Connect with us

ગાંધીનગર

ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બનવા માટે ગુજરાત પાસે પૂરતું પોટેન્શીયલ છે : ભૂપેન્દ્ર પટેલ : મુખ્યમંત્રી

Published

on

ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બનવા માટે ગુજરાત પાસે પૂરતું પોટેન્શીયલ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

 

વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતમાં ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે નવા સ્ટાર્ન્ડડ સેટ કરવાની નેમ

 

 

Advertisement

કેન્દ્ર સરકારના શિપીંગ-પોર્ટસ-વોટર વેઝ મંત્રાલય-ગુજરાત મેરિટાઇમ બોર્ડ-ફિક્કી દ્વારા સહઆયોજિત ઇન્ટરનેશનલ સેમિનાર ઓન શિપ રિસાયક્લિંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપ પોલિસીનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રીશ્રી-દેશ-વિદેશના પ્રતિનિધિઓ સહભાગી :-

 

ગુજરાત પોર્ટ લેડ ડેવલપમેન્ટની રાહે આગળ વધ્યું છે

રાજ્યના નોન મેજર પોર્ટસ પરથી ર૦ર૧-રરમાં ૪૦પ મિલીયન મેટ્રીક ટન કાર્ગો પરિવહન થયું

સેઇફ એન્ડ સસ્ટેઇનેબલ શિપ રિસાયક્લિંગ માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ મહત્વની ભૂમિકા માટે સજ્જ કેન્દ્રીય મંત્રીશ્રી

Advertisement

વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન-પ્રોએક્ટીવ પોલિસીઝ તેમજ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રકચરને કારણે દેશની દરિયાઇ સફળતાની ગાથામાં ગુજરાત અગ્રેસર છે

સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં દરિયાઇ ક્ષેત્રના સમૃધ્ધ વિકાસ માટે પ્રોત્સાહન આપ્યું છે

રાજ્યમાં ૭૪ પ્રોજેક્ટસ કાર્યરત

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે  જણાવ્યું છે કે ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બનવા માટે ગુજરાત પાસે પૂરતું પોટેન્શ્યલ છે. ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે નવા સ્ટાર્ન્ડડ સેટ કરવાની ગુજરાતની નેમ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી ગાંધીનગરમાં શિપ રિસાયક્લિંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંગેના ઇન્ટરનેશનલ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરી રહ્યા હતા.

Advertisement

 

ભારત સરકારના શિપીંગ, પોર્ટસ-વોટર વેઝ મંત્રાલય તેમજ ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ફેડરેશન ઓફ ઇન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આ દ્વિદિવસીય ઇન્ટરનેશનલ સેમિનાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહ્યો છે.

 

ભારત સરકારના શીપીંગ, પોર્ટસ, વોટરવેઝ મંત્રી  સર્બાનંદ સોનોવાલ તથા રાજ્યના શિક્ષણ સાયન્સ ટેક્નોલોજી મંત્રી  જીતુભાઇ વાઘાણી તથા નોર્વે અને ડેન્માર્ક રાષ્ટ્રો સહિત ભારતના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ આ ઇન્ટરનેશનલ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Advertisement

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, દેશનો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મીટરનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. એટલું જ નહિ, મેરિટાઇમ સેક્ટરમાં પ્રાચિન કાળથી વર્તમાન સુધીનો ગુજરાતનો ઉજ્જવળ અને સુદીર્ધ ઇતિહાસ છે.

 

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત પોર્ટ લેડ ડેવલપમેન્ટની રાહે આગળ વધ્યું છે. દેશનું ૪૦ ટકાથી વધારે કાર્ગો ગુજરાતના બંદરોએથી સંચાલિત કરવામાં આવે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. ૧ મેજર તથા ૪૮ નોન મેજર પોર્ટસ ધરાવતા ગુજરાતના નોન મેજર પોર્ટસ પરથી ર૧-રર ના વર્ષમાં ૪૦પ મિલીયન મેટ્રીક ટન કાર્ગો પરિવહન થયું છે તેનો પણ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.

 

સુગ્રથિત ઇન્ફ્રાસ્ટ્રકચર અને કનેક્ટીવીટીના પરિણામે લીડસ ઇન્ડેક્ષમાં ત્રણ વર્ષથી ગુજરાત પ્રથમ રહ્યું છે.

Advertisement

 

આ ઉપરાંત પી.એમ ગતિશક્તિ માસ્ટર પ્લાનમાં પણ ગુજરાત ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યું છે. દેશના ગ્રોથ એન્જીન એવા ગુજરાતમાં શિપ રિસાયક્લિંગ ઉદ્યોગોને વિકસવાનો પૂરો અવકાશ મળી રહે તેમ છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

 

મુખ્યમંત્રીએ કહ્યું કે, પહેલાં શિપ બ્રેકીંગનો જમાનો હતો હવે શીપ-રિસાયક્લિંગ અને ગ્રીન શિપ રિસાયક્લિંગનો સમય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આને સુસંગત શિપ રિસાયક્લિંગ  એકટ-ર૦૧૯ ઘડીને દેશમાં ગ્રીન શિપ રિસાયક્લિંગ ઉદ્યોગના દ્વાર ખોલી આપ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું.

 

Advertisement

જેમ શિપ-બ્રેકીંગ, રિસાયક્લિંગ ક્ષેત્રે ગુજરાતના અલંગનો દબદબો છે તેવી જ રીતે ગ્રીન શિપ રિસાયક્લિંગમાં પણ અલંગ અગ્રેસર રહેશે.

