અમદાવાદ
સત્તા કરતા પાર્ટીને સર્વોપરી માનતા ડો અનિલ જોશિયારાની વિદાય,

સત્તા કરતા પાર્ટીને સર્વોપરી માનતા ડો અનિલ જોશિયારાની વિદાય,
પુર્વ આરોગ્ય પ્રધાન ડો અનિલ જોશિયારાની વસમી વિદાય થઇ છે, તેઓ કોરોનાના શિકાર બન્યા હતા, બે મહિનાથી પહેલા અમદાવાદ અને પછી ચેન્નાઇમાં સારવાર હેઠળ દાખલ કરાયા,
જ્યા તેઓ ફાની દુનિયાને વિવાદ કરી દીધી છે, 24 એપ્રિલ 1953માં તેમનો જન્મ થયો હતો, તેઓએ ડોક્ટર તરીકે અભ્યાસ કર્યો હતો,અને 1995માં તેઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1997 સુધી તેઓ આરોગ્ય પ્રધાન રહ્યા,
, 1998માં તેઓ સ્વર્ગિય ઉપેન્દ્ર ત્રિવેદી સામે હારી ગયા હતા, ત્યારે 2002થી લઇને સતત 2017ના વિધાનસભા સુધી ભીલોડા અજેય રહ્યા હતા.
ભાજપની ઓફરને વારં વાર ઠુકરાવતા જોશિયારા
ભાજપની હમેશાથી રણનિતિ રહી છે કે વિપક્ષના મજબુત, શક્તિશાળી, અને પ્રજામાં જનાધારા ઘરાવતા નેતાઓ જોડવાની,, જેમાં સામ દામ દંડ અને ભેદનો ઉપયોગ કરાય છે,
પણ જોશિયારા નોખી માટીનો માનવી હતા,, જ્યારે જ્યારે તેમને ભાજપે અથવા એમ કહીએ કે તત્કાલિન સીએમ નરેન્દ્રમોદીએ પણ તેમને સત્તા રુપી દાણો ચાપી જોયો હતો,
વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચુટણી સમયે ડો અનિલ જોશિયારાને ભાજપમાં જોડવા માટે તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્રમોદીએ વિધાનસભા કાર્યાલયમાં બોલાવીને તેમને
મંત્રીપદની ઓફર આપી હતી, જોકે તેઓએ સવિનય આ ઓફરને ઠુકરાવી દીધી હતી, એમણે એટલુ જ કહ્યુ હતુ કે તમે મારા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા આપો,, મારે કોઇ મંત્રી પદ જોઇતુ નથી, હુ જ્યાં છુ બરાબર છુ
ફરી 2014ની લોકસભાની ચુટણી આવી ત્યારે ફરી વાર નરેન્દ્રમોદીએ તેમને પ્રધાન પદનુ ઇજન આપ્યુ, સાથે સ્થાનિક સામાજીક આગેવાનોનુ પણ દબાણ તેમના ઉપર ભાજપમાં જોડાવવા માટે લાવવામાં આવ્યું
પણ તેમના માટે સત્તા નહી પણ ગાંધીની વિચારધારા સર્વોપરી હતી,
कोंग्रेस पक्ष के भीलोडा विधानसभा के सीनियर विधायक श्री अनिल जोशियारा जी के निधन के समाचार बेहद दुःखद है। उनके निधन से कोंग्रेस पक्ष और आदिवासी समाज ने सनिष्ठ आगेवान खो दिया है
ईश्वर दिवंगत आत्मा को अपने श्री चरणो मे स्थान दे और शोक संतप्त परिजनो को इस दुःख की घड़ी मे संबल दे। pic.twitter.com/rieZvb4ti0
