Connect with us

અમદાવાદ

જમાલપુર ખાડીયા વિધાનસભામાં ભાજપના હાર માટે જવાબદાર કોણ !

Published

on

જમાલપુર ખાડીયા વિધાનસભામાં ભાજપના હાર માટે જવાબદાર કોણ !

 

જમાલપુર ખાડીયા વિધાનસભામાં આમ તો ભાજપ અને બીજા શબ્દોમાં કહીએ કે  અશોક ભટ્ટ પરિવારનો કબ્જો રહ્યો,

ખાસ કરીને 1975થી વર્ષ 2017 સુધી અજેય રહ્યો,, પણ 2012માં ગુજરાત વિધાનસભામાં થયેલા સિમાંકને

ભટ્ટ પરિવારના કિલ્લાને ધ્વસ્ત કરી દીધો,, સાથે 1972 બાદ કોગ્રેસ સીધા અહી 45 વરસ પછી 2017માં જીતી છે,,

Advertisement

એલિસ બ્રિજ વિધાનસભામાં ભાજપમાં ટિકિટ માટે કોણ મારશે બાજી !

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

 

ખાડિયા વિધાનસભાનો ઇતિહાસ

ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી 1962માં થઇ,

Advertisement

જેમાં પ્રજા સમાજવાદી પક્ષ(પીએસપી)ના બ્રહ્મકુમાર ભટ્ટે કોગ્રેસના  કૃષ્નલાલ દેસાઇને હરાવ્યા હતા

1967માં પીએસપીના બ્રહ્મકુમાર ભટ્ટ કોગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા,અને તેમની સામે એમ જી શાસ્ત્રી

પીએસપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા, અને ખાડિયાની જનતાએ પક્ષ પલ્ટાને ફગાવ્યા,

વર્ષ 1972માં ખાડીયામાં કોગ્રેસના ઉમેદવાર અજીત પટેલે  એસઓપીના ઉમેદવાર જયેન્દ્ર પંડિતને હરાવ્યા ,

વર્ષ 1975માં ભારતિય જનસંધના અશોકભટ્ટે કોગ્રેસના ઉમેદવાર દિક્ષિત કિશોરચંદ્રને હરાવ્યા,,

Advertisement

વર્ષ 1980માં ભાજપની સ્થાપના થઇ ગઇ હતી,અને અશોકભટ્ટ ભાજપમાંથી ચૂંટણી લડ્યા તેમણે ઇન્દિરા કોગ્રેસના વાસુદેવ ભટ્ટને હરાવ્યા

1985માં અશોકભટ્ટે કોગ્રેસના અશોક ભગતને હરાવ્યા

1990માં અશોકભટ્ટે કોગ્રેસના વાસુદેવ ભટ્ટને હરાવ્યા

1995માં અશોક ભટ્ટે કોગ્રેસના રમેશ ચંદ્ર શાહ(પત્રકાર)ને હરાવ્યા

1998માં અશોક ભટ્ટે કોગ્રેસના કોકિલા બેન શાહને હરાવ્યા

Advertisement

2002માં અશોકભટ્ટે કોંગ્રેસના જગત શુકલને હરાવ્યા

2007માં અશોકભટ્ટે કોગ્રેસના  પુર્વ ગૃહમંત્રીના પુત્ર ચેતન પ્રબોધ રાવલને હરાવ્યા

2011માં અશોકભટ્ટનુ નિધન થતા તેમના પુત્ર ખાડિયાના કોર્પોરેટર ભુષણ ભટ્ટ ચૂંટણી લડ્યા અને તેમણે કોગ્રેસના જગત શુકલને હરાવ્યા હતા,

2012માં ગુજરાત વિધાનસભાની નવા સિમાંકન મુજબ ચૂંટણી થઇ,, 2012માં ભુષણ ભટ્ટ ખાડિયા જમાલપુર વિધાનસભા અસ્તિત્વમાં આવી

ભાજપ માટે આ સીટ જાળવી રાખવી મોટો પડકાર હતો, ત્યારે ભાજપ તરફથી ભુષણ ભટ્ટને ટિકીટ અપાઇ