 

શિપમાંથી નીકળતા જોખમી તથા બિનજોખમી વેસ્ટ પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને દરિયાઇ જીવ સૃષ્ટિને નુકશાન કરી શકે છે. આવા નુકશાનને અટકાવવા તથા સેફ એન્ડ સસ્ટેઇનેબલ શિપ રિસાયક્લિંગ માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ મહત્વની ભૂમિકા નિભાવવા સજ્જ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે અલંગને ઊંચા દરજ્જાનું ગ્રીન શિપ રિસાયક્લિંગ સેન્ટર બનાવવા કમર કસી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે. આ અમૃતકાળ ભારતના શિપ રિસાયક્લિંગ અને વ્હીકલ સ્ક્રેપીંગ ઉદ્યોગોના વિકાસનો અમૃતકાળ બનશે અને આ ઇન્ટરનેશનલ સેમિનાર તેમાં ઉદ્દીપક બની રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.

Advertisement

 

 

કેન્દ્રીય વહાણવટા મંત્રી સર્બાનંદ સોનોવાલે આ ગ્રીન શિપ રીસાયકલીંગ એન્ડ વેહીકલ સ્ક્રેપીગ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભારતે વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે આપણે સૌ દેશવાસીઓ ટીમ ઈન્ડીયા બનીને સહિયારા પ્રયાસો કરશું તો ચોકકસ ભારત સર્વશ્રેષ્ઠ બનશે.

 

કેન્દ્રીય વહાણવટા મંત્રી  સર્બાનંદ સોનોવાલે એ ગ્રીન શિપ રીસાયકલીંગ એન્ડ વેહીકલ સ્ક્રેપીગ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના આયોજન માટે ટીમ ગુજરાતને અભિનંદન આપતા કહ્યું કે, ગુજરાત ૧૬૦૦ કિ.મી દરિયા કિનારા સાથે વ્યવસાયિક ક્ષેત્રે ભારતનો ગેટ-વે છે અને ગુજરાત હવે વિશ્વનું પસંદ કરેલ દરિયાઇ સ્થળોમાંનું એક છે. તે ૪૦ ટકા ભારતના કાર્ગોથી વધુ સંભાળે છે અને પોર્ટ ક્ષેત્રના ખાનગીકરણ માટે ભારતમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત બધા મુખ્ય પોર્ટ-આધારિત વેપાર માર્ગો અને વિશ્વના મુખ્ય વેપાર કેન્દ્રોને બહેતર રોડ, રેલ અને એર કનેક્ટિવિટી સાથે સારી રીતે જોડાયેલું છે, આમ વિશાળ આંતરરાષ્ટ્રીય વેપાર તકો પ્રદાન કરે છે.

Advertisement

 

તેમણે કહ્યું કે, ભારતના પશ્ચિમ કિનારે તેના વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાનના આધારે, પ્રોએક્ટિવ પોલિસીઝ અને પહેલ તેમજ મજબૂત ઔદ્યોગિક અને સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ગુજરાત ભારતની દરિયાઇ સફળતાની વાર્તાના ધ્વજ ધારક તરીકે ઉભરી આવ્યું છે.

 

તેમણે ઉમેર્યું કે, સાગરમાલા પ્રોજેકટ એ પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયનો ફ્લેગશિપ કાર્યક્રમ છે. છેલ્લા સાત વર્ષમાં સાગરમાલા પ્રોજેકટ હેઠળ અનેક નવીન પહેલ કેન્દ્ર સરકારે હાથ ધરી છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણ દ્વારા પોર્ટ્સની ક્ષમતા વધારવા અને પોર્ટ્સની કનેક્ટિવિટીમાં વધારો કરવા માટે બંદરોની એકંદર ઓપરેશનલ ખર્ચ ઘટાડવા,વાહનો માટે ટર્ન અરાઉન્ડ સમય ઘટાડવા, કાર્યક્ષમતા અને થ્રુપુટને ઘટાડવામાં મદદ મળી છે મોટા જહાજોને હેન્ડલ કરવાની ક્ષમતા, અને દક્ષિણ એશિયાના પ્રદેશમાં ભારતીય બંદરોના વ્યૂહાત્મક મહત્વ વિકસાવવાની ક્ષમતા જેવા પગલાંઓને પરિણામે વર્ષ ૨૦૨૧-૨૨માં ૪૦૦ અબજ ડોલરની માલ નિકાસ સાથે રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે.

 

Advertisement

સાગરમાલા પ્રોજેકટ હેઠળ ગુજરાતમાં સમૃદ્ધ દરિયાઇ ક્ષેત્રના વિકાસ માટે અનેરૂ પ્રોત્સાહન આપ્યું છે જેમાં પોર્ટ આધુનિકીકરણ, રેલ, રોડ, ક્રુઝ ટુરિઝમ, રો-રો અને પેસેન્જર જેટીઝ, મત્સ્યઉદ્યોગ, તટવર્તી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૌશલ્ય વિકાસ, વગેરે જેવી વિવિધ કેટેગરીઝ હેઠળ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજયમાં રૂ. ૫૭,૦૦૦ કરોડના ૭૪ પ્રોજેક્ટ્સ કાર્યરત છે જેમાંથી રૂ. ૯૦૦૦ કરોડના ૧૫ પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ગયા છે. રૂ. ૨૫,૦૦૦ કરોડના ૩૩ પ્રોજેકટ અમલીકરણ હેઠળ છે અને રૂ. ૨૨,૭૦૦ કરોડના ૨૬ પ્રોજેક્ટ્સ વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે.

