ગાંધીનગર

મધ્યાનભોજનયોજનાના જનક માધવસિંહ સોલંકી , કર્મચારીઓને નથી મળતું લઘુતમ વેતન

Published

on

મધ્યાહન ભોજન યોજના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકી ના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવા માં આવી જેનો ઉદ્દેશ સામાન્ય અને ગરીબ વર્ગના બાળકો માટે ને પોષણયુક્ત ભોજન મળી રહે તે હતો

કોંગ્રેસ ના શાસનકાળ દરમ્યાન બાળકો સ્કૂલમાં આવે અને કુપોષણ અટકે અને બાળમજૂરી એ આશયથી યોજના શરૂ કરાઇ..

આ યોજનામાં કેટલીક ભૂલો કદાચ હશે પણ બાળકો શાળાએ આવતા થયા એ હકીકત છે..

મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા કર્મચારી સંચાલકને માત્ર 46 રૂપિયા એક દિવસનું વેતન અપાય છે..

46 રૂપિયામાં કઈ રીતે આ લોકોના ઘરનો નિર્વાહ થાય એ રાજ્ય સરકાર બતાવે..

લઘુત્તમ વેતનના નિયમ અને કાયદાનો ભંગ કરીને આર્થિક શોષણ સરકાર કરી રહી છે..

Advertisement

રાજ્યોની તુલના કરીએ તો પોન્ડીચેરીમાં ૨૧ હજાર, કેરળમાં ૧૪ હજાર અને તામિલનાડુમાં ૯ હજાર ચુકવવામાં આવે છે..

ભાજપાનું ભ્રષ્ટ મોડેલ જેમાં મધ્યાહન ભોજન કર્મચારીઓનું શોષણ આ રીતે થાય છે..

આ સિવાય આંગણવાડી અને વી.સી.ઇ. સહિતના કર્મચારીઓનું વેતનની જગ્યાએ નજીવું વેતન મળે..

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ સાથે રહીને આંદોલન કર્યું હોવાનું કોંગ્રેસ ના મુખ્યપ્રવક્તા મનીષ દોશી એ માહિતી આપી હતી

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version