By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગોધરા અને કાલોલ તાલુકાના કુલ ૪ કરોડ ૮૧ લાખના ૨૮૬ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > પંચમહાલ > ગોધરા અને કાલોલ તાલુકાના કુલ ૪ કરોડ ૮૧ લાખના ૨૮૬ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું
ગુજરાતપંચમહાલરાજકારણ

ગોધરા અને કાલોલ તાલુકાના કુલ ૪ કરોડ ૮૧ લાખના ૨૮૬ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

Web Editor Panchat
Last updated: September 12, 2022 9:30 pm
Web Editor Panchat Published September 12, 2022
Share
SHARE

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે “વિશ્વાસ થી વિકાસ યાત્રા” પ્રાંત કક્ષાના કાર્યક્રમનું કરાયું આયોજન

ગોધરા અને કાલોલ તાલુકાના કુલ ૪ કરોડ ૮૧ લાખના ૨૮૬ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

સરકારે છેવાડાના વ્યક્તિ અને દરેક કુટુંબની ચિંતા કરી છે,આજે છેવાડાનો વ્યક્તિ પણ આત્મનિર્ભર બન્યો છે. – ધારાસભ્ય સી કે રાઉલજી

 

ગુજરાત સરકાર દ્વારા રાજયભરમાં વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ રાજય-જિલ્લા-પ્રાંત કક્ષાએ વિવિધ વિભાગના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકાભિમુખના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત આજ રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે ધારાસભ્ય સી.કે.રાઉલજીની અધ્યક્ષતામાં પ્રાંત કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અત્રે વિવિધ મહાનુભાવો અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય સી કે રાઉલજીના હસ્તે જિલ્લાના વિવિધ વિકાસના કાર્યોની તકતીનું લોકાર્પણ કરાયું હતું. ઉપસ્થિત તમામ લોકોએ વિશ્વાસ થી વિકાસ યાત્રા ફિલ્મને નિહાળી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય સી કે રાઉલજીએ પોતાના ઉદ્દબોધનામાં જણાવ્યું હતું કે છેલ્લા વીસ વર્ષના સમયગાળામાં જિલ્લામાં સિંચાઇ,આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે અનેક વિકાસના કાર્યો થયા છે. તેમણે પાનમ વિસ્તારમાં સિંચાઇ માટે જણાવ્યું કે અગાઉ ૩૨૪ કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવાઇ હતી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પંચમહાલની મુલાકાત લઈ આ વિસ્તારમાં સિંચાઇ માટે વધુ ૧૨૮ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. આનાથી સિંચાઇ ક્ષેત્રે છેલ્લા ૧૫ વર્ષથી ચાલી આવેલ સમસ્યાને હલ કરવામાં આવી છે. સરકારશ્રી તરફથી ગોધરા ખાતે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા ઓવબ્રિજ, રેલ્વે ઓવરબ્રિજ સહિતના કાર્યો માટે ૧૧૮ કરોડની માતબર રકમ ફાળવાઇ છે. પંચમહાલ જિલ્લો આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બને તેના અનુસંધાને રૂપિયા ૧૪૧ કરોડના ખર્ચે નવીન મેડિકલ કોલેજની મંજૂરી મળી છે. શિક્ષણ માટે વિજોલ મુકામે ૧૦૦ એકર જમીનમાં યુનિવર્સીટી માટેનું કાર્ય પૂર્ણ થવાના આરે છે. આજે આયુષ્યમાન યોજના થકી જિલ્લાના દરેક વ્યક્તિને ૫ લાખનું વિમા કવચ મળ્યું છે. ગોધરા ખાતે નવીન ટાઉનહોલ માટે ૫ કરોડની રકમ મંજૂર થયેલ છે. નળ સે જળ યોજના અંતર્ગત જિલ્લામાં ૮૦ ટકા કાર્ય પૂર્ણ થયેલ છે. સરકારશ્રી તરફથી છેવાડાના વ્યક્તિ અને દરેક કુટુંબની ચિંતા કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત તરફથી શાબ્દિક સ્વાગત અને ભાભોર તરફથી આભારવિધિ કરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લામાં વિશ્વાસ થી વિકાસ યાત્રા પ્રાંત કક્ષાના કાર્યક્રમમાં ૩ કરોડ ૧૬ લાખ ૯૦ હજાર રૂપિયાના કુલ ૨૦૨ કામોનું ખાતમુર્હુત અને ૧ કરોડ ૬૪ લાખ ૧૦ હજાર રૂપિયાના ૮૪ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ કુલ ૪ કરોડ ૮૧ લાખના ૨૮૬ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આજના આ પ્રસંગે કાલોલ ધારાસભ્ય સુમનભાઈ ચૌહાણ, ગોધરા તાલુકા પંચાયત પ્રમુખ સુનિતાબેન બારીયા, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત દંડક અરવિંદસિંહ પરમાર, ગોધરા અને કાલોલ તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

You Might Also Like

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત

મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત

પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના

ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત

ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

50 વર્ષ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચ્યું
ગુજરાત વડોદરા
બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે
ગાંધીનગર ગુજરાત ધર્મ દર્શન
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો કુંવરજીભાઇ બાવળીયા
ગાંધીનગર ગુજરાત
H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
ગાંધીનગર ગુજરાત હેલ્થ
રાજય સરકાર ભાવિક ભક્તો કેમ નહીં ઝુકે અંબાજી માં ચીકીનો પ્રસાદ વહેંચવા માટે સરકાર મક્ક્મ ઋષિકેશ પટેલ
ગાંધીનગર ગુજરાત ધર્મ દર્શન
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?