 

,દરિયાઇ ભારત વિઝન ૨૦૩૦ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતે ઘોઘા-હઝીરા વચ્ચેની રોપેક્ષ સર્વીસની સેવાઓ શરૂ કરી દીધી છે જેના પરિણામે પૂર્વ અને પશ્ચિમ બાજુના વચ્ચેનું અંતર ઘટ્યું છે. ખંભાત-પીપાવાવ અને દ્વારકા વચ્ચે રો પેક્સ સુવિધા માટેના કામ મંજૂર કરવામાં આવ્યું છે જેના પરિણામે નાગરિકોના સમયની સાથે ઈંધણની બચત થશે અને પર્યાવરણના જતન સાથે પરિવહનની ઉત્તમ સેવાઓ ઉપલબ્ધ બનશે તેમ  તેમણે ઉમેર્યું હતું.

 

તેમણે ઉમેર્યું કે, સાગરમાલા પ્રોગ્રામ હેઠળ, તટવર્તી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ કૉમ્પ્લેક્સ લોથલ પર ૫૦૦૦ વર્ષીય મેરિટાઇમ હેરિટેજનું પ્રદર્શનનું નિર્માણ કરાશે. ગુજરાત રાજ્યમાં આઇકોનિક સ્થળોને કનેક્ટ કરવા માટે વધુ સીપ્લેન સેવાઓ પણ અમલમાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું

Advertisement

 

ભારત શિપ બ્રેકીંગ અને રિસાયક્લિંગ માટે શ્રેષ્ઠ સ્થળ છે. ગુજરાતમાં શિપ રિસાયક્લિંગની કામગીરી ૧૯૮૩ થી  એલાંગ-સોસિયામાં શરૂ થઈ છે. ૧૦ કિ.મી. તટવર્તી દરિયા કિનારા પર ૧૫૩ પ્લોટ પર દર વર્ષે ૨૦૦ થી વધુ જહાજોનું રિસાયક્લિંગ કરીને દર વર્ષે ૩.૫ મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કુદરતી સંસાધનોને નુકસાન કર્યા વગર કરે છે. શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ આશરે ૧૫૦૦૦ વ્યક્તિઓને સીધા અને લગભગ ૧.૫ લાખ વ્યક્તિઓને રોજગારી આપે છે. યાર્ડની ક્ષમતાને બમણી કરવાની સૂચિત વિસ્તરણ યોજના સાથે, રોજગારની તકો પણ બમણી થઈ જશે, જે સમગ્ર પ્રદેશમાં વધુ આર્થિક સમૃદ્ધિ લાવશે.

 

શિપીંગ ક્ષેત્રના સર્વાગી વિકાસ માટેની રાજય સરકારની હકારાત્મક નીતિઓને પરિણામે ગુજરાતમાં એક પ્રાદેશિક ટ્રાંસપ્શીપમેન્ટ ટર્મિનલ પણ વિકસિત થઈ શકે છે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. હબ અને સ્પૉક મોડેલને સેવા આપવા માટે પ્રાદેશિક દેશોના સહકાર સાથે આ વિકાસ થઈ શકે છે.

 

Advertisement

ચબહર બંદર પડોશમાં ભારતના દરિયાઇ સહકારને દર્શાવવા માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. ભારતના ખાનગી ક્ષેત્રે મેરિટાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેની ક્ષમતા દર્શાવી છે, જે અન્ય દેશોમાં આ ક્ષેત્રમાં રોકાણની સુવિધા દ્વારા વધુને દૂર કરી શકાય છે.

 

શિપિંગના ડાયરેકટર જનરલ  અમિતાભકુમારે કહ્યુ હતું કે, જો શિપિંગ નહીં હોય તો અડધું વિશ્વ ફ્રીઝ થઈ જશે. ગ્લોબલ સપ્લાય ચેઇનને મેઇન્ટટેઇન કરવા માટે વિશ્વને શિપ્સની જરૂર છે. ભારતમાં પણ લગભગ ૯૫ ટકા જેટલો વ્યાપાર શિપિંગ (વહાણો) દ્વારા થતો હોય છે. દરિયાના મોજાઓ ક્યારેય થાકતા નથી, તે સતત વહાણો પર અથડાયા કરતા હોય છે, અને તેનો અર્થ એ છે કે આ વહાણોને સતત રાઉન્ડ ધ ક્લોક જાણવણી અને નિયમિત રિપેરિંગની જરૂર પડે છે એટલે જ જરૂરી છે કે વહાણોનું સમયસર એસેસમેન્ટ કરવામાં આવે છે અને દરિયાના મોજાથી તેની મજબૂતીને થતા નુકસાનનું સમયાંતરે એનાલિસિસ કરવામાં આવે, કારણકે, દરરોજની મુસાફરી ખેડતા વહાણોને થયેલા નુકસાનની આકારણીની ન થાય તો એવા વહાણોમાં ભવિષ્યની દરિયાઇ સફર કરવી સુરક્ષિત નથી.

 

તેમણે કહ્યું હતુ કે, ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન, જે યુનાઇટેડ નેશન્સની સ્પેશિયલાઇઝ્ડ ઇન્ટરનેશનલ રેગ્યુલેટરી એજન્સી છે, તેણે વહાણોને રેગ્યુલેટ કરવા માટે વહાણોના નિર્માણથી માંડીને તેમના ડિસ્ટ્રક્શન સુધીના સ્ટેજ માટે પર્યાવરણીય રીતે સસ્ટેનેબલ હોય તેવા મલ્ટિપલ કન્વેસન્શન્સ ડેવલપ કર્યા છે. IMO કન્વેન્શન્સના સખ્ત અમલીકરણ માટેનો ભારતનો ઘણો લાંબો ઇતિહાસ રહ્યો છે. એ વાતમાં કોઈ નવાઇ નથી કે ૨૮ નવેમ્બર,૨૦૧૯ના રોજ હોંગકોંગ કન્વેન્શનને બહાલી આપવા માટે ભારત સૌથી મોટો શિપ રિસાયકલિંગ દેશ બન્યો અને ૧૩ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ રિસાયકલિંગ ઑફ શિપ્સ ઍક્ટ લાગુ કર્યો. હોંગકોંગ કન્વેન્શન હેઠળની એક્ઝમ્પ્ટેડ કેટેગરી અંતર્ગત આવતા વહાણોને ભારતીય કાયદાના દાયરામાં પણ રાખવામાં આવ્યા છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આ વહાણો સુરક્ષિત છે અને તેનું રિસાયકલિંગ પર્યાવરણને અનુકૂળ છે.

