અમદાવાદ
યુવાનો માટે 10 લાખ રોજગારની વ્યવસ્થા અને તેમાં 50% મહિલાઓ માટે અનામત રાહુલ ગાંધી

પરિવર્તન સંકલ્પ સંમેલન”માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નું બુથ યોધ્ધાઓ ને સંબોધન.
* 10 લાખ રૂપિયા સુધી ઈલાજ અને દવાઓ દરેક ગુજરાતી માટે નિઃશુલ્ક અને કોવીડમાં મૃત્યુ પામનારના દરેક પરિવારને ચાર લાખનું વળતર ચૂકવાશે.
* દરેક ખેડૂત ના 3 લાખ સુધી ના દેવા માફ.
* ગુજરાત ની જનતા માટે ગેસ સિલિન્ડર 500 રૂપિયે આપવામાં આવશે.
* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું વચન યુવાનો માટે 10 લાખ રોજગારની વ્યવસ્થા અને તેમાં 50% મહિલાઓ માટે અનામત
* બેરોજગાર યુવાનો ને 3000 રૂપિયાં નું બેરોજગારી ભથ્થું
* 3000 સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાઓનું વચન
* કોંગ્રેસનું વચન કન્યાઓ માટે KG થી PG સુધીનું શિક્ષણ નિઃશુલ્ક.
* સામાન્ય નાગરિક ને 300 યુનિટ વીજળી બિલ માફ કરવાનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નું વચન
* સરકારમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવશે.
* પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધન કર્યા બાદ ભારત જોડો યાત્રાને શરુ કરતા પહેલા પુ. મહાત્મા ગાંધીના સાબરમતિ ગાંધી આશ્રમમાં તૈલચિત્રને સુતરની આંટી પહેરાવી વંદન કરી આશીર્વાદ લીધા અને હૃદયકુંજમાં પ્રાર્થના સભામાં જોડાયા.
અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઐતિહાસિક પરિવર્તન સંકલ્પ સંમેલનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગુજરાતના 52000 બુથ ના યોદ્ધાઓ ને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાંથી આજે અહીંયા કાર્યકર્તા આવ્યા છે, સમગ્ર ગુજરાતના ગામ બુથમાંથી “બબ્બર શેર” આજે આવ્યા છે, “બબ્બર શેર” વિચારધારાની લડાઈ લડતા હોય છે, હું જાણું છું કે ૨૫ વર્ષથી તમે શું સહન કરો છે? આ લડાઈ કોઈ રાજકીય પાર્ટી ની લડાઈ નથી, કોંગ્રેસ-ભાજપની લડાઈ નથી, તમે કોની સામે લડી રહ્યા છો તે તમારે સમજવું પડશે, સરદાર પટેલ સાહેબની સૌથી મોટી પ્રતિમા મોદી-આર.એસ.એસ.એ બનાવી છે, સરદાર પટેલ સાહેબ હિન્દુસ્તાન અને ખેડૂતોની અવાજ હતા, એમના મોઢેથી જે નીકળતું હતું એ ગુજરાત અને ખેડૂતના હિત માટે હતું, સરદાર પટેલ સાહેબે ગુજરાતની લોકતાંત્રિક સંસ્થાઓને ઊભી કરી હતી, જેના માટે સરદાર પટેલ સાહેબ સમગ્ર જીવન લડ્યા તેને ભાજપ-આર.એસ.એસ. અપનાવી ના શક્યા, તમને પૂછવું છે આજે સરદાર પટેલ સાહેબ જીવતા હોત તો ઉદ્યોગપતિઓના દેવા માફ કરતા કે ખેડૂતો ના??
કોંગ્રેસ પાર્ટીની સરકાર જ્યાં જ્યાં છે ત્યાં ખેડૂતોનું દેવું માફ કર્યું, સરદાર પટેલ સાહેબ જે કરતા હતા એ કોંગ્રેસ પક્ષ કરી રહ્યા છીએ, અહીંયા પણ કોંગ્રેસ સત્તામાં આવીને ખેડૂતોનું ૩ લાખ રૂપિયાનું દેવું માફ કરીશું, જે સંસ્થાઓનો પાયો સરદાર પટેલ સાહેબે નાખ્યો હતો એ બધું ભાજપે કેપ્ચર કરી લીધું છે, ડ્રગ્સ જે પોર્ટ માંથી મળે છે એ પોર્ટના માલિકો સામે કાર્યવાહી નથી થતી, મુદ્રા પોર્ટમાંથી યુવાનોને બરબાદ કરનારું ડ્રગ્સ ઝડપાય છે તો પણ કાર્યવાહી નથી થતી, જો કોઈ ગરીબ પાસેથી ડ્રગ્સ ઝડપાય તો પોલીસ બે દંડા મારીને જેલમાં પૂરી દેશે, પણ હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ જ્યાંથી ઝડપાય છે એમના સામે કોઈ કાર્યવાહી નથી થતી, ઉદ્યોગપતિઓને નજીવી કિંમતે જમીન અપાય છે પણ જો ગરીબ અને આદિવાસી તેમના હકકની જમીન માંગે તો તેમને મળતી નથી, લોકતંત્ર પર આક્રમણ, ગુજરાતની જનતા પર આક્રમણ પણ ગુજરાતની જનતા કશું બોલી શકતી નથી, આ ગુજરાતમાં આંદોલન કરવા માટે મંજુરી લેવી પડે છે, ઉદ્યોગ કરવામાં ગુજરાતીઓ સૌથી આગળ હોય છે, નાના અને લઘુ ઉદ્યોગો ગુજરાતની તાકાત છે, પણ GST અને નોટબંધી લાગુ કરીને વેપારીઓને હેરાન કર્યા, કોઈપણ નાના વેપારીઓને પૂછી લો GST અને નોટબંદીથી ફાયદો થયો? જવાબ મળશે ના… કારણ કે એનો ફાયદો ૩-૪ ઉધોગપતિઓને જ થયો છે.