— Jagdish Thakor (@jagdishthakormp) March 14, 2022
રાજનિતિક ગુરુ સાથે કર્યો બગાવત
રાજ્યસભાની 2017ની ચૂટણી દરમિયાન ગુજરાત કોગ્રેસના સર્વેસર્વા ગણાતા જન્નતનસી અહેમદ પટેલને હરાવવાનો બીડુ જોશિયારાના રાજનિતિક ગુરુ ગણાતા એવા પુ્ર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલાએ ઝડપ્યુ હતું
વાધેલાએ તત્કાલિન ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહ સાથે હાથ મિલાવ્યા હતા, તેમનુ મિશન હતું અહેમદ પટેલને બેઆબરુ કરવાનો,,એ સમયે શંકર સિહ વાધેલાની યોજના મુજબ 14 ધારાસભ્યોએ કોગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે,
જેમાં શંકર સિહ વાધેલા, મહેન્દ્ર સિહ વાધેલા, અમિત ચૌધરી, રાધવજી પટેલ, કરમસી પટેલ,ધર્મેન્દ્ર સિહજાડજા, રામ સિહ પરમાર,સી કે રાઉલજી ,ભોળા ભાઇ ગોહિલ સહિતના ધારાસભ્યોએ પોલીટિકલ પેકેજને વ્હાલુ કર્યુ, જેનુ પરિણામ 2017ની વિધાનસભા ઇલેક્શનમાં જોવા મળ્યુ,, જેમાં તેઓ હારી ગચા,,
આ સમયમાં પણ શંકર સિહ વાધેલાએ સેટિંગ ગોઠવવા માટે ડો અનિલ જોશિયારાનો સંપર્ક કર્યો હતો, પણ જોશિયારા તેમનુ દાવ ઉંધો પાડ્યો અને અહેમદ પટેલ એટલે કે વફાદાર રહ્યા,,
સાથી મિત્ર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન, આદિવાસી સમાજના મોભી, ગુજરાત સરકારના પૂર્વ આરોગ્યમંત્રી અને ભિલોડાના કર્મશીલ ધારાસભ્યશ્રી ડૉ. અનિલભાઈ જોષીયારાના દુઃખદ અવસાન પર પરિવારના સજ્જન ગુમાવ્યાના ઊંડા દુઃખ અને શોકની લાગણી સાથે ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પુ છું. (1/3) pic.twitter.com/OHZr7BZkFc
— Sukhram Rathva (@SukhramRathava) March 14, 2022
જોશિયારાની આરોગ્ય પ્રધાન બનવા સુધીની રોમાંચક રહ્યુ
ખુબ સરળ નિખાલશ અને આદિવાસી સમાજ માટે પ્રજા વત્સલ તરીકે જાણીતા ડ઼ો જોશિયારાને રાજનિતિમાં લાવનાર શંકર સિહ વાધેલા હતા,, ગુજરાતમાં ભાજપની સરકાર 1995માં પ્રથમ વખત બની, જેમાં શકર સિહ વાધેલા અને કેશુભાઇ પટેલનો સિહ ફાળો હતો ત્યારે ભાજપ પટેલોના પ અને ક્ષત્રિયોના ક્ષ એટલે કે પક્ષ તરીકે ઓળખાતી,
શંકરસિહ વાધેલાએ ત્યારે ભીલોડા સિટ ઉપરથી ડો જોશિયારાને ચૂટણી લડાવ્યા, ત્યારે ભાજપને 121 બેઠકો સાથે જીત મળી, જેની સાથે ભાજપમાં મુખ્યમંત્રી પદ અને પ્રધાન પદ લઇને ભાંજગણ શરુ થઇ,અને ભાજપે કેશુભાઇ પટેલને મુખ્ય મંત્રી બનાવ્યા, જેનાથી કપડવંજના સાંસદ શંકર સિહ વાધેલા નારાજ થયા,