Advertisement

 

તેમણે કહ્યું કે, હોંગકોંગ સંમેલનના નિયમનકારી માળખાની સ્થાપના એ પોતાનામાં એક પડકાર છે કારણ કે તેને દેશની વિવિધ નિયમનકારી એજન્સીઓ વચ્ચે સંકલનની જરૂર છે. યુરોપિયન યુનિયન દ્વારા નિર્ધારિત વધુ પ્રિસ્ક્રિપ્ટિવ ધોરણો અને બિન OECD દેશો માટે ૨૦૧૯ બેઝલ બેન એમેન્ડમેન્ટ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે આ પડકાર આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ જટિલ બન્યો છે. ભારતે સકારાત્મક અભિગમ અપનાવ્યો છે અને તેના રાષ્ટ્રીય કાયદામાં EUSSR ૧૨૫૭ની જરૂરિયાતને અપનાવી છે જેથી ભારતના શિપ રિસાયકલર્સને EU ની શિપ મંજૂર રિસાયક્લિનિંગ સુવિધાઓની સૂચિ હેઠળ સૂચિબદ્ધ કરવામાં સક્ષમ બનાવવામાં આવે. ભારત યુરોપિયન માલિકીના જહાજોમાં શિપ રિસાયક્લિંગમાં ઊંડો રસ વ્યક્ત કર્યો છે. આજના આ અવસરે આપણે સૌએ આ સમસ્યાને ઉકેલવા માટે આગેવાની લેવાની જરૂર છે તેમ તેમણે ઉમેર્યું હતું.

 

બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે કોન્ફરન્સ વિશે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત એ ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન છે. છેલ્લાં દસ વર્ષથી ગુજરાતનો જીડીપી ૭.૫ થી ૮.૫ ટકા વચ્ચે રહ્યો છે તે રાજ્યનો સર્વાંગી વિકાસ દર્શાવે છે. ભારતને પાંચ ટ્રિલીયન ડોલરની ઇકોનોમી બનાવવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને પૂર્ણ કરવામાં ગુજરાત ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને નિકાસમાં અગ્રેસર છે. ભારતમાં સૌથી વધુ ૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે જે સમગ્ર દેશનો ૨૧ ટકા થાય છે.

તેમણે કહ્યું હતું કે ગુજરાત વર્ષોથી વિશ્વના દેશો સાથે દરિયાઈ વેપાર કરતું આવ્યું છે. સુરતનો ચૌર્યાંશી તાલુકો જે વિશ્વના ૮૪ દેશો સાથે સમુદ્રી વેપારના માધ્યમથી જોડાયેલો હતો જે તેનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતમાં અત્યારે ૪૮ નાના અને ૧ મોટું બંદર કાર્યરત છે.

Advertisement

 

આગામી સમયમાં છારા અને જાફરાબાદને ગ્રીનફિલ્ડ બંદરો તરીકે વિકસાવવામાં આવશે. ભારતમાં સૌપ્રથમ વર્ષ ૧૯૮૨માં સ્વાયત મેરી ટાઈમ બોર્ડની સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી હતી. ગુજરાતમાં આજે કેમિકલ પોર્ટ, કન્ટેનર પોર્ટ, અલંગ રિસાયક્લિંગ પોર્ટ જ્યારે આગામી સમયમાં પ્રથમ સીએનજી પોર્ટ પણ બનવા જઈ રહ્યું છે.

 

વર્ષ ૧૯૮૩માં ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં માત્ર ૧૦ પ્લોટ હતા જ્યારે અત્યારે ૧૩૧ પ્લોટ કાર્યરત છે. અલંગ ખાતે અત્યારે વિશ્વકક્ષાના માપદંડ અને પર્યાવરણને ધ્યાને રાખીને જહાજ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી વર્ષોમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડનો બે તબક્કામાં વિકાસ કરાશે તેની વિગતો રજૂ કરી હતી. અલંગ ખાતે વૈશ્વિકકક્ષાની ગ્રીન શિપ રિસાયક્લિંગ એન્ડ વ્હીકલ્સ સ્ક્રેપિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

Advertisement

વિશ્વમાં શિપ બ્રેકિંગનો ૩૦ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે ત્યારે, આ ગ્રીન શિપ રિસાયકલિંગ એન્ડ વ્હિકલ સ્ક્રેપિંગ કોન્ફરન્સના આયોજનથી ગુજરાતનું અલંગ આ ક્ષેત્રે હબ બનશે એમ પણ ઉમેર્યું હતું.

 

ફિક્કી ગુજરાતના ચેરપર્સન  ગીતા ગોરડીયાએ કહ્યું કે, ભારત એ વિશ્વના પાંચ મુખ્ય શિપ રિસાયક્લિંગ રાષ્ટ્રોમાંનું એક છે. ભારત વિશ્વની સૌથી મોટી શિપ-બ્રેકિંગ સુવિધાઓનું ઘર છે.  ભારત ૧૦ કિલોમીટરના પટમાં ૧૫૦ યાર્ડ્સ સાથે દર વર્ષે લગભગ ૬.૨ મિલિયન ગ્રોસ ટન સ્ક્રેપ – જે વૈશ્વિક સ્તરે કુલ સ્ક્રેપેજ ટનના ૩૩ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ભારતે ૨૦૧૮ માં લગભગ પાંચ મિલિયન ગ્રોસ ટનનું સંચાલન કર્યું છે. જે આશરે એક ક્વાર્ટર જેટલો હિસ્સો છે.

