Connect with us

અમદાવાદ

પટેલ-પાટીલના પાવરને ડીમ કરવા મેદાને ઉતરશે હાર્દીક !

Published

on

 

પટેલ-પાટીલના પાવરને ડીમ કરવા મેદાને ઉતરશે હાર્દીક !

ઉત્તર,દક્ષિણ અને સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકનો શરુ કરાયો આંતરિક સર્વે

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

સુપ્રિમ કોર્ટે હાર્દીક પટેલના 2 વરસની સજા ઉપર સ્ટે ઓર્ડર આપી દીધો છે, પરિણામે હવે હાર્દીક પટેલ માટે
વિધાનસભા ચૂંટણી લડવા માટેનો માર્ગ ખુલી ગયો છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે હાર્દીક પટેલ
ક્યાંથી ઇલેક્શન લડશે, તેને લઇને ભાજપ અને આપમાં તો ચર્ચા છે જે સાથે કોંગ્રેસમાં પણ ચર્ચા ચાલી રહી છે કે
આ સ્કાયલેબ લેન્ડ ક્યાં થશે, સુત્રો કહી રહ્યા છે કે હાર્દીક પટેલ માટે ચાર વિધાનસભા સીટો ઉપર આંતરિક સર્વે હાથ ધરાયો છે,
કઇ છે ચાર બેઠકો જોઇએ ખાસ રિપોર્ટ

Advertisement

ભુપેન્દ્ર પટેલ સરકારના વખાણ કરીને પીએમ મોદીએ કર્યા એક તીર થી અનેક શિકાર !

ચૂંટણી લડવા માટે તૈયાર હાર્દીક પટેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુકાઇ ચૂક્યું છે, ત્યારે ગુજરાત કોગ્રેસ માટે સારા સમાચાર છે, પાટીદાર અનામત આદોલનથી
ઉભરી આવેલા યુવા નેતા હાર્દીક પટેલને સુપ્રિમ કોર્ટે મોટી રાહત આપી છે,, વીસ નગરમાં 2015માં થયેલા રમખાણોને લઇને થયેલા 2 વરસની સજા ઉપર
સુપ્રિમકોર્ટે સ્ટે આપ્યો છે, જેની સાથે હાર્દીક પટેલે ઇચ્છા વ્યક્ત કરી દીધી છે કે તે ચૂંટણી લડવા તૈયાર છે, ટ્ટીટ કરીને હાર્દીક પટેલે કહ્યુ છે કે
માત્ર ચૂંટણી લડવી મારો ઉદ્દેશ્ય નથી, પણ લોકોનુ મજબુતાઇથી સેવા કરવી મારો ઉદ્દેશ્ય છે,

Advertisement

 

હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ

હાર્દીક પટેલના ઇલેક્શન લડવા માટે પોતાનો મજબુત ઇરાદો જાહેર કરી દીધો છે ત્યારે ત્યારે હાર્દીક પટેલ ક્યાંથી ઇલેક્શન લડશે
તેની પર ભાજપ આમ આદમી પાર્ટી સહિત ગુજરાતના લોકોની નજર છે, ત્યારે કોગ્રેસમાં અનેક નેતાઓ આ સ્કાયલેબ પોતાની રાજનિતિક
જમીન પર લેન્ડ ન થઇ જાય તેની ચિન્તા સતાવવાની શરુ થઇ ગઇ છે

હાર્દીક પટેલ ક્યાંથી લડશે તને લઇને શરુ થઇ ચર્ચા,,

પશુ નિયંત્રણ કાયદો એ ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને આપવાનો કારસો- ગુજરાત માલધારી મહાપંચાયતનો આરોપ

