Connect with us

Uncategorized

દિનેશ શર્મા ક્યાંના-ન ઘરના ન ઘાટના !

Published

on

file photo

દિનેશ શર્મા ક્યાંના-ન ઘરના ન ઘાટના !

અમદાવાદ મહાનગર પાલિકાના કોગ્રેસના પુર્વ નેતા દિનેશ શર્માને કોગ્રેસ છોડે એક મહિના જેટલો સમય થયો છે,, એક મહિના જ તેમને ભાજપમાં પારકા હોવાનુ અહેસાસ થઇ રહ્યો છે
સુત્રોની વાત સાચી માનીએ તો અસારવા વિધાનસભા સિવાય કોઇ અન્ય વિધાનસભામાં રાજકીય રીતે સક્રીય ન રહેવા કહી દેવાયુ છે, ત્યારે એકાદ વખત નહી તેમને એક થી વધુ વખત
ભાજપમાં અપમાનના ઘુટડા સહન કરવાનો વારો આવ્યો છે,, અને તેઓ હવે પશ્ચાઇ રહ્યા હોવાનુ પણ તેમના નજીકના સુત્રો કહી રહ્યા છે,,

 

જીતુ ભાઇ વાધાણીને ડેમેજ કરવામાં કોને છે રસ !

હિન્દીભાષી શર્મા કોના વિશ્વાસુ ?
તમને યાદ હશે કોગ્રેસના નેતા દિનેશ શર્મા વાજતે ગાજતે રેલી સાથે કમલમ પહોચીને ચંદ્રકાંત પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો, તેઓએ દાવો કર્યો હતો કે
હવે કોગ્રેસને ખતમ કરી જ જંપશે,, દિનેશ શર્મા હિન્દી ભાષીઓમાં ખુબ લોકપ્રિય નેતા છે, હિન્દી ભાષિયોમાં તેમને પડ્યા બોલ ઝિલાય છે,,
એટલુ જ નહી તેઓ ગરીબોના બેલી માનવામાં આવે છે, યુવાઓ અને મહિલાઓમાં તેમની સારી પકડ છે,,અને એટલા માટે જ હિન્દીભાષી દિનેશ શર્માને કોગ્રેસે તેમની ઇચ્છા મુજબ
ક્યારેક કુબેનર નગર તો ક્યારેક નરોડા રોડ, ક્યારેક ઇન્ડિયા કોલોની તો ક્યારેક ચાંદખેડાથી ટિકીટ આપી, જ્યાંથી ક્યારેક તેઓ જીત્યા તો ક્યારેક હારનો સ્વાદ પણચાખ્યો,, પણ કોગ્રેસ તેમને સાચવતી રહી
કોગ્રેસે તેમને એએમસીમાં વિપક્ષના નેતા પણ બનાવ્યા હતા,
વર્ષ 2017માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં બાપુનગર વિધાનસભા બેઠકની ટિકીટ માંગી હતી
જો કે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતના અંગત વિશ્વાસુ એવા રાજસ્થાની ગુર્જર પટેલ હિમ્મત સિહ ટિકીટ લેવામાં સફળ રહ્યા,,

Advertisement

 

ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું !

દિનેશ શર્માને કોગ્રેસે કેમ ન સાચવ્યા ?
દિનેશ શર્મા પુર્વ કેન્દ્રિય મંત્રી ભરત સિહ સોલંકીના વિશ્વાસુ ગણાતા હતા, જોકે બાપુનગર વિધાનસભાની ટિકિટ ન મળતા તેઓ કોગ્રેસની નેતાગિરીથી નારાજ હતા
તેમના સમર્થકોએ હિમ્મત સિહ પટેલને હરાવવાનો કારસો રચ્યો હતો જોકે તેઓ સફળ ન થયા તેમ હિમ્મત સિહના નજીકના સુત્રો કહે છે,
વર્ષ 2021માં યોજાયેલ અમદાવાદ મહાનગર પાલિકાની ચૂટણીમાં દિનેશ શર્માની સરસપુર રખિયાલ વોર્ડમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા હતી, જો કે બાપુનગરના ધારાસભ્ય હિમ્મત સિહ પટેલે
સરસપુર સખિયાલ વોર્ડમાં થી દિનેશ શર્માને ચૂટણી લડાવવા સામે વિરોધ કર્યો હતો, જેને કારણે દિનેશ શર્માને ચાંદખેડા વોર્ડમાંથી ઇલેક્શન લડવા જવું પડ્યુ અને તેમને કારમી હારનો સામનો
કરવો પડ્યો હતો,

 

પૈસો મારો પરમેશ્વરને હુ પૈસાનો દાસ ગીત ગાતા ઔડાના અધિકારીઓ !