 

, વિશ્વનો જહાજ રિસાયક્લિંગ ઉદ્યોગ મોટાભાગે દક્ષિણ એશિયામાં કેન્દ્રિત છે. ભારત શિપ-રિસાયક્લિંગ માટે અગ્રણી બજાર છે.  અત્રે નોંધવું યોગ્ય છે કે ગુજરાતમાં અલંગ-સોસિયા શિપબ્રેકિંગ યાર્ડ દર વર્ષે ૪૫૦ થી વધુ જહાજોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે.

Advertisement

 

ભારત હવે હોંગકોંગ સંમેલન પર હસ્તાક્ષર કરનાર રાષ્ટ્ર બનવાની સાથે, અલંગ-સોસિયામાં ૧૫૩ યાર્ડ્સમાંથી ૧૧૪ યાર્ડ HKC અનુરૂપ બની ગયા છે. દેશ હવે સુરક્ષિત, ગ્રીન અને પર્યાવરણને અનુકૂળ શિપ રિસાયક્લિંગ માટે વૈશ્વિક ધોરણોને અનુસરવા માટે તૈયાર છે.

 

વૈશ્વિક અગ્રણી કંપનીઓ હવે ભારતને જહાજ રિસાયક્લિંગના મુખ્ય સ્થળોમાંના એક તરીકે જોઈ રહી છે. હજુ અહીં વધુ વિકાસ સાધી રિસાયક્લિંગ ઉદ્યોગમાં એક જબરદસ્ત વૃદ્ધિની કલ્પના કરી છે. ઉપરાંત દેશની જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપી રહેલા વ્યવસાયના વિકાસને જોઈએ છીએ જે ચોક્કસપણે ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવા માટે ભવિષ્યનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની કલ્પના છે.

 

Advertisement

ગૌણ સ્ટીલ બજાર એ જહાજ રિસાયક્લિંગ ઉદ્યોગના અન્ય સકારાત્મક લાભાર્થી છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે,  દેશની ગૌણ સ્ટીલની લગભગ ૧૦ ટકા જરૂરિયાતો હવે ઇકો-ફ્રેન્ડલી રીતે પૂરી કરવામાં આવશે. જેના લીધે રિ-રોલિંગ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે, જે બદલામાં ફર્નિચર વ્યવસાય અને અન્ય ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોને મદદ કરશે. પરિણામે  પરોક્ષ રોજગારને પણ વેગ મળશે અને આશરે ૧.૫ લાખ થી ૨ લાખ નોકરીઓનું સર્જન થશે.

 

૨૦૨૪ સુધીમાં ભારતની જહાજ રિસાયક્લિંગ ક્ષમતા વધીને નવ મિલિયન ગ્રોસ ટન થી પણ વધુ થશે.  ઘણા શિપ રિસાયક્લિંગ યાર્ડ્સે EU સૂચિમાં સમાવેશ માટે અરજી કરી છે. ભારતીય યાર્ડની આ ગતિશીલ ક્રિયાઓ રિસાયક્લિંગ ઉદ્યોગમાં માર્કેટ લીડર તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત કરવામાં ફાળો આપશે.

 

, ૧૩મી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વૈચ્છિક ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અને તેના અમલીકરણ માટે ગુજરાતને મોડેલ રાજ્ય તરીકે પસંદ કરવાથી ગુજરાત વ્હીકલ સ્ક્રેપિંગ હબ બનવા તરફ આગળ વધશે. આ કોન્ફરન્સ ગુજરાત માટે વાહન સ્ક્રેપિંગમાં પણ અગ્રેસર થવાનો માર્ગ મોકળો કરશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Advertisement

 

મુખ્યમંત્રીના સચિવ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન એન્ડ CEO  અવંતિકા સિંઘ ઔલખે જણાવ્યું હતું કે, ગ્રીન શિપ રીસાયક્લિંગ એન્ડ વ્હિકલ સ્ક્રેપિંગ અંગેની આ બેદિવસીય ઈન્ટરનેશનલ કોન્ફરન્સ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

 

આ કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ  પંકજકુમાર, બંદરો, વહાણવટા અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ  રાજેશકુમાર સિંહા, સંયુક્ત સચિવ વિક્રમસિંઘ, દૂતાવાસના અધિકારીઓ, શિપબ્રેકિંગ સાથે જોડાયેલાં ઉદ્યોગ સાહસિકો, ગુજરાત-કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પર્યાવરણવિદો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગાંધીનગર

ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

Published

on

નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ
————–
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી
વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો-ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી કોશિયા


…………………….
આગામી તહેવારોને અનુલક્ષીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું આગોતરું આયોજન
…………………….
ખોરાક- ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયા જણાવ્યું છે કે, ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સલુન-તલપદ, નડિયાદ ખાતે આવેલી મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી અંદાજે રૂા. ૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

