Connect with us

અમદાવાદ

હાર્દીક પટેલ અને નૌતમ સ્વામી વચ્ચે મુલાકાત – કુછ તો લોગ કહેંગે 

Published

on

હાર્દીક પટેલ અને નૌતમ સ્વામી વચ્ચે મુલાકાત – કુછ તો લોગ કહેંગે

કોંગ્રેસી નેતા હાર્દીક પટેલ, આજ કાલ પક્ષની કાર્યનિતીથી નારાજ છે, જેના માટે તેઓ મિડીયાંમાં પોતાની નારાજગી દર્શાવી ચુક્યા છે,પણ તેઓએ સ્પષ્ટ કહ્યુ છે કે

તેઓ કોગ્રેસ નહી છોડે, પક્ષના ભલા માટે કામ કરતા રહેશે, પણ હા તેઓ ઇલેક્શન લડવાની પોતાની ઇચ્છા જાહેર કરી ચુક્યાછે, એવામાં કોગ્રેસે પણ તેમને

Advertisement

સલાહ આપી છે કોઇ પણ નારાજગી તેઓ પાર્ટીના ફોરમમાં જ વક્ત કરે,, તેવામાં અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ નૌતમ સ્વામી સાથે હાર્દીક પટેલની શિષ્ટાચારના નામે

મુલાકાત થઇ,,અને નૌતમ સ્વામી ભાજપના ગુડ બુકમાં માનવામાં આવે છે,

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !

 

Advertisement

સુપ્રિમ કોર્ટમાંથી જ્યારથી હાર્દીક પટેલની સજા ઉપર સ્ટે થયો છે,ત્યારથી હાર્દીક પટેલ હવે ફોમમાં છે, હાર્દીક પટેલે

પહેલા તેણે ઇલેક્શન લડવાની ઇચ્છા ખુલીને વ્યક્ત કરી,,

તેના પછી નરેશ પટેલ મુદ્દે કોગ્રેસ કોઇ નિર્યણ નથી થઇ રહ્યો  તેને લઇને નાજગી વ્યક્ત કરી,,હાર્દીક   સમાચાર એજન્સી પીટીઆઇને કહ્યુ કે મને કોગ્રેસના કેટલાક નેતાઓ હેરાન કરી રહ્યા છે

અને ઇચ્છી રહ્યા છે કે હુ પાર્ટી છોડી દઉ,,

 

Advertisement

પટેલ-પાટીલના પાવરને ડીમ કરવા મેદાને ઉતરશે હાર્દીક !

 

પીટીઆઇમાં તેમના નામથી ખબર આવી, તો વિવાદ થઇ ગયો,,

Advertisement

કોગ્રેસ પ્રદેશ સમિતિએ હાર્દીક પટેલ પાસે ખુલાસો માંગ્યો અને તેમની નારાજગી પાર્ટીના ફોરમમાં રજુ કરવાની સલાહ આપી,, ત્યારે હાર્દીકે ટ્ટીટ કર્યુ અને કહ્યુ કે સાચુ બોલવુ જોઇએ

કારણ કે હુ પાર્ટીનુ હિત ઇચ્છુ છું પ્રદેશની જનતા અમારાથી જે અપેક્ષા રાખે છે,,તેના ઉપર આપણે ખરા ન ઉતરીયે તો આ નેતાગિરીનો કોઇ મતલબ નથી,, મેં આજ સુધી પાર્ટીમાં શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો છે

અને આગળ પણ આપતો રહીશ પદનો મોહતાજ નથી કામના ભુખ્યા છીએ,,

Advertisement

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

 

થોડા કલાકો પછી

હાર્દીક પટેલ એક કાર્યક્રમમાં ગયા,, અને ત્યાં મિડીયાની સામે કહ્યુ કે તેઓએ પોતાની વાત મુકી છે, તેઓ ક્યારેય પાર્ટી છોડવાના નથી,

 

Advertisement

તે પછી રાત્રે  પાટીદાર અનામત આદોલનના એક સમયના તેમના સાથી રહેલા અને હાલના આપના નેતા નિખિલ સવાણીએ ટ્ટીટ કરી દીધુ કે

ગુજરાત કોગ્રેસને આવનારા દિવસોમાં મોટુ ઝાટકો લાગવાનો છે,,,  તેઓએ આ હાર્દીક પટેલ માટે કહ્યુ હતુ કે બીજા અન્ય નેતાઓ માટે તેની સ્પષ્ટતા

કરી ન હતી,

 

કમાભાઇ રાઠોડની રાજકીય તાકાત સામે ભાજપ થયુ નતમસ્તક !

રાત્રે સવા અગિયાર વાગ્યે હાર્દીક પટેલે ફરી એક ટ્ટીટ કર્યુ,, જેમાં તેઓનું  ફોટો અખિલ ભારતિય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ નૌતમ સ્વામી સાથે હતો,

તેઓએ લખ્યુ કે આ શિષ્ટાચાર ભેટ છે અને તેઓએ સંતના આશિર્વાદ પ્રાપ્ત કર્યા છે,  તેમને બતાવી દઇએ કે થોડા દિવસ પહેલા જ ચોટીલા પાસે સંત સમાજનો સમ્મેલન મળ્યો હતો

જેમાં નૌતમ સ્વામી  સરકાર સાથે મળીને સંતોમાં ભાગલા પડી રહ્યા છે ત તેવા આરોપો સંતોએ લગાવ્યા હતા, એટલે કે નૌતમ સ્વામી બીજેપી સરકારના ગુડ બુકમા આવે છે

Advertisement

સુત્રો તો ત્યાં સુધી કહે છે કે નૌતમ સ્વામી ગુજરાતમાં ભાજપ સરકારના સંકટ મોચક  છે,

ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવામાં સૌરાષ્ટ્રમાં કોને થશે ફાયદો ! આ છે રાજકીય ગણિત

આમ જે રીતે નૌતમ સ્વામી હાર્દીક પટેલને મળ્યા તે બતાવે છે કે આ મુલાકાત ભલે શિષ્ટાચાર માટે કહેવાય છે, પણ શિષ્ટાચાર કરતા કઇક મોટુ છે,,શુ નૌતમ સ્વામી સરકારનો કોઇ સંદેશો હાર્દીક પટેલને આપ્યો છે,

Advertisement

કે પછી હાર્દીક પટેલ જાણી જોઇને હવે કોંગ્રેસના કેટલાક નેતાઓને સંકેત આપવા  માંગે છે કે તેના માટે પણ અન્ય પક્ષના રસ્તા ખુલ્લા છે,,

નિષ્ણાંતો માને છે કે ભાજપ ઘણી વખત સાધુ સંતોના માધ્યમથી  રાજકીય ઓપરેશન કરાવવામાં માહેર છે, પણ જે રીતે હાર્દીક અને નૌતમ સ્વામીની મુલાકાતને જાહેર કરાયુ છે તે ખુબર સૂચક  છે,

ઘણી વખત આવા મુલાકાતોની અસર લાંબા ગાળાની રાજનિતિ ઉપર પડતી હોય છે, હાર્દીક પટેલને કોગ્રેસને રહેવું આપમાં જવુ કે પછી ભાજપમાં તે તેનો વિષય છે, આવા ફોટો  જાહેર કરીને

હાલ તે પોતાની રાજકીય ક્ષમતા તો જાહેર કરી રહ્યો છે,,

 

Advertisement

 

વડોદરાના દસ હજાર બાળકો તંત્રના પાપે ભુખ્યા રહે છે- કોગ્રેસનો આરોપ

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.