Advertisement

ઘાટલોડિયા વિધાનસભા બેઠક

ચર્ચા છે કે ઘાટલોડિયા વિધાનસભા સીટ ઉપરથી હાર્દીક પટેલ ચૂંટણી લડી શકે છે, કારણ કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન
ઘાટલોડિયા વિધાનસભા બેઠક એપી સેન્ટર રહ્યુ હતું, અહી પાટીદારો ખુલીને આંદોલનના સમર્થનમાં આવ્યા હતા,
પાટીદારોમાં અહી હાર્દીક પટેલનો પ્રભાવ જોવા મળે છે,
મહત્વપુર્ણ વાત એ છે કે વર્ષ 2012માં આ બેઠક ઉપર આનંદી બેન પટેલ ચૂંટણી લડ્યા અને જીત્યા હતા, 2014માં તત્કાલિન મુખ્ય પ્રધાન
નરેન્દ્રમોદી દેશના વડા પ્રધાન બનતા તેમના અનુગામી તરીકે આનંદી બેન પટેલને ગુજરાતનું સુકાન સોપાયું જો કે
2015માં પાટીદાર અનામત આદોલન થવાના કારણે રાજ્યમાં ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મોટું નુકશાન થયું
અને અંતે 2016માં તેમનાથી રાજીનામુ લઇ લેવામાં આવ્યું, વર્ષ 2017માં આનંદી બેન પટેલના અનુગામી તરીકે ઘાટલોડિયા વિધાનસભા
બેઠક પરથી ભુપેન્દ્ર પટેલ ચૂંટણી લડી ધારાસભ્ય થયા,, વર્ષ 2021માં તેઓ મુખ્ય પ્રધાન બન્યા,,
હવે જો હાર્દીક પટેલ આ સીટ ઉપરથી ઇલેક્શન લડે અને ભુપેન્દ્ર પટેલને હરાવવામાં સફળ થાય તો મોટો સેટબેક થઇ શકે છે, જો કોંગ્રેસને
રાજ્યમાં બહુમત આવે તો તો રાહુલ ગાંધીના વિશ્વાસુ હોવાના કારણે તેને ગુજરાતના મુખ્ય પ્રધાન પદ મળી શકે છે,, સાથે પાટીદાર
ચહેરો હોવાથી પાટીદારોમાં સર્વ સમ્મત પણ બની શકે છે

ગુજરાત રાજ્ય સયુક્ત કર્મચારી મોર્ચો હવે સરકારને માંગણીઓને લઇને ઘેરશે

વિરમગામ વિધાનસભા બેઠક હાર્દીકનું હોમ ટાઉન

આમ તો હાર્દીક પટેલનું વતન વિરમગામ છે, પોતાની રાજકીય કારકીર્દી તેઓ ભાજપમાંથી બનાવવા માંગતા હતા,
પણ માંડલના ધારાસભ્ય પ્રાગજી પટેલ હાર્દીક પટેલની કારકીર્દી સામે રોડા બન્યા હતા,,જેથી અપમાનનો બદલો લેવા માટે
મહેસાણાના સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલ સાથે જોડાઇ ને પાટીદારો માટે અનામત મળે માટે આદોલનમાં જોડાઇ ગયા
લાલજી પટેલ સાથે મતભેદો ઉભા પાટીદાર અનામત આદોલન સમિતી બનાવી તેના કન્વીનર બની ગયા,,
વિરમગામ બેઠક પર 2012માં કોગ્રેસના તેજશ્રી બેન પટેલ ધારાસભ્ય બન્યા,, ત્યારે તેઓ 2017માં રાજ્ય સભા ચૂંટણી સમયે
કોગ્રેસ સાથે છેહ કરીને ભાજપમાં જોડાયા અને ઇલેક્શન લડ્યા,, જો કે કોગ્રેસના લાખાભાઇ ભરવાડે તેમને હરાવી દીધા
હવે બે ટર્મથી વિરમગામ બેઠક કોગ્રેસનો ગઢ બની છે, ત્યારે હાર્દીક પટેલના સમર્થકો ઇચ્છે કે તેઓ વિરમગામથી ચૂંટણી લડી વિધાનસભા
પહોચે,, પણ તેમના માટે તેમના પક્ષના સીટીંગ ઘારાસભ્ય લાખા ભાઇ ભરવાડ બમ્પ સાબિત થઇ શકે છે, જો કે લાખા ભાઇ પુર્વ કેન્દ્રિય
પ્રધાન ભરત સિહ સોલંકીના વિશ્વાસું છે,