હેમંત કોશિયાએ ઉમેર્યું કે, તાજેતરમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવી રહ્યા હોય જાહેર જનતાને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા ખડીઃ પદાર્થોમાં ભેળસેળની સઘન તપાસ હાથ ધરવામા આવે છે. જેના ભાગરૂપે વડી કચેરીની ફ્લાયિંગ સ્ક્વોડ અને નડિયાદની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે ઘીનો શંકાસ્પદ જથ્થો પકડી પાડ્યો છે. આ જથ્થો વેપારી રાઉલજી દિલીપકુમાર ખુમાનસિંહ દ્વારા મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, મુ. સલુન-તલપદ, તા: નડિયાદ, જિ-ખેડા ખાતે રાખવામાં આવેલી જગ્યામાં પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર શંકાસ્પદ મહીધરા બ્રાન્ડ ઘીનું ઉત્પાદન થતુ જોવા મળી આવ્યું હતું. આ વેપારી મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ નામે આ જગ્યા પર એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે અને ઘી બનાવવાનો ધંધો /વેપાર કરે છે. આ વેપારી ઘીમાં ભેળસેળ કરે છે તેવી તંત્રને મળેલ બાતમીનાં આધારે રેડ કરવામાં આવી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્થળ પરથી ઘીના બે નમૂનાઓ તેમજ બે વેજીટેબલ ફેટ એમ કુલ ચાર નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જ્યારે બાકીનો આશરે ૧૪૬૨ કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. ૪,૦૫,૮૬૪/-થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે

Continue Reading

ગાંધીનગર

બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

Published

on

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા માં બહુચરના યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં રૂપિયા ૨૦ કરોડની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે.મંત્રીએ ઉમેર્યું કે, લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા માં બહુચરના ધામ ખાતે યાત્રાળુઓને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હયાત સુવિધાઓ અને આગામી ૨૫ વર્ષમાં બહુચરાજી તીર્થધામના વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ કરી ત્રણ તબક્કામાં વિકાસ કરવાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રૂપિયા ૨૦ કરોડ ફાળવ્યા છે. જે હેઠળ માતાજીના મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરની શિખર ની ઊંચાઈ જે હાલ ૪૯ ફૂટ છે. તે વધારીને અંદાજે ૭૧.૫ ફૂટ કરવામાં આવશે. જે થકી મંદિર પરિસર ભવ્ય અને દિવ્ય બનશે અને યાત્રાળુ માટે આકર્ષણનો કેન્દ્ર બનશે. મંદિરની ઊંચાઈ વધારવાની સાથે સાથે આવનારા સમયમાં મંદિરના પરિસર અને વિકાસનું આયોજન કરવામાં પણ આવશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજ્યમાં આરાસુર અંબાજી શક્તિપીઠ મહાકાળીધામ પાવાગઢ, શક્તિપીઠ અને બહુચરાજી શક્તિપીઠ પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક રીતે અતી મહત્વના શક્તિપીઠો હોય આવનારા શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ વધુને વધુ સારી વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે આ સમગ્ર આયોજન કરાયું છે.

Continue Reading

agriculture

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો કુંવરજીભાઇ બાવળીયા

Published

on

ઉત્તર ગુજરાતમાં રૂ.૬૫૦ કરોડના ખર્ચે શરૂ થનાર કસરા થી દાંતીવાડા પાઈપલાઈન કામગીરી થકી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે
એક સમયે પશુપાલકોએ હિજરત કરવી પડતી હતી, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો : કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના કામો માટે અંદાજિત રૂ.૪૩૬૯ કરોડની વહીવટી મંજુરી અપાઇ
સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ : ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા માટે વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન
રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં તળાવો ઉંડા કરવા તથા નવા તળાવો સહિતના ૭૪,૫૦૯ કામો હાથ ધરાયા : ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા

સિંચાઇ અને ભૂમિ સંરક્ષણ માટે મહેસૂલી ખર્ચ રૂ.૨૫૪૪.૦૨ કરોડ અને મૂડી ખર્ચ માટે રૂ.૮૫૨૬.૯ કરોડની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુ કે, જળસંપત્તિ વિભાગ દ્વારા સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવો, નવી માળખાકીય સુવિધા ઉભી કરવી, નવી સિંચાઈ યોજનાઓ / જળસંગ્રહ માટેના સ્ટ્રક્ચરો બનાવી સિંચાઈથી વંચિત વિસ્તારોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવી, ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા જેવા બહુહેતુક કાર્યો હાથ ધરવામાં આવે છે.

તેઓએ ઉત્તર ગુજરાત વિસ્તારની પરિસ્થિતિ અંગે માહિતી આપતા કહ્યું કે, આ કાયમી જળ સમસ્યાવાળા વિસ્તારમાં થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોને પુરક સિંચાઈનો લાભ થશે. તે ઉપરાંત ખોરસમ–માતપુર–ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પુરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે રૂ.૧૦૯ કરોડની જોગવાઈ, કસરા થી દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ.૬૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેનાથી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે. તેવી જ રીતે ધરોઈ ડેમથી સંત સરોવર બેરેજ સુધીમાં સંબંધીત વિવિધ ગામો પાસે પાંચ બેરેજ/વિયર બનાવવાની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમની કામગીરી માટે રૂ.૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેનાથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ મળશે. તો બીજી તરફ ગાંધીનગર ખાતે આવેલા ગીફટ સીટી નજીક સાબરમતી નદીના કાંઠાના પ્રોટેકશનની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ તેમજ ખારીકટ કેનાલને અંડર ગ્રાઉન્ડ કરવા માટેની કામગીરી માટે રૂ.૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તેઓએ કચ્છ વિસ્તારની માહિતી આપતા ઉમેર્યું કે, એક સમય એવો હતો કે પશુપાલકો હિજરત કરી જતા, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો છે. કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના તબક્કા-૧ અને તબક્કા-૨ અન્વયેના કામો માટે રૂ.૪૩૬૯ કરોડની અંદાજિત રકમની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રથમ તબક્કા હેઠળ કચ્છ જિલ્લાના ૬ તાલુકાને સિંચાઇનો લાભ મળશે. પ્રથમ તબક્કાના ત્રણ લીંકોના કામો પૈકી નોર્ધન લીક, સધર્ન લીંક અને હાઇ કન્ટુર સ્ટોરેજ લીંકના કામો શરુ થયા છે જ્યારે સારણ લીંકની કામગીરીનું ટે‍ન્ડર મંજુર કરવામાં આવ્યું છે. પ્રથમ અને દ્વિતીય તબક્કાના કામો માટે બજેટમાં રૂ.૧૯૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઇ વ્યવસ્થા અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, એક જમાનામાં સૌરાષ્ટ્રના વિસ્તારો સુકાભઠ વિસ્તારો હતા કે જ્યાં પીવાના પાણી માટે પણ લોકો વલખા મારતા હતા. સૌરાષ્ટ્રના વિસ્તારો માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે. જે આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ થઈ ગયા છે. પૂર્ણ થયેલ કામગીરીથી ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાના પાણીનો ફાયદો થયો છે અને આશરે પાંચ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્દઢ થઇ છે.