શું સરદાર પટેલ સાહેબ અંગ્રેજો સામે આંદોલન કરવા માટે પરમિશન લીધી હતી ? તમે કોઈ પાર્ટી નહિ એવી વિચારધારા સામે લડી રહ્યા છો જેની સામે સરદાર પટેલ સાહેબ લડી રહ્યા છે, ૨૦૧૭ ની ચુંટણી મજબૂતાઇથી લડ્યા હતા, ગુજરાતમાં સરકાર બનતા જ કોંગ્રેસ તમામ ખેડૂતોનું દેવું માફ કરશે, સરકાર બન્યા બાદ કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારોને ૪ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે, ખેડૂતોનું વીજ બિલ માફ કરવામાં આવશે, ૩૦૦૦ અંગ્રેજી મીડિયમ સ્કૂલ બનાવવામાં આવશે, અને કન્યાઓને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે, ગેસ સિલિન્ડર ૫૦૦ રૂપિયામાં આપવામાં આવશે, બેરોજગારી અને મોંઘવારી દૂર કરવામાં આવશે,
જ્યાં સુધી ખેડૂતો નાના વેપારીઓની સરકાર નહિ બને ત્યાં સુધી રોજગાર ઉત્પન્ન નહિ થઈ શકે, ગુજરાતનો યુવાન ભટકતો રહેશે પણ નોકરી નહિ મળે, અમે પૂરું ફોકસ રોજગારી આપવામાં લગાવીશું, અને ગુજરાતના ૧૦ લાખ યુવાનોને રોજગારી આપીશું, ૨૦૧૭ ની જેમ જો આપણે લડીશું તો અહીંયા કોંગ્રેસની સરકાર બની જશે, ગુજરાતમાં આખી સરકાર બદલવી પડી એ જ બતાવે છે કે ૫ વર્ષમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે, જો તમે કોંગ્રેસની વિચારધારા માટે લડશો તો હું ગેરંટી આપુ છું કે કોંગ્રેસ જીતશે.. ગુજરાતમાં દમ લગાવીને લડો અને ગુજરાતમાં તમારી અને કોંગ્રેસની સરકાર બનાવો.
અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઐતિહાસિક “પરિવર્તન સંકલ્પ સંમેલન”ને રાજસ્થાનના મુખ્યમંત્રી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે સંબોધન કરતા જણાવ્યું કે ૨૭ વર્ષના ભાજપના શાસન બાદ ધરાતલ પર જનતા દુખી છે. કોવિડ કુપ્રબંધન અને સરકારના ભ્રષ્ટાચાર સામે આવતા આખી સરકાર મુખ્યમંત્રીથી લઇ બધા જ મંત્રી બદલવા પડ્યા છે. ગત વર્ષ ચુંટણી પહેલા અમિત શાહ ૧૫૦ સીટો આવશે તેવું કહેતા પણ માત્ર ૯૯ સીટો આવી હતી. મોંઘવારી, બેરોજગારી, કોરોના જેવા દરેક વિષયો ઉપર રાહુલ ગાંધીએ સરકારને ઘેરવાનું કામ કર્યું હોય તેવું આખો દેશ માને છે.
અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઐતિહાસિક “પરિવર્તન સંકલ્પ સંમેલન”ને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે “શિક્ષક દિન”ની શુભકામનાઓ આપતા ૨૦૧૭ ની કસર પૂરી કરી સરકાર બનાવવાનું આહવાન બુથના કાર્યકરોને કર્યું હતું અને મારું બુથ મારું ગૌરવના નારા સાથે કોંગ્રેસના બુથ યોદ્ધાઓને બુથ ચલોની હાકલ કરી હતી.
ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ ડો. રઘુ શર્માએ જણાવ્યું હતું કે સરકારના બંને એન્જીન ફેઈલ થઇ ગયા છે. ભ્રષ્ટાચારનું જુનું એન્જીન બદલી જે નવું એન્જીન લાવ્યા છે તેનો પણ દમ નીકળી ગયો હોય તેમ દેખાય છે. ભાજપનું દિલ્હીનું એન્જીન ઈ.ડી. અને સી.બી.આઈ.નો હથિયારની જેમ ઉપયોગ કરી રહી છે. રઘુ શર્માજીએ ડબલ એન્જીનની સરકાર બદલી અને ૧૨૫ થી પણ વધુ સીટ લાવવાનો સંકલ્પ લેવાની કાર્યકર્તાઓને હાકલ કરી હતી.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાએ ૨૦૨૪ માં દેશનું સુકાન રાહુલ સંભાળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને ગુજરાત મોડલ અને દિલ્હી મોડલના ભ્રામક પ્રચારને ઓળખી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન લાવવા કટિબદ્ધ થવાની હાકલ કરી હતી.
અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઐતિહાસિક “પરિવર્તન સંકલ્પ સંમેલન”ને કાર્યકારી પ્રમુખો લલીતભાઈ કગથરા, ઋત્વીક્ભાઈ મકવાણા, જીગ્નેશ મેવાણી, અંબરીશભાઈ ડેર, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખો ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, અમિતભાઈ ચાવડા, પૂર્વ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સર્વશ્રી મોહનસિંહ રાઠવા, પરેશભાઈ ધાનાણી તથા એસ.ટી. ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ શ્રી અનંતભાઈ પટેલ વગેરેએ સંબોધન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક શૈલેશભાઈ પરમારે કર્યું હતું અને આભારવિધિ ડો. જીતુભાઈ પટેલે કરી હતી.
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