By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભોજનમાં નિયમિત દહીનું સેવન રાખે છે ઘણી બીમારી દુર, ઓસ્ટિયોપેરિસીસ જેવી બીમારીઓ સામે લડવા માટે પણ છે મદદગાર..
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > ભોજનમાં નિયમિત દહીનું સેવન રાખે છે ઘણી બીમારી દુર, ઓસ્ટિયોપેરિસીસ જેવી બીમારીઓ સામે લડવા માટે પણ છે મદદગાર..
હેલ્થ

ભોજનમાં નિયમિત દહીનું સેવન રાખે છે ઘણી બીમારી દુર, ઓસ્ટિયોપેરિસીસ જેવી બીમારીઓ સામે લડવા માટે પણ છે મદદગાર..

Web Editor Panchat
Last updated: February 21, 2022 9:52 am
Web Editor Panchat Published February 21, 2022
Share
SHARE

ભારતીય ભોજન દહીં અથવા તેમાંથી બનતી કોઈ વાનગી (છાશ / લસ્સી) વિના પૂર્ણ થઈ શકતું નથી. તેનો પોતાનો અનોખો સ્વાદ છે. દહીં એટલે કે યોગર્ટ એ વિવિધ પ્રાણીઓના દૂધ જેવા કે ગાય, બકરી, ભેંસ વગેરેમાંથી બનાવવામાં આવતા ડેરી ઉત્પાદનોમાંનું એક છે. દહીં બનાવવા માટે તમામ દૂધ પૈકી મોટે ભાગે ગાય અને ભેંસનું દૂધ વપરાય છે.

ઉનાળામાં તાપમાનમાં પરિવર્તન, પાણીનું પ્રદૂષણ, હીટ સ્ટ્રોક, તાવ વગેરે આંતરડામાંથી હેલ્ધી બેક્ટેરિયાને નષ્ટ કરે છે. તેથી, ઉનાળાની ઋતુમાં દહીં / છાશ / લસ્સીની ખૂબ ભલામણ કરવામાં આવે છે, કારણ કે તેમાં એક એન્ઝાઇમ હોય છે જેમાં શરીરને ઠંડુ રાખતાં અને ગુડ હીલર તરીકે કામ કરતાં હેલ્ધી બેક્ટેરિયા હોય છે.

 

દહીં એક દૂધમાંથી બનાવવામાં આવતું ઉત્પાદન છે, જેનું નિર્માણ દૂધના જીવાણુજન્ય ફેરફાર દ્વારા થાય છે. દૂધમાં રહેલા લેક્ટોઝમાં આથો આવવાથી તેમાંથી લેક્ટિક અમ્લ બને છે, જે દૂધમાંના પ્રોટીન સાથે પ્રતિક્રિયા કરી એને દહીંમાં ફેરવી નાખે છે. આ સાથે જ તેના દેખાવ તેમ જ સ્વાદમાં પણ પરિવર્તન થાય છે. વિશેષ ખાટ્ટો સ્વાદ ધરાવતું દહીંનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે.

નિયમિત ખોરાકમાં દહી ખાવાથી થતા ફાયદાઓ :- દહીંમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે. દહીં ખાવાથી દાંત પણ મજબૂત બને છે. દહીં ઓસ્ટિયોપેરિસીસ (સાંધાનો દુઃખાવો) જેવી બીમારીઓ સામે લડવા માટે પણ મદદગાર છે.

દહીં પેટ માટે ખૂબ ફાયદાકારક છે. દહીંમાં અજવાઈન મેળવી પીવાથી કબ્ઝ ની તકલિફ દૂર થાય છે.લૂ થી બચવા માટે દહીંનો પ્રયોગ કરવામાં આવે છે. લૂ લાગે ત્યારે દહીં પીવું જોઈએ, જેથી લૂ સામે રાહત મળે છે. દહીં પીવાથી પાચન શક્તિ વધે છે અને ભૂખ પણ સારી રીતે લાગે છે.શરદી અને ખાંસીના કારણે શ્વાસનળીમાં ઇન્ફેકશન થાય છે. આ ઇન્ફેક્શન થી બચવા માટે દહીંનો ઉપયોગ કરવો જોઈએ.

મોંઢામાં પડેલી ચાંદીઓ માટે દહીં ખુબ જ સારો ઘરેલુ ઉપચાર છે. મોઢામાં પડેલા ચાંદા થી મુક્તિ મેળવવા દહીંના કોગળા કરવા જોઈએ.દહીંના સેવનથી હાર્ટ (હદય) માં થતો કોરોનરી આર્ટરી રોગથી બચી શકાય છે. દહીંના નિયમિત સેવનથી શરીરમાં કૉલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરી શકાય છે.

ચેહરા પર દહીં લગાવવાથી ત્વચા મુલાયમ બને છે અને ત્વચામાં નિખાર આવે છે. દહીંથી ચહેરાની મસાજ કરીએ તો તે બ્લીચની જેમ કામ કરે છે. આનો ઉપયોગ વાળોમાં કન્ડિશનરની જેમ કામ કરે છે. ગરમીમાં જો ચામડી પર સનબર્ન થયું હોય તો દહીં લગાડવું જોઈએ તેંથી સનબર્ન એ ટેન માં આરામ મળે છે. ગરમી ના સમય દહીં અને તેનાથી બનેલ છાસ નનું રોજ સેવન ખુબ જ કરવું જોઈએ કેમકે તે આપણા પેટ ની ગરમી ને શાંત કરે છે

નિયમિત રીતે દહીં ખાવાથી રક્તનાં પ્રવાહમાં સુધારો થાય છે અને નબળાઈ દૂર થાય છે. દૂધ દહીંનું રૂપ લે છે, તેનાં શુગર એસિડમાં પરિવર્તિત થઈ જાય છે કે જે પાચનમાં મદદ કરે છે.
દૈનિક જીવનમાં દહીંના ઉપયોગથી આપને આંત્ર રોગો અને પેટ સાથે જોડાયેલીબીમારીઓથી બચવામાં મદદ મળે છે. જો આપને પેટમાં ગરમી અનુભવાતી હોય, તો આપે ભાત સાથે દહીં ખાવુ જોઇએ.દહીં હાડકાઓને મજબૂત કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમાં કૅલ્શિયનું ઉચ્ચ પ્રમાણ છે કે જે હાડકાઓનાં વિકાસમાં સહાયક છે.

Post navigation

You Might Also Like

ગુજરાત સરકારની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતી રાજ્યની દીકરીઓ માટે આશીર્વાદરૂપ

કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

TAGGED:DahifitnesshealthYogurt
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
પાવગઢમાં પાર્કિંગમાં નામે લૂંટ ચલાવવા લુખ્ખાઓને કોને આપી પરવાનગી
ગુજરાત ધર્મ દર્શન સમસ્યા
રાજ્યમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમો તૈનાત, 21 ડેમો હાઇએલર્ટ પર
ગુજરાત ભારે વરસાદ સમસ્યા હવામાન
વિદ્યાર્થીઓ ને હાઈસ્કૂલ માં અભ્યાસ કરવા જવા માટે જીવના જોખમે બે બે ફૂટ પાણીભરેલ ખાડા વાળા ચેકડેમપર થી શાળાએ જવા મજબૂર
ગુજરાત બોટાદ સમસ્યા
ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમા ‘ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’ ખાતે પણ શરૂ થશે અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો
ગવર્મેન્ટ ગુજરાત ધર્મ દર્શન
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?