Advertisement

તેઓએ વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભરતી નિયંત્રક, બંધારા, રીચાર્જ રીઝર્વોયર, રીચાર્જ ટેન્ક, રીચાર્જ વેલ, વનીકરણ, નાલા પ્લગ, વિસ્તરણ નહેરો, રેડીયલ કેનાલો અને ચેકડેમો ક્ષાર નિવારણ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. જેના થકી સૌરાષ્ટ્રમાં અને કચ્છ વિસ્તારમાં ૪૩૯ લાખ ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ થતાં જમીનને સિંચાઈનો સીધો તથા આડકતરો ફાયદો મળ્યો છે. આ કામો થકી ભૂગર્ભ જળની ગુણવતામાં સુધારો તથા ભૂગર્ભ જળની સપાટીમાં વધારો નોંધાયો છે.

રાજ્ય સરકાર દ્વારા આયોજન હેઠળના કામોની વિગતો આપતા જણાવ્યું કે, ભાવનગર જીલ્લાના તળાજા તાલુકામાં મેથળા બંધારાનું, સરતાનપર બંધારાનું કામ, ગીર સોમનાથ જીલ્લાના આવેલ હયાત આદ્રી બંધારાથી મુળ દ્વારકા ટાઇડલ રેગ્યુલેટરને જોડતી વિસ્તરણ નહેરનું કામને અંદાજીત રૂા.૧૦૧.૯૯ કરોડની સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. તે ઉપરાંત ધેડ વિકાસ યોજના – ક્ષાર અંકુશ યોજનાના કામો માટે અંદાજિત કિંમત રૂ. ૩૭ કરોડનું આયોજન છે. માલણ બંધારા તથા સમઢીયાળા બંધારાને જોડતી વિસ્તરણ નહેર માટે અંદાજે રૂ.૩૯.૧૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળી છે. ઉપરાંત નાની સિંચાઇ યોજનાઓ / જુના સ્ટ્રક્ચર / અનુશ્રવણ તળાવો/ ચેકડેમો જે રીપેર થઇ શકે તેવા કામોને સેઇફ સ્ટેજે લઇ જવા, ડીપનીંગ થઇ શકે તેવા ચેકડેમો જે તે યોજનાઓમાં થયા હોય પરંતુ રીપેર થઇ શકે તેવા હોય, તેવા તમામ કામોને સલામત સ્થિતિએ લઇ જવાના કામોને ચાલુ વર્ષે અગ્રતા આપવામાં આવશે.

તેઓએ આદિવાસી વિસ્તાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા અંગે જણાવ્યું કે, રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવ્યું છે.

તેઓએ ઉદ્‌વહન પાઇપલાઇન સિંચાઇ યોજનાઓ અંગે કહ્યું કે, આદિવાસી વિસ્તાર જયાં અંતરિયાળ/પર્વતીય વિસ્તારોમાં પાણી પહોંચાડવુ મુશ્કેલ હતુ ત્યાં કડાણા જળાશય, કરજણ જળાશય, કાંકરાપાર જળાશય અને ઉકાઇ જળાશય આધારીત ૧૩ મોટી ઉદ્‌વહન યોજનાઓ સિંચાઇ સુવિધા આપવા માટે રૂ.૫૦૪૨ કરોડના ખર્ચે હાથ ધરાઇ છે. આ પૈકી ૭ યોજનાઓની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ૬ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. પ્રગતિ હેઠળની રૂ.૧૦૨૦ કરોડના ખર્ચે ઉકાઇ જળાશય આધારીત સોનગઢ–ઉચ્છલ–નીઝર ઉદ્‌વહન પાઇપલાઇન માટે રૂ.૧૭૫ કરોડની જોગવાઇ કરી છે. સુરત જીલ્લામાં રૂ.૫૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્‌વહન પાઇપલાઇન યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની નર્મદા જીલ્લાના કરજણ જળાશય આધારીત રૂ.૪૧૮ કરોડ કિંમતની ઉદ્‌વહન પાઇપલાઇન યોજના માટે રૂ.૪૫ કરોડની જોગવાઇ, જેનાથી નર્મદા જિલ્લાના, સુરત જિલ્લાના અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. ઉપરાંત પ્રગતિ હેઠળની રૂ.૭૧૧ કરોડની અંદાજિત રકમની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ.૧૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની અંદાજીત રકમ રૂ.૨૨૬.૩૪ કરોડની કડાણા જળાશય આધારીત કડાણા-દાહોદ પાઇપલાઇનનું વિસ્તૃતિકરણના કામોથી સિંચાઇથી વંચિત રહેતા આદિવાસી વિસ્તારને લાભ થશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પંચમહાલ જિલ્લાના તેમજ મહિસાગર જિલ્લાના વિસ્તારો માટે પાનમ ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજના માટે તથા પંચમહાલ જિલ્લાના વિસ્તારો માટે પાનમ જળાશય આધારીત પંચમહાલ જીલ્લાના પુર્વપટ્ટી વિસ્તાર માટેની યોજનાઓ માટે જોગવાઇ કરવામાં આવી છે. કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત યોજના માટે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે તથા સંતરામપુર તાલુકાનાં ગ્રામ્ય તળાવો તથા મોરલનાકા અને બાબરી નાની સિંચાઇ યોજનાને પાઇપલાઇન દ્વારા લીંક કરી પાણી ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે. આ બન્ને કામો પુર્ણ કરવામાં આવ્યા છે. જેમાં વાત્રક નદીના બંને કાંઠા પાસે વેલ પોઇન્ટ બનાવી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારના તળાવો ભરવાની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના વિવિધ તળાવો ભરવા માટે યોજનાનો સમાવેશ થાય છે.

