અમદાવાદ
વડા પ્રધાન નરેન્દ્રમોદીને કોણે કહ્યુ પત્થર જેવા ના થાઓ !

વડા પ્રધાન નરેન્દ્રમોદીને કોણે કહ્યુ પત્થર જેવા ના થાઓ !
વડા પ્રધાન નરેન્દ્રમોદી 3 દિવસ ગુજરાત યાત્રા આવી રહ્યા છે, ત્યારે તેઓ સૌથી પહેલા તેઓ વિદ્યા સમિક્ષા કેન્દ્રની મુલાકાત લેશે, જેને લઇને તેઓએ ટ્ટીટ પણ કર્યુ હતું
ત્યારે દિલ્હીના શિક્ષણ પ્રધાન મનિષ સિસોદીયાએ પણ વ્યંગ્ય કરતા ટ્ટીટ કર્યુ, ગુજરાતની શિક્ષણ અને શાળાઓની દુદર્શાને લઇને ફોટા મુક્યા છે,,અને સવાલો ઉભા કર્યા છે, તો સાથે વિદ્યા સહાયકોએ
ટ્ટીટ કરી ભરતી ક્યારે થશે તેને લઇને વડા પ્રધાનને સવાલો પુછયા છે,
વડા પ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતની 3 દિવસની મુલાકાતે છે, જેમાં તેમના વિવિધ કાર્યક્રમો છે, પણ સૌથી મહત્વ પુર્ણ ગાંધીનગર કમાન્ડ ઇન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે સાથે
તેઓ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થિઓ સાથે સંવાદ કરશે, ત્ચારે રાજ્યની શિક્ષણની સ્થિતિ સર્વોત્તમ બતાવવા પ્રયત્ન કરાશે,, સુત્રોની માનીએ તો જે રીતે
આમ આદમી પાર્ટીએ ગુજરાત ભાજપના વિકાસ મોડેલ ઉપર ધા કર્યો છે,,તેનુ ડેમેજ કંટ્રોલ કરવા માટે ખુદ વડા પ્રધાન નરેન્દ્રમોદીને મેદાનમાં ઉતરવું પડ્યુ છે
ગુજરાત આવતા પહેલાતેઓએ ખાસ ટ્ટીટ કર્યુ,,
Upon reaching Gujarat tomorrow, I will visit the Vidya Samiksha Kendra. This modern centre leverages data and technology in order to improve learning outcomes. I will also interact with those who are working in the education sector.
— Narendra Modi (@narendramodi) April 17, 2022
જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યા સમિક્ષા કેન્દ્રની મુલાકાત લેવાની વાત કરી,, સાથે દિલ્હીના શિક્ષણ પ્રધાન મનિષ સિસોદીયાએ પણ એક ટ્ટીટ કર્યુ
જેમાં ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ ભાઇ વાધાણીના મત વિસ્તારમાં શાળાઓની દુર્દશા દર્શાવતી તસ્વીરો મુકી,, અને કટાક્ષ કરતા લખ્યુ છે કે
પ્રધાન મંત્રીજી કદાજ આ મોર્ડન સમિક્ષા કેન્દ્ર ઉપરથી તમને આ સ્કૂલોની તસ્વીરો જોવા નહી મળે,જ્યાં બેસવા માટે ડેસ્ક નથી, અને કરોળીયાનુ જાળુ એવી રીતે
લાગેલા છે જાણે કબાડખાનું, શોચાલય તુટેલી હાલતમાં છે,,મે પોતે ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ ભાઇ વાધાણીના વિસ્તારમાં જોયુ છે,
प्रधानमंत्री जी! विद्या समीक्षा केंद्र के मॉडर्न सेंटर से शायद इन स्कूलों की तस्वीर आपको न दिखें जहां बैठने के लिए डेस्क नहीं है, मकड़ी के जाले ऐसे लगे हैं जैसे बंद कबाड़ख़ानों में होते हैं, टॉयलट टूटे पड़े हैं… मैंने खुद गुजरात के शिक्षामंत्री के क्षेत्र में ऐसे स्कूल देखे हैं https://t.co/sEiCJvFsRw pic.twitter.com/YjRYVAjjqT
— Manish Sisodia (@msisodia) April 18, 2022
તો વડા પ્રધાન નરેદ્રમોદી પોતાન ગૃહ રાજ્યમાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના યુવાનોએ પણ તેમનું ટ્ટીટ કરીને સ્વાગત કર્યુ છે,
સાહેબ શ્રી તમારું સ્વાગત છે પરંતુ અમે એક મહિનાથી વિદ્યાસહાયક ભરતીમાં જગ્યાઓ વધે તે માટે સરકાર શ્રીને રજૂઆતો કરી રહ્યા છીએ જેની કોઇ નોંધ લેતું નથી આપ સાહેબ શ્રી
અમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને જગ્યાઓમાં વધારો થાય તેવી આશા અને અપેક્ષા..
