ક્રાંતિકારી સંત શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી નિધન
જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષે થયું છે. તેઓએ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે સાડા 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. સ્વામી શંકરાચાર્ય બીમાર હતા.તેઓએ દેશની આઝાદીની લડાઈમાં જેલમાં ગયા હતા.રામ જન્મભૂમિ ના ચાલી રહેલા વિવાદ દરમ્યાન તેઓ રામ મંદિર ના નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી.
શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદે માહિતી આપી હતી કે સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને સોમવારે સાંજે 5 વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે.
જગદગુરુ શંકરાચાર્ય શ્રીસ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી બે મઠ (દ્વારકા અને જ્યોર્તિમઠ)ના શંકરાચાર્ય છે.તેમના પૂર્વાશ્રમની વાત કરીએ તો તેઓ નો જન્મ સિવની જિલ્લાના જબલપુરની પાસે દિઘોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું
તેઓએ 9 વર્ષની ઉંમરે ઘર છોડીને ધર્મ યાત્રા શરૂ કરી હતી. એ દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશના કાશી પહોંચ્યા અને જ્યાં તેઓને બ્રહ્મલીન શ્રીસ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ લીધું.ગાંધીજી એ વર્ષ 1942 માં ભારત છોડો ની અંગ્રેજો સામે લડાઈ છેડી ત્યારે તેઓ માત્ર 19 વર્ષની ઉંમરે આઝાદી ની લડાઈ માં જોડાઈ ગયા હતા તેઓ ત્યારે ક્રાંતિકારી સાધુ તરીકે પ્રસિદ્ધ થયા હતા, કેમકે તે સમયે દેશમાં અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થવાની લડાઈ ચાલી રહી હતી. શંકરાચાર્યજીના 99મા જન્મદિવસની ઉજવણી હરિયાળી તીજના દિવસે કરવામાં આવી હતી.
નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીએ અંતિમ શ્વાસ લીધા. આશ્રમમાં તેમના રુમને હોસ્પિટલ બનાવવામાં આવી હતી.
નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીએ અંતિમ શ્વાસ લીધા. આશ્રમમાં તેમના રુમને હોસ્પિટલ બનાવવામાં આવી હતી.
તેઓ એ વર્ષ 1950માં દંડ દીક્ષા લીધી
સ્વામી સ્વરૂપાનંદે 9 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી દીધું હતું. જે પછી તેઓ કાશી પહોંચ્યા, ભારતના દરેક પ્રસિદ્ધ તીર્થસ્થાનો, સ્થળો અને સંતોની મુલાકાત લીધી. સ્વામી સ્વરૂપાનંદને 1950માં દાંડી સન્યાસી બનાવવામાં આવ્યા હતા. જ્યોતિમઠ પીઠના બ્રહ્માલિન શંકરાચાર્યએ સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સન્યાસની દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. તેમને 1981માં શંકરાચાર્યની પદવી મળી હતી.
1942માં જ્યારે ભારત છોડો આંદોલનની જાહેરાત કરવામાં આવી ત્યારે સ્વામી સ્વરૂપાનંદ પણ આ આંદોલનમાં જોડાયા હતા. 19 વર્ષની ઉંમરે તેઓ ક્રાંતિકારી સાધુ તરીકે પ્રખ્યાત થયા. તેઓ વારાણસીમાં 9 મહિના અને મધ્યપ્રદેશની જેલમાં 6 મહિના સુધી કેદ રહ્યા હતા.
રાજયસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે દ્વીપીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ પરમ પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ આજરોજ દેવલોક ગમન કર્યું છે તે જાણી અત્યંત વ્યથિત છું . તેઓના રૂબરૂ દર્શન અને આશીર્વાદ લેવા અનેક વખત સદભાગી બન્યો હતો . તેઓ સ્પષ્ટ વક્તા અને ઉત્તમ સ્વભાવના ધણી હતા . તેઓનો મારા પ્રત્યેનો પ્રેમ કદી નહીં વિસરી શકાય . સમગ્ર સનાતન ધર્મ તેમજ દ્વારકાને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
ગુજરાત ના જાણીતા રાજકીય વિશ્લેષક હર્ષદ બ્રહ્મભટ્ટે પણ દુઃખ વ્યક્ત કર્યું છે.