તેમની પ્રબળ ઇચ્છા મુખ્ય મંત્રી બનવાની હતી, તેમણે એ પ્રમાણે પ્લાનિંગ પણ કર્યુ હતુ, છતાં અટલ અને અડવાણીની જોડીએ શંકર સિહના અરમાનો ઉપર પાણી ફેરવી દીધુ હતુ, શંકર સિહ સમી સમી ગયા, પણ બોલ્યા નહી,,પણ સરકાર ને પાડવા માટે પ્લાનિંગ શરુ કરી દીધુ, પોતાના વિશ્વાસુઓ સાથે બેઠકો શરુ કરી,,
46 ધારાસભ્યો સાથે તેઓએ શંકર સિહે બળવો કર્યો જેમાં ખજુરાહો કાંડ થયો,, જેમાં અનિલ જોશિયારા પણ સામેલ હતા, જેમાં શંકર સિહ કોગ્રેસના ટેકા થી મુખ્ય પ્રધાન બન્યા, તેમની સરકારમાં અનિલ જોશિયારાને આરોગ્ય પ્રધાન પદ મળ્યુ,, તેઓ 1998 સુધી રહ્યા
કોગ્રેસ માટે જોશિયારા વિકલ્પ કોણ હોઇ શકે
આદિવાસી નેતા તરીકે ડો અનિલ જોશિયારા કોગ્રેસ પાસે એવા શસ્ત્ર હતા જેનો તોડ ભાજપ પાસે ન હતો, ભાજપે વારં વાર તેમની સામે પ્રયોગ કર્યા પણ તે અસફળ રહી,, હવે આ સીટ ખાલી થશે ત્યારે કોગ્રેસ પાસે હાલ કોઇ બીજો આદિવાસી નેતા નથી, જેથી તેમનો વિકલ્પ શોધવો અધરો બનાવાનુ છે
આમ તો અશ્વિન કોટવાલ જેવા નેતાઓ છે, ત્યારે તુષાર ચૌધરી જેવા નેતાઓ છે, પણ હાલ તો કોગ્રેસ પાસે જોશિયારાના પરિવારમાંથી કોઇને ટીકિટ આપવાની ગણતરી કરી શકે છે,, ડો અનિલ જોશિયારાની ખોટ કોગ્રેસમાં ક્યારેય પુરી નહી કરી શકાય
ડો અનિલ જોશિયારાના નિધન ઉપર સીએમ સહિત સમગ્ર વિધાનસભાએ શોક વ્યક્ત કર્યો
ડો અનિલ જોશિયારાના નિધન ઉપર સીએમ ભુપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો તો કોગ્રેસના તમામ આગેવાનોએ પણ શોક વ્યક્ત કર્યો,,વિધાનસભામાં પણ શોક ઠરાવ કરાયો હતો. મહત્વપુર્ણ વાત એ છે કે સીએમ ભુપેન્દ્ર પટેલના ટ્ટીટમાં ડો અનિલ જોશિયારા માટે દુખ વ્યક્ત કરાયુ, પણ જોશિયારાનુ ફોટો મુકવામાં પણ સૌજન્યતા ન દાખવી શક્યા, સમાન્ય રીતે સીએમ જાતે ટ્ટીટ કરતા નથી, પણ સીએમઓમાં રહેલી સોશિયલ મિડીયાની ટીમ ટ્ટીટ કરતી હોય છે,,જેમની જવાબદારી હતી કે તે પ્રોપર ટ્ટીટ કરે,,જો કે રાજકિય અસંવેદના આ ટ્ટીટમાં દેખાય છે,, જેની નોધ પણ સમાન્ય જનતાએ લીધી છે,
દાદા તમે પણ ભેદભાવ રાખો છો?? તમારા માટે તો બધા ધારાસભ્ય સરખા નહીં??
— Khushi Chauhan (@KhushiC18255711) March 14, 2022
Cm સાહેબ જોસિયારા નો ફોટો કેમ નથી મુક્યો? જોસિયારા કોંગ્રેસ માં હતા એટલે???
— Khushi Chauhan (@KhushiC18255711) March 14, 2022
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