સાહેબ શ્રી તમારું સ્વાગત છે પરંતુ
અમે એક મહિનાથી વિદ્યાસહાયક ભરતીમાં જગ્યાઓ વધે તે માટે સરકાર શ્રીને રજૂઆતો કરી રહ્યા છીએ જેની કોઇ નોંધ લેતું નથી આપ સાહેબ શ્રી અમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને જગ્યાઓમાં વધારો થાય તેવી આશા અને અપેક્ષા.. @narendramodi @PMOIndia— SOLANKI DALAPATSINH (@SDalapatsinh) April 18, 2022
વિદ્યાસહાયક ચાલુ ભરતીમાં વધારો કરી 4-4 વર્ષથી 80,000+ tet-1,2 પાસ કરેલા ઉમેદવારો ને ન્યાય આપો અને પ્રવાસી શિક્ષકો બંધ કરો. નાના ભુલાકાઓ નું પણ થોડુંક વિચારજો કેમ કે
19000 શિક્ષકોની ઘટ છે
અને મેં મહિનામાં બીજા 4000+ શિક્ષકો નિવૃત થાય છે.
19000 સામે માત્ર 3300 જ RTE ના નિયમનું શુ?
વિદ્યાસહાયક ચાલુ ભરતીમાં વધારો કરી 4-4 વર્ષથી 80,000+ tet-1,2 પાસ કરેલા ઉમેદવારો ને ન્યાય આપો અને પ્રવાસી શિક્ષકો બંધ કરો. નાના ભુલાકાઓ નું પણ થોડુંક વિચારજો કેમ કે 19000 શિક્ષકોની ઘટ છે અને મેં મહિનામાં બીજા 4000+ શિક્ષકો નિવૃત થાય છે. 19000 સામે માત્ર 3300 જ RTE ના નિયમનું શુ?
— Keyur Mehta (@Keyur77501026) April 18, 2022
— Man. B (@BaraiyaManisha2) April 18, 2022
— Man. B (@BaraiyaManisha2) April 18, 2022
પથ્થર જેવા ન થાઓ
આટલા દિવસ માં તો પથ્થર પણ હલી ગયો હોત
કઇ માટીના બન્યા છો.
આમ મોટી મોટી વાતો કરો
બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય ની
ડીઝીટલ સ્કૂલોની
વાસ્તવિકતા તો તમારી આ છે
વિદ્યાસહાયક મિત્રો 27 દિવસથી આંદોલન કરી રહ્યા છે,
અને દરેક કેબિનેટ મિટિંગ બાદ પાણીના પ્રશ્નોની જાહેરાત
શરમ
— N91 EDUCATION (@EducationN91) April 18, 2022
આજે સરકાર ના ખોટા નિણઁય થી કે એમના અહમ થી લાખો ટેટ પાસ ઉમેદવાર ની જીંદગી બરબાદ થઈ ગઈ છે દરેક ઉમેદવાર ને એમના પરિવારને આશા હતી કે વિદ્યાસહાયક ભરતી મા જગ્યા વધારો થશે અમારા દિકરા દિકરીઓ લાગશે એમની હાલત સુધરશે પણ બધુ આ બહેરી સરકાર દ્વારા રહેશતહેશ કરી દીધુ
— Parmar hetal (@Parmarh17862839) April 18, 2022
આમ વડા પ્રધાન નરેન્દ્રમોદી આગમન પહેલા ગુજરાતના દિકરાઓએ ગુજરાતના પનોતા પુત્ર પાસે વિદ્યા સહાયક ભરતીની માંગ કરી છે,અને રોજગારી આપવાની અપિલ કરી છે,
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