Advertisement

પણ કોગ્રેસના જમાલપુરના ધારાસભ્ય સાબિર કાબલીવાલાને ટિકીટ ન અપાઇ તેમના બદલે સમિરખાનને ટિકીટ આપી દેવાઇ,,જેથી સાબિર કાબલીવાલા નારાજ થયા હતા,

સુત્રોની માનીએ તો પુર્વ મુખ્યપ્રધાન શંકર સિહ વાધેલા વર્ષ 2007માં તેમના વેવાઇ બળવંત સિહ રાજપુત સિધ્ધપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના જયનારાયણ

વ્યાસ સામે હારી ગયા હતા, વર્ષ 2012માં  ગુજરાત કોગ્રેસ માઇનોરીટી સેલના પ્રમુખ વજીરખાન પઠાણ સિધ્ધપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા

જે શંકરસિહ વાધેલાના વેવાઇ બળવંત સિહ રાજપુત માટે ટિકીટ માટે મુશ્કેલી સાબિત થાય તેમ હતું,  વજીર ખાન એ અહેમદ પટેલના વિશ્વાસું હતા,,

આવી સ્થિતિમાં શંકર સિહ  વાધેલાએ વજીર ખાનને તેમના પુત્ર માટે કોગ્રેસ માટે સેફ ગણાતી જમાલપુર બેઠકની ઓફર કરી,, જે વજિર ખાને માન્ય રાખતા

Advertisement

સરખેજના કોર્પોરેટર સમીરખાન પઠાણ ખાડીયા જમાલપુર બેઠકથી ચૂંટણી લડ્યા ,, પણ ત્યારે નારાજ થયેલા કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય સાબિર કાબલીવાલાએ

કોંગ્રેસમાં થી બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું,જે કોગ્રેસ માટે સેટ બેક સાબિત થયું, કારણ કે માઇનોરિટીના મતોમાં વિભાજન થતાં ભાજપના ભુષણ અશોકભટ્ટનો વિજય થયો

2017માં ભાજપના ભુષણ ભટ્ટની સામે કોગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાની જીત થઇ,, આમ 45 વર્ષે ખાડિયા જમાલપુરમા કોગ્રેસના પંજાની જીત થઇ હતી, જ્યારે ભટ્ટ પરિવારની હાર થઇ હતી,

 

અસારવામાં બીજેપીમાં અનેક દાવેદાર !

Advertisement

ખાડીયાના ઉમેદવાર કેટલા !

ભુષણ અશોક ભટ્ટ

જૈવલ ભુષણ ભટ્ટ

મયુર દવે

ડો,હેમંત ભટ્ટ

Advertisement

ચેતન્ય શંભુ મહારાજ,

ભરત સિહ સોલંકી વિરુધ્ધ તેમના પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ

ખાડિયા- જમાલપુર બેઠકમાં ભાજપ માટે કપરા ચઢાણ હોવાથી અહી ઉમેદવારોની સંખ્યા ઓછી છે, છતાં છેલ્લી ઘણીએ વધારાના નામોની ચર્ચા સંભવ છે,

આમ પણ ઉમેદવારોને લઇને અંતિમ નિર્ણય ભાજપ હાઇકમાન્ડને કરવાનો હોય છે,

 

Advertisement

 

 

Continue Reading
Advertisement
1 Comment

1 Comment

  1. રાકેશ પંજાબી

    April 3, 2022 at 3:22 pm

    આ વખતે આપ પાર્ટી અને ઔએસી ની પાર્ટી પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે એટલે લધુમતી મતો માં ભાઞલા પડ્શે એનો સીધો લાભ ભાજપ ને મલશે જુનો જનસંધ વાળો મતદાર તો જરૂર થી ભાજપ ને જ મત આપે લધુમતી મતો માં ભાઞલા પડ્શે જે થી આ સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે જો સ્વચ્છ છબી નો ઉમેદવાર ઉતારશે તો ચોક્કસથી ભાજપ આ સીટ વિજયી થશે થશે અને થશે જ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.