Connect with us

અમદાવાદ

મેવાણી, તારી વાણીને વિરામ આપ, નહિ તો તને વિરામ આપીશું!

Published

on

મેવાણી, તારી વાણીને વિરામ આપ, નહિ તો તને વિરામ આપીશું!

આ જિગ્નેશિયો બહુ બોલ બોલ કરે છે. શું સમજે છે એના મનમાં? સોંપી દો છેક ભુતાન સરહદે આવેલા કોકરાઝારની પોલિસને. સીધો દોર થઈ જશે! મેવાણી, તારી વાણીને હવે વિરામ આપ, નહિ તો તને વિરામ આપી દઈશું. મેવાણી, અલ્યા, સમજ તો ખરો કે ન બોલવામાં નવ ગુણ છે. હા, બોલશે એનાં બોર અમે વેચી નાખીશું, તું ચિંતા શીદને કરે છે? તને વાણીમાં રસ છે, અમને મેવામાં. તુંય ખાને મેવા, તને કોણ ના પાડે છે? અલ્યા, અમારા ભેળો આઇને ખા! તું મેવા ખા, વાણી અમને આપી દે, મૂરખ.

વડા પ્રધાન નરેન્દ્રમોદીને કોણે કહ્યુ પત્થર જેવા ના થાઓ !

અને હા, ખેર છે જીગ્નેશિયાની જેમ બીજું કોઈ આવી રીતે ટ્વીટ કરે તો, બોલે તો, લખે તો, પોસ્ટ કરે તો. તમને તો ચીન સરહદે અરુણાચલ પ્રદેશમાં જ મોકલી દઈશું હા. અને કદાચ આંદામાન પણ મોકલી દઈએ. યાદ છે કે નહિ તમને, અંગ્રેજો કાળાં પાણીની સજા આપતા દેશદ્રોહીઓને? અમે પણ મેવાણી જેવા દેશદ્રોહીઓને નહિ છોડીએ, એમની વાણીને વિરામ આપીશું જ.

Advertisement

થોડું તો સમજો યાર, કેટલું બધું ખરાબ લાગે છે કે જ્યારે મોરિશિયસના વડા પ્રધાન અને અંગ્રેજ વડા પ્રધાન દેશમાં મહેમાન થયા હોય ત્યારે. અમે વિકાસ કરવા અઢાર અઢાર કલાક કામ કરીએ છીએ તેની આ કહેવાતા દલિત નેતાને કશી કિંમત જ નથી. નહિ ચલાવી લઈએ આ બધું હવે. બહુ થયું. આઠ આઠ વર્ષથી અમે તારા જેવાને સહન કરી રહ્યા છીએ. હવે નહિ કરીએ, તમારાથી જેલો ભરી દઈશું, પોલિસની કસ્ટડીઓ ભરી દઈશું. યાદ રાખો. અમારી પાસે પોલિસ છે, લશ્કર છે અને ભગવાન શ્રી રામનો હિન્દુ ધર્મ છે, સમજ્યા ને?

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

હે ગાંધી અને સરદારની ગરવી ગુજરાતના ગુજરાતીઓ, કશું પણ બોલવાની હિંમત કરી તો આવી બન્યું સમજો. અમારે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે અને એમાં કોઈ પણ કશું પણ બોલીને મગજમારી કરશે, હવનમાં હાડકાં નાખશે તો નહિ ચાલે, સમજ્યા ને! હિન્દુ રાષ્ટ્રમાં માત્ર અમે કહીએ તે જ બોલવાનું કે લખવાનું. આપણે વિશ્વ ગુરુ બનવાનું છે, જરા સમજો. તમારે તે માટે તમારી વાણીને વિરામ આપવો જ પડશે.

યુવરાજ સિહ જાડેજાએ ફોડ્યો વધુ એક ટ્ટીટર બોંબ

આવી રીતે જ્યારે બબ્બે વડા પ્રધાનો ઘર આંગણે પધાર્યા હોય ત્યારે દેશના પોતાના વડા પ્રધાનને ગોડસેની યાદ અપાવીને બદનામ કરવાનું કાવતરું નહિ ચલાવી લેવામાં આવે. વડા પ્રધાનને શા માટે ગોડસેની યાદ અપાવવામાં આવે છે? નરેન્દ્ર મોદીના આરાધ્ય દેવ ગોડસે છે કે કોઈ રામ કે કૃષ્ણ કે પરશુરામ જેવા ગોડ, ઈશ્વર કે ભગવાન; એની ચિંતા કોઈએ કરવાની જરૂર નથી. તેઓ તો ક્યારનાય, ૨૦૧૪થી, અરે, ૨૦૦૨થી જ ગોડસેને સાવ ભૂલી ગયા છે, ના, ના, વડનગરમાં ચા વેચતા હતા ત્યારથી જ વિસરી ગયા છે ગોડસેને. મને એમ છે કે મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની જ વાત કરે છે, એટલે જ આ કહ્યું તને.

Advertisement

ભાજપના ગઢમાં મોટુ ગાબડું પાડવાની તૈયારીમાં આપ !

તું એ મહાન, न भूतो न भविष्यति, એવા હિન્દુ ધર્મીની એમને યાદ અપાવીને એમનું દિમાગ બગાડે છે! તેઓ એને કારણે દેશને વિકાસને માર્ગે લઈ જવાનું ક્ષણભેર ભૂલી જાય છે અને દેશને અબજો રૂપિયાનું નુકસાન થાય છે, એટલે જ તેઓ ગરીબી અને બેકારી દૂર કરી શકતા નથી. તેઓ તો બીજી ઓક્ટોબર અને ત્રીસમી જાન્યુઆરીએ કાયમ રાજઘાટ જાય છે અને મહાત્માને વંદન કરે છે એ તું કેમ ભૂલી જાય છે? તું જ્યાં ભણ્યો એ એચ. કે. આર્ટ્સ કોલેજમાં તને અધ્યાપકોએ આવી વાહિયાત ચીજો યાદ રાખવાનું ભણાવ્યું!

જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે કેમ ધરપકડ કરી ?

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે બીજા અધ્યાયમાં કહ્યું છે કે સુખદુઃખને સરખાં સમજવાં. सुखदुखे समे कृत्वा । મેવાણી, તું ઘરમાં હોય કે પોલિસ કસ્ટડીમાં. સુખ અને દુઃખ બંને સમાન ગણીને ચાલ. અમે એટલે જ ગુજરાતમાં શાળાઓમાં ગીતાનું શિક્ષણ આપવાના છીએ કે જેથી ભવિષ્યમાં તેઓ નાગરિકો બને તો આવી રીતે સુખદુઃખને સમાન ગણે!

પ્રો. હેમંતકુમાર શાહ,

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.