Advertisement

માલધારીઓ કરશે 19મીથી ગાંધીનગરમા આમરણાંત ઉપવાસ આંદોલન

જામનગર ગ્રામ્ય સીટ ઉપર હાર્દીકના સમર્થકોની નજર

ગુજરાત વિધાનસભાનુ 2010ની વસ્તી ગણતરી મુજબ સિમાંકન કરાયા બાદ જામગર ગ્રામ્ય બેઠક અસ્તિત્વમાં આવી
વર્ષ 2012માં ગુજરાત ભાજપના પ્રમુખ રણછોડ ફળદુ જામનગર ગ્રામ્ય બેઠક પરથી ચૂંટણી લડ્યા જો કે તેમને કોગ્રેસના
રાધવજી પટેલે ઘર ભેગા કરી દીધી,,ગુજરાતમાં ભાજપની જીત થઇ,પણ ગુજરાત ભાજપના સુકાની હારી ગયા
વર્ષ 2017માં રાજ્યસભાની ચૂંટણી સમયે રાઘવજી પટેલે રાજકીય રંગ બદલ્યો અને ભાજપનુ હાથમાં લીધું તેઓ 2017માં
ભાજપના ઉમેદવાર તરીકે જામનગર ગ્રામ્ય બેઠક ઉપરથી ચૂટણી લડ્યાં જો કે કોગ્રેસના વલ્લભ ભાઇ ધારવિયાએ પક્ષ પલ્ટુ
રાધવજી પટેલને ઠેકાણે પાડી દીધા,,પણ વલ્લભ ધારવિયાએ પણ પાંચ વર્ષનો જનતાનો મેન્ડેટ હોવા છતાં 2 વર્ષમાં ગાંધી પેકેજનો
લાભ લઇને માર્ચ 2019માં રાજીનામુ આપી દીધું,,અને રાધવજી પટેલ માટે બેઠક ખાલી કરી દીધીં, અને મતદારો ઉપર વધારાની
પેટા ચૂટણીનો આર્થિક બોજો નાખી દીધો, પણ પાટીદાર અનામત આદોલન દરમિયાન જામનગર જિલ્લામાંથી પણ પાટીદારોએ
હાર્દીક પટેલને સમર્થન આપ્યુ હતું,જેથી સ્થાનિક આગેવાનો પણ ઇચ્છે કે હાર્દીક પટેલ જામનગર ગ્રામ્યમાંથી ચૂંટણી લડે અને ભાજપનો હિસાબ
ચુક્તે કરે,

 

મધ્યાહન ભોજનના નામે મજાક કરતી સરકાર ! 

Advertisement

સુરતમાં વરાછા અને કતારગામમાં પર નજર

પાટીદાર અનામત આદોલન દરમિયાન સુરત મુખ્ય કેન્દ્ર રહ્યો હતો,, પાટીદારોએ અહી ખુલીને હાર્દીકપટેલ અને અનામત આદોલનને
પણ સમર્થન કર્યુ હતું, જ્યારે લાજપોર જેલમાંથી છુટ્યા બાદ હાર્દીકે જે રોડ શો કર્યો હતો તેમાં પાદીદારોએ ભવ્ય આવકાર આપ્યો હતો
સુરતના પાટીદારો ઇચ્છે કે હાર્દીક પટેલ સુરતથી ચૂટણી લડે,તેમાં કતાર ગામ અને વરાછા સીટ ઉપરથી ચૂટણી લડે તો તે જીતી શકે છે
અને તેની એન્ટ્રીથી ભાજપના સુરતના ગઢમાં ગબડુ પાડવાની હાર્દીકમાં ક્ષમતા છે તેમ સુરતના પાદીદારો માને છે, એટલે કે
પાટીલ પવારને ડાઉન કરવો હોય તો હાર્દીક પટેલ મહત્વની ભુમિકા અદા કરી શકે
મહત્વની વાત એ છે કે આ બન્ને બેઠકો હાલ વરાછામાં પુર્વ આરોગ્ય રાજ્ય પ્રધાન કુમાર કાનાણી અને કતારગામમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી
વિનોદ ભાઇ મોરડીયા પ્રતિનિધિત્વ કરે છે,

 

Advertisement
Continue Reading
Advertisement
1 Comment

1 Comment

  1. રાકેશ પંજાબી

    April 13, 2022 at 1:34 pm

    હાર્દીક પટેલે પાટીદાર સમાજ નેં અનામતનો લાભ આપવાની માંગણી સાથે આંદોલન કરેલ પણ એ અપાવી શક્યાં નથી અને સમાજ નો ઉપયોગ કરીને પોતાની રાજકીય લાલશા સંતોષવા રાજકારણ માં જોડાયેલ છે જેમાં યુવાનો અને મહિલાઓ પાટીદાર સમાજ નાં ધણાં લોકો કુત્રિમ રાજકારણ માં કોઇ ખાસ રૂચી ધરાવતા નથી અને અન્ય પક્ષ દ્વારા પણ પાટીદાર સમાજ નેં વિશેષ સ્થાન આપેલું છે જેથી સમાજ પોતાની સમજણ હોય તેવાં ઉમેદવાર ને જ મત આપે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.