Connect with us

અમદાવાદ

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

Published

on

file photo

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

ગુજરાતમાં ભાજપે વિધાનસભા ઇલેક્શન માટે પ્રચારની રણનિતિ તો ઘડી લીધી છે, પણ હવે તેઓ વિધાનસભાના મુરતિયાઓ માટે માપદંડ લાગુ કરી દીધો છે

સુત્રોની માનીએ તો દિલ્હી હાઇકમાન્ડથી હવે મુરતિયાની પસંગદીની કામગીરી શરુ કરી દેવાઇ છે, સુત્રોની માનીએ તો આ વખતે ગુજરાત ભાજપે ઉમેદવારોની પસંદગી માટે

નિશ્ચિત માપદંડો બનાવી લીધા છે, જેના કારણે મોટી સંખ્યામાં ચાલુ ધારાસભ્યોને ફરી ટિકિટ મળે તેની સામે સવાલો ઉભા થયા છે,,જેથી પાર્ટીમાં કચવાટ પણ શરુ થવાની સંભાવના છે

Advertisement
image

IMAGE

ગુજરાત ભાજપના વરિષ્ઠ સુત્રોની માનીએ તો હવે ગુજરાતમાં ઇલેક્શનને લઇને ચહલ પહલ તેજ થઇ ગઇ છે, અને ઇલેક્શન જલ્દી આવે તેવી સંભાવનાઓ પણ વર્તાઇ રહી છે

 

તેવામાં હવે પક્ષે 2022ના મુરતિયાઓ  માટે માપદંડ બનાવી લીધા છે,

માપદંડોની વાત કરી એ

25 થી 65 ઉમર વાળાને અપાશે ટિકીટ,ચાર ટર્મ ચૂંટણી લડેલા ધારાસભ્યોને નહી મળે ટિકીટ,સ્થાનિક સ્વરાજમાં ચુટાયેલા પ્રતિનિધીઓને નહી મળે ટિકીટમેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન,પક્ષના નેતા અને દંડકને પણ નહી મળે ધારાસભાની ટિકીટ તાલુકા- જિલ્લા પચાયતના સભ્યોને પણ નહી મળે ટિકીટ કોર્પોરેટર્સને પણ નહી મળે ટિકીટ

Advertisement
file photo

file photo

પ્રદેશ કક્ષાએ માત્ર બે હોદ્દેદારોને મળશે ટિકીટ

પાર્ટીના સિનિયર નેતાઓ માને છે કે નરેન્દ્રભાઇ અને અમિતશાહ બન્ને હવે પાર્ટીને નવેસરથી તૈયાર કરવા માંગે છે, ભાજપ નવા કલેવર સાથે અને યુવાઓ સાથે તૈયાર દેખાશે, ભાજપને ખબર છેકે નવા મતદારોમાં યુવાઓ ભાજપ સાથે કનેક્ટ કરે છે, જેથી યુવા ચહેરાઓને વધુ તક આપવાની યોજના છે, આમ ગત વખત જેમને ટિકિટ અપાયા હતા તે પૈકી 80થી વધુ લોકોને ટિકિટ નહી અપાય,,પણ નવા નિયમોથી પાર્ટીના અનેક નેતાઓના અરમાનો ઉપર પાણી ફરી વળશે તેમ હાલ તો લાગી રહ્યુ છે,

 

 

Advertisement
Continue Reading
Advertisement
14 Comments

14 Comments

  1. Kalpesh Chauhan

    March 25, 2022 at 4:52 pm

    Mane lageche ke upeokt nirnay khre Khar sari Che Ane educated Ane saman drasti thi Kam kare Manama Nana karya kartao ne sambhde temaj schi Disa suchan aape Teva Ni pasandgi thay tevi Janta Ni apekshao rakheche Che Jay Shree Ram .

  2. Daxesh Mehta

    March 25, 2022 at 5:07 pm

    Good Dicision…..

  3. Piyush b Leuva

    March 25, 2022 at 5:24 pm

    Very good information.bas is tarahi sabase pahele logoko janakari dete rahiye

  4. Mukesh Brahmbhatt

    March 25, 2022 at 9:54 pm

    Right

  5. Joseph Charles Nelson

    March 26, 2022 at 8:05 am

    Good Morning!
    Namaste!
    Change. The Change in any profession, family matters or politics, enhances for New exposure in Achieving Goals, opportunities to Exposure and Implement the BJP for Continuous growth in Long and Short term road map.
    The seniors aged 60/60+,their experiences, practical solutions, etc, leads to more effective and result oriented Success.
    Regards,
    Joseph Charles Nelson
    (BJP-Vadodara City Minority Cell) -Koshadyaksh.
    +91-9824085117

    • Joseph Charles Nelson

      March 26, 2022 at 8:10 am

      At present BJP-Vadodara City Minority Cell.
      (1)B.Com.
      (2)Post Graduate in Sales and Marketing.
      (3)MBA-Marketing.
      Experienced:
      More than 35 years in Marketing, Consumer, Consumer Durable and Automobiles.
      MBA Students Tuitions of reputed Universities of Vadodara.
      Joseph Charles Nelson Vadodara
      9824085117

    • Joseph Charles Nelson

      March 26, 2022 at 1:43 pm

      Greetings! -From Joseph Charles Nelson.
      Age:61
      Education:(1)B.Com.
      (2)Post graduate in Sales and Marketing.
      (3)MBA-Marketing.
      (4)Experienced more than 35+ years in Consumer, Consumer durable & Automobiles.
      (5)Political Party:At present BJP-Minority Vadodara (Gujarat) -City as Koshadyaksh.
      Regards,
      Joseph Charles Nelson
      +91-9824085117

  6. Joseph Charles Nelson

    March 26, 2022 at 9:17 am

    Joseph Charles Nelson Vadodara
    BJP Minority Cell(Koshadyaksh)

  7. Pingback: અનાર પટેલ લડી શકે છે ચૂંટણી ! – Panchat TV

  8. Borana vanrajsinh Lalubah

    March 26, 2022 at 5:29 pm

    ગામ શિયાણી તા લીંબડી જીલ્લા સુરેન્દ્રનગર

  9. Borana vanrajsinh Lalubah

    March 26, 2022 at 5:30 pm

    સરસ નિયમો છે

  10. રાકેશ પંજાબી

    April 1, 2022 at 1:39 pm

    પરીવર્તન સંસાર નો નિયમ છે ભાજપ નાં નવાં માપ દંડો જોતાં જોતાં લાગે છે કે ધરડા ભલે ઞાડા વાળે પણ હાલ ઞાડા નહીં ઞાડીઓ વાળવા વાળાં જોઈએ નહીં કે રાજા નો દીકરો રાજા બને આવી જ રણનીતિ નક્કી નવાં મોદી જેવા નેતાઓ આપશે

  11. Pingback: ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીનો કેસ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને પરત મોકલ્યો - Panchat TV

  12. Pingback: ગાંધીનગરમાં પુર્વ પ્રધાનના કુતરાનો ત્રાસ - Panchat TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.