Advertisement

મંત્રીએ કહ્યું કે, કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગે એલ.આઈ સ્કીમ તથા કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇન દ્વારા લીન્ક કરી પાણી ભરવાની યોજના બનાવી સિંચાઇ સુવિધા આપવા માટે જોગવાઇ કરવામાં આવી છે. પાનમ જળાશય આધારીત (વાંકડી ગામ પાસેથી) સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે અંદાજિત રૂ.૧૩૨.૭૨ કરોડની ઉદ્‌વહન સિંચાઇ યોજનાનું આયોજન કરેલ છે. જેનાથી ૨૩ ગામો લાભિત થશે.

મંત્રીએ વિયર, રીચાર્જ યોજનાઓ તથા અન્ય કામો અંગે ઉમેર્યું કે, નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ, નવસારી જીલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિવિધ ગામોને સિંચાઇ સુવિધા આપવા માટે પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જળસંચયની કામગીરી અંગે મંત્રીએ કહ્યું કે, જળસંચયની કામગીરી માટે રૂ.૨૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં ૭૪૫૦૯ કામો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવાના/ નવા તળાવોના ૨૭૭૯૯ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૧૬૨૯૧ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૪૫૦૮ કામો કરવામાં આવ્યા છે. કુલ ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા છે. અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કામોથી જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો છે તથા ૧૭૮ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થયેલ છે. રાજ્યમાં ૧,૮૬,૦૦૦ થી વધારે ચેકડેમો બાંધવામાં આવ્યા છે. આ ચેકડેમો પૈકી અમુક ચેકડેમોને મરામત/સુદ્રઢીકરણની જરૂરીયાત હોવાથી મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેર કરેલ વિવિધ બિનસરકારી સંગઠનો માટે જનભાગીદારીથી ૮૦:૨૦ ની ફોર્મ્યુલા અંતર્ગત એક નવતર પહેલ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ વધારે ને વધારે લોકભાગીદારી થાય, લોકો જોડાય જેથી જળસંચય અભિયાન થકી જળ સંગ્રહમાં વધારો થાય તે અમારી સરકારનો શુભ આશય છે.

જુના કામો/હયાત બાંધકામ/ચેકડેમ/નહેરોની સુધારણા અને સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન અંગે મંત્રીશ્રીએ કુંવરજીભાઇ બાવળીયાએ ઉમેર્યું કે, રાજ્યમાં ૨૫ વર્ષ કે તેથી જુના સ્ટ્રક્ચર હયાત હોય અને તેની સુધારણા કોઈ પણ સ્કીમ હેઠળ અગાઉ ન થયેલી હોય, તેવા સ્ટ્રક્ચરનું નવીનીકરણ ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. વર્ષોથી જુના સ્ટ્રક્ચરો છે, તે તમામનું તબક્કાવાર ઓછા ખર્ચે નવીનીકરણ થશે. આ ઝુંબેશથી સ્વાભાવિકપણે સિંચાઈ વિસ્તાર વધશે, પાણીની સંગ્રહ શક્તિ વધશે, પાણીનો દુર્વ્યય થતો અટકશે તેમજ ખેડૂતોને સમયસર, પ્રમાણસર અને પુરતું પાણી પિયત માટે મળી રહેશે.

અટલ ભુજલ યોજના અંગે મંત્રીએ કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલબિહારી વાજપઈજીનાં જન્મજ્યંતિ પર ૨૫મી ડિસેમ્બર-૨૦૧૯ થી અટલ ભૂજલ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો છે. આ યોજના ભૂગર્ભજળને લગતી છે અને તેનું લક્ષ્ય દેશનાં જે ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઘણું નીચે ઉતરી ગયું છે, તેવા ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઉપર લાવવાનું છે. ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ-૬ જિલ્લાઓમાં આ યોજના હેઠળ આવરી લેવાયા છે.

Advertisement

મંત્રીએ અન્ય અગત્યની યોજનાઓ અંગે ઉમેર્યું કે, સૂક્ષ્મ સિંચાઇથી “પર ડ્રોપ, મોર ક્રોપ” ની વિભાવના સાર્થક થશે. ઉદ્‌વહન સિંચાઇ યોજનાઓમાં પાઇપલાઇન દ્વારા અપાતા પાણીમાં સુક્ષ્મ સિંચાઇના ઉપયોગથી વોટરયુઝ એફીસીયન્સીોમાં વધારો કરી પાણી અને વીજળીની બચત અને ખેત ઉત્પાદન વધારી શકાય છે. ઉદ્‌વહન સિંચાઇ યોજનાઓને સુક્ષ્મ સિંચાઇથી જોડવા માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૪૮૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

 

 

 

 

Advertisement

 

 

 

 

 

Advertisement

 

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.