Advertisement

બાપુનગરમાં નો એન્ટ્રી !
પ્રદેશ ભાજપ તરફથી થોડા દિવસ પહેલા શહેરના વિવિધ ભીતો ઉપર કમળ દોરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ એરપોર્ટ રોડ ઉપર ભીત ચિત્રના
કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે હરખ પદુડા થઇને દિનેશ શર્મા કાર્યક્રમમાં હાજરી આપવા પહોચ્યા હતા, જો કે ભાજપના કાયકર્તાઓએ તેમને ભાવ ન હોતો આપ્યો,,જેથી તેઓ ત્યાંથી
ચાલતી પકડી હતી, બીજી વખત તેઓએ અમદાવાદમાં શહેર ભાજપ પ્રમુખને બાપુનગર વિધાનસભાના હિન્દી ભાષી સમાજની વસ્તી વધુ છે અને ત્યાં તેમનો પ્રભાવ હોવાથી ભાજપને ફાયદો થાય તેમ છે જેથી
તમામ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે અપેક્ષિત રાખવા રજુઆત કરી હતી,,
ત્યારે શહેર ભાજપ પ્રમુખ, અમિત શાહે તેમને માત્ર અસારવા વિધાનસભામાં જ અપેક્ષિત ગણવાની વાત કરતા તેઓ ઢીલા થઇ ગયા હતા,

 

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

બાપુનગરમાં ઓબી વર્સીસ સીબીની લડાઇ તેજ !

મહત્વની વાત એ છે કે દિનેશ શર્માની ઇચ્છા બાપુનગર વિધાનસભાામાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂટણી લડવાની છે, ત્યારે બાપુનગર ભાજપમાં પણ અનેક ઉમેદવારો છે,, જેઓ તાલ ઠોકી રહ્યા છે,,જેમાં
મુળ યુપીના જગરુપ સિહ રાજપુત તેઓ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે, મુળ ગુજરાતી એવા ભાસ્કર ભાઇ ભટ્ટ જેઓ મ્યુ, ભાજપના નેતા અને સિનિયર નેતા છે,, રાજસ્થાની એવા પ્રકાશ ગુર્જર, અને ઉત્તર ભારતિય એવા દિનેશ ભાઇ કુશવાહ
મેદાનમાં છે, તો આપના નેતા ઇશુદાન ગઢવી ઉપર છેડતીનો આરોપ લગાવનાર બોપલના નિવાસી એવા ડો, શ્રધ્ધા રાજપુતનો પણ ડોળો બાપુનગર વિધાનસભા ઉપર છે, ત્યારે ભાજપમાં ઓરિજનલ બીજેપી( ઓબી) અને કોગ્રેસ
યુક્ત બીજપી( સીબી)ની લડાઇ તેજ બની છે,આવી સ્થિતિમાં દિનેશ શર્મા માટે બાપુનગરમાંથી ચૂટણી લડવી મુશ્કેલ છે
ત્યારે મુળ ભાજપ અને સ્થાનિક નેતાઓને જ ટિકીટ મળે તેવી લાગણી ભાજપના કાર્યકર્તાઓમાં છે,,જ્યારે કોગ્રેસમાંથી આવેલા નેતાઓ એવુ માને છે કે જીતી શકે તેવા નેતાઓને જ ટિકીટ મળવી જોઇએ હવે ત્યારે જોવાનુ રહ્યુ કે
ઓબી વર્સી સીબીની લડાઇમા્ં કોણ સફળ થશે,

Advertisement

 

ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત !

Uncategorized

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારે શું કર્યું ?

Published

on

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (S.I.T) ની રચના કરાઈ

રાજ્યના પુરવઠા વિભાગ હેઠળના ગોડાઉન કે સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ કે ચોરીની ઘટના બાબતે રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે. ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવી શકાય અને અગાઉ બનેલા આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડકમાં કડક સજા કરાવી શકાય તે માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરની SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) બનાવવાનો નિર્ણય લીધો છે. આ સીટની રચનાથી સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એકસૂત્રતા અને અસરકારકતા આવશે.

સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં રચાયેલી આ S.I.T માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ

SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અધ્યક્ષ તરીકે સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકશ્રી હશે. તે ઉપરાંત સભ્ય તરીકે અન્ન અને નાગરિક પુરવઠાના નિયામક તેમજ સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ અધીક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીટમાં સભ્ય સચિવ તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેકટરશ્રી હશે. ઉપરાંત અન્ય સભ્યમાં સંબંધિત જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી અને સંબંધિત નાયબ પોલીસ અધીક્ષકનો સમાવેશ આ ખાસ તપાસ દળમાં કરવામાં આવ્યો છે.

ગૃહ વિભાગે બનાવેલી SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. તે ઉપરાંત આ પ્રકારના જે ગુનાઓની પોલીસ તપાસ પૂર્ણ થઇ ગયેલી છે તે ગુનાઓની પણ સમીક્ષા કરીને સૂચિત કાર્યવાહી અંગે સંબંધિત પોલીસ અધીક્ષકને જરૂરી સૂચનો કરશે. આ સમિતિએ દર મહિને બેઠક કરીને કાર્યવાહીની સમીક્ષા નોંધ અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને ગૃહ રાજ્ય મંત્રીને રજૂ કરવાની રહેશે.

Advertisement
Continue Reading

Uncategorized

કિસાનો માટે કલ્યાણકારી અને લાંબા ગાળાના લાભો આપનારું બજેટ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Published

on

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત સરકારના વર્ષ 2023-24 ના અંદાજપત્રને ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબાગાળાના લાભો આપનારું અંદાજપત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે કિસાનો પ્રેરિત થાય એવા પ્રયત્નો કરીને, ખેડૂતોની આવક બમણી કરવા સરકારે વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે રહેવાની પ્રતિબદ્ધતા આ અંદાજપત્રમાં વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અમૃતકાળ માટે ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની દિશા નિર્ધારિત કરતા અંદાજપત્ર માટે અભિનંદન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સંલગ્ન પ્રશિક્ષણ અને કૃષિ, મત્સ્યોદ્યોગના વિસ્તરણ-સંશોધન માટે કાર્યરત ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને માળખાકીય સગવડોના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 1,153 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે, જે આવકાર્ય છે. આ જોગવાઈથી ખેડૂતોની આવતીકાલ વધુ ઉજ્જવળ બનશે.

ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચર લર્નિંગ એન્ડ ઇન્ટીગ્રેશન મિશન- TALIM યોજના પણ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા 203 કરોડની ફાળવણી કરાઈ છે, જેનાથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા અને દેશી ગાયોની જાળવણી કરવા પ્રોત્સાહિત થશે.

Continue Reading

Uncategorized

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !

Published

on

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !

ગુજરાત સરકારનું ગૃહ વિભાગ હવે વડા પ્રધાન નરેન્દ્રમોદીના આત્મ નિર્ભર ભારતના સ્વપ્ન ને સાકાર કરવા તરફ વધી રહી છે,, સુત્રોની માનીએ તો ગૃહ વિભાગ ખાસ પ્લાન તૈયાર કરાયો છે, જેની બજેટ સત્રમાં જાહેરાત થઇ શકે છે,

 

ગૃહ વિભાગે જે પ્લાન બનાવ્યો છે તે મુજબ આગામી સમયમાં રાજ્યના 100થી વધુ નવા પોલીસ સ્ટેશનો બનશે, તે આત્મ નિર્ભર બનશે, જેના માટે ખાસ તૈયારી ગૃહ વિભાગે કરી છે,આ પ્લાનિંગમાં પોલીસ વિભાગ સાથે જન ભાગીદારીથી પોલીસ સ્ટેશનોનું નિર્માણ થશે, એટલુ જ નહી પોલીસ સ્ટેશનના ખર્ચમાં ઘટાડો થાયતે માટે સો થી વધુ પોલીસ સ્ટેશનમાં સોલાર પેનલ લગાવવામાં આવશે, જેના કારણે વિજ ખર્ચમાં ઘટાડો થશે, આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં મેન્ટનંસનો ખર્ચો ઉઠાવવો ન પડે તે માટે પોલીસ સ્ટેશનોમાં એટીએમ,બેંક,જેવી જાહેર સુવિધઓ ઉભી કરાશે, જે ગુજરાત સરકારનો પ્રથમ પ્રયોગ હશે, જેનાથી સરકારની તિજોરી ઉપર ભારણ ઘટશે,

 

Advertisement

 

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.