અમદાવાદ
અસારવાના મતદારોને કેક ભાવશે કે દાળ શાક પુરી !

અસારવાના મતદારોને કેક ભાવશે કે દાળ શાક પુરી !
અસારવાના મતદારોને કે કે ભાવશે કે દાળ શાક પુરી ! pic.twitter.com/gqVZmkqKUW
— Panchat TV (@panchattv) April 19, 2022
અમદાવાદમાં અસારવા સીટ ભાજપમાં માટે સુરક્ષિત માનવામાં આવે છે પરિણામે પક્ષના અનેક દિગ્ગજ નેતાઓ અહી
પોતાનુ ભવિષ્ય અજમાવવા માટે દોડ ધામ કરી રહ્યા છે, થોડા દિવસ પહેલા ત્યાં પાર્ટીના જ કેટલાક એસ સી આગેવાનોએ
બાબા સાહેબ આંબેડકરના જન્મ દિવસ નિમિત્તે કેક કટીંગનો કાર્યક્રમ રાખ્યો તો હનુમાન જન્મ જયંતિના દિવસે
સ્થાનિક ધારાસભ્ય અને કેબીનેટ પ્રધાન જનતાની વચ્ચે દાળ શાક અને પુરી વહેચતા દેખાયા,,
અસારવા કેમ છે સુરક્ષિત !
અસારવા બેઠક આમ તો ભાજપ માટે હમેશાથી સેફ માનવામાં આવે છે,, વર્ષ 2010ના નવા સિમાંકન પછી આ સીટ
એસ સી સીટ થઇ છે, આમ તો અમદાવાદમાં બીજી સીટ દાણી લિમડા પણ એસી સી સીટ છે,આ સીટ નવી બની છે, 2012 અને 2017 અહી
બન્ને વખત કોગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર જીતતા આવ્યા છે, અને એટલે જ ભાજપના એસી સી નેતાઓને લાગે છેકે
જો અસારવા સીટ ઉપરથી ટીકીટ મળી જાય તો તેઓ ચૂંટણીની વૈતરણી ખુબ સરળતાથી પાર કરી શકે છે,
આમ તો અનેક નામો આ સીટ ઉપર હાથ આજમાવવા માટે વિવિધ પ્રકારના કમિયાઓ અપનાવી રહ્યા છે
સુત્રોની કહી રહ્યા છે કે બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિએ કિરીટ સોલંકીની આગેવાનીમાં એક એસસી નેતાઓએ
કેક કટીંગનો કાર્યક્રમ કર્યો હતો,,જે પૈકી કેટલાક તો આ સીટથી દાવેદારી પણ નોધાવી રહ્યા છે, ત્યારે કેહવાય છે કે કેટ કટીંગ માંત્ર
એક બહાનું હતું પણ સાચા અર્થમાં શક્તિ પ્રદર્શન હતું
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
પ્રદીપ પરમાર અસારવામાં લોકપ્રિય નેતા
આમ તો આ બેઠક ઉપર ધારાસભ્ય પ્રદીપ પરમાર ખુબ મહેનત કરી રહ્યા છે તેઓ સ્થાનિક મતદારોમાં લોકપ્રિય નેતા પણ છે,
તેઓ લોકોના કામ પણ સારી રીતે કરી રહ્યા છે, છતાં જે રીતે તેમની પાર્ટીમાં તેમની સામે પ્રતિસ્પર્ધીઓ ઉભા થયા છે તેના કારણે
તેમની ચિન્તાઓમાં પણ વધારો થયો છે, પરીણામે તેઓ પણ જનસંપર્ક વધારી દીધુ છે, હનુમાન જંયતિના દિવસે
તેઓ પોતાના વિસ્તારમાં અનેક ધાર્મિક પ્રસંગોમાં ભાગ પણ લીધો હતો, જેમાં ખાસ કરીને વિવિધ ભંડારોઓમાં જઇને ક્યાંક
તેઓ દાળ બનાવવામાં તો ક્યાંક શાક,,તો ક્યાંક ભોજન પીરસીને મતદારો વચ્ચે રહ્યા હતા, તેમના નજીક સમર્થકો માને છે કે
પ્રદીપ પરમાર આમ તો જનતાના નેતાને છે,છતાં તેમની સામે સામે પક્ષના કેટલાક નેતાઓ અસારવા સીટ ઉપર
ડોળો રાખી રહ્યા છે,,તેનાથી તેમને કોઇ ફેર નહી પડે, સ્થાનિક મતદારો અને જનતાને ખબર છે કે કોણ સાચો નેતા છે, અને કોણ
સિઝનલ નેતા છે,
પ્રદીપ પરમારને લઇને સ્થાનિક કાર્યકર્તાઓમાં ચર્ચા
જ્યારે પ્રદીપ પરમારના વિરોધીઓનો તર્ક છેકે આ સીટ ઉપર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના એસી મતદારોનો પ્રભાવ છે,
પ્રદીપ પરમાર ન તો ઉત્તર ગુજરાતના છે ન તો સૌરાષ્ટ્ર છે, આ સીટ ઉપર વણકર અને રોહિત સમાજનો પ્રભાવ છે, જ્યારે
પ્રદીપ પરમાર ન તો રોહિત સમાજમાંથી આવે છે ન તો વણકર સમાજમાંથી આવે છે જેથી આ વખતે અહીથી જે
સમાજના વધુ વોટ હોય તેમને સીટ મળવી જોઇએ,,આ વાતને લઇને કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓએ ભાજપ હાઇકમાન્ડ
સુધી આ અંગેની લાગણી પણ પહોચાડી છે,તેમ સુત્રો કહી રહ્યા છે,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અસારવા બેઠક ઉપર ઉમેદવારોની લાઇન !
આ બેઠક ઉપરથી નરેશ ચાવડા, નરેશ વ્યાસ, ભદ્રેશ મકવાણા, વિજય સોલંકી
પ્રદેશ ભાજપના એસસી મોર્ચાના પ્રમુખ ડો પ્રદ્યુમન વાજા,પુર્વ ધારાસભ્ય આર એમ પટેલ
કિશોર મકવાણા,દર્શના બેન વાધેલા,જયશ્રી બેન ચૌહાણ,અશ્વિનબેંકર,પુર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, જગદીશ પરમાર, જીતુભાઇ વાધેલા,
હિતેશ રજનીકાંત પટેલ અને સૌથી મજબુત નામ હાલના ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયાની ઇચ્છા અસારવાની સુરક્ષિત બેઠક ઉપરથી
ચૂંટણી લડવાની છે,
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