અમદાવાદ
76 માં સ્વાતંત્ર્યદિન નિમિત્તે હીરામણિ સ્કૂલમાં ધ્વજવંદનનો યોજાયો કાર્યક્રમ
76 માં સ્વાતંત્ર્યદિન નિમિત્તે હીરામણિ સ્કૂલમાં ધ્વજવંદનનો યોજાયો કાર્યક્રમ
76 માં સ્વાતંત્ર્યદિન નિમિત્તે હીરામણિ સ્કૂલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ એ કે સુરોલિયા (રિટા. આઇપીએસ) ના મુખ્ય મહેમાન પદે યોજાયો. તેમજ બાળકો દ્વારા દેશભક્તિને લગતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો હીરામણિના રંગઉપવનમાં રજૂ કરાયાં હતાં. આજના આ ધ્વજવંદન કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા એ.કે.સુરોલિયા સાહેબ (રીટાયર્ડ, આઈ.પી.એસ.) તેમણે પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીના જીવનમાં સર્વાંગી વિકાસ માટે વિવિધ પુસ્તકોનું વાંચન સતત કરતા રહેવું જોઈએ. પુસ્તકો દ્વારા વિદ્યાર્થી પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવી શકે છે. આ સમાધાન ગુણવત્તાયુક્ત હોય છે. પુસ્તક વાંચવાથી સારા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. વિદ્યાર્થી સારી વ્યક્તિના સોબતમાં રહેશે તો તેનામાં સંસ્કારનું સિંચન થશે. જે ઉત્તમ વાંચક છે તે સારા લીડર પણ હોય છે.’’ આજના આ પ્રસંગે હીરામણિ સંકુલમાં આવવું તે મારા માટે તીર્થયાત્રાથી ઓછુ નથી.
આ ધ્વજવંદનના કાર્યક્રમમાં હીરામણિ સંસ્થાના પ્રમુખ અને રાજ્યસભા ના સંસદ સભ્ય નરહરિભાઈ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, ટ્રસ્ટના સેક્રેટરી આર.સી.પટેલ, જોઈન્ટ સેક્રેટરી પંકજભાઈ દેસાઈ, મેનેજીંગ ટ્રસ્ટી વરુણભાઈ અમીન, ટ્રસ્ટી ડૉ.ચંદ્રકાન્ત મહેતા, ટ્રસ્ટી વિજુલબેન અમીન, ગવર્નિંગ બોર્ડના મેમ્બર્સ પ્રવિણભાઈ અમીન, ઘનશ્યામભાઈ અમીન, પ્રશાંતભાઈ અમીન, સી.ઈ.ઓ. ભગવતભાઈઅમીન, ડૉ.ગુંજનભાઈ શાહ, નીતાબેનશર્મા, પ્રિ.કોષાબેન પટેલ,, .પીનાક્ષીબેનવડોદરીયા, ગુંજનબેન શિવાલકર અને તમામશિક્ષકભાઈબહેનો-વિદ્યાર્થીઓ અને હીરામણિ સાંધ્યજીવન કુટિરના વડીલો ઉપસ્થિત રહ્યા હતા.