Connect with us

jyotish

જ્યોતિષ વિદ્યા પ્રદાન ક્ષેત્રે કાર્યરત ગુજરાત ની નામાંકિત સંસ્થા એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો

Published

on

જ્યોતિષ વિદ્યા પ્રદાન ક્ષેત્રે કાર્યરત ગુજરાત ની નામાંકિત સંસ્થા એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો

શરદ પૂર્ણિમા ના પવિત્ર દિવસે, જ્યોતિષ વિદ્યા પ્રદાન ક્ષેત્રે કાર્યરત ગુજરાત ની નામાંકિત સંસ્થા એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં સુવિખ્યાત જ્યોતિષ વિદ્વાન ડૉ. નલીન પંડ્યા, ડૉ. ભાવિન દેસાઈ, જાણીતા શિક્ષણવિદ્ અને એચ. કે. આર્ટસ કોલેજ ના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ ડો.સુભાષ બ્રહ્મભટ્ટ તથા સંસ્કૃત ભાષા અને વેદો-ઉપનીષદો ના જ્ઞાતા યુરોપિયન વિદ્વાન યોગાનંદ સ્વામી તથા એમની માતા  ઉપરાંત જ્યોતિષ ક્ષેત્રે સૌ પ્રથમ ટેલે એસ્ટ્રોલોજી નો આવિષ્કાર કરનાર દેશ ની ખૂબ જ જાણીતી સંસ્થા ગણેશા સ્પીક્સ ના આ. વાઈસ પ્રેસિડેન્ટ ગૌરાંગ પંડ્યા એ ઉપસ્થિત રહી અને સર્વે વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન, પ્રેરણા સાથે આશિર્વાદ આપ્યા હતા

 

. આ કાર્યક્રમમાં કુલ ૩૬ વિદ્યાર્થીઓ ને સર્ટિફિકેટ અને મેડલ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા ના ફાઉન્ડર ડૉ. આશિષ વ્યાસ તથા કો. ફાઉન્ડર આચાર્ય રિદ્ધિ ઠક્કર, આચાર્ય કોમલ શુક્લ દ્વારા સંસ્થા ના ભાવિ આયોજન ની વિગતો અને સમાજ ઉપયોગી કાર્યો ની પણ જાહેરાત કરવામાં હતી.આ પ્રસંગે ડૉ. આશિષ વ્યાસે જણાવ્યું હતું કે જ્યોતિષ વિદ્યા એ ડીવાઈન સાયન્સ છે અને સાયન્સ થી દરેક વ્યક્તિ માહિતગાર હોવો જ જોઈએ ત્યારે જ રૂષિ મુનિ ઓ ની મહેનત સાર્થક થઈ કહેવાશે.

jyotish

૩ સરકારી, ૩૪ અર્ધસરકારી અને ૯ અનુદાનિત એમ કુલ ૪૬ પાઠશાળાનું સશક્તિકરણ કરવામાં આવશે જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી

Published

on

સંસ્કૃત સાધના અંતર્ગત સંસ્કૃત ભાષાની હયાત સંસ્કૃત પાઠશાળાઓનું સશક્તિકરણ કરવાનો શિક્ષણ વિભાગનો ઐતિહાસિક નિર્ણય

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

૩ સરકારી, ૩૪ અર્ધસરકારી અને ૯ અનુદાનિત એમ કુલ ૪૬ પાઠશાળાનું સશક્તિકરણ કરવામાં આવશે

છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ફૂડ બિલ સહાય રૂ. ૧૨,૦૦૦ આપવામાં આવશે

ગણવેશ, પુસ્તક, સ્ટેશનરી તથા જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે વિદ્યાર્થી સહાય રૂ. ૪૦૦૦ આપવામાં આવશે

Advertisement

સંસ્કૃત પાઠશાળાના અભ્યાસક્રમો જી.સી.ઈ.આર.ટી. દ્વારા તૈયાર કરવામાં આવશે

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સંસ્કૃત સાધના અંતર્ગત સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ માટે તત્વચિંતનના સંવર્ધન માટે હયાત સંસ્કૃત પાઠશાળાઓનું સશક્તિકરણ કરવાનો ઐતિહાસિક નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ માટે તત્વ ચિંતનના સંવર્ધન માટે હયાત ૩ સરકારી, ૩૪ અર્ધસરકારી અને ૯ અનુદાનિત એમ કુલ ૪૬ પાઠશાળાનું સશક્તિકરણ કરવામાં આવશે. સંસ્કૃત ભાષાની જાળવણી તેમજ સંસ્કાર અતિ મહત્વના છે ત્યારે સંસ્કૃતમાં તેની જાગૃતતા વધે એ હેતુથી ચાલતી પાઠશાળાઓ માટેનો અગત્યનો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો છે
૬, ૭, ૮ ના વર્ગો શરૂ કરવા પૂર્વ માધ્યમમાં ૯ અને ૧૦ અને પૂર્વ વર્ગમાં ધો. ૧૧ અને ૧૨ ના વર્ગોનું નિયમન કમિશનર શાળાની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવશે તમામ પાઠશાળાઓને ૧૦૦ ટકા ગ્રાન્ટ તેમજ નિભાવ ગ્રાન્ટ આપવામાં આવશે. આ શાળાઓમાં અધ્યાપકો નિમણૂક કેન્દ્રીયકૃત પદ્ધતિથી કરવામાં આવશે. આ ઉપરાંત છાત્રાલય ગૃહપતિ,રસોઈ, હેલ્પર, અધ્યાપક, ચોકીદારની વ્યવસ્થા માટેની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે.

આ પાઠશાળાઓમાં યજ્ઞશાળા, લેબોરેટરી, વૈદિક ગણિત, ખગોળ વિજ્ઞાન, જ્યોતિષ લેબોરેટરી ની સુવિધાઓ આપવામાં આવશે. છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ફૂડ બિલ સહાય રૂ. ૧૨,૦૦૦ આપવામાં આવશે તેમજ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તક, સ્ટેશનરી તથા જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે વિદ્યાર્થી સહાય રૂ. ૪૦૦૦ આપવામાં આવશે. સંસ્કૃત પાઠશાળા ગ્રંથાલય સંવર્ધિત કરવા માટે તેમજ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોની જાળવણી અને ડિજિટલાઇઝેશન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ડિજિટલ ઇન્ડિયાની નેમ અંતર્ગત વાત કરતા હોય ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિ વર્ષ ૨૫૦૦૦ થી ૪૦૦૦૦ વાર્ષિક ગ્રાન્ટ આપવામાં આવશે.

આ સંસ્કૃત પાઠશાળાના અભ્યાસક્રમો જી.સી.ઈ.આર.ટી. દ્વારા તૈયાર કરવામાં આવશે તેમજ પરીક્ષાનું માળખું પૂર્વ મધ્યમાં અને ઉત્તર મધ્યમાં કક્ષના વર્ગો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે અને તમામ સંસ્કૃત પાઠશાળાઓનું જોડાણ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે જોડવામાં આવશે

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.