Connect with us

અમદાવાદ

અસારવામાં કોની કેક કપાશે !

Published

on

અસારવામાં કોની કેક કપાશે !

વડા પ્રધાન નરેન્દ્રમોદીને પારદ શિવલિંગ આપનારી ગુજરાતની શિવભક્ત દિકરી કોણ છે-જાણો-

 

ડો બાબા સાહેબ આમ્બેડકરની 131 જન્મ જંયતિએ અસારવા વિધાનસભા બેઠક કાર્યક્રમનુ આયોજન કરાયું,, જેમાં 131 કિલોની કેક કપાઇ,,
પણ આ એસ સી માટે અનામત બેઠક છે,આ બેઠક ભાજપ માટે સુરક્ષિત માનવામાં આવે છે,,અને એટલે જ અહી ગુજરાત ભાજપના
એસ સી નેતાઓની નજર આ બેઠક ઉપર છે, પરિણામે ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ ભાજપના એસસી નેતાઓ દ્વારા
શક્તિ પ્રદર્શન શરુ કરી દેવાયુ છે,, મહત્વની એ છે કે સ્થાનિક ધારાસભ્ય અને સરકારના સમાજીક અને ન્યાય બાબતોના પ્રધાનની ગેર હાજરી
આંખે ઉડીને વળગે તેવી હતી,

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

Advertisement

અસારવા ભાજપ માટે સેફ સીટ !

અસારવા બેઠક ઉપર અત્યારે ભાાજપના મોટા ભાગના એસ સી નેતાઓનો ડોળો છે,, કારણ કે આ સીટ 1990થી ભાજપ પાસે છે,,
અને વર્ષ 2012માં અસારવા બેઠક અનામત થઇ જતા રાજ્ય સરકારના અધિક મુખ્ય સચીવ પદેથી રાજીનામું આપી, આર એમ પટેલ
ઇલેક્શન લડ્યા અને જીત્યા, જો કે 2017માં તેમને બીજેપીએ ટીકીટ આપી નહતી, તેમના સ્થાને ભાજપે પ્રદીપ પરમારને ટીકીટ આપી હતી
અને તેઓ જીત્યા,, અત્યારે તેઓ ભુપેન્દ્ર પટેલની સરકારમાં સમાજીક ન્યાય બાબતોના મંત્રી છે,,ત્યારે આ સીટ ઉપરથી હવે
અનેક ભાજપના એસસી સિનિયર નેતાઓ દાવો ઠોકી રહ્યા છે

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !

અસારવા બેઠક પર અનેક દાવેદારો !

સુત્રોની માનીએ તો 14મી એપ્રિલે અસારવા વિસ્તારમાં ડો બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિને લઇને વિવિધ કાર્યક્રમો યોજાયા,
એક કાર્યક્રમ કેક કટીંગનુ પણ હતું એટલે ઉજવણી બાબા સાહેબના નામે હતી પણ મિશન 2022 અસારવાનું હતું
આ કાર્યક્રમમાં સાસંદ ડો કિરીટ સોલંકી, નરેશ ચાવડા, નરેશ વ્યાસ, ભાજપ એસસી મોર્ચાના શહેર પ્રમુખ ભદ્રેશ મકવાણા, મહામત્રી વિજય
સોલંકીની હાજરી હતી, જો કે રાજ્યના સમાજિક બાબતોના પ્રધાન નિવાસ સ્થાનેથી 500 મિટરના અંતરે આ કાર્યક્રમ હોવા છતાં
તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા, તેમને પણ આમંત્રણ અપાયુ હતું, ત્યારે જે નેતાઓ ઉપસ્થિત હતા તે પૈકી કેટલાક અસારવા બેઠકના
દાવેદારો મનાય છે, તે સિવાય આબેઠક ઉપર પ્રદેશ ભાજપના એસસી મોર્ચાના પ્રમુખ ડો પ્રદ્યુમન વાજા,પુર્વ ધારાસભ્ય આર એમ પટેલ
કિશોર મકવાણા,દર્શના બેન વાધેલા,જયશ્રી બેન ચૌહાણ,અશ્વિનબેંકર,પુર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, જગદીશ પરમાર, જીતુભાઇ વાધેલા,
અને હિતેશ રજનીકાંત પટેલ પણ દાવેદાર માનવામાં આવે છે

Advertisement

 

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

પ્રદીપ પરમાર કેમ ગેરહાજર રહ્યા !

બાબા સાહેબના નામે આ કાર્યક્રમ જે રીતે યોજાયું હતું,તેનાથી કાર્યક્મ કરતા એસ સી નેતાઓનું શક્તિ પ્રદર્શન વધુ લગાતુ હતુ, અસારવામાં ઠેર ઠેર
હોર્ડીંગ્સ,પોસ્ટર્સ અને બેનર્સ લગાવાયા હતા, જેમાં પ્રદીપ પરમારના ફોટા નહતા, પ્રદીપ પરમારે પણ જાણે કોઇ કસર બાકી રાખી ન હતી, અને અલગ શુભેચ્છાના
હોર્ડીગ્સ મુક્યા હતા,સુત્રોની માનીએ તો જે રીતે અહી એસ સી નેતાઓનો જમાવડો થયો હતો,, સાથે પ્રદીપ પરમારે અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યા નહતા,
પણ આ કાર્યક્રમમાં ગેર હાજરી ચર્ચાનો વિષય બની છે,

 

Advertisement

હાર્દીક પટેલ અને નૌતમ સ્વામી વચ્ચે મુલાકાત – કુછ તો લોગ કહેંગે 

ઇડરના ધારાસભ્ય હિતુ કનોડીયાનુ અસારવા પર ડોળો !

સુત્રોની વાત માનીએ તો ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયા અસારવા વિધાનસભામાં પેજ સમિતીના પ્રમુખ બન્યા છે, તેઓનુ નિવાસસ્થાન શાહીબાગમાં હોવાના નાતે
તેઓ પેજ પ્રમુખની જવાબદારી અસારવામાં લીધી છે, પણ સ્થાનિક કાર્યકર્તાઓમાં ગણગણાટ શરુ થઇ ગયો છે કે હિતુ કનોડિયા ધારાસભ્ય ઇડરના છે, તો તેમને
ઇડરમાં જઇને પેજ પ્રમુખ થવુ જોઇએ,, તેઓ અસારવામાં કેમ પેજ પ્રમુખ બન્યા છે, તેમનો ઇરાદો કઇક અલગ દેખાય છે, તેમના ઇડરના બદલે અસારવામાં
રસાસ્વાદ લેવા કેમ આતુર છે,

ખંભાતના રમખાણોંમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ શંકાના ઘેરામાં

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.