ કરવા માટે
તેનો પ્રયોગ મોટા કરી શકે છે, સુત્રો માને છે કે જીગ્નેશ મેવાણીને વડગામમાં જો કોઇ ટક્કર આપીને હરાવીને શકે તો તે માત્ર હિતુ કનોડિયામાં રાજકીય તાકાત છે, જેથી ભાજપ જીગ્નેશ મેવાણીને
રાજકીય રીતે અજ્ઞાત વાસમાં મોકલવો હોય તો હિતુ કનોડિયા ટ્રમ્પકાર્ડ સાબિત થઇ શકે છે, આવી બીજી સીટ દાણીલિમડા છે, જ્યાં પુર્વ અન્નનાગરિક પુરવઠા પ્રધાનના પુત્ર અને ગુજરાત વિધાનસભામાં
કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર દબદબો છે, જ્યાં કોંગ્રેસને હરાવવી ભાજપ માટે મોટો પડકાર છે, તે સિવાય દસાડા સીટ પર કોંગ્રેસના નૌશાદ સોલંકીને હરાવવુ પણ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા
સમાન સાબિત થાય છે,,ત્યાંથી પણ હિતુ કનોડિયાને ભાજપ ચૂટણી લડાવવા વિચારી શકે છે,
રે જોવાનુ એ છેકે ઇડરમાં હવે જુના જોગીઓને તક મળે છે કે પછી ભાજપ નવ યુવાનોને તક આપે છે,

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.